સુંદર વાળ એ આશીર્વાદ છે અને તેને તંદુરસ્ત અને શાઇની રાખવા જેટલું લાગે તેટલું મુશ્કેલ નથી. જોકે હેર-કેર મેનેજમેન્ટ મોટે ભાગે વાળના-લાંબા, ટૂંકા, વાંકડિયા-કર્લી, શુષ્ક-ડ્રાય, રફ-ખરબચડા, સ્ટ્રેઇટ-સીધા, થીક-પાતળા વગેરે પ્રકાર પર આધારિત હશે. પણ કેટલાક સામાન્ય સિદ્ધાંતોને તો આપણે બધા જ તંદુરસ્ત અને શાઇની વાળ માટે અનુસરી શકીએ છીએ.
વિન્ટર એ સિઝન છે જ્યાં હવામાં ડ્રાયનેસ હોવાના કારણે આપણા પૈકી મોટાભાગનાને વાળમાં નુકશાન થાય છે. આથી, તંદુરસ્ત વાળ રાખવા માટે સૌથી મહત્વપૂર્ણ માપદંડ છે તમારો યોગ્ય ક્વોન્ટિટીમાં યોગ્ય ખોરાક ખાવો તે, ઊંઘ અને તાણમુક્ત જીવન. યાદ રાખો કે વાળ શરીરનો જ ભાગ છે અને એને સ્પેશિયલ ટ્રીટમેન્ટની જરૂર છે. જો કોઈ વ્યક્તિ વાળને મજબૂત અને તંદુરસ્ત રાખવા અને તેના શ્રેષ્ઠ દેખાવ માટે ઇચ્છે છે, તો તેણે યોગ્ય વિટામિન્સ અને ખનિજો ખાવાની જરૂર છે. પોષક તત્ત્વો મૂળ સુધી જાય છે. મૂળમાંથી યોગ્ય રીતે પોષણ મળેલું હોય તો વાળ લસ્ટર અને ગ્લોવાળા થાય છે. આમ, વાળને સારા રાખવા અને સારા દેખાય તે માટે, દરેકે દૈનિક રૂટિનમાં કસરત અને પૂરતા પાણી સાથે હેલ્ધી ડાયટનો સમાવેશ કરવો જોઈએ.
શરીરની કુદરતી પ્રક્રિયાના ભાગરૂપે દરરોજ વાળ ખરતા હોય છે. હેરલોસની સમસ્યા જીવનમાં કોઈ પણ સમયે અને કોઈ પણ કારણે થઇ શકે છે. તેથી જ્યારે વાળની ચિંતા થવા લાગે ત્યારે કોઈ પણ સારવાર લેતાં પહેલાં કારણોનું મૂલ્યાંકન કરો. જેમ કે.
ઉંમરઃ વૃદ્ધત્વ પ્રક્રિયા દરમ્યાન વ્યક્તિ વાળ ગુમાવે છે ખાસ કરીને સગર્ભાવસ્થા અને મેનોપોઝ પછી સ્ત્રીઓ વાળ ગુમાવે છે.
હોર્મોનલ અસંતુલનઃ થાઇરોઇડ ડિસફંક્શનથી હેરલોસ અને વાળની મજબૂતીનું નુકસાન થઈ શકે છે.
રોગોઃ જો કોઈ વ્યક્તિ રોગોથી પીડાતી હોય, તો પણ તેના વાળને નુકશાન થતું હોય છે.
અપૂરતો આહારઃ બિનઆરોગ્યપ્રદ અથવા અયોગ્ય ડાયેટ હંમેશાં અને વેઇટલોસ દરમિયાન ચોક્કસપણે હેરલોસ તરફ દોરી જાય છે.
તણાવઃ કોઈપણ રાહત વિનાનું તણાવથી ભરપૂર જીવન હંમેશા વાળની ગુણવત્તાને નુકસાન કરે છે.
વાળની તંદુરસ્તી માટે ખરેખર તેને પેમ્પર કરવાની, તેના માટે કાળજી રાખવાની અને તેના માટે યોગ્ય રીતે પોષણ આપવાની જરૂર છે. આ માટે તમારે તમારા રોજિંદા ખોરાકમાં નીચેની કેટલીક બાબતો ઉમેરવાની જરૂર છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/19/2020