માનવ અધિકાર પંચની ઓફીસ ગુજરાતમાં કાર્યરત નથી પરંતુ માનવ અધિકારને લગતી બાબતો સબંધે પોલીસ મહાનિદેર્શક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજય ગાંધીનગરની કચેરીમાં કામગીરી કરવામાં આવે છે. તેમાં અધિક પોલીસ મહાનિદેશકશ્રી, નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, પોલીસ ઇન્સ્પેકટરશ્રી, પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી, ની નિમણૂંક થયેલ છે જે કામગીરી જી-૨ શાખા માં કરવામાં આવે છે આ શાખામાં માનવ અધિકાર સિવાય અનુસુચિત જનજાતિ તથા નબળા વર્ગો ઉપર જે ગુન્હા બને અથવા અત્યાચાર થાય છે તે સબંધેની કામગીરી કરવામાં આવે છે. કામગીરી સામાન્ય પજાજન તરફથી માનવ અધિકાર ભંગ થયાની અરજી અત્રે આવે છે આ અરજી અત્રેની કચેરી દ્વારા જે તે જીલ્લાને મોકલવામાં આવે છે. તમાં વિગત વાર તપાસ કરાવી અહેવાલ માનવ અધિકાર પંચ દિલ્હીને અત્રેની કચેરીની જાણ હેઠળ પાઠવવા જણાવવામાં આવે છે. જીલ્લાઓમાંથી ઘણી વખત અરજી અગેની તપાસનો સીધો અહેવાલ આવે છે તે અહેવાલ અત્રેથી માનવ અધિકાર પંચ, નવી દિલ્હીને પાઠવવામાં આવે છે. અરજી અંગે પોલીસકમિશ્નર કચેરી/પોલીસ અધિક્ષકશ્રી તરફથી યોગ્ય તપાસ કરવામાં ન આવી હોય તો અત્રેથી સ્પષ્ટતા પૂછવામાં આવે છે. અને જો માનવ અધિકાર ભંગ થયેલાનું જણાય તો તે અંગે શિક્ષાત્મક પગલાં લેવા પણ જણાવવામાં આવે છે. આ રીતે માનવ અધિકાર પંચની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે. ભારતમાં માનવ અધિકારો માટે એક ખાસ માનવ અધિકાર રક્ષણ ધારો,૧૯૯૩ પસાર કરવામાં આવ્યો છે.તે ધારા અન્વયે એક રાષ્ટ્રિય માનવ રક્ષણ પંચ રચાયુ છે. આ પંચ માનવ અધિકારોના ભંગની ફરિયાદોની પૂર તપાસ કરવાની સત્તા ધરાવે છે. કેન્દ્ર/રાજયોનાં બધા જ તંત્રોએ પંચને મદદરૂપ થવાનું હોય છે. રાજય સરકારો રાજયો માટે માનવ અધિકાર કોર્ટૉની અલગ રચના કરી શકે છે. પ્રવર વર્તમાન કાયદાઆંતરરાષ્ટ્રિય સંધિઓના અલ માટે પંચ માનવ અધિકારોના સંશોધન / જાગૃતિ/ પ્રોત્સાહનની કામગીરી કરી શકે છે. રાષ્ટ્રિય પંચના જેવી જ કામગીરી માટે રાજયોનાં આગવા પંચોની રચના થઈ શકે છે. સ્ત્રોત: અધિક પોલીસ મહાનિદેશક, માનવ અધિકાર - ગુજરાત પોલીસ