માનવ અધિકારોનાં મૂળ નૈસર્ગિક કાયદામાંછે.નૈસર્ગિક કાયદો માણસના કેટલાક જન્મજાત કે નિસર્ગદત્ત અધિકારોને માન્ય રાખે છે. મનુષ્ય નિસર્ગનું ઉત્કૃષ્ટ સર્જન છે .કુદરતે જ માણસને કેટલાક અંતર્નિહિત અધિકારો બક્ષ્યા છે.તેથી માણસ આવા અધિકારો ભોગવે તે સાવ કુદરતૂ ગણાયું છે. મનુષ્ય બધે એક સમાન અને વિશ્વવ્યાપી હોવાથી આ નૈસર્ગિક અધિકારો સર્વ સ્થળે રહેલા માણસના નૈસર્ગિક અધિકારો છે. મનુષ્યનું જીવન કુદરતની મહાન ભેટ છે.તેથી તે જીવનનો આ અધિકાર ધરાવે છે.સાથે તે જીવનના અન્ય અંગભૂત તત્વો; જેવા કે વિકાસ, શિક્ષણ, આરોગ્ય, કલ્યાણ, સલામતી, સ્વાતંત્ર્યો, પર્યાવરણ; વગેરે પરવ્તે પણ અધિકાર ધરાવે છે. ખુદ શાસક પણ આ નૈસર્ગિક કાયદો,એટલે ધર્મથી,બંધાયેલો હતો.તે તેનાથી નીચેની પાયરીએ હતો. નૈસર્ગિક કાયદો શાસક/રાજયના કાયદાથી ચઢિયાતો માનતો હતો.તેથી શાસક/રાજય વ્યક્તિને તેના નૈસર્ગિક અધિકારોથી વંચિત નકારી શકે નહિ.આ અર્થમાં આ અધિકારો કોઈથી છીનવી લઈ શકાય નહિ તેવા હતા. મોટા ભાગના આ નૈસર્ગિક અધિકારો માનવ અધિકારો તરીકે માન્ય અખાયા છે.મોટા ભાગના માનવ અધિકારોને મૂળભૂત અધિકારોની છાપ લગાવવામાં આવી છે કેટલાક માનવ અધિકારો (દા.ત.ભારતમાં મિલકત ધરાવવાનો અધિકાર)બંધારણીય અધિકારો બનાવાયા છે તથા અન્ય કેટલાક અધિકારો રાજયના ધારા અન્વયે બક્ષવામાં આવ્યા છે. આ બધા અધિકારોની પિરામીડ જેવી ગોઠવણી નીચે મુજબ છે. કાનૂની/ધારાબધ્ધ અધિકારો બંધારણીય અધિકાર(દા.ત.મિલકત ધરાવવાનો અધિકાર) મૂળભૂત અધિકારો+રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો (ભારતના બંધારણ અન્વયેઃ એક અમલપાત્ર બીજા નહિ) આંતરરાષ્ટ્રીય કાયદા અન્વયે મળતા માનવ અધિકારો સ્ત્રોત :અધિક પોલીસ મહાનિદેશક, માનવ અધિકાર - ગુજરાત પોલીસ