પૂર્વ એસ. એસ. સી.ના વિદ્યાર્થીઓ માટે રાજ્ય શિષ્યવૃત્તિની યોજના
પાત્રતાના માપદંડો
- આવક મર્યાદા લાગુ પડતી નથી
- સરકારી શાળાઓ/ખાનગી શાળાઓમાં આગલા ધોરણમાં પાસ હોવા જોઈએ
સહાયનું ધોરણ(બીસીકે - ૨ મુજબ)
સરકારી અને ખાનગી શાળાઓ |
વાર્ષિક |
ધો. ૧ થી ૮ વિદ્યાર્થીઓ |
રૂ. ૨૫૦ |
ધો. ૯ થી ૧૦ |
રૂ. ૪૦૦ |
અનુદાન યોજના
સુબેદાર રામજી આંબેડકર છાત્રાલયને અનુદાન યોજના
- ૪૨૫ કુમાર અને ૧૬૭ કન્યા એમ કુલ ૫૯૨ છાત્રાલયો ચાલે છે.
- ૧૩૧૫૨ કુમાર અને ૫૭૨૨ કન્યા ( કુલ ૧૮૮૭૪)
- ૧ છાત્રાલયનું વાર્ષિક ખર્ચ રૂ. ૧,૯૯,૬૦૦/-
સહાયનું ધોરણ
- રૂ. ૬૦૦/- માસિક એક વિદ્યાર્થી દીઠ નિભાવભથ્થું (૧૦ માસ સુધી)
- ગૃહપતિને પગાર રૂ. ૨૩૦૦/- થી ૨૭૦૦/-
- વિદ્યાર્થીદીઠ રૂ. ૫૦/ પંચાયત વિસ્તાર માટે (મકાન ભાડા પેટે)
- નગરપાલિકા માટે રૂ. ૭૦/- અને મહાનગરપાલિકા માટે રૂ. ૯૦/-
- વોચમેનને રૂ. ૧૦૦૦/- (પગાર પેટે), રસોયાને રૂ. ૧૩૦૦/- (પગાર પેટે), મદદનીશ રસોયાને રૂ. ૧૨૦૦/-(પગાર પેટે)
- વીજળીકરણ, રમતગમતનાં સાધનો, ગ્રંથાલયનાં પુસ્તકો, વર્તમાનપત્રો, સામાયિક વગેરે માટે અનુદાન આપવામાં આવે છે.
- જે સંસ્થા પાસે ત્રણ કે વધુ છાત્રાલયો ચલાવતી હોય તે સંસ્થાને માન્ય આઈટમ પર કરેલા ખર્ચના પ ટકા વહીવટી ગ્રાન્ટ આપવામાં આવે છે.
નાના ઉદ્યોગ સાહસિકોને ધંધા/વ્યવસાયનું સ્થળ ખરીદવા નાણાકીય લોન સામે વ્યાજ સહાય
પાત્રતાના માપદંડો
- રૂ. ૫૦,૦૦૦/- આવકમર્યાદા
- ધંધાનું સ્થળ/દુકાન ખરીદવા માટે
સહાયનું ધોરણ
લાભાર્થી બેંકેબલ યોજના હેઠળ રૂ. ૧૦.૦૦ લાખ સુધીની લોન મેળવે તો વાર્ષિક ૪% વ્યાજ લાભાર્થી પોતે ભોગવે અને ૪% થી ઉપરના વ્યાજની સહાય રૂ. ૧૫,૦૦૦ ની મર્યાદામાં વધુમાં વધુ ૩ વર્ષ માટે આપવાની જોગવાઈ છે.
કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈદકીય સહાય યોજના
પાત્રતાના માપદંડો -આવક મર્યાદા
- ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ.૪૭,૦૦૦/-
- શહેરી વિસ્તાર માટે વાર્ષિક રૂ.૬૮,૦૦૦/-
સહાયનું ધોરણ
- સામાન્ય રોગોમાં રૂ. ૧૫૦/- કેસ દીઠ
- ગંભીર પ્રસૂતિનાં રોગ માટે રૂ. ૫૦૦/- કેસ દીઠ
- ટીબી માટે માસિક રૂ. ૫૦૦/- દર્દ મટે ત્યાં સુધી.
- કેન્સર માટે માસિક રૂ. ૧૦૦૦/- દર્દ મટે નહી ત્યાં સુધી
- રક્તપિત્ત માટે માસિક રૂ. ૮૦૦/- દર્દ મટે નહી ત્યાં સુધી
- એચ.આઇ.વી એઇડઝ ગ્રસ્ત માસિક રૂ. ૫૦૦/- રોગ મટે નહી ત્યાં સુધી
સફાઈ કામદારો અને તેમના આશ્રિતોના પુનઃસ્થાપન માટે નાણાકીય સહાય
હેતુ
સફાઈ કામદારો અને તેમના આશ્રિતોના પુનઃ સ્થાપન માટે
સહાયનું ધોરણ
- સફાઈ કામદારોને પુનઃસ્થાપન માટે રોજગારી-ધંધા માટે લોન સહાય આપવી અને અન્ય ધંધામાં વાળવા
સ્ત્રોત :
નિયામક- અનુસૂચિત જાતિ કલ્યાણ ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/27/2019
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.