অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વજન વધારાથી ઘુંટણના દુખાવો થવાની શક્યતા વધુ

તમારું વજન એક ગ્રામ પણ વધશે તો ઘુંટણનો દુખાવો થવાની શક્યતા વધશે

ઘૂંટણનો દુ:ખાવો (ઓસ્ટીઓ આરર્થાઈટીસ) વા એ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે મોટા ભાગનાં લોકો જેમની ઉંમર ૫૦થી વધુ હોય તેમને હાડકાંની નીચે આવેલ આર્ટીક્યુલર કાર્ટીલેજ (ગાદી) ઘસાઈ જતી હોય છે, એટલે આ દુ:ખાવો થાય છે. આ ગાદી ઘસાવાના કારણે ત્યાં નવાં હાડકાં બનવાની શરૂઆત થતી હોય છે. હમણાં જ થયેલાં સર્વે પ્રમાણે ભારતમાં દર બેમાંથી એક વ્યકિત આ પ્રકારના ઘૂંટણના દુ:ખાવાની તકલીફ ધરાવે છે, પરંતુ આનાથી ગભરાવવાની જરૂર નથી. સાચી તકેદારી, કાળજી અને સારવાર કરવાથી આ રોગમાંથી મુક્તિ મેળવી શકાય છે. આજકાલ આ દુખાવા અંગે લોકોમાં ઘણી-બઘી ગેમમાન્યતાઓ પ્રવર્તે છે.

ઓસ્ટીયો આર્થાઈટીસ અને તેની સાથે અનેક ગેરમાન્યતા જોડાયેલી છે

ગેરમાન્યતા નં-૧: ઘૂંટણમાંથી અવાજ આવતો હોય એટલે ઘૂંટણનો વા (ઓસ્ટીઓ આરર્થાઈટીસ) થયેલો છે

જયારે પણ તમારા ઘૂંટણના સાંધામાંથી અવાજ આવે તો ગભરાવાની જરૂર નથી. મેડિકલમાં જો આ અવાજ સાથે દુ:ખાવો ન હોય તો તેને તદ્દન નોર્મલ બાબત માનવામાં આવે છે. આ અવાજનો મતલબ બે હાડકાં ઘસાતાં હોય તેવો નથી. તેથી આવું માનવાની કોઈ જરૂર નથી. જો અવાજ સાથે દુ:ખાવો થતો હોય તો ઘૂંટણની આસપાસના સ્નાયુ કે ટેન્ડનમાં સોજો હોય છે. એવું જોવા મળતું હોય છે, તેનાથી સાંધામાં તકલીફ હોય છે તેવું માનવાની જરૂર નથી. ટચાકિયો ફોડવો (સાંધામાંથી અવાજ આવે તેવી મુવમેન્ટ) ને મેડીકલમાં નર્વસ ટીક કહેવામાં આવે છે જેનાથી થોડી વાર રીલેક્ષ થઈ જવાય છે પરંતુ એના મતલબ એવો નથી કે સતત આ પ્રકારની મુવમેન્ટ કરવી જોઇએ. ઘણાં લોકોને આ કરવાની આદત હોય છે પરંતુ વારંવાર ટચાકીયા ફોડવાથી સાંધાની આસપાસનાં સ્નાયુમાં /ટેન્ડન/ લીગામેન્ટની તાકાત ઘટી જતી હોય છે.

ગેરમાન્યતા નં2- આપણા આહારને ઘુંટણના દુ:ખાવા સાથે સંબંધ હોતો નથી.

સામાન્ય રીતે આહારમાં જો વધારે પડતું કેલરીવાળું ખાવાથી આપણા વજનમાં વધારો થતો હોય છે, એથી મેડિકલમાં એવું કહેવાય છે કે એક ગ્રામ પણ જો વજનમાં વધારો થાય તો એ ઘૂંટણમાં આવતું ચાર ગ્રામ વજન હોય છે. એથી જ જે લોકો ના વજન વધુ હોય તેમને ઘુંટણનો દુ:ખાવા થવાની શક્યતા ઓ વધું હોય છે એથી આપણો રોજિંદા આહારમાં સમતોલ આહાર લેવામાં આવેતો ઘૂંટણમાં તકલીફ થવાની શકયતા ઓ ઘટી જતી હોય છે આહારમાં વધારે પડતું તળેલું, તથાં કેલરીવાળું બને ત્યાં સુધી ઉપયોગમાં ઓછું લેવું જોઇએ.

ગેરમાન્યતા નં-૩ રોજીદાં જીવનમાં ૪૫ મિનિટ-૫૦ મિનિટ ચાલવું જોઇએ.

આજકાલ એ ખૂબ જ જોવામળે છે કે લોકો એવું માને છે કે ૪૫ મિનિટ ચાલવાથી ઘૂંટણમાં દુ:ખાવો મટી જાય છે. અથવાં દુ:ખાવો થતો નથી. પરંતુ આ એક ગેરમાન્યતા છે ચાલવું એ કસરત સાથે સારી એરોબીકસ પ્રવૃતી છે માત્રને માત્ર ૪૫મીનીટ ચાલવાથી દુ:ખાવો મટતો નથી. ઉલયનું દુ:ખાવો થવાનાં ચાન્સ વઘી જતાં હોય છે.

કારણકે સતત ૪૫ મીનીટ ચાલવાથી ઘુંટણ પર આવતું વજન વઘતું જતું હોય છે અને ઉમંર સાથે સ્નાયું નબળા પડતાં હોય છે અને ચાલવાથી થવાનાં કે ઘુંટણના સ્નાયુ મજબુત થતા નથી, એથી જ ૪૫ મિનિટ સતત ચાલવાની જગ્યાએ ૨૦ મિનિટ ચાલવું જોઇએ. બાકીના સમયમાં ઘૂંટણની આસપાસના સ્નાયુઓ મજબુત થાય એવી કસરતો કરવી જોઇએ. આ કસરતથી ઘુંટણને સ્વસ્થ (મજબુત) વધુ લાંબા સમય સુધી રાખી શકાય છે. આની સાથે સાથે લો-ઇમ્પેકટ એરોબિકસ કસરતો જેવી છે સાયકલિંગ અને સ્વિમિંગ કરવાથી સાંધો વધારે મજબુત બનાવી શકાય છે સાયકલીંગ કરવાથી ઘુંટણમાં કોઈ પ્રકારનું વજન આવતું નથી તેથી વધારે ફાયદાકારક કસરત માનવામાં આવે છે વોકિંગ (ચાલવાથી) ઘૂંટણ પર સતત ભારણ આવે છે તેથી એક સાથે સતત ૨૦ મિનિટ થી વધારે ચાલવું નહી. ઇન્ટરનેશનલ સ્ટાન્ડેડ પ્રમાણે કોઈપણ માણસ દિવસમાં ૮૦૦૦ સ્ટેપ (પગલાં) ચાલે છે તો તેની વોકિગને તદન નોર્મલ માનવામાં આવે છે તેથી આ બાબાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ)  પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત  ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com 
અમારી વેબસાઈટ : www.aalayamrehab.com
Whats App 7624011041

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/14/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate