অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્તનપાનના ફાયદાઓ

સ્તનપાનના ફાયદાઓ

feed

સ્તનપાનના ફાયદા

ધાવણ પોષણના કોઇપણ સ્ત્રોત કરતાં શ્રેષ્ઠ છે, તે માતા અને બાળકના સ્વાસ્થ્યને પ્રોત્સાહિત કરે છે:

  • તમારા બાળક/બાળકીને તેની જિંદગીના પહેલા ૬ મહિના ફક્ત સ્તનપાન પર રાખવું અત્યંત જરૂરી છે, કારણ કે તે તેને જઠરાગ્નિ સમસ્યાઓ સામે રક્ષણ આપે છે - તે પાચનમાં સહેલું છે અને તેનાથી કબજિયાત નથી થતી. તે બાળકની જઠરાગ્નિ રોગ-પ્રતિકારક શક્તિ વધારે છે.
  • સ્તનપાન દમના રોગ અને કાનના ચેપ સામે રક્ષણ આપે છે - કારણ કે તે બાળકના નાક અને ગળાના પટલમાં એક રક્ષણાત્મક સ્તર બનાવે છે.
  • ગાયનું દૂધ કોઈ બાળકોમાં ગંભીર ઍલર્જીનું કારણ બને છે. સ્તનપાન તેના સામે ૧૦૦% સુરક્ષિત છે.
  • સંશોધન બતાવે છે કે જે શિશુ જેને સ્તનપાન કરાવેલ છે તે આગળ ચાલીને સ્થૂળતાનો શિકાર નથી થતા. આનું કારણ તે હોઈ શકે છે કે જ્યાં સુધી તેમને ભૂખ હોય ત્યાં સુધી તે ધાવણ લઈ શકે છે અને શરૂઆતથી તે વજન વધવાની પ્રકૃતિ નથી ધરાવતા.
  • બાળપણમાં લ્યુકેમિયા, મોટા થઈને ટાઇપ ૧ ડાયાબીટીસ અને ઉચ્ચ રક્ત ચાપના અટકાવથી સ્તનપાનને જોડવામાં આવે છે.
  • સ્તનપાન બાળકની બુદ્ધિમાં વધારો કરે છે એવું માનવામાં આવે છે કારણ કે એક બાજુ માતા અને બાળક વચ્ચેના ભાવનાત્મક જોડાણ અને બાળકના મગજના વિકાસ માટે જરૂરી ઘણા ફેટી એસિડ્સ ધરાવે છે.
  • નવી માતા જે સ્તનપાન કરાવે છે, જે સ્તનપાન નથી કરાવતી તેના કરતા સુવાવડ બાદ વજન જલ્દી ઉતારે છે. તે તણાવ અને પ્રસૂતિ બાદના રક્તસ્રાવને ઘટાડવા મદદ કરે છે.
  • જો સ્તનપાન કરવામાં આવે તો સ્તન અને અંડાશયના કેન્સરનું જોખમ ઓછુ થાય છે -- સમયગાળો જેટલો વધારે જોખમ તેટલું ઓછુ.
  • સ્તનપાન અનુકૂળ, કિંમત મુક્ત છે, (બજારમાં મળેલ બાળક માટેના ખોરાક, દુધની બોટલ અને અન્ય વસ્તુઓ જે બાળકને ઉપરનો ખોરાક આપવામાં વપરાય) અને સૌથી શ્રેષ્ઠ છે કે તે માતા અને બાળકને ભાવાત્મક રીતે બાંધવામાં મદદ કરે છે. શારીરિક સંપર્કે પણ શિશુ માટે આરામદાયક સ્ત્રોત છે.
  • તે યોગ્ય પ્રમાણ માં તમામ જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે.
  • તે એલર્જી, માંદગી, અને સ્થૂળતા સામે રક્ષણ આપે છે.
  • તે ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગો સામે રક્ષણ આપે છે.
  • તે ચેપ સામે રક્ષણ આપે છે.
  • તે સરળતાથી પચાવી શકાય છે - કોઈ કબજિયાત, અતિસાર થતું નથી.
  • તેઓ વધવા તરીકે શિશુઓ તંદુરસ્ત વજન હોય છે.
  • તે તમારા બાળક ને જ્યારે જરૂર પડે ત્યાંરે ઉપલબ્ધ હોય છે.
  • તે યોગ્ય તાપમાને હંમેશા સ્વચ્છ અને મફત છે. ટુંક્મા માતાનું દૂધ તમારા બાળક માટે સંપૂર્ણ ખોરાક છે.

સ્તનપાનના માતાઓ માટે ફાયદાઓ- સંશોધનનો દ્વરા સ્પષ્ટ થયુ છે કે સ્તનપાનથી માતાને નોંધપાત્ર આરોગ્યપ્રદ લાભો થાય છે જેવા કે,

  • સ્તનપાન સ્ત્રીઓને બાળકના જન્મ પછી વજન ગુમાવી(ધટાડ્વા માં) મદદ કરી શકે છે.
  • અંડાશયના કેન્સર અને સ્તન કેન્સરનું જોખમ ઘટાડે છે.
  • ઓસ્ટીયોપોરોસિસ જોખમ ઘટાડે છે.

બાળકને ક્યારે સ્તનપાન શરૂ કરવું જોઈએ?

સ્તનપાન બાળકના જન્મના તરત બાદ કરવું જોઈએ. નગ્ન બાળકને માતાએ ત્વચા-થી-ત્વચાના સંપર્ક માટે તેના સ્તનના એકદમ નજીક પકડવું જોઈએ. તે દૂધના સરળ પ્રવાહને ઉત્તેજિત કરે છે અને બાળકને ગરમ રાખે છે. તે માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક બંધન બનાવવા મદદ કરે છે.

સ્તનપાન શા માટે વહેલું શરૂ કરવું જોઈએ?

તેના ચાર પ્રાથમિક કારણો છે:

  • બાળક પહેલા ૩૦થી ૬૦ મિનિટમાં સૌથી સક્રિય હોય છે.
  • બાળકની ધાવણ લેવાની પ્રતિક્રિયા તે સમયે સૌથી વધુ સક્રિય છે.
  • વહેલી શરૂઆત ખાતરી આપે છે કે સ્તનપાન સફળ રહેશે. કોલેસ્ટૉર્મ, સ્તનમાંથી આવતું પહેલું પીળું સ્ત્રાવ, તેમાં એવા પદાર્થો છે જે બાળક ને ચેપથી બચાવે છે; તે લગભગ રસી જેવું છે.
  • તે સ્તનમાં થતા સોજાને દુખાવાને અટકાવે છે અને સુવાવડ પછીનો રક્તસ્રાવ ઘટાડે છે.

સીઝેરીયન થયેલ મહિલાઓ પોતાના બાળકને સ્તનપાન કરાવી શકે છે?

આ ઑપરેશન બાળકને સફળતાપૂર્વક સ્તનપાન કરવાની ક્ષમતા પર કોઈ અસર કરતું નથી.

  • ઑપરેશનના ૪ કલાક પછી સ્તનપાન શરૂ કરી શકાય છે અથવા નિશ્ચેતનાના અસરમાંથી તમે બહાર આવો ત્યારે
  • તમે તમારું શરીર એક બજુ નમાવી (સુતેલી સ્થિતિમાં) અને ધાવણ આપવાનું ચાલુ કરી શકો છો, અથવા તમે બાળકને તમારા પેટ પર સુવડાવીને ધવડાવી શકો છો
  • બધી માતા જેમનું બાળક સીઝેરીયન દ્વારા જન્મેલ છે તે પહેલા થોડા દિવસની મદદ પછી તેમના બાળકને ધવડાવામાં સફળ રહે છે

કેટલા સમય સુધી સ્તનપાન કરવું જોઈએ?

પ્રથમ છ મહિના માટે સંપૂર્ણપણે અને ત્યાર બાદ ૨ વર્ષ કે વધુ માટે સ્તનપાન ચાલુ રાખવું.

સ્તનપાન કરાવ્યા પછી એમાંથી પ્રવાહી પડવુ. શું કરવું જોઈએ?

તે એક ક્ષણિક અને એકદમ સામાન્ય સમસ્યા છે. જો તમારા ધ્યાનમાં આવે કે દૂધ ટપકી રહ્યું છે તો કોણી વડે તમારા સ્તનના બહારના ગળાને જબૂતપણે દબાવો. આથી પ્રવાહ ધીમો પડશે.

શું બીમારીમાં પણ મહિલા સ્તનપાન કરવી શકે છે?

હા. મોટાભાગના રોગો બાળકને અસર નથી કરતા. ટાઈફોઈડ, મેલેરિયા, ક્ષય, કમળો, અથવા રક્તપિત્તના કારણે સ્તનપાન બંધ કરવાની જરૂર નથી.

વિશ્વ સ્તનપાન અઠવાડિયું (૧ થી ૭ ઓગસ્ટ ૨૦૦૯)

વિશ્વ સ્તનપાન અઠવાડિયું ૧૨૦ દેશોમાં દર વર્ષે ૧ થી ૭ ઓગસ્ટે ઉજવાય છે. તે સ્તનપાનને પ્રોત્સાહન આપવા અને વિશ્વભરમાં બાળકોના સ્વાસ્થ્યને સુધારવા ઉજવાય છે. ઓગસ્ટ ૧૯૯૦માં ડબ્લ્યુ.એચ.ઓ અને યુનિસેફના નીતિ ઘડવૈયાઓના સ્તનપાનના રક્ષણ, પ્રોત્સાહન અને આધાર માટેના ઇનોસન્ટ ડેક્લરેશનને યાદ કરે છે.

નવજાત શિશુઓને પોષક તત્વો પુરા પાડવાનો શ્રેષ્ઠ રસ્તો છે. ડબ્લ્યુ.એચ.ઓ બાળક ૬ મહિનાનું થાય ત્યાં સુધી એકમાત્ર સ્તનપાન કરાવાનો આગ્રહ રાખે છે અને ત્યાર પછી ૨ વર્ષ અને તેનાથી આગળ સ્તનપાન સાથે પૂરક પૌષ્ટિક ખોરાક આપવાનું કહે છે.

વિશ્વ સ્તનપાન અઠવાડિયા, ૨૦૦૯નો વિષય છે " સ્તનપાન - કટોકટીનો મહત્વપૂર્ણ પ્રતિભાવ. શું તમે તૈયાર છો?". શિશુ અને નાના બાળકના જીવતા રહેવાના, આરોગ્ય અને વિકાસની કટોકટીમાં સ્તનપાનના રક્ષણ, પ્રોત્સાહન અને આધાર આપવાની જરૂરીયાતને પ્રકાશિત કરે છે.

કટોકટીમાં બાળકો સૌથી સંવેદનશીલ જૂથ છે, અને નાના બાળકો બધા કરતા સૌથી વધારે સંવેદનશીલ જૂથ છે કારણ કે તેમને ઝાડા અને ન્યુમોનિયાના કારણે વધારે જોખમ છે. કટોકટી દરમિયાન, નહિ મંગાવેલા અથવા અનિયંત્રિત સ્તનપાન વિકલ્પોના દાનથી સ્તનપાન પર અસર પહોંચશે જેને ટાળવું જોઈએ.

કટોકટીની તૈયારીના ભાગરૂપે, હોસ્પિટલો અને અન્ય સ્વાસ્થ્ય દેખરેખ સેવાઓમાં તાલીમ પામેલા આરોગ્ય કામદારો હોવા જોઈએ જે માતાના સ્તનપાન અધિષ્ઠાપિત કરવા અને/અથવા મુશ્કેલીનું નિરાકરણ કરવામાં મદદ કરી શકે છે.

વધુ માહિતી માટે: World Breastfeeding Week

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate