অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નિપાહ વાઇરસ

nipahvirus

નિપાહ વાયરસ શું છે?

  • નિપાહ વાયરસ (NiV) ઇન્ફેક્શન એ એક એવું ઇન્ફેક્શન છે કે જેના વાયરસ પ્રાણીઓથી માણસ સુધી પ્રસરે છે. ચામાચીડિયાઓની ટેરોપોડિડાએ પ્રજાતિ આ વાયરસનો મૂળ સ્ત્રોત હોવાનું જાણવા મળી રહ્યું છે.
  • 1999માં મલેશિયા અને સિંગાપોરના કેટલાક વિસ્તારોમાં ડુક્કરના સંપર્કમાં આવવાથી ડુક્કરપાલકોમાં એન્કેફ્લાઇટિસ(મગજનો સોજો) અને રેસ્પિરેટરિ(શ્વાસની બિમારી)ની ફરીયાદો આવી હતી, ત્યારે પહેલી વખત આ ઇન્ફેક્શન વિશે ખબર પડી હતી.
  • જે-તે વખતે 300 જેટલા લોકો આ વાયરસની ઝપેટમાં આવ્યા હતાં અને 100 જેટલા લોકોના મૃત્યુ થયા હતાં. વાયરસ આખા વિસ્તારમાં ન પ્રસરે એ માટે આશરે દસ લાખ જેટલા ડુક્કરોને મારવામાં આવ્યા હતાં. જેના કારણે સ્થાનિક વેપારમાં નુકસાન પણ થયું હતું.
  • આ વાયરસને પ્રસરતો રોકવો હોય તો બીમાર ચામાચીડિયા કે ડુક્કરોને રહેણાંક વિસ્તારોમાં ખુલ્લાં ન મૂકવાં.
  • આ વાયરસની રસી પ્રાણીઓ કે માણસો માટે હજુ સુધી ઉપલબ્ધ નથી.

૨૦ વર્ષ પહેલાની વાત છે

ગૂગલ જણાવે છે કે સૌથી પહેલા આ વાઇરસની જાણકારી ૨૦ વર્ષ પહેલા ૧૯૯૮માં મલેશિયાના કામ્પુંગમાંથી મળી હતી. માટે આ જગ્યાના નામ પરથી જ આ વાઈરસનું નામ નિપા પાડવામાં આવ્યું. મેડિકલની ભાષામાં તેને નિવ (NiV) કહેવામાં આવે છે. ઉલ્લેખનીય વાત એ છે કે મલેશિયામાં ડુક્કરમાં પણ આ વાઈરસ જોવા મળે છે. ૨૦૦૪માં બાગ્લાદેશમાં પણ આ બિમારીના કેટલાક દર્દીઓ હતા. ત્યારે એવું અનુમાન કરવામામ આવ્યું હતું કે તાડી પીવાથી આ બિમારી ફેલાય છે. પાછળથી ખવર પડી કે માણસ થકી માણસમાં પણ આ વાઇરસ ફેલાય છે. જોકે ભારતમાં આ વાઇરસ પહેલીવાર પ્રવેશ્યો છે. જે ઘણી ચિંતાની વાત છે.

હાલ તો દર્દીના લોહિના નમૂનાનું પરીક્ષણ કરી આ વાઈરસની ઓળખ કરવામાં આવી છે. આ જાણી કેન્દ્ર અને કેરળની રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ છે. એવું અનુંમાન લગાવવામાં આવ્યું છે કે તાડીનું ફળ કે તાડી પીવાથી આ વાઈરસ માણસના શરીર સુધી પહોંચી ગયો છે.

આ વાઈરસ શરીરમાં પ્રવેશે એટલે તેના લક્ષણ દેખાવા લાગે છે. પહેલા તો સાંસ લેવામાં તકલીફ થાય છે. મગજમાં અને માથામાં દુઃખાવો ચાલુ થઈ જાય છે.

તમે કેહેશો આનો ઉપચાર શું તો હાલ તો કહેવું વહેલું ગણાશે કેમ કે આની કોઇ રશી હજુ સુધી શોધવમાં આવી નથી. કેટલી ક દવાઓ છે જેનાથી હાલ તેનો ઉપચાર કરવાની કોશિશ થઈ રહી છે.

આનાથી બચવા માટે પહેલા તો ડુક્કર દૂર રહો, જ્યાંચામાચિડીયા રહેતા હોય તેનાથી દૂર રહો. તે જાડનીચે પડેલા ફળ ન ખાવ. તાડી તો બિલકુલ દૂર રહો.

નિપાહ વાયરસનાં લક્ષણો

  • નિપાહ વાયરસનાં લક્ષણો ઇન્ફેક્શન થયાના 24 થી 48 કલાકમાં જોવા મળે છે.
  • તાવ આવવો એ નિપાહ વાયરસના ઇન્ફેક્શનનું એક લક્ષણ ગણવામાં આવે છે.
  • માથામાં દુખાવો થતો હોય કે શરીરમાં કળતર અનુભવાતી હોય તો તે નિપાહ વાયરસના લક્ષણ હોઈ શકે.
  • આળસ આવે અથવા શ્વાસને લગતી તકલીફ અનુભવાતી હોય તો તે પણ નિપાહ વાયરસના લક્ષણ છે.

સ્ત્રોત : રાષ્ટ્રીય આરોગ્ય પોર્ટલ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate