অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પુરુષોનું આરોગ્ય

પુરુષોનું આરોગ્ય

મનુષ્ય પ્રાણીનું આરોગ્ય એ તેનું મૂળભુત જરુરી ઘટક છે, અને નિશ્ચિત સુદ્દઠ આરોગ્ય વગર જીવવાની કોઇ મજા લઈ શકતા નથી. ખરાબ આરોગ્ય તેના જીવન માટે બંઘનં કારક હોઇ શકે છે.
ઔષધોનો ઉત્પાદન એ એક મોટો વ્યવસાય છે તેમાં કોઇ આશ્ચર્યની વાત નથી અને તરુણો માટે ડૉકટર બનવું એ એક પ્રતિષ્ઠીત વ્યવસાય બનતો જાય છે. તે સિવાય લોકોમાં આરોગ્ય વિશેની માહિતીની ગૈર સમજ વધતી ગઈ છે. સંપૂર્ણ જગતમાં આરોગ્ય અને આરોગ્યશાસ્ત્ર તરફ઼્અ વધારે ધ્યાન આપતાં હોય છે. વૈકલ્પિક ઔષધોપચાર તથા "holistic healing " આ આપણા યુગનો મંત્ર બની ગયો છે.

પુ્રૂષોમાં વ્યંધત્વ

અંત:સ્ત્રાવ ગ્રંથીમાં ઊણપતા

પુરૂષના એક વૃષણ વૃષણકોષની નીચે ઉતરતું હોય તો તે પુરૂષના શુક્રાણું નિર્માણ થવામાં અડચણ ઉત્ત્પન થાય છે, વિકૃત વીર્યનિર્મિત થઈ શકે છે. આ વિકૃતિ જન્મજાત પણ હોઇ શકે છે. કેટલીક વખતે વધુ પડતાં વ્યાયામ અથવા શરીરનું યોગ્ય વિકાસ ન થયો હોય અથવા દુ:ખાવાને લીધે, બિમારીને લીધે આ વિકૃતિ નિર્માણ થઈ શકે છે. 
શરીરમાં શિશ્ર્ન ગ્રંથીને યોગ્યરીતે પોષણ થયું ના હોય તો તેના લીધે પુર્નઉત્પાદનના અંત:સ્ત્રાવના નિર્મિતીમાં અડચણ નિર્માણ થઈ શકે છે. અને એને લીધે પુરૂષમાં વ્યંધત્વ નિર્માણ થાય છે. તો પણ આવું અપવાદાત્મક ઘડે છે. એફ.એસ.એચ અને એલ. માં રહેલી ક્ષમતાનો આમા સમાવેશ થાય છે. આમા શિશ્ર્ન ગ્રંથી સર્વપ્રકારના અંત:સ્થ સ્ત્રાવને નિર્માણ કરવામાં નિષ્ફણ થાય છે.

બીજા કેટલાક ઘટકો

સ્વયંસંચાલિત રોગપ્રતિકારક પેશી કેટલીક વખતે શરીરના પેશી પર તે શરીરબાહય છે એવું સમજીને તે શુક્રજંતુ પર હુમલો કરે છે. તેને લીધે પુરૂષોમાં વ્યંધત્વ નિર્માણ થાય છે. ઘણી વખત આ રોગપ્રતિકારક પેશી પુરૂષમાં નસબંધી પછી વિકસિત થાય છે. અર્ધવ્યંધત્વ હોય એવા ૧૦ પુરૂષોના વિશેષ આ જણાય આવ્યું છે કે તેના શુક્રજંતુ પર રોગપ્રતિકારક પેશીએ હુમલો કરયો છે પંરતુ તેના યોગ્ય કારણ સમજાતા નથી.

નસબંધી સંબંધિત કેટલાક ઘટકો

રક્તમાં પ્રાણવાયુનો અભાવ હોવાને લીધે લાલ-પેશીઓ નિર્માણ થાય છે. તેને લીધે પણ શુક્રજંતુને અસર પહોંચી શકે છે. નસબંધીને લીધે પુરૂષોની ક્ષમતા પર પરિણામ થાય છે. ઉદા. વીર્યનલીકાના કાર્યમાં નસબંધી પછી બગાડ થાય છે. thr34k આ પ્રોટીનનું પ્રમાણ ઓછું થાય છે. તેને પરિણામે પુરૂષોની પુનરૂત્પાદન ક્ષમતા મંદ પડે છે.

વીર્યની પહેલા

જે વ્યક્તિમાં મધુમેહ અથવા મણકાંનો રોગ હોય તો એવા વ્યક્તિનની બાબતમાં વીર્ય છોડતા શુક્રજંતુ વેગથી આગળ ન જતાં પાછળ આવે છે. ઉચ્ચ રક્તદાબના ઔષધો અથવા ઊંઘની ગોળીઓનું આ એક તાતપુરતું દુષ્ટપરિણામ પણ હોય શકે છે.

ભાવના (ઊંર્મી-લાગણી)

પુરૂષોનું દુ:ખ

સામાન્યરીતે સ્ત્રી અને પુરૂષ પોતાના દુ:ખ વ્યક્ત કરવાની પદ્ધતી એક સરખી હોતી નથી. મૃત્યુ, છુટાછેડા તથા આયુષ્યની બીજી કેટલીક ઉણપો, એવા ક્ઠીન પ્રસગોમાં પુરૂષ જુદી પદ્ધતીથી દુ:ખ વ્યક્ત શા માટે કરે છે?

મર્દોથી વિરૂદ્ધ મહિલાનું દુ:ખ વ્યકત કરવાની પદ્ધતી : કઠીન પ્રસંગોમાં સ્ત્રીનું વર્તન એ અવિશિષ્ટ માનવામાં આવે છે તેમજ તે પ્રત્યક્ષ હોતા નથી. ઉલટું તેજ સાયું સુદઠ માનવું જોઇએ. આવા પ્રસંગોમાં પુરૂષનું વર્તન એ નિશ્ચિત મર્દાનગીની પદ્ધતીનું હોય છે. તે તેનું દુ:ખ ખાનગીમાં વ્યકત કરે છે. તથા સ્ત્રીઓ તેનું દુ:ખ માત્ર કુટુંબીજનો તથા મિત્ર સામે બોલીને, રડીને વ્યકત કરે છે. 
જો સ્ત્રી તેનું દુ:ખ વ્યક્ત કરે છે તથા આપતિને વહેંચી ને ભૂતકાળ તરફ જુવે છે તે વખતે પુરૂષ માત્ર તે સંબંધમાં બોલવાનું અથવા ભાવના વ્યક્ત કરવાનું ટાળતાં હોય છે, દુ:ખી હોવાનું નકારતાં હોય છે. 
પુરૂષોને તેના દુ:ખ વ્યકત કરવાની સંધી આપવમાં આવે તો શરૂઆતમાં તે ખુબ ગુસ્સો કરે છે, ચિડાય છે અને પછી તેના આંખોમાં આસું આવે છે. સ્ત્રીઓના વિશેષ આ પ્રક્રિયા ઉલટી છે. તે પહેલા રડે છે અને પછી ગુસ્સો વ્યકત કરે છે. 
કેટલીક વખતે ગુસ્સો એ અવિશિષ્ટ હોય છે. દુ:ખના ઊંડાણમાં ડુબાયેલા પુરૂષો આત્મહત્યાના પ્રયત્નમાં સફળ થતા હોય છે. પંરતું સ્ત્રીઓમાં આ પ્રયત્ન નિષ્ફણ રહે છે.

દુ:ખ વ્યકત કરવાની પદ્ધતી :આ પદ્ધતીમાં સૌથી મોટી સમસ્યા એટલે સ્ત્રીઓના સંદર્ભમાં આ પરિણામકારક સાબિત થઈ શકે છે. તે પ્રકારે તેને આધાર આપવામાં આવે છે. બોલવું અને ભાવનાને વ્યક્ત કરવું એ બહુસંખ્ય પુરૂષોની બાબતમાં અધરૂં હોય છે, પંરતુ બીજાની મદદ લેવી એ તેના સ્વભાવમાં હોતું નથી. એક વખતે બાળકો બાસ્કેટબૉલ રમતાં હતાં બોલશે પંરતુ એકબીજા સામે બેસીને બોલતાં (વાતો કરતાં) નથી. 
જો પુ્રૂષો બોલવા લાગે તો તે સ્ત્રીઓ કરતાં વધારે ગુસ્સો વ્યક્ત કરવા માટે ઉત્સુક હોય છે. કેટલીક વખતે તે બંનેના વિશેષ વધુ અપરાધી ભાવના વ્યક્ત કરે છે. તે વિશિષ્ટ પરિસ્થિતીમાં તેઓને બીજું કઈ કરવાનું ઇચ્છ્તા હોય છે. પરિસ્થિતી પર નિયંત્રણ કરવાનું શક્ય હતું એવી કલ્પના બનાવવું એ પુરૂષોની પદ્ધતીમાં છે. માત્ર સ્ત્રીઓનો એવો વિશ્વાસ હોય છે કે તે માટે તે અશક્ય છે એટલે મદદની અપેક્ષાથી વધુ તીવ્ર સ્વરૂપમાં ભાવના વ્યક્ત કરે છે. 
સંસ્કારશાસ્ત્ર : સંસ્કારશાસ્ત્ર આ દૈનિક જીવનનો ભાગ છે જે લોકોને એક માનસિક અવસ્થામાંથી બીજા માનસિક અવસ્થામાં લઈ જાય છે. આ કાયમી પુરૂષોના સુધારણા- પ્રક્રિયામાં નાજુક ભાગ રહેલો છે. કેટલીક વખતે પુરૂષ તેનું દુ:ખ પ્રતિકારક પદ્ધતીથી દર્શાવે છે. આ પ્રતિકારાત્મક કૃતિ એટલે કે કોઇ મતની સ્પર્ધા ચાલુ હોય તો તે મતમાં તલ્લીન થઈ જવું અથવા કોઇ એક સ્મૃતિ માટે સ્મારક બનાવવું.
સંમિશ્ર સંકેત : દુ:ખ વ્યક્ત કરતી વખતે પુરૂષોને સંમિશ્ર મળે છે. એટલે કે કોઇ અસફણતા મળવાથી, એ!!! પુરૂષ થઈને અપયશ એવું તેને કહેતા હોય છે. અથવા વૃદ્ધાવસ્થા આવ્યા પછી આજ સંકેત વિરૂદ્ધ પદ્ધતીથી મળે છે. આ પ્રકારે પુરૂષ જે વખતે દુ:ખ વ્યક્ત કરત નથી, તે વખતે તેના પર ટીંકા કરવામાં આવે છે અથવા જો તે દુ:ખ વ્યક્ત કરે છે તો તેના પર ટીંકા કરવામાં આવે છે અથવા જો તે દુ:ખ વ્યક્ત કરે છે તો તેના મર્દાનગીપણાનું ઉદાહરણ આપવામાં આવે છે. 
સ્ત્રી-પુરૂષમાં શારીરિક ભેદ : સ્ત્રી-પુરૂષની શારિરીક ભેદ સમસ્યાં પછી પુરૂષનો દુ:ખ વ્યક્ત કરવાની પદ્ધતીને સમજી શકાય છે. ૧૨ વર્ષની ઉમર પછી માનવી ભાવનાથી સંબંધિત રહેલા શિર્શ્ર્નસ્થ ગ્રંથીમાં બદલાવ થાય છે. આ બદલાવ થયા પછી છોકરાના અને છોકરીના ભાવનામાં બદલાવ થાય છે. પુરૂષોની બાબતમાં મગજની ભાવના તથા શબ્દમાંથી સંવેદનના ટોચની જોડણી એ મંદ ગતિની હોય છે. આનો અર્થ પુરૂષોમાં ભાવના વ્યક્ત કરવામાં વધારે સમય લાગે છે. 
જો સ્ત્રી અને પુરૂષ બંને એકબીજાને સમજીને લેશે તો જ પુરૂષ તથા સ્ત્રી સુલભ રીતે ભાવના વ્યક્ત કરવાની દિશા ઉપર દર્શાવેલ કારણોને લીધે ભિન્ન છે. આ સમજીને લઈએ તો કદાય તે તેના જીવનના સંબંધિત દુ:ખ આપણા ઉપર વ્યક્ત કરવાની પરવાનગી દેશે.

પુરૂષો માટેનું સમતોલ આહાર(સુચનો)

  1. રોજ સવારે વિટામિન યુકત આહાર લો.
  2. વિવિધ અભ્યાસો પરથી એવું સિદ્ધ થયું છે કે નિયમિત વિટામિનનો પુરવઠો થવાથી શરીરમાં કેન્સર રોગનો વિરોધ કરવામાં વધારે સંરક્ષણ મળે છે.
  3. નાસ્તાના સમયે કૉફીમાં દૂધ નાખવા કરતાં દૂધમાં કૉફી નાખો.
  4. શરીરની દૈનિક વિટામિન ઊંમરની જરૂરીયાત પૂર્ણ કરવા માટે દરોજ સવારે કપ ભરીને દૂધ લો. ચહા કૉફીના દૂધમાંથી ૨૫ ડ વિટામિન U મળે છે.
  5. પ્રત્યેક ભોજનની પહેલાં બે ગ્લાસ પાણી પીવો.
  6. તેના દ્વારા બે વસ્તુ થાય છે: એક એટલે કે શરીરને પુરતું પાણી મળી રહે છે તથા પાણીને લીધે તમે થોડું ઓછું ખાવ છો. અભ્યાસ જણાવે છે કે ગ્લાસ પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે તથા અન્ન ઓછો લેવાથી વજન ઓછો થાય છે.
  7. પ્રત્યેક ભોજન પછી ડુંગળી ખાવો.(તમારો સંભોગ કરવો ના હોય તો)
  8. ડુંગળીમાં હૃદયરોગ પ્રતિબંધક ઘટક હોય છે જેને ડ્ડત્ટ્ટધથ્ત્ત્થ્ણ્ઠ્ઠદ કહે છે. એટલે ડુંગળી ખાવમાં કોઇ વાધોં નથી. ફક્ત તેના સેવન પછી બ્રશ કરવાનું ભુલશો નહીં.
  9. પિઝા હંમેશા વધારે ટોમઁટો સૉસ તથા ઓછું ચીઝ વાળું હોવું જોઇએ.
  10. 10. જો તમે ફાસ્ટ ફઉડ લો, તો પછી બે ગ્લાસ પાણી પીવો.
  11. 11. બર્ગ, ચીઝ, પીઝા, ચેવડો વગેરે... પદાર્થ ચરબીયુક્ત હોય છે. જે તમારા હૃદયને નુક્સાનકારક હોય છે. ભરપુર પાણી પીને અતિરિક્ત ક્ષાર બાજુમાં કાઢો.
  12. 12. દર મંગળવારે માછલી ખાવો.
  13. 13. બુધવારે અથવા રવિવાર પણ કોઇ ફરક પડતો નથી. અઠવાડિયામાં એક વખત માછલી ખાવું સારૂં. તેમાં ચરબી હોય છે તથા ઓમેગા-૩ નામનો દ્રવ્ય હોય છે તેને લીધે હૃદયનું કાર્ય સરળ રીતે થાય છે. નિયમિત માછલી ખાવાથી હૃદયરોગનો હુમલો થવાનું પ્રમાણ ખુબ ઓછો થાય છે.
  14. 14. નિયમિત ગળ્યું પદાર્થ ખાવો.
  15. 15. એવું કેમ : ગળ્યા બિસ્કીટમાં ચરબીયુક્ત ઘટક ઓછા હોય છે. ભોજનની છેલ્લે ખાઘેલું ગળ્યું દહીં મગજ સુધી ભોજન સમાપ્તિનો મીઠો સંદેશ પહોંચાડે છે. આવા ભોજન પછી શાંત ઉંઘ લાગે છે.
  16. 16. મધુમેહના લોકો તેમના ડૉકટરથી આ વિશેષ સલાહ લેવી તથા શુદ્ધ ધીમાં બનેલ ગાજરનો હલવો ખાવાનું ટાળવું

સારણગાંઠ

વ્યક્તિ રમતી વખતે અથવા કોઇ વજનદાર વસ્તુ ઉચકતા તેના સાંથળમાં સોજો સહજરીતે દેખાય આવે છે. પુરૂષના બાબતમાં આ સોજો વૃષણકોષ ઉતરતાં એક વૃષણ મોટો દેખાય છે. આનેજ વૈધકીય ભાષામાં સારણગાંઠ કહે છે. વૈધકીય ચકાસણી કરાવવાનું બાળકો(પુખ્ત વચનાં)ને ગમતું નથી. તેમાં સારણગાઠીની ચકાસણી ઉપરી સ્તર પર છે. આ માટે હોશિયાર ડૉકટરને બાળકોને શારિરીક તપાસણી કરતી વખતે સારણગાંઠ વિષે કુશળતાથી ચકાસણી કરવી.

સારણગાંઠના સોજા તરફ દુર્લક્ષ આપવાથી તેનો સોજો બાસ્કેટબૉલના કદ સુધી પહોંચી શકે છે. આનું કેટલા લોકોને માહિતી છે. કેટલીક વખતે શરીરના બીજા અવયવયોમાં સોજોના બાબતે ડૉક્ટર સારણગાંઠના સોજાનો ઉલ્લેખ કરે તો પણ સામાન્ય રીતે જાંધમાં આવેલા સોજાને સારણગાંઠ કહે છે. કેટલીક પરિસ્થિતીમાં સ્ત્રીઓને પણ આ સારણગાંઠ થઈ શકે છે. પંરતુ સ્ત્રીઓ કરતાં પુરૂષોમાં આ સોજો પ્રમાણમાં વધો હોય છે. 

જાંધમાં સારણગાંઠના બે પ્રકાર છે. પહેલા પ્રકારમાં સારણગાંઠ ઘર્ષણ અથવા છીંદ્રને લીધે થાય છે. સામાન્ય રીતે ચાલીસ વર્ષ ઓળંગયા પછી ઉદરની ચોતરફ સ્નાયુનો આવરણ પર એક સૂક્ષ્મ જેવો ટિપકું તૈયાર થાય છે. જેનું ધીરે-ધીરે છીંદ્રમાં રૂપાંત થાય છે. નાના આતંરડામાં એક થેલીના આકારમાં એક કુગ્ગો તૈયાર થાય છે. આતંરડાની અંદર નળી પર તેનો ભય હોય છે.

ગર્ભાધાનમાં પુરૂષોની ભૂમિકા

બાળક હોવાના નિર્ણય લીધા પછી-તેમાં પુરૂષોની ભૂમિકા

તમે અને તમારા જીવનસાથીએ પાલક થવાનો નિર્ણય લીધા પછી સ્ત્રીઓને તેની શું ગડબડ છે આ ઘરના લોકોને ક્યારે ખબર પડશે. આ વિષયની ઉત્સુકતા રહેલી હોય છે. ગર્ભધારણને જો છ મહિનાથી વધારો થાય છે તો ઘણા દંપતીઓને આશ્ચર્ય થાય છે. 

જો કોઇ દંપતી ગર્ભધારણ માટે પ્રયત્ન કરતાં હોય છે. તો તે પ્રયત્ન ફળધ્દ્રુપ થવામાં ઓછામાં-ઓછું ૮-૯ મહિના થાય છે. સ્ત્રીનું વય ઉમરથી વધારે હોય તો સમયાવધિ લાગે છે. છેવટે આપણે આપણા પ્રજનનક્ષમ આયુષ્યપૈકી ઘણો સમય બાળક ન થવાની કાળજીમાં વેડફતા હોય છે, જે યોગ્ય નથી. 

ગર્ભધારણમાં જો સ્ત્રીની ભૂમિકા હોય તો તેમાં પુરૂષોની ભૂમિકા નકારવા જેવું નથી. જન્મમાં આવેલા બાળકના ગુણસુત્રોમાં તેના પિતાના ૫૦ડ ભાગ હોય છે. સૃદ્ઢ બાળકના જન્મ માટે માતા-પિતા બંનેનો પ્રયત્ન સમાન મહત્ત્વનો હોય છે.

પુરૂષોએ શું કરવું? શું ન કરવું?

પુરૂષોએ શું કરવું?

  • આરોગ્યદાયક/સમતોલ આહાર લો.
  • નિયમિત વ્યાયામ કરો: ઓછામાં ઓછું અઠવાડિયામાં ૩ વખત.
  • થોડો સમય તમારી સાથે/માટે ખર્ચ કરો.
  • બીજા સાથે વાતો કરી વિચારોનું આપ-લે કરો.
  • જો તમને ડરવું હોય તો અવશ્ય ડરો. તે આરોગ્ય માટે સારૂં હોય છે.
  • દરોજ ઓછામાં ઓછું ૮ કલાકની ઉંઘ લો.
  • આરોગ્યના પ્રશ્નો સંબંધી માહિતી મેળવો.
  • જો તમારી વય ૪૦ કરતાં ઓછી હોય તો ઓછામાં ઓછું વર્ષમાં એક વાર આરોગ્યની ચકાસણી કરાવવી અથવા ૪૦ વર્ષ કરતાં વધારો હોય તો વધુ વખત તપાસણી કરાવવી.
  • ધ્યાન ધારણ કરો જે તમારા મન તથા શરીર માટે આશ્ચર્યકારક બદલાવ લાવી આપશે.
  • કૃપા કરીને નિરોધનો ઉપયોગ કરો.

પુ્રૂષોએ ન કરવું?

  • સાર્વજનિક જગ્યાએ ધુમ્રપાન અથવા નશો ના કરો. થુંકો નહી.
  • અર્ધ બેહોશની હાલતમાં પાર્ટીની જગ્યાએ ગડબડ ના કરો.
  • કારણ વગર કોઇની સાથે સ્પર્ધા (શર્ત) ના કરો. તમારી સ્પર્ધા તમારી પાસે રાખો જેને લીધે તમારા જીવનમાં યશ મળી શકે.
  • તમારી ભાવનાને ના છુપાવો. તેને લીધે તાણ નિર્માણ થાય છે તથા તાણ એ જીવનને ઘાતક રૂપ છે.
  • જમ્વાનું ટાળવાની આદત ના રાખો. તે દીર્ઘકાલમાં નુકશાન કરતાં બની શકે છે.
  • નિયમિત નખો કાપવાનું ભુલસો નહીં. ગંદા થયેલા મોજાને ધોવાનું ના ભુલસો.
  • ત્વચાની કાળજી લેવામાં દુર્લક્ષ ના કરો. આ કેવળ સ્ત્રીઓ માટેનું ક્ષેત્ર છે એવું ના સમજો.
  • સાર્વજનિક જગ્યાએ પેશાબ ના કરો. તે આરોગ્ય માટે તો સારૂં નથી પંરતુ તે શિષ્ટાચાર સારૂં નથી.
  • કૃપા કરીને સાર્વજનિક જગ્યાએ બોંમાબોંમ ના કરો.

સ્ત્રોત: આરોગ્ય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate