શિયાળો સ્વાસ્થ્ય અને આરોગ્યની દ્રષ્ટીએ સર્વોત્તમ ઋતુ છે. આંબળા એ એક ઔષધીય ફળ છે. અનેક રીતે ગુણકારી એવું આંબળુ એ કોઈ ઋતુગત ફળ નહી પરંતુ દરેક ઋતુમાં સેવન કરવા યોગ્ય છે. એવું માનવામાં આવે છે કે, ઋતુગત ફળ સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. પણ આંબળુ એક એવું ફળ છે જેનું સેવન દરેક ઋતુમાં તમને અનેક ફાયદા આપી શકે છે. આયુર્વેદમાં આંબળાને રસાયણ દ્રવ્યોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આમળાં વિટામિન ‘સી’ મેળવવા માટેનો સર્વોત્તમ અને પ્રાકૃતિક સ્ત્રોત છે. વિટામિન સી એવું નાજુક તત્વ હોય છે જે ગરમીના પ્રભાવને કારણે નષ્ટ થઇ જાય છે, પરંતુ આંબળામાં રહેલું વિટામિન ‘સી’ નષ્ટ થતું નથી. તો જાણી લો તમે પણ આંબળાના આ ભરપૂર ગુણો વિશે
આંબળાના સેવનથી થતા લાભ
આંબળાનો જ્યૂસ ચહેરા પર થનારા ખીલને દૂર કરે છે.
પાઈલ્સના સમયે પેદા થનાર કબજીયાતથી આંબળાનો રસ રાહત આપે છે.
આંબળાનો જ્યૂસ નિયમિત પીવાથી આંખોની રોશની વધે છે.
લીવરની નબળાઈ કે કોઈ સંક્રમણના કારણે કમળો થઈ ગયો હોય તો આંબળાની ચટણીને મધની સાથે પ્રયોગ કરવો વધારે ફાયદાકારક હોય છે.
જો આંબળાના રસને રોજ મધની સાથે લેવામાં આવે તો અસ્થમા અને બ્રોંકાઈટિસની બીમારીમાં લાભ મળી શકે છે.
જો પીરિયડ્સના સમયે વધારે બ્લડિંગ થતું હોય તો આંબળાનો રસ રોજના ત્રણ કેળા સાથે લેવો જોઈએ.
આંબળાના ફળને સૂકવીને તેને લગભગ વીસ ગ્રામની માત્રામાં બહેડાનું ચૂર્ણ તથા તેનાથી બેગણી માત્રામાં લગભગ ચાલીસ ગ્રામ કેરીની ગોટલીનો પાઉડર આખી રાત પલાળી રાખી રોજ સવારે તેને વાળના મૂળમાં લગાવવાથી વાળ કાળા, સુંદર અને ઘેરા થાય છે.
પેશાબથી સંબંધીત મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ રહી હોય તો આંબળાની તાજી છાલનો રસ દસથી વીસ ગ્રામની માત્રામાં અઢી ગ્રામ હળદર અને પાંચ ગ્રામ મધની સાથે મેળવીને સવાર-સાંજ પ્રયોગ ખૂબ જ ફાયદાકારક છે.
ડાયાબિટીસ પર કાબૂ મેળવવા માટે પાંચથી દસ મિલિગ્રામ આંબળાના રસમાં પાંચ મિલિગ્રામ હળદર ઉમેરીને સવારે આ મિશ્રણનું ખાલી પેટે સેવન કરવું જોઈએ.
આંબળામાં અસંખ્ય ઝીણા કાણા પાડી તેને ત્રીસ દિવસ સુધી મધમાં પલાળી રાખવા અને રોજ આવા બે આંબળા ખાવાથી તે સ્વાસ્થ્ય માટે ટોનિકનું કામ કરે છે