অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન

ભારત ટકાઉ વિકાસનો ધ્યેય (એસડીજીઝ) હાંસલ કરવા પ્રયત્ન કરે છે અને ૨૦૧૫ ના અંત પછી આગળ જુએ છે. માતૃત્વનો મૃત્યુદર ઘટાડવો સૌથી અગત્યનો છે. દરેક માતૃત્વ મહત્વનું છે અને દરેક ગર્ભવતી સ્ત્રીએ ખાસ દેખભાળ રાખવી જોઈએ. કોઈપણ સગર્ભા સ્ત્રી ગર્ભવતી બને તે દરમિયાન અણધારી તકલીફોનો સામનો કરવો પડે છે, માટે બાલ્લ્કના જન્મ દરમિયાન જીવલેણ મુશ્કેલીઓ અટકાવવા દરેક સગર્ભા સ્ત્રીને પ્રસુતિ પહેલાં ખાસ સેવાની જરૂર પડે છે.
અમુક યોજનાઓના અમલીકરણ થકી પ્રસુતિ દરમિયાન માતાના સ્વાસ્થ્યની કાળજી જેવા સૂચકાંક સિદ્ધ થયા છે તથા એન્ટા નેટલ કેર (એએનસી) કવરેજ. બાળકો પરના રેપીડ સર્વેક્ષણના (૨૦૧૩-૧૪) તાજેતરના આંકડા મુજબ ભારતમાં ખાનગી (સંસ્થાકીય) પ્રસુતિનો દર ૭૮.૭%. પ્રસુતિ માટે સંસ્થામાં આવતી મહિલાઓની આટલી વધારે માત્રા હોવા છતાં હજી પણ ૬૧.૮% મહિલાઓને જ ત્રિમાસિક (RSOC) એએનસી પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ એએનસી (100 આઇએફએ ગોળીઓની જોગવાઈ, 2 ટિટાનસ ટોક્સોઇડ ઇન્જેક્શન્સ અને લઘુત્તમ 3 એએનસીની મુલાકાતો) નું કવરેજ 19.7% (આરએસઓસી) જેટલું નીચું છે. સારવાર માટેની માર્ગદર્શિકા ઉપલબ્ધ હોવા છતાં, દેખભાળ માટેની પદ્ધતિઓ અને મદદકર્તા ચકાસણી, દેશભરમાં આરોગ્ય સંભાળ પ્રતિનિધિની નિયમિત તાલીમ તથા આઉટરીચ પ્લેટફોર્મ જેવા કે ગ્રામીણ સ્વાસ્થ્ય અને પોષણ દિવસ (VHND), માતૃત્વ આરોગ્યની સેવાઓનું ઈચ્છિત કવરેજ તથા ગુણવત્તા હજી પણ ચિંતાનો વિષય છે. માતૃત્વની સ્વાસ્થ્ય સંભાળ સેવાઓમાં સુધારો કરવા છતાં પણ ૧,૦૦,૦૦૦ જીવંત જન્મના ૧૬૭એમએમઆર સાથે માતૃમૃત્યુ દર હજુ પણ ઊંચો છે. સગર્ભાવસ્થા દરમિયાન જોખમોને ઓળખી અને પ્રસુતિ દરમિયાન ૫ કારણોથી બાળમૃત્યુદર અટકાવી શકાય. આ ત્યારે જ શક્ય બને જ્યારે ગર્ભવતી મહિલા આવશ્યક સેવાઓનો બધી જ શૃંખલાનો ઉપયોગ થાય.
દરેક સગર્ભા મહિલાને ગુણવત્તાયુક્ત એએનસી પ્રદાન કરવાના ઉદ્દેશથી ભારત સરકારે પ્રધાનમંત્રી સુરક્ષિત્ત માતૃત્વ અભિયાન (પીએમએસએમએ) શરૂ કર્યું છે, સમગ્ર દેશમાં દર મહિને એક નિશ્ચિત દિવસે ANC આપવામાં આવે છે. આ આરોગ્ય સુવિધા ખાતે નિયમિત ANC ઉપરાંત આપવામાં આવે છે.

ઝુંબેશ વિશે

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (પીએમએસએમએ) એક નિશ્ચિત દિવસની યોજના છે, દેશભરમાં દર મહિને આ અંતર્ગત ગુણવત્તા માતૃત્વની આરોગ્ય સેવાઓની શ્રેણી પૂર્વ પ્રસૂતિ સંભાળના ભાગ રૂપે પૂરા પાડવામાં આવે છે.
ઝુંબેશ હેઠળ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ દવાખાને દર મહિને નવમા દિવસે નવજાત સંભાળ સેવાઓનો ઓછામાં ઓછો પેકેજ પ્રદાન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે દરેક સગર્ભા મહિલાને સગર્ભાવસ્થાના બીજા / ત્રીજા ત્રિમાસિકમાં ઓછામાં ઓછા એક ચેકઅપ કરવામાં આવે છે. જો મહિનાનો ૯મો દિવસ રવિવાર હોય કે જાહેરરજા હોય તો દવાખાના દ્વારા બીજા કામકાજના દિવસે આ ગોઠવવામાં આવે છે.

લાભાર્થીઓને લક્ષાંક બનાવો

આ કાર્યક્રમનો હેતુ ગર્ભાવસ્થાના બીજા અને ત્રીજા ત્રિમાસિકમાંના તમામ સગર્ભા સ્ત્રીઓ સુધી પહોંચવાનો છે.

પબ્લિક હેલ્થ સવલતો

પીએમએસએમએ હેઠળની સેવાઓનો ઉપયોગ કરવા માટે પબ્લિક હેલ્થ સવલતો

  • ગ્રામીણ વિસ્તાર-પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, ગ્રામીણ હોસ્પિટલો, સબ-જિલ્લા હોસ્પિટલો-જિલ્લા હોસ્પિટલો.
  • શહેરી વિસ્તાર –શહેરી દવાખાના, અર્બન હેલ્થ પોસ્ટ, મેટરનિટી હોમ્સ

PMSMA દરમ્યાન સેવાઓની જોગવાઈ

  • સુવિધાની મુલાકાત લેતા તમામ લાભાર્થીઓ પ્રથમ પ્રધાનમંત્રી સુરક્ષિત્ત માતૃત્વ અભિયાન (પીએમએસએમએ) માટે અલગ નોંધણીમાં રજીસ્ટર થયેલ છે.
  • રજિસ્ટ્રેશન પછી, એએનએમ અને એસએન એ સુનિશ્ચિત કરે છે કે ઓબીજીવાય / મેડિકલ ઓફિસર દ્વારા લાભાર્થીની તપાસ કરવામાં આવે તે પહેલાં તમામ મૂળભૂત પ્રયોગશાળા તપાસ કરવામાં આવે છે. તપાસની જાણ આદર્શ રીતે એક કલાકની અંદર અને પહેલાં લાભાર્થીઓ વધુ ચેકઅપ્સ માટે ડોકટરોને મળી રહે તે પહેલાં સોંપી દેવી જોઈએ. આ વધુ જોખમની સ્થિતિ (જેમ કે એનિમિયા, સગર્ભાવસ્થા સમયના ડાયાબિટીસ, હાયપરટેન્શન, ચેપ વગેરે) ની ઓળખને સુનિશ્ચિત કરશે. તપાસ દરમિયાન વધારે માર્ગદર્શન આપી શકાય. અમુક કિસ્સાઓમાં, જ્યાં વધારાના તપાસની જરૂર છે, લાભાર્થીઓને તે તપાસ કરવામાં સલાહ આપવામાં આવે છે અને આગામી PMSMA દરમિયાન અથવા તેના નિયમિત એએનસી ચેક-અપ મુલાકાત દરમ્યાન આ રિપોર્ટ શેર કરો.
  • લેબ તપાસ - યુએસજી, અને તમામ પાયાની તપાસ - એચબી, યુરિન આલ્બ્યુમિન, આરબીએસ (ડીપ સ્ટીક), રેપિડ મેલેરિયા ટેસ્ટ, રેપિડ વીડીઆરએલ ટેસ્ટ, બ્લડ ગ્રુપિંગ, સીબીસી ઇએસઆર, યુએસજી.

ચોક્કસ સેવાઓ

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (પીએમએસએમએ) દરમિયાન ચોક્કસ સેવાઓ પૂરી પાડવામાં આવશે.

 

  • તમામ લાભાર્થીઓનો વિગતવાર ઇતિહાસની નોંધ જરૂર છે અને પછી કોઈ પણ જોખમ ચિહનો, ગૂંચવણો અથવા ઉચ્ચ જોખમની સ્થિતિ માટે તપાસ અને મૂલ્યાંકન કરવાની જરૂર છે.
  • ANC ચેક-અપ માટે આવનારા તમામ લાભાર્થીઓ માટે ગર્ભના ધબકારા, બ્લડ પ્રેશર, પેટની પરીક્ષા અને પરીક્ષા માટે થવું જોઈએ.
  • જો કોઈ જાહેર આરોગ્ય સુવિધાની મુલાકાત લેતી સ્ત્રીને એક વિશિષ્ટ તપાસની જરૂર હોય, તો નમૂનાને એકત્રિત કરવામાં આવે છે અને પરીક્ષણ માટે યોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવે છે. એએનએમ / ​​એમપીડબ્લ્યુ એકત્રિત સેમ્પલ પરિવહન માટે જવાબદાર હોવું જોઈએ, પરિણામોને ગર્ભવતી સ્ત્રીઓને પહોંચાડવા અને યોગ્ય રીતે પાલન કરે તે જોવું.
  • ANMS / સ્ટાફ નર્સ દ્વારા તપાસ પછી, તબીબી અધિકારી PMSMA માં ભાગ લેતા પ્રત્યેક લાભાર્થીને પરીક્ષણ અને હાજરી આપવા માટે.
  • જેએસએચકે મદદ ડેસ્ક કે જે આ સગવડો પર સ્થાપિત કરવામાં આવ્યા છે જે ગર્ભાવસ્થાના તમામ મોટા જોખમોની ઓળખી ઉચ્ચ સવલતોમાં પરિવર્તિત કરે છે અને આ સુવીધા  જવાબદારી સાથે તેમના સુધી પહોંચ્યા પછી સંદર્ભિત મહિલાઓને માર્ગદર્શન આપવા માટે જવાબદાર હોવું જોઈએ. જરૂરિયાતમંતને એમસીપી કાર્ડ કાઢી આપવા.
  • તમામ ઉચ્ચ જોખમ ધરાવતી સ્ત્રીઓ ઓબીજીવાય / સીઇઓએમઓસી / બીઇએમઓસી નિષ્ણાત દ્વારા સંચાલિત અને તેની સારવાર. જો કોઈ કેસમાં જરૂરી હોય તો વધારે ઉચ્ચ સગવડો તથા સંભવિત નિદાન માટે રેફરલ કાપલી (સ્લીપ) આપવી અને કાપલીમાં નિર્દેશ કર્યો તે પ્રમાણેની સારવાર કરવી.
  • ગર્ભાવસ્થાના બીજા / ત્રીજા ત્રિમાસિક દરમિયાન તમામ સગર્ભા સ્ત્રીઓ માટે એક અલ્ટ્રાસાઉન્ડની ભલામણ કરવામાં આવે છે. જો જરૂરી હોય તો JSSK હેઠળ નોંધાયેલા ખર્ચ યુએસજી સેવા પીપીપી મોડ પર પ્રાપ્ય છે.
  • દરેક સગર્ભા મહિલાએ સારવાર છોડતા પહેલાં, વ્યક્તિગત કે સમુહમાં. પોષણ, આરામ, સલામત સંભોગ, સલામતી, બાળકના જન્મની તૈયારી, તકલીફોની કોઈ નિશાની, સંસ્થાકીય પ્રસુતિ અને  પોસ્ટ - પેન્ટમ ફેમિલી પ્લાનિંગ (પીપીએફપી).
  • આ ક્લિનિક પર એમસીપી કાર્ડ ભરવાનું ફરજિયાત હોવું જોઈએ અને પરિસ્થિતિ દેખાડતું સ્ટીકર અને ગર્ભવતી મહિલાઓનો જોખમી તબક્કો એમસીપી કાર્ડમાં દેખાડતો હોય તે કાર્ડ અચૂક દવાખાને લઈ જવું.
 

 

  • લીલું સ્ટીકર- કોઈ જોખમી બાબતો ન જણાઈ હોય તેવીગર્ભવતી મહિલા.
  • લાલ સ્ટીકર – વધુ જોખમી ગર્ભાવસ્થા ધરાવતી મહીલા.
  • વાદળી/ભૂરું સ્ટીકર-  ગર્ભાવસ્થા દરમિયાન હાઈપરટેન્શન ધરાવતી મહિલા.
  • પીળું સ્ટીકર - ડાયાબિટીસ, હાયપોથાઇરોડિઝમ, એસટીઆઇ જેવા સહ-રોગો સાથે ગર્ભાવસ્થા.
  • માર્ગદર્શન સેશન દરમ્યાન ધાન આપવા જેવા મુદ્દાઓ:
  • ગર્ભાવસ્થા દરમિયાન કાળજી.
  • ગર્ભાવસ્થા દરમિયાન જોખમી ચિહનો
  • બાળક જન્મની તૈયારી અને મુશ્કેલીઓ માટે તૈયારી, કેસ દરમિયાન જરૂરી અને અગત્યના સંપર્કો હાથવગાં રાખવા.
  • કુટુંબ નિયોજન
  • ફોલિક એસિડ વપરાશ અને કેલ્શિયમ પૂરક સહિત પોષણનું મહત્વ.
  • આરામ
  • સલામત સંભોગ
  • સંસ્થાકીય પ્રસુતિ
  • રેફરલ પરીવહનની વ્યવસ્થા
  • જનની સુરક્ષા યોજના હેઠળની ઉમેદવારી (જેએસવાય)
  • જનની શિશુ સુરક્ષા કાર્યકંર (JSSK) હેઠળ અધિકારો  અને સેવાની ખાતરી
  • જન્મ પછીની કાળજી
  • માનું ધાવણ અને પુરક ખોરાક

અનિચ્છનીય ગર્ભાવસ્થા સાથે ગર્ભવતી સ્ત્રીઓને યોગ્ય માર્ગદર્શન પછી સલામત ગર્ભપાત માટે સંભાળ સેવાઓ પૂરી પાડવાની જરૂર છે.

વધુ  જોખમ ધરાવતી સ્ત્રીઓ માટે રેફરલ ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ:
પીએમએસએમએદરમિયાન: પીએમએસએમએ, ૧૦૮/૧૦૨/રાજ્ય હસ્તક એમ્યુલન્સ/ખાનગી લિસ્ટેડ એમ્બ્યુલેન્સનો ઉપયોગ ઉચ્ચ જોખમ તરીકે ઓળખાતા કેસોનો ઉલ્લેખ કરવા માટે પણ કરી શકાય છે.

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate