অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્તન કેન્સર/ કર્ક રોગ

પરિચય

સ્તન પેશીઓમાં કેન્સર થાય છે,સામાન્ય રીતે નળીનો (સ્તનની ડીંટડી માટે દૂધ વહન કરતી નળીઓ)અને જુદા જુદા ખંડમાં (ગ્રંથીઓ દૂધ બનાવે છે)તે પુરુષ અને સ્ત્રીઓ બંનેને થાય છે,તેમ છતાં પુરુષને સ્તન કેન્સર દુર્લભ છે.કેન્સરના વિવિધ સ્વરૂપો છે જેમ  કે:

  • નળીઓમાં દેખાતું કેન્સર વિકીર્ણક:નલિકાથી કેન્સરના મૂળભૂત હિસ્સા સુધી.
  • ખંડીય કેન્સર વિકીર્ણક: ખંડોમાં વિભાજીત કેન્સરના મૂળભૂત હિસ્સા સુધી.

લક્ષણો

સૌથી નોંધપાત્ર લક્ષણો સ્તન પેશીમાં એક ગાંઠ કરતાં વધારે ગાંઠો હોય તેવું લાગે છે.ત્યાં ગાંઠો હોઈ શકે:

  • એક સ્તન જાડું થાય વધે અને નીચા બને.
  • સ્તનની ડીંટડીની સ્થિતિ અથવા આકાર બદલાય અથવા ઊંધી થાય.
  • ચામડી પર ફોલ્લીઓ થવી અથવા ખાડા પાડવા.
  • સ્તનની ડીંટડી આસપાસ ફોલ્લીઓ છૂટી થવી.
  • સ્તનની  ડીંટડીઓ દુખવી અથવા બગલમાં સતત પીડા થવી.
  • બગલની નીચે અથવા હાંસડીના હાડકા આસપાસ સોજો થવો.

કેન્સરના લક્ષણો ખાસ કરીને શરીરના જે ભાગોમાં તેની અસર દેખાય છે તેના કારણે લક્ષણો જોવા મળે છે.તેમ છતાં,કેન્સરના લક્ષણોના આધારે વજનમાં ઘટાડો અથવા થાકની સામાન્ય દુર્બળતા જોવા મળે છે,જ્યાં સુધી તે/તેણીને થોડાં સપ્તાહો સુધી અસામાન્ય લક્ષણોનો અનુભવ થતો હોય ત્યાં સુધી વધારે પ્રમાણમાં તબીબી સહાયતા લેવાની સુચના આપવામાં આવે છે.

સ્થાનિક લક્ષણો : ખાસ કરીને સ્થાનિક લક્ષણો ટ્યુમરના સમૂહને કારણે અથવા ચાંદા પડવાના કારણે થાય છે.ઉદાહરણ તરીકે અન્નનળી સાંકડી થવાની અન્નનળીનું કેન્સર થઈ શકે,તેનાથી મુશ્કેલી અથવા નળીમાં દુઃખદાયક પીડા થવી,આંતરડાના સંકોચનને પરિણામે આંતરડા સાંકડા થવાથી અથવા ગુંચવાઈ જવાથી કેન્સર થવાની શક્યતા રહે છે.

દૈહિક લક્ષણો :

સામાન્ય લક્ષણોના લીધે કેન્સરનો પ્રભાવ દુરથી થતો હોય છે જે સીધાં કે આડકતરી રીતે ફેલાવા માટે સમર્થ હોતા નથી.તેમાં આનો સમાવેશ થઈ શકે છે :

  • અજાણપણે વજન ઘટવું
  • તાવ આવવો
  • સરળતાથી  થાકી ગયાની અનુભુતિ (થકાવટ )
  • ચામડીના રંગ/દેખાવમાં ફેરફાર થવો

કારણ

સ્તન કેન્સર માટે ચોક્કસ કારણ જાણવા મળતું નથી પરંતુ આ રોગ સાથે સંકળાયેલા પરિબળો આ પ્રમાણે છે:

  1. ઉંમર: ઉંમર વધવાની સાથે કેન્સરનું જોખમ વધે છે.જે સ્ત્રીઓ ૫૦ વર્ષ કે તેથી વધુ ઉંમરની છે તેમને સામાન્ય રીતે સ્તન કેન્સર જો નિવૃત્તિ  પછી થવાની શક્યતાઓ રહેલી છે.
  2. એસ્ટ્રોજનનું સ્તર: જયારે શરીર માંથી એસ્ટ્રોજનનું સ્તર બહાર આવે છે ત્યારે,આ કારણથી રજોવૃત્તિ વહેલા શરુ થઈ શકે અને   રજો નિવૃત્તિ મોડી  થઈ શકે છે.એસ્ટ્રોજનનો સંપર્ક ગર્ભાવસ્થાના સમયે સ્તન કેન્સર માટે જોખમરૂપ બની શકે છે અને ત્યાર પછી બાળકને પણ સ્તન કેન્સર થવાની શક્યતા રહેલી છે. એ રીતે એસ્ટ્રોજન અવિરત રીતે જોડાયેલું છે.
  3. કૌટુંબિક ઈતિહાસ : જો કૌટુંબિક ઈતિહાસમાં કોઈને સ્તન કેન્સર અથવા અંડાશયનું કેન્સર હોય,તો સ્તન કેન્સરનું જોખમ વધી શકે   છે. બીઆરસીએ૧   અને બીઆરસીએ૨ તરીકે ઓળખાતા ચોક્કસ જનીનો દ્વારા સ્તન અને અંડાશયનું  કેન્સર થવાના શક્યતા રહેલી છે. આ જનીનો બાળકને તેમના માતા પિતા દ્વારા મળેલાં હોય તો પણ શક્યતા રહેલી  છે. ત્રીજા જનીન(TP53)દ્વારા પણ સ્તન કેન્સર થવાની શક્યતા રહેલી છે.
  4. દારૂ : વધારે પ્રમાણમાં દારૂ પીવાથી પણ સ્તન કેન્સર થવાનું જોખમ રહેલું છે.
  5. ધુમ્રપાન : ધુમ્રપાન દ્વારા પણ સ્તન કેન્સરનું જોખમ રહેલું છે.
  6. કિરણોત્સર્ગ : ચોક્કસ તબીબી પ્રક્રિયાઓમાં કિરણોત્સર્ગનો ઉપયોગ કરવો,જેમ કે એક્સ- રે અને સીટી સ્કેનના ઉપયોગ વડે થોડા ઘણા અંશે સ્તન  કેન્સર થવામાં મદદરૂપ થાય છે.

કેન્સરના ઘણાં બધા કારણો છે :

  • આનુવંશિક પરિવર્તનો
  • સૂર્ય/વિકિરણોના હાનિકારક કિરણોના સંપર્કમાં આવવાથી
  • ભોજન અને શારીરિક પ્રવૃતિઓ
  • વંશપરંપરાગત
  • પર્યાવરણીય પરિબળો
  • અજ્ઞાતહેતુઓ/અજાણ્યા પરિબળો

નિદાન

તમારાં ડોક્ટરનો સંપર્ક કરો : સ્તનમાં કોઈ પણ પ્રકારના આકાર,ગાંઠ અથવા રંગમાં ફેરફાર જેવા લક્ષણો જણાય છે  તો તરત તમારે   તમારાં ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

છબીઓ : મેમોગ્રાફી અને સ્તન અલ્ટ્રાસાઉન્ડ સ્કેન પણ કેન્સરના નિદાન માટે વપરાય છે. અલ્ટ્રાસાઉન્ડ તમારા સ્તનોની અંદર એક છબી પેદા કરીને ઉચ્ચ આવૃત્તિ અને અવાજ તરંગોને ઉત્પન્ન કરીને ઉપયોગી થાય છે. નિર્માણ થયેલી છબી દ્વારા તમારાં સ્તનોમાં દાખલ થયેલી કોઈ પણ ગાં અથવા વિકૃતિ બતાવશે. તમારાં ડોક્ટર પણ તમારા સ્તનમાં ઘન અથવા પ્રવાહી છે કે કેમ તે અંગે સ્તન અલ્ટ્રાસાઉન્ડની તપાસ કરાવવાનું સૂચન કરીને જાણી શકે છે.

સુક્ષ્મ વિશ્લેષણ : જયારે મેમોગ્રામ અને અન્ય છબીઓના પરીક્ષણો માટે સામાન્ય રીતે બાયોપ્સી કરાવવામાં આવે છે,અથવા શારીરિક પરીક્ષણ કરીને કેન્સર છે કે સ્તનમાં ફેરફાર (અથવા વિકૃતિ )તે શોધે છે.ખરેખર હાલમાં કેન્સર છે એ જાણવા માટે બાયોપ્સી એક માત્ર રસ્તો છે.

સામાન્ય રીતે કેન્સરના સંકેતો અને લક્ષણોની હાજરી સ્ક્રીનીંગના માધ્યમથી ઓળખી શકાય છે.

સ્ક્રીનીંગ : સ્ક્રીનીંગનું પરીક્ષણ કેન્સરના લક્ષણોને (લક્ષણો દેખાય તે પહેલાં) જલ્દી ઓળખવામાં મદદ કરે છે. જયારે કેન્સરની આરંભની પેશીઓ અસામાન્ય જોવા મળે છે ત્યારે તેની સારવાર અને સંભાળ રાખવાનું સરળ બને છે.લક્ષણો દેખાય ગયા પછી કેન્સરનો વિકાસ અને ફેલાવો થઈ શકે છે.આ સારવાર અથવા ઉપચાર વડે કેન્સરની સારવાર અથવા સંભાળને સરળ બનાવી શકે છે. જયારે ડોકટર કોઈ પણ સ્ક્રીનીંગ પરીક્ષણ કરાવનું કહે ત્યારે ખાસ યાદ રાખવું કે તમારે હંમેશા માની લેવું કે તેનો મતલબ કેન્સર છે એવું નથી.તબીબી પરીક્ષણો દ્વારા સંદિગ્ધ લોકોને કેન્સરની તપાસ કરવામાં આવતી હોય છે.આ પરીક્ષણોની સાથે લોહીના પરીક્ષણો,એક્સ-રે,એમઆરઈ,બાયોપ્સી,પપ સ્મીયર્સ,સિટી સ્કેન અને એન્ડોસ્કોપી અને બીજી ઘણી તપાસનો સમાવેશ થાય છે.

વ્યવસ્થાપન

સ્તન કેન્સર માટે જરૂરી મુખ્ય સારવાર આ પ્રમાણે છે :

  • શસ્ત્રક્રિયા: શસ્ત્રક્રિયા દ્વારા શારીરિક રીતે એ ગાંઠ દૂર કરવામાં આવે છે,જે  સામાન્ય રીતે આસપાસની પેશીઓ સાથે જોડાયેલી હોય છે.
  • રેડિયોથેરાપી: રેડિયોથેરાપી શસ્ત્રક્રિયા દ્વારા સુક્ષ્મ ગાંઠ,કોષો વગેરેનો નાશ કરવામાં વપરાય છે,શસ્ત્રક્રિયા પછી ગાંઠોને પથારીમાં આરામ કરીને વધતી અટકાવી શકાય છે.
  • કીમિયોથેરાપી : સામાન્ય રીતે ૨ અને ૪ રોગો માટે, ખાસ લાભદાયી છે.જે એસ્ટ્રોજન રોગના ગ્રહણને (ER) નકારાત્મક બનાવે છે. સામાન્ય રીતે આ મિશ્રણો, ૩-૬ મહિના માટે આપવામાં આવે છે.

ઉપાયાત્મક સારવાર: કેન્સરના હુમલા વખતે દર્દીને વધારે સારી રીતે અનુભૂતિ થવી અથવા ન થવી તેનો સંયુક્ત પ્રયાસ કરવો જોઈએ નહીં.કેન્સર સાથે સંકળાયેલા લોકોને શારીરિક,ભાવનાત્મક,આધ્યાત્મિક અને મનો સામાજિક હૂફ આપીને પીડા ઓછી કરવી જોઈએ.

સર્જરી : કેન્સરની સારવાર માટે સર્જરી સૌથી અલગ અને મૌલિક પદ્ધતિ છે અને તેની ભૂમિકા ઉપચારાત્મક ઉપાય અને અસ્તિત્વના કાર્યકાળ  પર આધાર રાખે છે.સામાન્ય રૂપથી બાયોપ્સી જરૂરી છે તે ખાસ કરીને નિશ્ચિત નિદાન અને ટ્યુમરના તબક્કાને શોધી કાઢવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.સામાન્ય રીતે સ્થાનિક સર્જરીમાં જે તે ભાગની  લસિકા ગાંઠો (કેટલાંક કિસ્સાઓમાં) સમગ્ર સમૂહને દૂર કરવા પ્રયત્ન કરે છે.

વિકિરણ : વિકિરણ થેરાપીનો ઉપયોગ કેન્સરના લક્ષણોનો વિકાસ અથવા તો વિકિરણની હાજરીના પ્રયત્નોની દેખરેખ માટે થાય છે બ્ર્રેકીથેરાપી અથવા બાહ્ય થેરાપીના રૂપમાં આવા ઘણાં કિસ્સામાં તેનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે જે આંતરિક સ્ત્રોત તરીકે હોઈ શકે છે.

કીમિયોથેરાપી :

સર્જરી ઉપરાંત જુદા જુદા પ્રકારના સંખ્યાબંધ કીમિયોથેરાપીનો ઉપયોગ થઈ શકે છે જેમાં સ્તન કેન્સર,હાડકાનું કેન્સર,સ્વાદુપિંડનું કેન્સર,જઠરનું કેન્સર,વૃશણ કોથળીનું કેન્સર,અંડાશયનું કેન્સર અને કેટલાંક ફેફસાંના કેન્સરનો સમાવેશ થાય છે.

કેન્સરને મ્હાત કરવા સ્ટેમ સેલનું પ્રત્યારોપણ :

ઘણી વખત કીમિયોથેરાપીના વધારે પડતા ડોઝનો ઉપયોગ કરવાથી,વિકિરણ થેરાપીની સાથે ક્રમશ: કેન્સરની કોશિકા નષ્ટ થઈ જાય છે.આ સારવાર પણ હાડકાંના મજ્જાકોષોનો નાશ કરે છે.સ્ટેમ સેલ નાશ પામવાથી તરત જ સારવાર બાદ તેનું પ્રત્યારોપણની જેમ જ નસમાં આપવામાં આવે છે.તેઓ અસ્થિ મજ્જામાં  સ્થિર થઈને વૃદ્ધિ પામે છે અને સમય જતાં તંદુરસ્ત રક્ત કોશિકા બનાવવાની શરૂઆત કરે છે.આ પ્રક્રિયાને રોગગ્રસ્ત અવસ્થા કહે છે.

વર્ગીકરણ

કેન્સરના ટ્યુમર કોશિકાઓ મુખ્યત્વે સમાન સ્તર પર વર્ગીકૃત કરવામાં આવે છે જેનાથી કોશિકાની પ્રાકૃતિક આધાર પર તેનું વર્ગીકરણ થઈ શકે છે :

કાર્સીનોમા : ઉપકાલા કોશિકામાંથી કાઢવામાં આવતી કોશિકાને કાર્સીનોમા તરીકે ઓળખવામાં આવે છે.કેન્સરના આ સામાન્ય સમુહમાં ખાસ કરીને વૃદ્ધ લોકો,સ્તન વિકસિત થતાં બધા જ કેન્સરગ્રસ્તનો સમાવેશ થવો,પ્રોટેસ્ટ,ફેફસાં અને સ્વાદુપિંડ,આંતરડાનો સમાવેશ થાય છે.

સરકોમા : આ કેન્સરની પેશીઓમાંથી તારવેલી હોય છે. (એટલે કે હાડકાં,કાસ્થિ,ચરબી) કે જે મેસેન્સેમલ કોશિકાઓના મૂળ કોષોનો વિકાસ થઈને અસ્થિ મજ્જા બહાર પ્રસરે છે.

લિમ્ફોમા અને લ્યુકેમિયા : કેન્સરના આ બે વર્ગો મજ્જાને છોડવા માટે લસિકા ગાંઠો અને  લોહીને પરિપક્વ બનાવવા માટે હેમાટોપોએટીક કોષો માંથી ઉત્પન્ન થાય છે. બાળકોમાં લ્યુકેમિયાનું કેન્સર થવું સૌથી સામાન્ય પ્રકાર છે.

જીવાણું કોષોની ગાંઠ : પ્લુપીપોટેન્ટ કોષો કેન્સરમાંથી ઉત્પન્ન થઈ (ત્રણ પ્રકારના અલગ ક્ષમતા ધરાવતા સ્ટેમસેલ  ઉત્પન્ન કરે છે : ઇન્ડોડર્મ (અંદરના સ્તરો) (પેટના આંતરિક સ્તરો,જઠરના વિવિધ માર્ગો,ફેફસાં),મેસોડર્મ (મધ્યના સ્તરો) (સ્નાયુ,હાડકાં,લોહી,મૂત્રજનીનાંગો અને એક્ટોડર્મ (બાહ્ય સ્તરો) (બાહ્ય પેશીઓ અને જ્ઞાનતંતુની પ્રણાલી) સૌથી વધુ અંડકોષ અથવા અંડાશયમાં જોવા મળે છે.

બ્લાટોમા : આ પ્રકારના કેન્સરમાં “પૂર્વચિન્હ” કોષો અથવા અર્ધવિકસિત પેશીઓ માંથી કાઢવામાં આવે છે.વધારે ઉંમરવાળા યુવાનો કરતાં બાળકોમાં બ્લાસ્ટોમા સમાન રીતે જોવા મળે છે.

ખોટી માન્યતાઓ

કેન્સર એક ચેપગ્રસ્ત બિમારી છે : કેન્સર એ ચેપગ્રસ્ત બિમારી નથી તે ફ્લુ અથવા સર્દીની જેમ ‘પકડીને’ ફેલાતી નથી.તેને ચેપી અથવા સંચારિત રોગના રૂપમાં વહેચી શકાય નહીં.

  • કેન્સર વારસાગત છે : સામાન્ય રીતે કેન્સર જીવનશૈલી દ્વારા થતો રોગ છે કેન્સર થવા માટેના કારણોમાં દારૂ,તમાકું કેટલાંક રસાયણ,ઝેરી પદાર્થો અને હોર્મોન્સના નુકશાન દ્વારા થઈ શકે છે.
  • આજે તબીબી ટેકનોલોજીના કારણે બધા જ પ્રકારના કેન્સરની નિયમિત તપાસણી કરીને સરળતાથી સારવાર કરી શકાય છે : તેમ છતાં પ્રારંભિક ચરણમાં કેન્સરને જલ્દીથી શોધી શકાય છે પણ કેટલાંક કેન્સરને હજુ સુધી શોધી શકાયા નથી.
  • બાયોપ્સીથી અથવા બાયોપ્સી વખતે સોઈ દ્વારા કેન્સરના કોષો હેરાન કરી શકે અને શરીરના જુદા જુદા ભાગોમાં ફરી શકે છે : કેન્સરના ઘણાં પ્રકાર,સોઈ બાયોપ્સી દ્વારા કેન્સરના કોષો ફેલાય છે  (વિવિધ પ્રકારના કેન્સરની સારવાર માટે ઉપયોગ કરવામાં) તેના કારણે કોઈ નિર્ણાયક સાબિતી હોતી નથી.

 

  • દરેકની સારવાર હોય કે જેને કેન્સર હોય : દરેક વ્યક્તિ ડોકટર સાથે પરામર્શન કરીને ઉપચાર કરવાની બાબતો શીખીને પોતાની જાતે વિકલ્પો પસંદ કરી શકે છે.કેન્સર સાથે કેટલાંક લોકોને કોઈ ચિન્હો અથવા લક્ષણો હોય તો પ્રાથમિક તબક્કામાં ડોક્ટર કેટલીક રાહત આપતી દવાઓ સુચવી શકે છે.
  • કેન્સર હંમેશા દુ:ખદાયક છે : કેટલાંક કેન્સરના કારણોમાં ક્યારેય દુઃખાવો થતો નથી અને સંપૂર્ણ દુઃખાવા રહિત હોય છે.કેન્સરની પીડાનો અનુભવ થતો  નથી તેવાં લોકો,ખાસ કરીને ઉન્નત કેન્સર સાથેના લોકોને ડોકટરો તેમના દુઃખાવામાં રાહત અને નિયંત્રિત કરવા માટેના ઉપાયો અને રસ્તાઓ શીખવી શકે  છે.તેમ છતાં બધી પીડા પૂરી થતી નથી તે કેન્સરના દર્દીની રોજિંદી જીવનયાત્રા પર નિયંત્રિત કરીને અસર ઉભી કરી શકે છે.
  • સૌથી વધારે સ્તનની ગાંઠો કેન્સરગ્રસ્ત હોય છે : મોટા ભાગે સ્તનની ગાંઠો કેન્સરગ્રસ્ત હોતી નથી પણ ડોકટર પાસે પરીક્ષણ કરાવી લેવું જોઈએ, સ્ત્રીઓએ  કોઈ પણ પ્રકારના પરિવર્તનો વખતે જાણ કરવી અને દૂર ભાગવું જોઈએ નહીં,કારણ કે સ્તન કેન્સરને જલ્દીથી શોધી કાઢવું ફાયદાકારક છે.તમારાં  ડોકટરને મેમોગ્રાફ,અલ્ટ્રાસાઉન્ડ અથવા બાયોપ્સી કરાવીને સ્તનમાં કેન્સર ગાંઠ છે કે કેમ તેની ભલામણ કરવી જોઈએ.
  • સ્તન પ્રત્યારોપણ કરાવવાથી કેન્સરના જોખમમાં વધારો થાય : સ્ત્રીઓ સાથે સ્તન પ્રત્યારોપણ કરવાથી સ્તન કેન્સરના મોટા જોખમો રહેતાં નથી.સ્ટાન્ડર્ડ  મેમોગ્રામ ઘણી વખત યોગ્ય રીતે કામ ન કરી શકે પરંતુ એક્સ-રે ઘણી વખત સ્તન વિકાસને સંપૂર્ણ પરીક્ષણ કરવા માટે મદદરૂપ થાય છે
  • નકારાત્મક મેમોગ્રાફીનો અર્થ કેન્સર માટે ચિંતાનો વિષય નથી : મેમોગ્રાફી મોટા ભાગે પ્રથમ સ્તન કેન્સરની શોધ કરવા માટે કરવામાં આવે તે પહેલાં  તેની અનુમતિ અથવા તેના લક્ષણો ઉત્પન્ન થતાં હોય છે.એકંદરે મેમોગ્રાફ ૮૦-૯૦ % કેન્સરની શક્યતા કરી શકે પણ જ્યાં સુધી ૧૦-૨૦ % ન થાય ત્યાં  સુધી ચોક્કસ શોધ થઈ શકતી નથી.
  • આપણે કેન્સર વિશે વાત કરવાની જરૂરિયાત રહેતી નથી : જયારે તમે કેન્સર વિશે કશું જાણતા નથી ત્યારે અને અન્ય વ્યક્તિ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવે છે ત્યારે  કેન્સરને એક મુશ્કેલ વિષય તરીકે ઓળખવામાં આવે છે.કેન્સર વિશે વાતો કરતાં ભાગીદારો (જીવનસાથી) પરિવારના સભ્યો,મિત્રો અને સહકર્મચારીઓને આ લાગણીઓના શમન માટે મદદ કરી શકો છો અને આ રોગ સાથેના ઉપચારોને જાહેરમાં રજુ કરીને તેના પરિણામમાં સુધારો લાવીને તમે ચિંતામુક્ત અનુભૂતિ કરી શકો છો
  • કેન્સરની સારવાર માટે કોઈ પણ ઉપાય શક્ય નથી : કેન્સરના પ્રાથમિક તબક્કામાં ખ્યાલ અવી જાય છે કે શું કરી શકાય,તેને ટાળી શકાય છે તેવી માન્યતા પણ છે, અને સૌથી સામાન્ય વાત એ છે કે યોગ્ય ઉપચાર વડે તેના એક તૃતીયાશ ભાગને રોકી શકાય છે.
  • કેન્સરના કોઈ ચિન્હો કે લક્ષણો હોતા નથી : તે સત્ય છે કે બધા જ કેન્સરના ચિન્હો અને લક્ષણોને ઓળખી શકાતા નથી, પણ બીજા ઘણાં બધા કેન્સરો, સ્તનકેન્સર, ગર્ભાશય, ગ્રીવા, ચામડી, મુખ અને કોલોરેકટરલ કેન્સરોની જલ્દી તપાસ કરાવવાથી અવશ્ય લાભો થાય છે.વહેલી તકે તપાસ કરાવવી તે જાગરૂકતાનું પ્રથમ પગથિયું છે જેથી વ્યક્તિઓને મહત્વપૂર્ણ લાભો થાય,સ્વાસ્થ્ય વ્યવસાયિકો અને નીતિના ઘડનારાઓ કેન્સરના ચિન્હો અને લક્ષણોને ઓળખવામાં શિક્ષિત બની શકે છે.

નિવારણ

  • તમામ વયની મહિલાઓ માટે નિયમિત કસરત અને તંદૂરસ્ત ખોરાક જરૂરી છે.
  • જે મહિલાઓ તેમના બાળકોને સ્તનપાન કરાવતી નથી તેમને સ્તન કેન્સર થવાની ઓછી શક્યતા છે. જે મહિલા નિયમિત સંભાળ રાખે છે,તેમને આ હકીકતોનો સામનો કરવો પડતો નથી.પરંતુ જે મહિલાઓ સ્તનપાન કરાવે છે તેમને એસ્ટ્રોજનના સ્તરો સ્થિર રહે છે આ કારણો હજૂ પણ પૂર્ણ રીતે સમજતા નથી.
  • સ્વયં સ્તન તપાસ (બીએઈ) મહિનામાં  એક વાર કરવી જોઈએ જેથી કોઈ ગઠ્ઠો અથવા અન્ય શારીરિક ફેરફારોની તપાસ થઇ શકે.

સંદર્ભ :

  • www.cdc.gov
  • www.cancer.gov
  • www.who.int
  • www.health.puducherry.gov.in
  • www.breastcancer.org

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/11/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate