હાડકાં માટે ખૂબ જ નુકશાનકારી હોય છે પેઇનકિલર દવાઓ
લોકો દુખાવામાંથી મુક્તિ મેળવવા માટે વિચાર્યા વગર જ પેઇન કિલર દવાઓનું સેવન કરતા હોય છે જેનાથી તેટલા સમય માટે દુખાવો છૂમંતર થઇ જાય છે પરંતુ આ પેઇનકિલર દવાઓથી શરીરેને ઘણું નુકશાન થાય છે. એવામાં પેઇનકિલર દવાઓ ખાતા પહેલા તેનાથી થતા નુકશાન વિશે જાણી લો.
- આ પેઇનકિલર દવાઓ થોડાક સમય માટે તો દુખાવાથી છૂટકારો આપી દે છે પરંતુ તેનાથી હાઇ બ્લડ પ્રેશર જેવી સમસ્યા સર્જાય છે.
- કેટલાક લોકો થોડાક દુખાવામાં પણ પેઇનકિલર દવાઓનું સેવન કરતા હોય છે. એવામાં તેમને આ દવાઓની આદત પડી જાય છે. વધારે પ્રમાણમાં પેઇનકિલર ખાવાથી કિડની પર ખરાબ અસર પડે છે અને તેનાથી કિડની ફેલ પણ થઇ શકે છે.
- અલગ-અલગ કંપનીની પેઇનકિલર ખાવાથી એસિડિટી, ઉલ્ટી, ડાયેરિયા અને પેટ સંબંધિત કેટલીય સમસ્યાઓ સર્જાય છે.
- પેઇનકિલર દવાઓના કારણે સૌથી વધારે પ્રભાવ મગજ પર પડે છે. તેમાં એક પ્રકારનો પદાર્થ મળી આવે છે જે મગજ પર ખરાબ અસર કરે છે.
- મોટાભાગે સાંધાના દુખાવાને કારણે લોકો પેઇનકિલર દવાઓ ખાતા હોય છે પરંતુ લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી હાડકાં પર ખરાબ સાઇડ ઇફેક્ટ થાય છે અને હાડકાં નબળા પડી જાય છે. આ ઉપરાંત પેઇનકિલર દવાઓ કરોડરજ્જુ પર પણ ખરાબ અસર કરે છે.
સ્ત્રોત: તા. 01 માર્ચ ૨૦૧૮, હેલ્થ, ગુજરાત સમાચાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.