অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

એપેંડિક્ષ

એપેંડિક્ષ ને ગુજરાતી મા આંત્રપુચ્છ પણ કહેવાય છે અને તે દરેક માનવી મા જન્મથી જ હોય છે. એટ્લે એપેંડિક્ષ ઉગ્યુ કે થયુ એ માન્યતા ખોટી છે! એપેંડિક્ષ મા કોઇ પણ કારણોસર જ્યારે ચેપ લાગે ત્યારે તેને એપેંડીસાયટીસ થયુ કહેવાય. એટલે કે રોગ નુ નામ એપેંડિક્ષ નહી પણ એપેંડીસાયટીસ છે. એપેંડીસાયટીસ નાના બાળકોથી લઈ ને વૃધ્ધ બધા ને થઈ શકે છે. અને તે સામાન્ય ચેપ થી લઈ ને આખા પેટ મા રસી ફેલાય જવા સુધી જિવલેણ સેપ્ટીક સુધી થતો રોગ છે.

કારણો:-

એપેંડીસાયટીસ થવા ના કારણો મા મુખ્યત્વે ખોરાક નો ચેપ, વાયરલ ઇંફેક્શન, એપેંડિક્ષ મા મળ નુ ફસાય જવુ, હોય છે પણ અચુક કારણ જાણી શકાતુ નથી.

લક્ષણો :-

એપેંડીસાયટીસ મા જમણી બાજુ પેટમા નીચે ના ભાગ મા દુખાવો થતો હોય છે, દુખાવા સાથે ઉલ્ટી થવી, તાવ આવવો પણ મોટા ભાગે જોવા મળતુ હોય છે. એપેંડીસાયટીસ નુ નિદાન જેટલુ વહેલુ થાય એટલા લક્ષણો હળવા અને જેટલુ નિદાન મોડુ એટલા જ લક્ષણો ઉગ્ર સ્વરુપે જોવા મળતા હોય છે. જો એપેંડિક્ષ ફાટી જાય કે તેના રસી આજુબાજુ ફેલાય તો આખા પેટમા દુખાવો, ખુબ જ તાવ આવવો, બ્લડપ્રેશર ઓછુ થઈ જવુ (સેપ્ટીક શોક), ખુબ જ ઉલ્ટી ઓ થવી જેવા લક્ષણો પણ જોવા મળે છે.

નિદાન

દર્દી ની શારિરીક તપાસ દરમ્યાન જ ડોક્ટર નિદાન નુ અનુમાન કરી લેતા હોય છે. નિદાન ની પુર્ણતા માટે, પેટ ની સોનોગ્રાફી, લોહી ના રીપોર્ટ મા ચેપ નુ પ્રમાણ અને જરુર પડે તો પેટ નુ સીટી સ્કેન પણ કરાવવુ પડતુ હોય છે.

દર્દની ગંભીરતા

એપેંડીસાયટીસ સાદા ચેપ થી લઈ ને જિવલેણ સેપ્ટીક મા ફેરવાય જતુ હોય છે એટલે જેટલુ બને એટલુ વહેલુ નિદાન કરી ને ડોકટર ની સલાહ મુજબ જ આગળ સારવાર લેવી જરુરી બને છે.

સારવાર

એપેંડીસાયટીસ કાયમી અને સાચો ઇલાજ તો ઓપરેશન કરીને એપેંડિક્ષ ને દુર કરવુ જ છે. શરુઆત અને સાદા ચેપ મા ઘણી વખત દવાથી ફેર પડી જતો હોય છે પણ 20 ટકા લોકો ને ફરી થી દુખાવો ઉપડતો જ હોય છે. તેથી ઓપરેશન કરાવવુ જ હિતાવહ રહેતુ હોય છે. દુખાવો ઉપડ્યા ના 48 કલાક દરમ્યાન નિદાન થઈ જાય તો ઓપરેશન માટે નો સૌથી વધુ સારો ગાળો એ જ ગણાય છે. ત્યારબાદ નિદાન થાય તો ઘણી વખત આંતરડા ત્યા ચોટી જતા હોય છે અને ઇંજેક્શન અને બાટલાથી સોજો ઉતારી ને દોઢ મહીના પછી ઓપરેશન ની સલાહ અપાતી હોય છે.

ઓપરેશન જમણી બાજુ પેટ મા છેકો મારી ને, લેપરોસ્કોપિક એટલે કે દુરબીન થી, અને ચેપ પેટ મા ફેલાય ગ્યો હોય તો જરુર પડ્યે મોટો છેકો મારી ને (લેપેરોટોમી) પણ કરવુ પડતુ હોય છે. એપેંડિક્ષ ના ઓપરેશન માટે લેપેરોસ્કોપિક ઓપરેશન ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણાય છે.

સ્ત્રોત : ડો સિકોતેર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate