સ્વલીનતા સ્પેક્ટ્રમ વિકૃતિ (ASD) એ સામાજિક અસમાનતા,વાતચીતમાં મુશ્કેલી અને વર્તન પ્રતિબંધિત,પુનરાવર્તિત,ચીલાચાલુ પદ્ધતિ દ્વારા વર્ગીકૃત થયેલી,જ્ઞાનતંતુના વિકાસની જટિલ વિકૃતિમાં વિભાજીત થયેલી શૃંખલા છે.તે મગજનો એક વિકાર છે જેમાં ખાસ કરીને વાતચીત કરતી વખતે એક વ્યક્તિની ક્ષમતાને અસર કરી શકે છે.સ્વલીનતા સ્પેક્ટ્રમ વિકૃતિ એ બાળપણથી શરૂ થાય છે અને તે યુવાવસ્થાના અંત સુધીના સમયગાળા સુધી થઈ શકે છે.
સ્વલીનતાની વિકૃતિ (તેને “પારંપરિક” સ્વલીનતા પણ કહે છે) : આ સ્વલીનતાનું સૌથી સામાન્ય સ્વરૂપ છે.ખાસ કરીને સ્વલીનતાની વિકૃતિ લોકોને બોલવામાં અવરોધ કરે,સામાજિક અને વાતસંવાદમાં પડકારરૂપ અને રસપ્રદ બને છે.આ વિકૃતિ સાથે ઘણા બધા વ્યક્તિઓને વિકલાંગતા આવી શકે છે.
એસ્પેરિજર સિન્ડ્રોમ : એસ્પેરિજર સિન્ડ્રોમથી પીડાતાં વ્યક્તિઓ ઓછી માત્રામાં ઓટીસ્ટીક વિકૃતિના લક્ષણો અનુભવે છે.તેઓને સામાજિક પડકારો અને અસમાન્ય વર્તણુક અને રસના વિષયો હોઈ શકે છે.તેમ છતાં સામાન્ય રીતે તેઓને ભાષાકીય અથવા બૌધિક વિકલાંગતા સાથેની સમસ્યાઓ અનુભવાતી નથી.
વિકૃતિનો બહોળાં પ્રમાણમાં ફેલાવો થવો(પીડીડી)- ચોક્કસ અન્યથા નહીં (પીડીડી-એનઓએસ) : તેને “અસામાન્ય સ્વલીનતા” કહેવામાં આવે છે.જે લોકોને સ્વલીનતાની વિકૃતિ અથવા એસ્પેરિજર સિન્ડ્રોમના કેટલાંક માપદંડો જોવા મળે,પરંતુ બધાં નહીં,તે બધાં લોકોનું વિકૃતિનો બહોળાં પ્રમાણમાં ફેલાવો થવો- ચોક્કસ અન્યથા નહીં (પીડીડી-એનઓએસ) નિદાન કરી શકાય છે.સામાન્ય રીતે પીડીડી-એનઓએસથી પીડાતાં લોકોમાં સ્વલીનતાની વિકૃતિ કરતાં હળવા અને ઓછા લક્ષણો જોવા મળે છે.તેના લક્ષણોના કારણે ફક્ત સામાજિક અને વાતસંવાદ દ્વારા પડકારો થઈ શકે છે.
સામાન્ય રીતે એએસડીના વ્યક્તિના જીવનના શરૂઆતના તબક્કામાં અથવા ૩ વર્ષ પહેલાં સમય દરમ્યાન સુધારણા કરી શકે છે.એએસડીના સાથે પીડાતાં બાળકોને શરૂઆતના થોડા જ મહિનાઓની અંદર ભવિષ્યની સમસ્યાઓના સંકેતો દર્શાવી શકે છે.જયારે બીજા,૨૪ મહિનાઓ અથવા તે પછીના સમય દરમ્યાન લક્ષણો દેખાય છે.સામાન્ય રીતે ઘણા બાળકોને ૧૮ થી ૨૪ મહિના સુધીના સમય એએસડીના લક્ષણો વિકાસ પામતાં જણાય છે અને પછી તેઓ નવી ક્ષમતા પ્રાપ્ત કરવાનું બંધ કરે છે અથવા તો એકવાર મેળવેલી ક્ષમતા ગુમાવી બેસે છે.
સ્ત્રોત :આરોગ્ય.કોમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020