Accessibility options

રંગ વિપરિત
ટેક્સ્ટ સાઇઝ
સામગ્રીને હાઇલાઇટ કરો
ઝૂમ કરો

Accessibility options

રંગ વિપરિત
ટેક્સ્ટ સાઇઝ
સામગ્રીને હાઇલાઇટ કરો
ઝૂમ કરો
india_flag

Government of India



MeitY LogoVikaspedia
gu
gu

વિરુદ્ધાહાર

Open

Contributor  : utthan07/06/2020

Empower Your Reading with Vikas AI 

Skip the lengthy reading. Click on 'Summarize Content' for a brief summary powered by Vikas AI.

આયુર્વેદ મુજબ આ વસ્તુઓ ક્યારેય એકસાથે ન ખાવી જોઈએ.

જો ભોજન કર્યા પછી તમારા પેટમાં ગેસ બને છે કે પેટ સંબંધિત અન્ય બીમારી થાય છે તો સમજી લો કે તમે બેમેલ ખોરાક લો છો. કહેવાનો મતલબ છે કે જો તમે યોગ્ય પ્રકારના ખોરાકને કોટી રીતના આહાર સાથે મેળવીને ખાવ છો તો તમને અનેક બીમારીઓ થઈ શકે છે.

આજે આ લેખમાં આપણે આ વાત  પર ચર્ચા કરીશુ કે તમારે કયા ખોરાક સાથે શુ ન ખાવુ જોઈએ. જો આપણે ખાવાનો મેળ-જોડયોગ્ય નહી રાખીએ અને બેઢંગા રીતે જે મળી ગયુ તે ખાઈ લઈશુ તો આપણા શરીરને કોઈ પણ ફાયદો નહી કરે. જાણો. આવો જાણીએ કે આપણું આયુર્વેદ આપણને કયા કયા આહારને એકસાથે ખાવાની ના પાડે છે.

ખાવાની સાથે ફળ કે ત્યારબાદ

ફળ પેટ અને આંતરડા દ્વારા ખૂબ જલ્દી શોષિત થઈ જાય છે. જ્યારે આપણે ફળને અનાજ મીટ કે સૂકા પદાર્થ સાથે ખાઈએ છીએ તો આ પેટમાં લાંબા સમય સુધી પડી રહે છે અને સડવા લાગે છે કે તેમા ખમીર ઉઠવા લાગે છે. આ ક્રિયા આંતરડાની દિવાલોને ડેમેજ કરે છે અને અન્ય બીમારીઓ પેદા કરે છે.

ખોરાક અને પાણી/જ્યુસ

ખાવાની સાથે પાણી ક્યારેય ન પીવુ જોઈએ.  પાણી પેટના એસિડની શક્તિને ઓછી કરી નાખે છે. જેનાથી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફૈટ સારી રીતે પચતા નથી. તેથી કાયમ ભોજન કરવાના 10 મિનિટ પછી જ પાણી પીવો.

કોલ્ડ્રિંક અને મિંટ (ફુદીના)

કોલ્ડડ્રિંક પીધા પછી મિંટ ચ્વિંગમ કે મિંટ યુક્ત પાન મસાલા વગેરે બિલકુલ ન ખાશો. આ બંનેને મિક્સ કરવાથી સાઈનાઈડ બને છે જે એક પ્રકારનુ ઝેર હોય છે.

બટાકા અને ટામેટા

ટામેટામાં એસિડ હોય છે જે સ્ટાર્ચ યુક્ત આહાર જેવા કે ચોખા કે બટાકા ખાતા પેટમાં ગેસ અને પેટની અન્ય તકલીફો થાય છે.

બરગર અને ફ્રાઈઝ

અતિ કરતા વધુ બાફેલો આહાર અને હાઈ લેવલના વસા, પ્રિઝર્વેટિવ અને અન્ય કેમિકલ મેળવેલો આહાર એક સાથે ખાતા ચારકોલ જેવો તત્વ બની જાય છે. પછી જ્યારે આ આલુની ફ્રાઈઝ સાથે મિક્સ હોય છે ત્યારે શરીરમાં સોજો પેદા થાય છે અને એંજિંગ પ્રોસેસ શરૂ થઈ જાય છે.

ડુંગળી અને દૂધ

ડુંગળી સાથે દૂધનુ સેવન કરવાથી અનેક પ્રકારની ત્વચાના રોજ જેવા કે દાદ, ખાજ, ખુજલી, એક્ઝિમા, સોરાઈસિસ વગેરે થવાની શક્યતા રહે છે.

દહી સાથે પરાઠા

દહી સાથે પરાઠા કે અન્ય તળેલી શેકેલી વસ્તુઓ લેવાથી દહી ફૈટના પાચનમાં અવરોધ ઉભો કરે છે. તેનાથી ફૈટ્સ દ્વારા મળનારી એનર્જી શરીરને મળી શકતી નથી.

પશુ પ્રોટીન અને સ્ટાર્ચ

આ બંનેનું એકસાથે સેવન કરવાથી પેટમાં ગેસની સમસ્યા, બેચેની અને પેટ ફૂલવા વગેરેની સમસ્યા થઈ શકે છે.

સ્વાસ્થ્ય માટે શુ ફાયદાકારી ચા કે કોફી ?

તમારામાંથી કેટલાક લોકો જેમણે માત્ર કોફી કે પછી માત્ર ચા પીવી પસંદ છે. તમે આ બંનેમાંથી ભલે કંઈ પણ પીવો પણ હંમેશા આ વાતનું ધ્યાન રાખો કે આની અસર તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ રીતે પડી શકે છે. જે રીતે બ્લેક ટી, ગ્રીન ટી અને લીંબુવાળી ચાની સારી અસર આપણા શરીર પર પડે છે એ જ રીતે કોફી પણ કંઈ ઓછો પ્રભાવ નથી નાખતી. તેમા રહેલ કેફીન તેને હાનિકારક બનાવે છે. જો તમે અધિક પ્રમાણમાં કોફી પીવો છો તો આ તમારા શરીરને ચા ના મુકાબલે વધુ નુકશાન પહોંચાડી શકે છે.

સ્ત્રોત: વેબદુનિયા

Related Articles
આરોગ્ય
હાડકા

આ વિષય હાડકા સંબંધિત પાસાં આવરી લે છે

આરોગ્ય
શિયાળામાં બનતી પરંપરાગત આરોગ્યપ્રદ વાનગીઓ

શિયાળામાં બનતી પરંપરાગત આરોગ્યપ્રદ વાનગીઓ વિશેની માહિતી આપવામાં આવેલ છે

આરોગ્ય
પતિ અને પરિવારનું આરોગ્ય પત્નીના હાથમાં !

પતિ અને પરિવારનું આરોગ્ય પત્નીના હાથમાં વિશેની માહિતી

આરોગ્ય
ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ ખોરાક

ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ ખોરાક

Related Articles
આરોગ્ય
હાડકા

આ વિષય હાડકા સંબંધિત પાસાં આવરી લે છે

આરોગ્ય
શિયાળામાં બનતી પરંપરાગત આરોગ્યપ્રદ વાનગીઓ

શિયાળામાં બનતી પરંપરાગત આરોગ્યપ્રદ વાનગીઓ વિશેની માહિતી આપવામાં આવેલ છે

આરોગ્ય
પતિ અને પરિવારનું આરોગ્ય પત્નીના હાથમાં !

પતિ અને પરિવારનું આરોગ્ય પત્નીના હાથમાં વિશેની માહિતી

આરોગ્ય
ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ ખોરાક

ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ ખોરાક

Lets Connect
Facebook
Instagram
LinkedIn
Twitter
WhatsApp
YouTube
Download
AppStore
PlayStore

MeitY
C-DAC
Digital India

Phone Icon

+91-7382053730

Email Icon

vikaspedia[at]cdac[dot]in

Copyright © C-DAC
vikasAi