অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળકને કુલ્લા ઉપર મારવુ કે નહી !

કુલ્લા ઉપર મારવુ એ એક વિવાદસ્પદ શિસ્તની પદ્ધતી છે. ત્યા માતાપિતા એમ માને છે કે બાળકને કુલ્લા ઉપર મારવુ તે બરોબર છે અને જ્યારે બીજા માતાપિતા એમ માને છે કે બાળકને કુલ્લા ઉપર મારવુ એ વાત બરોબર નથી. કેટલાક માતાપિતા એમ માને છે કે બાળકને વિશેષ બાબતોમાં જ કુલ્લા ઉપર મારવુ જોઇએ. (દા.ત. જ્યારે બાળક બહુ ખરાબ રીતે વર્તે છે) કેટલાકને કુલ્લા ઉપર મારવાનો અર્થ "બાળકને કુલ્લા ઉપર થાપટ મારવી", જ્યારે બીજાઓ કુલ્લા ઉપર મારવા વિષે એમ વિચારે છે તે "શરીરની સજા" છે, જે ઇજા ન પહોચાડે જેવુ કે બાળકના હાથ ઉપર થપાટ મારવી.

આપણે બાળકને કુલ્લા ઉપર કેમ મારીએ છીએ?


જ્યારે ઘણા માતાપિતા સહમત હોય છે કે બાળકને કુલ્લા ઉપર મારવુ એ ખોટુ છે, તે છતા કુલ્લા ઉપર મારવુ એક શિસ્તની રીતીના રૂપમાં ચાલુ રહ્યુ છે કારણકે ઘણા માતાપિતા એમ માને છે કે બાળકને કુલ્લા ઉપર મારવાથી તેઓ એ કામ નથી કરતા જે કરવાની મનાઈ છે. કેટલાક માતાપિતા એમ માને છે કે બિનશારિરીક શિસ્તના પ્રકારો જેવા કે સમયની બહાર કામ નહી કરવુ.

કુલ્લા ઉપર મારવુ તે અસરકારક છે ?


જ્યારે કુલ્લા ઉપર મારવાથી માતાપિતાની નિરાશા ઓછી થાય છે અને અસ્થાઈ રૂપથી દુરવ્યવહાર રોકાઈ જાય છે, તે શિસ્તની સૌથી ઓછી અસરકારક પદ્ધતી છે. આ વર્તણુકની બદલીમાં શીખવાડતુ નથી, સાચુ કહીએ તો કુલ્લા ઉપર માર્યા પછી બાળક લાચાર, નારાજ અને શરમિંદા થઈ જાય છે. ફક્ત એક બોધપાઠ તેઓ શિખે છે કે જે કરવાથી તેઓ પકાડાઈ ન જાય.
કુલ્લા ઉપર મારવુ એ બાળકને ખોટો સંદેશ મોકલાવે છે. કુલ્લા ઉપર મારવુ એ સુચના આપે છે કે મારવુ એ સમસ્યાઓનો નિકાલ લાવવાનો સામાન્ય રસ્તો છે અને તે મોટા માણસ માટે નાનકડાને મારવા બરોબર છે. જ્યારે કુલ્લા ઉપર મારવુ એ પ્રાથમિક શિસ્તની વાપરવામાં આવતી પદ્ધતી છે,તેમાં કદાચ સંભવિત લાંબે સુધી ચાલવાની નુકશાનકારક અસર છે, જેવી કે અયોગ્ય વર્તણુક, આક્રમકતા, હિંસક અથવા ગુનાહિત વ્યવહાર, નબળુ ભણતર અને માનસિક ઉદાસિનતા.

સુચના

શિશુના માતાપિતા


ફક્ત કુલ્લા ઉપર મારવાથી બાળકમાં બીક અને ચિંતા કારણભુત થાય છે, જેઓને સમજણ નથી પડતી કે આવી કલ્પનાનુ પરિણામ ભયજનક હોય છે. બાળકો આવી પરિસ્થિતીમાં લાગણીવશ થઈને પ્રતિક્રિયા કરે છે. તેની આસપાસની સ્થિતી અને આવડતની વાસ્તવિકતા સમજતા નથી.

  • તમારા ઘરની સરસામગ્રીને એવી રીતે રાખો કે જે તુટી ન શકે અથવા ધોકેદાયક ન હોય, જે બાળકની પહોચથી દુર હોય.
  • જો ત્યા જોખમ હોય તો તમારા બાળકનો હાથ પકડી રાખો નહી કે થપ્પડ મારો.
  • જ્યારે તમારૂ બાળક કોઇ પણ વસ્તુ પકડી રાખે જે તમને લાગે કે તેણે નહી પકડવી જોઇએ તો તેના હાથમાંથી બળજબરીથી લઈ નહી લ્યો પણ તેને એક રમકડુ આપો. તમે જોઇ તે વસ્તુ જાટકીને લેવા માંગશો તો તે તેને જોરથી પકડી રાખશે.
  • જો તમને ગુસ્સો આવતો હોય તો બાળકને સુરક્ષિત જગ્યા ઉપર રાખો અને ઓરડમાંથી બહાર નીકળી જાવ.

ચાલવાનુ શીખતા હોય તેવા શિશુના માતાપિતા


ચાલવાનુ શીખતા હોય તેવા શિશુઓને શિસ્ત શીખડાવવી એ માટે બહુ જ વધારે સમય, બળ અને સહનશિલતાની જરૂર છે અને એટલા માટે તે મહત્વનુ છે કે અસરકારક રીતે મળે અને યોગ્ય રીતે હોય. દા.ત. ચાલવાનુ શીખતા બાળકને એવી વસ્તુની સાથે રમવાનુ નહી કહેવુ જોઇએ જે જોખમકારક છે, જેવો કે ગેસનો ચુલ્હો, કારણકે તેનુ પરિણામ શું આવશે તે સમજતા નથી. કુલ્લા ઉપર મારવાથી એ પરિણામ સ્પષ્ટ નહી કરે. તમારે શિસ્તની પદ્ધતિઓ એક્ધારી રીતે વાપરવી જોઇએ નહી તો તમારા બાળકને એમ લાગશે કે તમે ગંભીર નથી.

  • ચાલવાનુ શીખતા શિશુઓ માટે એ સ્વાભાવીક છે કે તેઓ વાતવરણનુ ચારે બાજુથી નિરક્ષણ કરે છે અને આ રીતે તેઓ એવી જોખમકારક વસ્તુઓને ત્યાથી દુર કરે.
  • ચાલવાનુ શિખતા શિશુઓ સાથે સીધી અથડામણથી દુર રહો, જે ફક્ત બંનેને ગુસ્સો લાવશે અને નિરાશ કરશે. એને બદલે ધ્યાનપલ્ટો કરો અથવા વિક્ષેપ પાડો. ઘણી બધી સમસ્યાઓ આવી પરિસ્થિતીમાં કોઇક વિનોદી વસ્તુઓને હળવી કરે છે અથવા અન અપેક્ષિત જેવી કે નારાજ થયેલા બાળકને ગુદગુદી કરે છે.
  • જો તમે થપાટ મારવાનુ ચાલુ કરશો, તો તેના ઘુટણા ઉપર અથવા મેજ ઉપર મારો. આ અવાજ બાળક્ના વર્તણુકને તેને માર્યા સિવાય અટકાવશે.

મોટા બાળકોના માતાપિતા

  • શાંત સ્થિતી દરમ્યાન કુલ્લા ઉપર મારવુ બની શકતુ નથી. એટલે એ મહત્વનુ છે કે તમારા ગુસ્સાને તમે નિયંત્રણમાં રાખો. તમે દુર જઈ શકો છો, ઓશીકા ઉપર મારો અથવા નોંધ લખો. એક વાર તમે શાંત થાવ તો કદાચ તમને કુલ્લા ઉપર મારવાની ઇચ્છા ઓછી થશે.
  • તમે જ્યારે તમારા બાળકો ઉપર ગુસ્સે થાવ ત્યારે તમારા બંને હાથથી જોરથી તાલી પાડો. આનો અવાજ તેમની વર્તણૂકને અટકાવશે.
  • જો તમારૂ બાળક તમને સાંભળે નહી તો તેના સ્તર સુધી જુકી જાવ અને તેના હાથ જોરથી પકડો જેને લીધે તે તમારી સામે જોવાનુ રોકી નહી શકે અને પછી શાંતીથી વાત કરો.
  • જો તમને લાગે કે તમારા બાળકને દંડ આપવો છે તો એ ખાત્રી કરો કે આ સજા ન્યાયી રીતે આ ઘટનાને સબંધિત હોય અને એટલે તે બોધપાઠ શીખે જે તમારે તેને શીખવવો છે. તેમને યોગ્ય શિક્ષા આપો. તેમને બતાવો કે તેમની સુરક્ષા માટે તમે ચિંતા કરો છો અને જ્યાથી જરૂર પડે ત્યાર સુધી તમે સુરક્ષાના નિયમો લાદશો. ટીવી, મિઠાઈ દુર લઈ જવી અને કુલ્લા ઉપર મારવાથી સુરક્ષા શીખવાડી શકાતી નથી.

બધી ઉમરના માટે

  • સારા વર્તનને સમર્થન આપો. આંલિગન અને પ્રશંસા દુર સુધી લઈ જશે.
  • તમારા બાળકની પ્રક્રિયા ઉપર તેની ભાવનાને સમજવા પ્રયત્ન કરો. મોટા બાળકને પુછો કે તેઓ ગુસ્સામાં કેમ છે ? જ્યારે એક શિશુ રડે ત્યારે પોતાને પુછો. તેણીને તેડવાનુ જોઇએ છે ? તેનુ બાયતીયુ ભીનુ થઈ ગયુ છે ? તેણીને ભુખ લાગી છે. ?
  • તમારા હદયના પરિવર્તનની લેવડદેવડ કરો. જો ભુતકાળમાં તમારા બાળકને તમે માર્યુ હોય પણ તે બંધ કરવાનુ નક્કી કર્યુ હોય તો તમારા બાળક સાથે આ નિર્ણય લેવા વિષે વાત કરો. આ બોધપાઠ તમારા સંપૂર્ણ કુંટુંબ માટે મુલ્યવાન બનશે.
સ્ત્રોત: આરોગ્ય.કોમ 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate