તાજેતરમાં વિવિધ મંચો પર સ્વચ્છતા અને સાફસફાઈનાં મહત્ત્વ પર લોકોને વારંવાર જાગૃત કરવામાં આવે છે. વ્યક્તિગત અને સામુદાયક સ્તરે સારી અને સલામત સાફસફાઈની કામગીરીઓને પ્રોત્સાહન આપવા અનેક અભિયાનો, જાગૃતિ કાર્યક્રમો, જાહેરાતો અને નિયમો બનાવવામાં આવ્યાં છે. એટલે સમાજનાં સૌથી કુમળા વર્ગ બાળકોનાં સંબંધમાં એની પ્રસ્તુતની ચર્ચા કરવી ઉચિત છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નાં જણાવ્યા મુજબ, “સ્વચ્છતા કે સાફસફાઈનો સંદર્ભ એવી સ્થિતિસંજોગો અને પ્રેક્ટિસ સાથે છે, જે રોગચાળો ફેલાતો અટકાવવામાં અને આરોગ્ય જાળવવામાં મદદરૂપ થાય.” યુનિસેફનાં આંકડાઓ મુજબ, ભારતમાં પાંચ વર્ષથી ઓછી વય ધરાવતાં દર 10 બાળકોમાંથી ચાર બાળકોની વૃદ્ધિ કુંઠિત થાય છે. અત્યારે વિશ્વમાં કુંઠિત વૃદ્ધિ ધરાવતી દર ત્રીજું બાળક ભારતમાં રહે છે, જ્યાં કુંઠિત વૃદ્ધિ ધરાવતાં કુલ આશરે 47 મિલિયન બાળકો રહે છે. વિકાસ પામતાં બાળકો માટે વ્યક્તિગત સ્વચ્છતા મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી તેમની વૃદ્ધિ અને વિકાસ અટકી જાય છે. ઉપરાંત એનાથી સાફસફાઈની નબળી સ્થિતિને કારણે થતાં ફૂડ પોઇઝનિંગ, ગેસ્ટ્રોએન્ટરાઇટિસ, સ્કિન ઇન્ફેક્શન, પેશાબની નળીમાં ઇન્ફેક્શન, જીવજંતુઓમાં વૃદ્ધિ વગેરે વિવિધ રોગો અને સમસ્યા સામે સંરક્ષણ મળશે. સાથે સાથે બાળક ઓછું બિમાર પડવાથી એ શાળામાં ગેરહાજર પણ ઓછું રહેશે.
મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, માતાપિતાઓ, શિક્ષકો અને આરોગ્ય કેન્દ્રોએ સમજવાની જરૂર છે કે, બાળક પોતાની આસપાસ જે જુએ છે એનું હંમેશા અનુકરણ કરે છે. એટલે નાની ઉંમરે તેમની અંદર સ્વચ્છતાની સારી આદત પાડવાની જવાબદારી આપણી છે. એનો શ્રેષ્ઠ માર્ગ ઉદાહરણ પૂરું પાડવાનો છે. આપણે અહીં બાળકોનાં સ્વાસ્થ્ય પર નબળી સ્વચ્છતાની અસરો પર નજર કરીશું અને રોજિંદી કામગીરીમાં સ્વચ્છતાની આદત પાડવાની ચર્ચા કરીશું.
આ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ પરિબળ છે, જેનો સંબંધ ઇન્ફેક્શનનાં પ્રસાર સાથે છે. આ બાબત બાળકોની સાથે પુખ્ત વયનાં લોકો માટે પણ મહત્ત્વપૂર્ણ છે. એક અંદાજ મુજબ, સાબુ અને પાણી સાથે હાથ ધોવાથી ઝાડા સાથે સંબંધિત રોગ સાથે સંકળાયેલા મૃત્યુમાં 50 ટકા સુધીનો ઘટાડો થઈ શકશે અને શ્વાસોશ્વાસનાં ઇન્ફેક્શન્સમાં 16 ટકા સુધીનો ઘટાડો થઈ શકશે. હાથ ધોવાનાં નીચેનાં સ્ટેપ બાળકોને શીખવવા જોઈએ તથા ઘરે અને શાળાઓમાં એની પ્રેક્ટિસ પાડવી જોઈએ.
સ્ટેપ 1 – તમારાં હાથ પર ભીનાં કરો અને પૂરતો સાબુ (સિક્કાની સાઇઝ) લગાવો.
સ્ટેપ 2 – તમારી હથેળીઓને એકસાથે ઘસો.
સ્ટેપ 3 – બંને હાથની પાછળની બાજુ પણ ઘસો.
સ્ટેપ 4 – તમારી આંગળીઓને એકબીજામાં પરોવો ત્યારે બંને હાથને બરોબર ઘસો.
સ્ટેપ 5 – તમારી આંગળીઓની પાછળની બાજુઓને ઘસો.
સ્ટેપ 5 – તમારી આંગળીઓની અણીઓને ઘસો.
સ્ટેપ 6 – તમારાં અંગૂઠા અને તમારાં કાંડાનાં છેડાને પણ સાફ કરો.
સ્ટેપ 7 – પાણી સાથે બંને હાથને ઉચિત રીતે સાફ કરો.
સ્ટેપ 8 – અને ક્લીન ટોવેલ/ડિસ્પોઝેબલ ટિશ્યૂ પેપર સાથે હાથને સૂકવો.
બાળકોને ભોજન અગાઉ, શૌચાલયમાં ગયા પછી, તેમનું નાક સાફ કર્યા પછી, કફ કાઢ્યાં પછી કે છીંક આવ્યાં પછી, હાથ ધોવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. પાતળા કીડા ન વિકસે ટલે હાથ ધોવા જરૂરી છે, જેનાથી ગુદામાર્ગ અને જનનાંગોની આસપાસ ખંજવાળ આવે છે તેમજ શૌચાલયની નબળી સ્થિતિ કે પશુઓનાં સંસર્ગથી વિકસે છે.
યોગ્ય સારસંભાળ વિના બાળકોનાં મુખમાં પોલાણ, ખરાબ શ્વાસ, અને મુખનાં અન્ય રોગો વિકસી શકે છે. દરરોજ બે વાર બ્રશ કરાવવું જરૂરી છે. મીઠા અને કાર્બોનેટેડ ડ્રિન્કનું સેવન અત્યંત ઓછા પ્રમાણમાં કરવું જોઈએ, કારણ કે તેનાથી દાંતમાં સડો પેદા થાય છે. બીજું, બાળકને છીંક આવે કે કફ બહાર કાઢે ત્યારે તેનું મુખ ટિશ્યૂ કે હેન્ડકરચીફથી ઢાંકે એવું શીખવવું જોઈએ.
દાંતથી નખ ખોતરવાનું અટકાવવું જોઈએ, કારણ કે નખ અને નખની અંદર જીવાણુઓને વિકસાવવા માટે યોગ્ય વાતાવરણ મળી રહે છે. દાંતથી નખ ખોતરવાથી આ જીવાણુઓને મુખમાં અને ત્યાંથી અન્નનળીમાં પ્રવેશવાની સુવિધા મળે છે, જેનાથી અનેક સમસ્યાઓ પેદા થાય છે. નખો ટૂંકા રાખવાથી એની નીચે જીવાણુઓનો વિકાસ ઘટાડવામાં મદદ મળે છે.
માતાપિતાઓ માટે માથામાં જૂ માથાનાં દુઃખાવા સમાન છે. એનો ફેલાવો અટકાવવા માથા સાથે માથાનો (વાળ સાથે વાળનો) સંપર્ક ટાળવો જોઈએ. જૂ ધરાવતી વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતો કાંસકો, ટોવેલ કે પથારીની ચાદરને યોગ્ય રીતે સાફ કરવી જોઈએ અને જૂને દૂર કરવા યોગ્ય સારવાર કરવી જોઈએ.
બાળકોને નિયમિત રીતે સ્નાન કે શાવરની જરૂર છે. બાળકો તેમનું આખું શરીર ધુએ એ સુનિશ્ચિત કરો, જેમાં બગલ સામેલ છે તથા તેઓ વસ્ત્રો પહેરે એ અગાઉ તેમનું શરીર સંપૂર્ણપણે સૂકાયેલું હોવું જોઈએ. પેશાબની નળીનાં ઇન્ફેક્શનનું જોખમ ઘટાડવા બાળકોને જનનાંગો યોગ્ય રીતે સાફ કરતાં શીખવવું જોઈએ. ઉપરાંત બાળકો દ્વારા ઉપયોગમાં લેવાતાં ગેજેટ્સ અને રમકડાં પર જીવાણુઓ જામી જવાથી ઇન્ફેક્શનનું જોખમ લઘુતમ કરવા એને બરોબર સાફ કરવા જોઈએ.
કિશોર વયની છોકરીઓને માસિક ધર્મ કે ઋતુચક્ર વિશે યોગ્ય જાણકારી, સેનિટરી નેપ્કિનનાં ઉચિત ઉપયોગ તેમજ એનાં યોગ્ય નિકાલ વિશે સાચી માહિતી આપવી જોઈએ. એની સાથે હાથ ધોવાનું મહત્ત્વ હંમેશા સમજાવવું જોઈએ.
બાળકો અને પુખ્તો માટે ઊંઘ સમાનપણે મહત્ત્વ ધરાવે છે, કારણ કે શરીર આ સમયે જ કોષોનું પુનઃનિર્માણ કરે છે અને સ્મરણપટ પર યાદો અંકિત થાય છે. બાળકોને સારી ઊંઘની ટેવો માટે દરરોજ નિયત સમયે ઊંઘવું, બેડનો ઉપયોગ ફક્ત સૂવા માટે કરવો, નહીં કે ટીવી જોવા કે હોમવર્ક માટે કરવો તેમજ રાહત મળે એવું વાતાવરણ ઊભું કરવું વગેરે બાબતો મહત્ત્વપૂર્ણ સામેલ છે.
બાળકોનો વિકાસ પડકારજનક બાબત છે અને બાળકો તેમની જીવનની મૂળભૂત કુશળતાઓ શીખવા માટે તેમનાં માતાપિતાઓ પર નિર્ભર છે. સાફસફાઈનાં સ્વીકાર્ય સ્તર અને નબળી સ્વચ્છતાનાં પરિણામોની સમજણ આપવાથી બાળકો અને કિશોર વયનાં છોકરાં-છોકરીઓને સારસંભાળ લેવામાં સમસ્યા પડતી નથી.
ડો.ઉર્વશી રાણા(પીડિયાટ્રિશિયન )
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/5/2020