অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

એનીમિયાને દૂર કરવા આહારમાં લો આટલું

એનીમિયાને દૂર કરવા આહારમાં લો આટલું

જો તમારા લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જતું હોય તો તમને એનીમિયા થવાનો ભય રહે છે. પરંતુ એવા કેટલાક સરળતાથી પ્રાપ્ત પદાર્થો છે, જેને તમે તમારા ડાયેટમાં ઉમેરી શકો છો જેથી તમારા હિમોગ્લોબિનનું સ્તર ફરીથી સપ્રમાણ થઈ શકે. .

બીટ: બીટમાં ભરપૂર માત્રામાં આયર્ન, એન્ટી-ઓક્સિડન્ટ્સ તેમજ વિટામીન્સ અને મિનરલ્સ હોય છે. બીટમાં મેગ્નેશિયમ, સોડિયમ, મેંગેનીઝ, પોટેશિયમ અને વિટામીન સી જેવા પોષક તત્વ પણ હોય છે. બીટ રક્તચાપને નિયંત્રિત રાખવાની સાથે જ હ્રદય સંબંધિત બીમારીઓથી પણ બચાવે છે. ઉપરાંત શરીરમાં પ્રોટીનની ઉણપ અને ડાયાબિટીઝથી પણ બચાવે છે. બીટ ડાયજેસ્ટિવ ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે. જે કોલોન, ફેફસાં અને પ્રોસ્ટેટ કેન્સરથી શરીરનો બચાવ કરે છે.

દાડમ: દાડમના જ્યૂસને હૃદયની બિમારીઓ અને સ્ટ્રૉક સામે મદદ કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે અને તે બહુ બધા એન્ટી-ઑકિસડન્ટ ગુણધર્મો ધરાવે છે. તે શરીરમાં અને હૃદયમાં લોહીના પ્રવાહને સામાન્ય બનાવે છે. તે વિટામિન સી, વિટામિન એ, ઇ અને ફોલિક એસિડથી ભરપૂર છે. દાડમનો રસ એક સ્વાદિષ્ટ પીણું છે જે હિમોગ્લોબીનને વધારવાની સાથે આપણા આરોગ્યને સુધારે છે..

ખજૂર: ખજૂર શરીરને સૌથી વધુ ફાયદો પહોંચાડતું ફ્રૂટ છે. ખજૂરમાં રહેલું આર્યન લોહીની ઉણપ એટલે કે એનીમિયાથી બચાવવામાં કારગર સાબિત થાય છે. ખજૂરમાં કોપર, ફાઈબર, મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન B6 ભરપૂર માત્રામાં હોય છે. આથી રોજ ખજૂર ખાવાથી શરીરમાં આ તમામની ઉણપ દૂર થાય છે. ખજૂરમાં ભરપૂર પોટેશિયમ હોય છે જે હૃદયની સ્થિતિ સુધારે છે. અભ્યાસ મુજબ ખજૂર ખાવાથી સ્ટ્રોકની શક્યતા 100 ટકા સુધી ઘટાડી શકાય છે..

કેળાં: કેળામાં ભરપુર માત્રામાં લોહતત્વ રહેલું હોય છે, જે લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે. કેળામાં કેળામાં મુખ્યત્વે વિટામિન B6, વિટામિન સી, મેંગેનિઝ અને પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. 1 કેળામાં લગભગ 467 મિ.ગ્રા પોટેશિયમ, 1 મિ.ગ્રા સોડિયમ હોય છે જે હાડકાના રોગ, હૃદય રોગ વગેરેથી રક્ષણ આપે છે. કેળું જેમ પાકતું જાય તેમ તેનામાં શરીરને હૃદયરોગ અને ઘડપણથી બચાવનારા એન્ટિ ઓક્સિડન્ટ્સની માત્રામાં વધારો થાય છે. .

લીલાં શાકભાજી: લીલાં પત્તાંવાળી શાકભાજી જેવાં કે, મેથી, પાલક, કોથમીર વગેરેમાં આયર્નનું પ્રમાણ ખૂબ જ રહેલું હોય છે. લીલાં શાકભાજી વિટામિન બી૧૨, ફૉલિક એસિડ અને અન્ય શક્તિ પ્રદાન કરનારા ન્યૂટ્રિએંટ્સથી ભરપૂર હોય છે, જે એનીમિયા સામે લડવામાં તમારી મદદ કરશે. તમે દૂધી, કાકડી, પાલક જેવાં લીલાં શાકભાજીઓનો જ્યૂસ બનાવીને પણ પી શકો છો.

સ્ત્રોત: લિવિંગ, નવગુજરાત

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate