સ્ટ્રેસ ઓછો કરવા માટે વિચારસરણીમાં પરિવર્તન લાવવાથી જ જીવનભરનો કે લાંબા ગાળાનો ફાયદો થાય છે.
ડોક્ટરો કહે છે કે પ્રેશર, ડાયાબીટીસ, કોલેસ્ટેરોલ, એસિડીટી, પાચનમાર્ગ કે ચેતાતંતુની કોઈ બિમારી, લાંબા સમયના માથાના, સ્નાયુના કે સાંધાના દુખાવાની પાછળ સ્ટ્રેસ જવાબદાર છે. આપણે સહુ આ સ્ટ્રેસ શબ્દનો બહુ છૂટથી ઉપયોગ કરીએ છીએ પણ સ્ટ્રેસ કેવી રીતે થાય છે એ સમજવામાં કાચા પડીએ છીએ. વળી આપણે જોઈએ છીએ કે એક જ સરખી પરિસ્થિતિમાંથી પસાર થતી બે વ્યક્તિમાંથી એકને બહુ સ્ટ્રેસ થાય અને એકને જરાયે સ્ટ્રેસ ન થાય એમ પણ બને છે.આપણે ચર્ચા કરી એ મુજબ સ્ટ્રેસ માટે કામનો બોજ ભાગ્યે જ જવાબદાર હોય છે. ખરેખર તો સ્ટ્રેસ નીચે જણાવ્યા છે એવાં કારણોસર થાય છે.
મોટેભાગે વર્કલોડના કારણે નહીં પરંતુ ઉપર જણાવ્યા તેવા વલણ ધરાવવાને કારણે સ્ટ્રેસ થાય છે. આવા વલણ ધરાવનારી વ્યક્તિઓને ડિપ્રેશન કે એંઝાઈટીની બિમારી સીધેસીધી ન થાય પરંતુ ‘સાઈકોસોમેટિક' બિમારી થાય એવું ઘણીવાર બને છે. જો તમને નીચે જણાવેલા લક્ષણોમાંથી કોઈ લક્ષણો લાંબા સમયથી હોય તો તમારી આ તકલીફ સ્ટ્રેસના કારણે હોવાની સંભાવના છે.
સ્ટ્રેસ ન થાય એ માટે વિચારસરણી અથવા જીવનશૈલીમાં પરિવર્તન લાવવું જરૂરી છે એ અન્ય લોકોને તરત સમજાય છે પરંતુ સ્ટ્રેસથી પીડાતી વ્યક્તિને પોતાને ‘ફિક્સ્ડ' આઈડિયાઝનો પ્રોબ્લેમ હોવાને કારણે તેઓ પોતાની અંદર પરિવર્તન જરૂરી છે એમ સમજતાય નથી અને પરિવર્તન લાવવા તૈયાર થતા પણ નથી. આ તો એવી ઘટના છે જેમ કે કોઈની નજર કમજોર હોય એને આપણે ઝીણા અક્ષરે લખી આપીએ કે તને આટલા નંબર છે તો એ ન જ વાંચી શકે અને બહેરાશવાળી વ્યક્તિને ધીમા અવાજે કહીએ કે તમને બહેરાશ છે, તો એને ન જ સંભળાય! એમ સ્ટ્રેસથી પીડાતી વ્યક્તિ પરિસ્થિતિ પર, વિશ્વ પર દોષારોપણ કરીને ય પોતાની જાતમાં ફેરફારનો અવકાશ છે, એમ જલદી સમજી શકતી નથી. વળી એમને સીધેસીધું ‘તમારો સ્વભાવ બદલવાની જરૂર છે' એમ કહીએ તો એ અપમાનિત થયાની લાગણી અનુભવે છે. ઘણીવાર ડોક્ટરો પણ આવી વ્યક્તિઓ સાથે ચર્ચા કરવાનું ટાળીને માનસિક તાણ ઓછી કરવા માટે દવા લખી આપી છૂટી જાય છે. ઘણા કિસ્સામાં આ દવા જરૂરી પણ હોય છે, પણ એ કાયમી ઉકેલ નથી. સ્ટ્રેસ ઓછો કરવા માટે વિચારસરણીમાં પરિવર્તન લાવવાથી જ જીવનભરનો કે લાંબા ગાળાનો ફાયદો થાય છે.
આવો સ્ટ્રેસ ઓછો કરવાની કેટલીક સાર્વત્રિક ચાવીઓ (માસ્ટર કીઝ) વિચારીએ.
ચોકલેટ : કાર્યમાં તૈયારી કરતાં એલર્ટનેસ વધુ જરૂરી છે. તૈયારીનો સ્ટ્રેસ રાખનારની એલર્ટનેસ ઓછી થાય છે. જે સ્ટ્રેસમાં હોય એ પ્રસન્ન ન હોય. જે પ્રસન્ન ન હોય એ એલર્ટ ન હોય. જે એલર્ટ ન હોય એ સફળ ન થાય.
સ્ત્રોત; ફેમિના રઈશ મણિયાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/3/2020