પ્રશ્ન: જાજરૂ બનાવવા માટે મને કઈ કઈ યોજનાઓનો લાભ મળી શકે ?
જવાબ : ગામડાઓમાં દરેક કુટુંબના ઘરે જાજરૂ બનાવવા માટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) કાર્યક્રમ હેઠળ માર્ગદર્શન તથા નાણાકીય પ્રોત્સાહન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં મનરેગા જેવી યોજનાને જોડવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે:
ઘરે જાજરૂ-બી.પી.એલ. |
જાજરૂ બનાવવા કુલ મળવાપાત્ર રકમ રૂ. ૧૨,૦૦૦/ |
ઘરે જાજરૂ-એ.પી.એલ અનુસૂચિત જાતિ-જનજાતિના સભ્યો, નાના અને સીમાંત ખેડૂત, જે કુટુંબમાં કોઈ વિકલાંગ સભ્ય હોય, જમીનવિહોણા ખેતમજૂર, એવું કુટુંબ કે જેના વડા વિધવા મહિલા હોય |
જાજરૂ બનાવવા કુલ મળવાપાત્ર રકમ રૂ. ૧૦,૦૦૦/ |
ઘરે જાજરૂ-એ.પી.એલ. -ઉપર જણાવ્યા સિવાય |
ઘરે જાજરૂ-એ.પી.એલ. જોગવાઈ છે. ઉપરાંત રાજ્યના સ્વચ્છતા નિધિ / સીએસઆર ફંડમાંથી રૂપિયા ૪૦૦૦/-ની વધારાની સહાય સાથે કુલ રૂપિયા ૮,OOO/-ની સહાય |
ઈન્દીરા આવાસ યોજના અને સરદાર આવાસ યોજનામાં ઘર બનાવવાની સાથેજ જાજરૂ બનાવવું ફરજિયાત છે. આ યોજનાનો જે ગામલોકોને લાભ મળે છે તેમના ઘરે જાજરૂ બની જાય છે.
પ્રશ્ન: ખેતી, ઘરખર્ચ અને બાળકોના શિક્ષણનાં ખર્ચા કાઢતાં મારી પાસે જાજરૂ બનાવવા જેટલા રૂપિયા ક્યાંથી બચે ?
જવાબ : ઘણા લોકોને આવો પ્રશ્ન થાય છે. ઓછી આવકમાં જાજરૂમાટે નાણાની સગવડક્યાંથી કરવી? જાજરૂમોંઘું બનાવવું પડે તે જરૂરી નથી. આપણને પોસાય અને ઘરે સગવડ થાય તે મહત્વનું છે.
બીજી વાત, ઘણા લોકો ઘર પણ પૈસાની સગવડ થતી જાય તેમ બનાવતા હોય છે. આ જ રીતે જાજરૂ પણ બનાવી શકાય છે. તેમ યુવક મંડળ, સખી મંડળ, બચત મંડળ, દૂધ સહકારી મંડળીના સભ્ય હો તો ત્યાંથી લોન મેળવવાની વ્યવસ્થા થઈ શકે છે. સરકાર તરફથી જાજરૂ બનાવ્યા પછી પ્રોત્સાહનની રકમ મળે ત્યારે લોન ભરપાઈ કરવાની જોગવાઈ થઈ જાય છે.
પ્રશ્ન : મારા ઘરમાં પાણીની સગવડ નથી. જાજરૂમાં ખૂબ પાણીની જરૂર પડે.આ સંજોગોમાં હું જાજરૂ કેવી રીતે બનાવું ?
જવાબ :
પ્રશ્ન : ઘર માટે જાજરૂના બાંધકામમાં કઈ ડિઝાઈનનો ઉપયોગ કરવો?
જવાબ : ડિઝાઈનમાં કેટલીક બાબતો સ્થાનિક, ભૌગોલિક પરિસ્થિતિ, ઉપલબ્ધ બાંધકામની સામગ્રીને ધ્યાનમાં લઈનક્કી કરવાની રહે છે. ડિઝાઈન સંબંધી મુખ્ય બાબતો અહીં જણાવી છે:
એ. ખાડોઃ બે શોષ ખાડાવાળુ જાજરૂ બનાવવું.
બ. જાજરનું ટબ:
બજારમાં સામાન્ય રીતે સિરામિક ટબ મળે છે. સામાન્ય વ્યક્તિને પોસાય તેવી કિંમતના ટબ પણ બજારમાં મળે છે. જાજરૂના ટબનું મુખ્ય કામ મળને ખાડામાં લઈ જવાનું હોય છે. તેથી તેમાં બહુ ખર્ચ કરવાની જરૂર નથી. જે ટબમાં ઢાળ વધારે હોય અને ઓછા પાણીથી મળને ખાડામાં મોકલી શકે તેવું ગ્રામીણ ટબ પસંદ કરવું હિતાવહ છે.
ક. દીવાલઃ
જાજરૂ બનાવતી વખતે ઘરની એક કે બે દીવાલનો ઉપયોગ કરવાથી ખર્ચ બચી જાય છે. દીવાલ બનાવવા માટે ઈંટ, સિમેન્ટ બ્લોક, ગારો, સિમેન્ટની શીટ, કપાસની સાંઠી-વાંસ જેવી સામગ્રીનો ઉપયોગ થાય છે. બાંધકામ મજબૂત થાય તે જરૂરી છે. મુખ્યત્વે આડશ તરીકે દીવાલ ઊભી કરવામાં આવે છે. પહેલેથી તૈયાર કરેલી પેનલ્સ - થાંભલીઓ પણ બજારમાં મળે છે. જેનાથી દીવાલ બનાવી શકાય. આવી સામગ્રી વાપરવાથી ચણતરકામ ઘણું ઝડપી બને છે.
ખ. છાપરું:
જાજરૂની ઉપરનું છાપરું છત તડકો / વરસાદથી બચવા માટે તથા બહારથી ઝાડનાં પાન/ ધૂળ, કચરો જાજરૂમાં ન આવે તે માટે જરૂરી છે. જાજરૂની ઉપર પાણીની ટાંકી મૂકવાની હોય તો તેની મજબૂતાઈ તે પ્રમાણે રાખવી જરૂરી બને છાપરા માટે ઘણા વિકલ્પો છે – સ્લેબ, પથ્થર (પાપડા), સિમેન્ટ કે લોખંડનું પતરું, વળી –વાંસપર નળીયા મૂકીને છાપરું કરી શકાય.
ગ. દરવાજો
દરવાજાનું મુખ્ય કામ અંદર-બહાર જવા માટે છે. તે ઉપરાંત બંધ કરી દેવાથી અંદર એકાંત મળે / બહારથી કોઈ જોઈ ન શકે. દરવાજો વિવિધ સામગ્રીનો બનાવી શકાય. લોખંડ, વાંસ-કપાસની સાંઠીની ફ્રેમ બનાવી પતરું લગાવી આડશ કરી શકાય. આડશ કરવા માટે પાકા દરવાજાની જરૂર ન હોય તો ખાતર / સિમેન્ટની ખાલી થેલી સીવીને પડદાનો ઉપયોગ પણ થઈ શકે.
પ્રશ્ન : જાજરૂ બનાવવા માટે જરૂરી સામગ્રી :
જવાબ સામાન્ય રીતે હાલમાં જાજરૂ બનાવવા માટે જે સામગ્રી વપરાય છે તેની વિગતો નીચે મુજબ છેઃ
પ્રશ્ન :એક જાજરૂ બનાવવાનો અંદાજિત ખર્ચ કેટલો થાય ?
પ્રશ્ન : મારી આસપાસ ઘણાં ઘરોમાં જાજરૂ બંધ હાલતમાં વણવપરાયેલા અને અઈ-બંધાએલ હાલતમાં છે. મારા ઘરનું જાજરૂ કાર્યરત રહે તે માટે મારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ?
જાજરૂને બંધ હાલતમાં રાખવાથી કોઈ ફાયદો નથી. આથી તેને વાપરવું તે જ હિતાવહ છે. જાજરૂનો વપરાશ અને સંભાળના મુદ્દા: જાજરૂનો વપરાશ મળત્યાગ માટે જ કરવો. તેમાં બીજા કોઈ કચરો નાંખવો નહીં. જેવો કે સેનીટરી નેપકીન, કપડાના ટુકડા વગેરે. બીજો કચરો નાંખવાથી તે પાઈપમાં ફસાઈ જાય અને જાજરૂનો ઉપયોગ કરવામાં મુશ્કેલી થાય છે.
૧. વપરાશ પહેલાં
જાજરૂના ટબમાં થોડું પાણી રેડી તેને ભીનું કરો. આમ કરવાથી મળ ચોંટશે નહીં. ઓછા પાણીથી મળ ખાડામાં જતો રહે છે. તમે જાજરૂમાં જાઓ ત્યારે આગળની વ્યક્તિએ પૂરતું પાણી ન નાંખ્યું હોય – મળ ટબમાં ચોટેલો દેખાય, પાણીમાં તરતો દેખાય - તો પહેલાં પાણી નાંખીને ટબને ચોખ્ખું કરો તથા મળને ખાડા સુધી પહોંચાડો.
૨. વપરાશ વખતે
જાજરૂમાં બેઠા પછી મળ ટબમાં જપડે તે રીતે પગ પર પગ રાખીને બેસવું જોઈએ. નાનાં બાળકો પગાં પરપગ રાખીને બેસી શકે તેમ ન હોય તો તેમને બાજુમાં ખાલી જગ્યા પર બેસાડવા જોઈએ. આ સ્થિતિમાં મળ ટબમાં નહીં પડે. તેથી જ્યાં મળ પડ્યો હોય તે જગ્યાને બરાબર સાફ કરવી. બાળકના હાથ મળને અડે નહીં તેની કાળજી રાખવી જોઈએ. મળત્યાગ પછી ટબમાં ઓછામાં ઓછું બે લીટર પાણી જોરથી રેડવું. જેથી મળ ખાડામાં પહોંચી જાય છે. પાણી નાંખ્યા પછી ચકાસી લેવું કે મળ ટબમાં ચોટેલો નથી કે પાણીમાં તરતો નથી. જો એમ હોય તો વધારે પાણી રેડવું.
૩. વપરાશ બાદ:
જાજરૂનું બારણું બંધ કરવું જોઈએ. જાજરૂની બહાર પાણી રાખવાના સાધનમાં પાણી ખૂટી ગયું હોય તો તેમાં પાણી ભરી દેવું જોઈએ. આનાથી બીજાને જાજરૂના ઉપયોગમાં સરળતા રહે છે. વખતોવખત જાજરૂને સાબુનો પાવડર, ફીનાઈલ કે રાખથી સાવરણા કે બ્રશથી સાફ કરવું જોઈએ. આવી રીતે સાફ કરવાથી જાજરૂમાં કચરો જમા નહીં થાય, ચીકાશ નહીં રહે, પગાટબપીળાશપડતાં નહીં થાય, જાજરૂમાંથી દુર્ગધ-વાસ નહીં આવે. જાજરૂના વાસણમાં નક્કર વસ્તુ પડી હોય તો તેને કાઢવા માટે ફાડેલા વાંસની પટ્ટી, ચીપિયાનો ઉપયોગ કરવો. ટબમાં ખૂબ પાણી રેડવાથી ક્યારેક આવી ચીજવસ્તુ ખાડામાં જતી રહે છે. તેને કાઢયા પછી જ વપરાશમાં લેવું. જેથી મન ભરાઈ રહેવાની સમસ્યા ન થાય.
૪. ખાડો ખાલી કરવો:
લાંબા સમય સુધી, જાજરૂનો એકધારો વપરાશ થાય ત્યારે ખાડો ભરાઈ જાય છે. જ્યારે પાણી અને મળ સરળતાથી ખાડામાં ન જાય ત્યારે ચકાસી લેવું કે કદાચ ખાડો ભરાઈ ગયો હશે. જો બે ખાડાવાળું જાજરૂ બનાવ્યું હોય તો હાલમાં વપરાતા ખાડાની પાઈપને બંધ કરી બીજા ખાડાની પાઈપને ખોલી નાંખવી. જેથી તેમાં મળ અને પાણી જવાનું શરૂ થઈ જશે.
૫. સાબુથી હાથ ધોવા
આપણા હાથ પર ગંદકી, રોગના જીવાણુ ચોટેલાં હોય છે. જે નરી આંખે જોઈ શકાતા નથી. આવા હાથે ખોરાક ખાવાથી રોગનાંજીવાણુ શરીરમાં પહોંચે અને રોગ થાય છે. આ પરિસ્થિતિમાં સાબુથી હાથ ધોવા મહત્ત્વની બાબત છે. સાબુથી હાથ ધોવાથી ગંદકી તથા રોગના જીવાણુ દૂર થાય છે. જોકે સાબુથી હાથ ધોવાની સાચી રીત વિશે જાણવું જરૂરી છે. નહિતર સાબુથી હાથ ધોયાનો સંતોષ માનીએ પણ ક્યારેક રોગના જીવાણુઓ દૂર થાય નહીં અને રોગનો ભોગ બનવું પડે છે.
પ્રશ્ન સાબુથી હાથ ક્યારે ધોવા?
પ્રશ્ન: માટીથી હાથ ધોવામાં શું વાંધો છે ?
પ્રશ્ન: દરેક ઘરે જાજરૂ કેમ હોવું જોઈએ ? ઘરમાં જાજરૂ ન બનાવીઓ ? તો શું ફર્ક પડવાનો છે? જાજરૂ બનાવવું એ તો સરકારનું કામ છે.હું શા માટે એવી બધી માથાકુટ કરું ?
એફડાયાગ્રામ શું છે ? તેના વિશે સમજાવશો ?
ખુલ્લી જગ્યાએ પડેલા મળમાં રહેલા જીવાણુ ખોરાક મારફત આપણા શરીરમાં કેવી રીતે પહોચે છે અને રોગ ફેલાવે છે તેની સમજુતી “એફ ડાયાગ્રામ “માં આપી છે
પ્રશ્ન :હું મારા ઘરમાં જાજરૂ બનાવું પણ મારા પાડોશના લોકો ખુલ્લામાં મળત્યાગ કરવા જતા હોય તો તેનાથી મને અને મારા પરિવારને શું નુકશાન થાય ?
શું આપ જાણો છો ?
ખુબ જ અગત્યનું એક વાત સમજો અને યાદ રાખો :
૧ ગ્રામ મળમાં કરોડો જીવજંતુ વિવિધ રોગોના હોય છે. જે ઘણા બધાં રોગો ફેલાવવા માટે પૂરતાં છે. વિચારો બધા જ લોકો ખુલ્લામાં મળત્યાગ કરે તો શું થાય? આખું ગામ રોગગ્રસ્ત જ રહે કે નહિ?
પ્રશ્ન:અમે ઘણા વખતથી બહાર મળત્યાગ માટે જઈએ છીએ. અમને કોઈ નુકસાન થયું નથી. હવે જાજરૂ બનાવવાની જરૂર ખરી છે
પ્રશ્ન: મારા પરિવારના બધા સભ્યો જાજરૂનો ઉપયોગ કરે છે. હું એકલો મળત્યાગ માટે બહાર જાઉ તેનાથી શો ફેર પડે?
પ્રશ્ન: નાના બાળકનો મળ નિર્દોષ હોય છે. તેના નિકાલ માટે જાજરૂનો આગ્રહ શા માટે ?
પ્રશ્ન: સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ સહાય મેળવવા કોનો સંપર્ક કરવો ?.
ગામ :
સરપંચ
તાલુકા
જિલ્લા
પ્રશ્ન :એક સરપંચ તરીકે મારે ઘણી કામગીરી કરવાની હોય છે.ગામમાં જાજરૂ બનાવવા એ કાંઈ મારું કામ છે ?
ગામ સ્વચ્છ રહે તે જોવાની જવાબદારી ગ્રામિંચાયતની છે. સરપંચ ગ્રામપંચાયતના વડા છે. આથી ગામને સ્વચ્છ રાખવામાં તેમણે પણ જવાબદારી લેવી પડશે. ખુલ્લામાં મળત્યાગ કરવાથી થતા નુકસાન વિશે ગામલોકોને સમજ આપીને દરેકના ઘરે જાજરૂ બનાવવા માટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) કાર્યક્રમ અંતર્ગત કામગીરી હાથ ધરવી જોઈએ. તે ઉપરાંત ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટે પણ કામ કરવાનું રહે છે. આ બંધારણીય જવાબદારી છે. ગામ નિર્મળ બનશે ત્યારે સરપંચને ગામ વતી પુરસ્કાર આપવામાં આવશે અને તેમનું બહુમાન કરવામાં આવશે.
પ્રશ્ન :ધાર્મિક નેતા તરીકે મારી ફ્રજ લોકોને ધાર્મિક માર્ગદર્શન આપવાની છે. હું શા માટે લોકોને જાજરૂ બનાવવાનું કહું ?
પ્રશ્ન: સામાજિક આગેવાન તરીકે સમાજના લોકોને માર્ગદર્શન અને સલાહ આપવાની મારી જવાબદારી છે, લોકો જાજરૂ બનાવે અને વાપરતા થાય એ માટે હું શું કરી શકું ?
પ્રશ્ન :શિક્ષક તરીકે મેં મારી શાળામાં જાજરૂ બંધાવ્યું છે. બાળકો જ્યારે શાળામાં હોય ત્યારે તેનો ઉપયોગ કરે તે હું સુનિશ્ચિત કરી શકું. પરંતુ બાળકો ઘરે જાજરૂનો જ ઉપયોગ કરે એ મારા હાથમાં નથી.
પ્રશ્ન :સ્વ-સહાય જૂથના આગેવાન તરીકે અમારા જૂથના સભ્યોને માટે જાજરૂ બનાવવામાં હું કઈ રીતે મદદરૂપ થઈ શકું, પ્રેરણા અને માર્ગદર્શન આપી શકું ?
પ્રશ્ન: દૂધ સહકારી મંડળીના પ્રમુખ તરીકે હું ગામલોકોની દૂધ કે પશુને લગતી સમસ્યાઓમાં સહાય કરી શકું, જાજરૂ અને મારે શું લેવા દેવા ?
પ્રશ્ન :હું તો બાળક છું. હું કેવી રીતે જાજરૂ બનાવી શકું ?
પ્રશ્ન :અમારા ગામમાં કેટલાક પરિવારો પાસે જાજરૂ બનાવવા જમીન નથી. તો શું કરવું ?
અંતર્ગત ગ્રામપંચાયતને નાણાકીય સહાય આપવાની જોગવાઈ છે.
પ્રશ્ન: ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટે કેટલી સહાય મળે ?
દરેક ગ્રામ પંચાયતે ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટેની દરખાસ્ત તૈયાર કરવાની હોય છે. આ દરખાસ્તના આધારે તથા વસતિના માપદંડ મુજબ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) કાર્યક્રમ અંતર્ગત નાણાકીય સહાય આપાવમાં આવે છે. વસતિના ધોરણની માહિતી નીચે મુજબ છે:
ક્રમ |
વસ્તીનું ધોરણ |
સહાયની રકમ |
૧ |
૧૫૦ કુટુંબ સુધી |
૭ લાખ |
૨ |
૧૫૦થી ૩૦૦ કુટુંબ સુધી |
૧૫ લાખ |
૩ |
૩૦૦થી ૫૦૦ કુટુંબ સુધી |
૧૨ લાખ |
૪ |
પ૦૦ કુટુંબથી વધારે |
૨૦ લાખ |
સાબુથી હાથ ધોવાની રીત :આપણને એમ થાય કે સાબુથી હાથ ધોવાએ કોઈ મોટી બાબત નથી. સાબુથી હાથ ધોતાં તો બધાને આવડે જ ને! આપણે એવું માનીએ કે મેં સાબુથી હાથ બરાબર ધોયા, પરંતુ હાથમાં ગંદકી રહી જાય તેનું શું?નીચેના ચિત્રો જુઓ, જેમાં હાથ ધોવાની સાચી રીત બતાવી છે. નીચેના ચિત્રો જુઓ અને વિચારો કે આપણે આ રીતે સાબુથી હાથ ધોઈએ છે ખરા?
આપણામાંથી મોટા ભાગના લોકો આ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે હાથ ધોતાં નથી. એટલે હાથ ધોયાનો સંતોષ થાય, પણ ગંદકી દૂર થાય નહીં. તો એનો કશો ફાયદો થાય ખરો? અર્થ શું?
સ્ત્રોત: Unicef કમિશનર, ગ્રામ વિકાસની કચેરી,ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020