অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્તનપાન અને સ્તન કેન્સર

સ્તનપાન અને સ્તન કેન્સર

સ્તનકેન્સર અંગેના વિસ્તૃત અભ્યાસ સાથેના સંશોધનો એવું દર્શાવે છે કે સ્તનપાન એ માતાઓને ઘણાં બધા સ્વાસ્થ્ય લક્ષી ફાયદા બક્ષે છે. શિશુના જન્મના પ્રથમ કલાકમાં કરવામાં આવતું સ્તનપાન એ માતાને પ્રસૃતિ પછી થતાં હેમરેજથી રક્ષણ પૂરું પાડે છે. ઉપરાંત ગર્ભનાળને બહાર આવવામાં અને ગર્ભાશયને તેના મૂળભૂત કદમાં લાવવામાં ઘણું મદદરૂપ થાય છે.
સ્તનપાન એ માતાઓને તેમના જીવનનાં પાછલા વર્ષોમાં થતાં સ્તન કેન્સર અને અંડાશયના કેન્સરથી બચાવે છે અને એસ્ટિઓપોપોસિસ (હાડકાં પોચા પડી જવા)થી પણ બચાવે છે.
સ્તન કેન્સર એ કેન્સરનાં લીધે થતાં યુવા સ્ત્રી મૃત્યુમાં ફેફસાના કેન્સર પછી બીજા સ્થાને આવતું અગત્યનું કારણ છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં એવું નોંધવામાં આવ્યું કે, અવિવાહિતોમાં અને ક્યારેય સ્તનપાન ન કરાવ્યું હોય તેવી સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ ઘણું વધુ હતું.
સ્તનપાન કરાવવાનો ઘટતો જતો સમયગાળો ખાસ કરીને વિકસિત દેશોની સ્ત્રીઓમાં, એ આ દેશોમાં સ્તન કેન્સરનું પ્રમાણ ઊંચુ હોવા માટે ઘણું જ જવાબદાર છે. વધુ સ્પષ્ટ કહીએ તો, સ્તનપાન કરાવતી માતાઓ/સ્ત્રીઓમાં સ્તન કેન્સરની શક્યતા લગભગ 4.30% જેટલી ઘટી જાય છે.
હોસ્પટલમાં થતો એક અભ્યાસ એવું દર્શાવે છે કે, સ્તનપાન કરાવવાનો ઓછો સમયગાળો, મોડી ઉંમરે પ્રથમ સ્તનપાન કરાવવું અને સ્તન ગ્રંથિઓમાં અપૂરતું દૂધ આવવું એ કેન્સરનું જોખમ વધારનાર પરિબળો હોઈ શકે. વળી વિશેષમાં જોઈએ તો જે સ્ત્રીઓએ હંમેશા તેમના શિશુઓને સ્તનપાન કરાવ્યું છે તેઓ જેમણે ક્યારેય સ્તનપાન નથી કરાવ્યું તેની સરખામણઈમાં વધુ ફાયદાકારક છે. એક એવી માન્યતા છે કે “સ્તનપાન કરાવવાથી સ્તન કેન્સરનું જોખમ ઘટે છે” આ એક ચર્ચાનું કેન્દ્ર છે, પણ વિવિધ અભ્યાસનાં તારણ પ્રમાણે ખાસ કરિને વિવિધ દેશોની સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતા સ્તનપાનનાં અભ્યાસ મુજબ સ્તન ગ્રંથિમાંથી થતો દૂધસ્ત્રાવ અને સ્તન કેન્સર એ સુસંગત છે.

સ્તન કેન્સર અટકાવી શકાય છે.

એવું જણાયું છે કે વ્યક્તિગત રીતે સ્તન કેન્સરના જોખમો એ જનિનીકલ કારણો (સંભાવનાઓ), જીવનશૈલી અને પર્યાવરણીય પરિબળો ઉપર આધારિત છે. જો કે સ્તન કેન્સર એ મોટી ઉંરમની સ્ત્રીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે કારણ કે વધતી જતી ઉંરમ એ પણ સ્તન કેન્સર પ્રેરવા માટેનું એક અગત્યનું પરીબળ છે. જો સ્ત્રીઓ અત્યારથી જ તેમની જીવનશૈલીમાં પરિવર્તન લાવે તો, જેમ કે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (એચ.આર.ટી)નો ઓછો ઉપયોગ, શરીરનું વજન નિયંત્રણમાં રાખવું, શારીરિક શ્રમ કરવો, આલ્કોહોલનો ઉપયોગ નિયંત્રિત પ્રમાણમાં કરવો અને શિશુને જન્મ આપ્યા પછી ઓછામાં ઓછા છ મહિના સુધી સ્તનપાન કરાવવું જ. આ બધાથી સ્તન કેન્સરથી શક્યતાઓમાં લગભગ દસ ટકા જેટલો ઘટાડો કરી શકાય છે.

વધુમાં, સ્ત્રીઓને એ રીતે પણ માહિતગાર કરવી જોઈએ કે, મેનોપોઝ પહેલા થતાં સ્તન કેન્સરને સ્તનપાન દ્વારા અટકાવી શકાય છે અને આથી જે સ્ત્રીઓ લાંબા સમયગાળા સુધી સ્તપાન કરાવતી હોય તેઓને સ્તનકેન્સરથી બહુ અસરકારક રીતે રક્ષણ મળતું હોય છે. જે સ્ત્રીઓનાં કુટુંબમાં પણ કોઈને કેન્સર હોય તો (આનુવંશિક શક્યતાઓ પ્રબળ હોય તેવી સ્ત્રીઓએ) પણ સ્તનપાન કરાવવા પ્રેરવાથી સ્તન કેન્સરની શક્યતાઓ ઘટી જાય. આપણે જાણીએ છીએ તેમ સ્તનપાન એ નવજાત શુશુ માટે આદર્શ પોષણ છએ તેવી જ રીતે સ્તનપાન કરાવવુંએ સ્તન કેન્સરને રોકવા માટે અમોધ શસ્ત્ર સમાન છે. આથી બધી સ્ત્રીઓને તેમના શિશુઓને સ્તનપાન કરાવવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ.

સાર સ્વરૂપે એવું કહી શકાય કે, સ્તનમાં અને અન્ય અંગોમાં થતાં કેન્સર પ્રેરક ફેરફારો માટે કયા પરિબળો જવાબદાર છે તેની ગતિવિધીઓનો અભ્યાસ કરવા માટે તથા ગર્ભાવસ્થા દરમિયાન થતાં અંત: સ્ત્રાવોના ફેરફારોના વિવિધ કારણે તથા જીવનશૈલી પરિબળો – આ બધાનો ઝીણવટભર્યો અભ્યાસ હજુ ઘણો જરૂરી છે.

ડો ડી જી વિજય. બ્રેસ્ટ કેન્સર સ્પેશિયાલિસ્ટ. નવગુજરાત હેલ્થ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate