অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ધ્યાન

આપણે બધાય શાંતી અને મળતાવણું ચાહીએ છીએ. અને ઘણા બધા લોકો આની ખામી અનુભવતા હોય છે. સુખને આપણે જિંદગીભર મેળવવાને બદલે તેને ગોતતા હોઈએ છીએ. કોઇ વાર આપણે જીદગીમા અસંતોષ અનુભવતા હોઇએ છીએ. જીંદગીની ખળવળાહટ, ગુસ્સો, સુર મેળવવાનો અભાવ અને તેને સહન કરીએ છીએ આપણા પોતાની જીંદગીનો અસંતોષ આપણે એને આપણામાં નીમીત રાખીએ છીએ અને છતા આપણા દુ:ખ બીજાઓની સાથે વેચતા હોઇએ છીએ. દરેક દુ:ખી માણસનું આજુબાજુનું વાતાવરણ એને લીધે ઉશ્કેરાયેલુ હોય છે. આ રીતે, દરેકનું દુ:ખ અને તણાવ સમાજને અસર કરે છે. મુખ્ય પ્રશ્ન જીંદગીનો અસંતોષ સ્વભાવ છે. જે વસ્તુ આપણને ન જોતી હોય એ મળી જાય છે અને જે વસ્તુ આપણને જોતી હોય તે મળતી નથી.

૨૫૦૦ વર્ષ પહેલા ઉત્તર ભારતમાં એક માણસે આપણને દુ:ખનો અનુભવ કેમ કરવો પડે છે એનું સંશોધન કરવાનું નક્કી કરયું. વર્ષોની મેહનત પછી અને જુદી જુદી રીતેથી કરેલા સંશોધન પછી એણે જાણ્યું કે પોતાના દુ:ખનું મુળ કારણ પોતાના સ્વભાવ ઉપર આધાર રાખે છે અને દુ:ખનો છુટકારો કેવી રીતે અનુભવવો એણે જીંદગીની સૌથી ઉચી હદ્દ પામ્યા પછી અને દુ:ખ અને અથણામણ પછી એણે જાણ્યું કે જીંદગીભર બીજાને મદદ કરીને પોતે કરયું એ પ્રમાણે કરીને અને લોકોને બતાવિને મુક્ત થયો. એ માણસ સિધ્ધાર્થ ગૌતમને નામે ઓળખાયો જેને લોકો બુધ્ધના નામથી પણ ઓળખે છે અથવા જ્ઞાનિ પુરુષ તરીકે ઓળખાયો.

બુધ્ધે કોઇને ધર્મબાબત, તત્ત્વ જ્ઞાન, માન્યતા બાબત અથવા કે રચના બાબત બૌધ્ધ ન આપતા એણે ઓતાના શિક્ષકને ધર્મ જે કે કાયદા બાબત પોતે અનુભવેલ અને પારખેલ એનું જ્ઞાન આપયું . તેટલા માટે એણે પોતાના શિક્ષણમાં સીધો અનુભવ સચ્ચાઇનો આપ્યો જે એણે પોતાની જીંદગીમાં અનુભવયું અને બીજાને એટલીજ સરળતાથી શીખવ્યું જેને લીધે બીજાની જીંદગીનો માર્ગ સરળતાથી મળે . સચ્ચાઇને સીધી રીતે અનુભવવા માટે માણસે પોતાનામાં જાંકીને અંદર જોવવું જોઇએ. આખી જીંદગી આપણે બહારના દેખાવને મહત્ત્વ આપીએ છીએ અને બીજા લોકો શું કરે છે એ જાણવા ઉત્સુક હોઇએ છીએ. આપણે પોતે શું કરી રહયા છીએ . એ જોતા નથી . આપણું માનસિક અને શારિરીક બધાણને આપણા પોતાનામાં શું કામ કર્યું છે અને એની વાસ્તવિકતા શું છે એને લીધે આપણે પોતાને નથી ઓળખતા અને એ વસ્તુ આપણા માટે કેટલી હાનિકારક છે એ જાણી કરીને નથી જાણતા.

ધ્યાનને કેવી રીતે શરૂ કરવું

ધ્યાનની શરૂઆતમાં એક મીણબત્તી સળગાવવી ( સુંગધી હોય તો સારૂં) પછી ૫ થી ૧૦ મિનટ તમને ગમે તેવી જગ્યા ઉપર શાંતીથી બેસવુ. તમે તમારા શરીરને બહુ વધારે વાર માટે એક જગ્યા ઉપર ન બેસાડવુ. આ વ્યવહાર તમે વારંવાર કરશો તો તમને આરામ મળશે અને ધ્યાનમાં બેસવા માટે પ્રોત્સાહન મળશે. શરૂઆતમાં જો તમે કોઇ દિવસ ધ્યાનમાં ન બેઠા હોય તો તમને ઘણા બધા આડાઅવળા વિચારો આવશે. તમે સૌથી પહેલા ઉંડો શ્વાસ લ્યો અને ફક્ત થોડીવાર બેસી રહો. વિચારોને રોકવા કોશિશ ન કરતા એ જ પ્રમાણે જો વિચારો પ્રવાહીત થાય તો થવા દયો.
એક અઠવાડિયા પછી તમારા વિચારોની ગતિ ઓછી થયી જશે. આ આખા ધારાના પ્રવાહમાં તમે કદાચ કંટાળી જશો અને અધુરા થઈ જશો. ચિંતા કરતા નહી કારણકે આ બનવું સ્વાભાવિક છે. આ રીતે તમે ૫ થી ૧૦ મિનિટ ધ્યાનમાં રહેવાનું ચાલુ રાખશો. આ કર્યા પછી તમને કદાચ આરામ લાગશે અને કદાચ ઉંધ પણ આવશે. આ બનવું સ્વાભાવિક છે. આ અભ્યાસ જો ચાલુ રાખશો તો તમારી ઉંઘ પણ ઓછી થઈ જશે. તમે તમારી ઘડીયાળ ઉપર અલાર્મ રાખશો જે ૧૦ મિનિટ પછી વાગે તો તમને ઉંઘ પણ નહી આવે.

ધ્યાન રાખવા માટેની જગ્યાઓ

 

પહેલા તો તમે એવી જગ્યા શોધો કે જે તમને નિયમિત ધ્યાન રાખવા માટે કામ આવે. આ તમને આરામ કરવામાં મદદ કરશે. આ "ધ્યાન રાખવાની જગ્યા" એક નાનકડો કમરો પણ હોય શકે અથવા એક ખુણો હોય કે જયાં તમે આંખો બંધ કરીને થોડી મિનિટ માટે દરરોજ બેસી શકો. આ ધ્યાન રાખવાની જગ્યા પણ આપને તરત આરામ આપશે. તમે જમીન ઉપર અથવા એક ખુર્શી ઉપર પણ બેસી શકો છો. તમે જો ખુર્શી ઉપર બેસવાનું પંસદ કરો તો એવી ખુર્શી ગોતશો કે જેથી તમારો વાસો સીધો રહે, અને જમીન ઉપર બેસવાના હોય તો કાઇક વાસાને ઓઠીકણ દેવાય કે જેથી વાસો સીધો અને ટટ્ટાર રહે. તમને જો બેસવામાં તકલીફ પડતી હોય તો તમે જમીન ઉપર સુઇ પણ શકો છો. પછી જેટલું જલ્દી બની શકે એટલું બેસવા માટે કોશિશ કરશો. તમે બેસો ત્યાં જમીન સપાટ હોય એવી જગ્યાએ બેસવું કે કોઇ જાતનો તકતો અથવા કે અભરાઇ હોય ત્યાં બેસવુ, જો તમારે ખુર્શી ઉપર બેસવુ હોય તો. જો તમારે જમીન ઉપર બેસવુ હોય તો એક લાકડાનો તકતો અથવા એક કડીયો સામે રાખવો, અને પછી નીચે લખેલ વસ્તુઓ એક અથવા બધીય એના ઉપર મુકવી.

  • એક વાસણ જેમાં છોડ હોય,
  • ફુલદસ્તો ,
  • સુંગધી મીણબત્તી,
  • ધુપનો દીવો,
  • એક ફોટો જેને જોઇને તમને પ્રેરણા મળે,
  • તમારો ફોટો,
  • એક કુદરતી વસ્તુ કે જે તમને આંનદ આપે,
  • એક રત્ન અથવા ખુણાવાળો પદાર્થ જે તમને ગમે,
  • તમારો જન્મનો પથ્થર.
જે વસ્તુ કુદરતે બનાવી હોય એ હંમેશા આપને બળવાન બનવામાં મદદ કરે છે. આ વસ્તુઓ તમારા મનને ઉંડાયથી જોઇએ અંતકરણથી મદદ કરે છે. તમારા ધ્યાનમાં રહેવા માટે તમે ઉતાવળ કરશો નહી. શરૂઆતમાં બધીય વસ્તુને ભેગી કરીને સૌથી પહેલા મીણબત્તીથી શરૂઆત કરો, પછી ધીમેથી અને શાંતપણે કુદરતી જ્ઞાન આપને મદદ કરશે. તમે આમા બીજી વસ્તુઓ પણ વધારી શકો છો.

ધ્યાન કરવા માટેની સુચનાઓ

ધ્યાન એક સરળતાથી રાખી શકાય એવું એક જ્ઞાન છે, અને મનને, શરીરને આરોગ્યતાનો ફાળો આપે છે. પહેલું પગથિયું ધ્યાન રાખવા માટેનું એ છે કે જે આપણા શ્વાસને શાંત પાડીને સાવચીત કરે છે. 
જો તમે બેઠા હોય તો તમારા કરોડરજ્જુને સીધુ રાખો અને ખંભો પડવા દયો. તમારા પેટ ઉપર ધ્યાન રાખો એ જાણોકે એ મોટું અને વિસ્તારિત ધીમેથી થાય છે અને પછી શ્વાસને કાઢીને પછી પાછો લ્યો.  દરેક વખતે તમને જયારે લાગે કે તમારૂ મન વસ્તુસ્થિતી દુર જઈ રહયું છે. અને એ વસ્તુ જાણો કે તે કેવી રીતે બહાર અને અંદર તમારા પેટને લાવે છે. તમારૂ ફક્ત એક સરળ કામ છે કે તમારા મનને દરેક વખતે શ્વાસોશ્વાસ કરીને રસ્તે લાવે છે. પછી ભલે તે બીજી કોઇ પણ બાબતમાં મશગુલ હોય. આ અભ્યાસ તમને નિયમિત દરેક દિવસ યોગ્ય લાગે તેમ ૧૫ મિનિટ માટે કરો. તમને સારૂ લાગે કે ન લાગે છતાય એ અઠવાડિયુ કરો અને જુઓ કે તમને આ કેળવણી જીંદગીમાં ઉતારવા માટે લાયક લાગે છે કે નહી.

જાણખાતર

આ અભ્યાસ ફક્ત સામાન્ય સુચના માટે છે અને બીજા ઉપચાર માટે લાગુ ન કરવો. આપના વૈદ્ય કે કોઇ પણ આરોગ્યની સંભાળ રાખનારે પણ કહયું હોય તો છતા. અમે આ બાબતમાં જરા પણ જવાબદાર નથી કે કાયદાને બંધારક નથી. આરોગ્યના નિદાન માટે અમારી વેબસાઇટ આરોગ્ય.કૉમ પણ ન વાપરવી. હંમેશા તમે તમારા કુંટુબના ચિકિત્સકને બતાવીને આરોગ્ય બાબત તપાસ કરાવવી.

શ્વાસોશ્વાસ અને ધ્યાન કરવું

 

શ્વાસ સરખી રીતે લેવો.

શ્વાસ એ જીવન માટે ખુબજ જરૂરી છે. તેમ છતાય તમને લાગે કે શ્વાસ લેવો એ એક સરળ અને નૈસર્ગિક અને બધાય લોકો લ્યે છે, છતાય વધારે પડતા લોકો શ્વાસોશ્વાસ બરોબર લેતા નથી. તમે જો શ્વાસ બરોબર લેતા હોય તો તેને લીધે તમારૂ મગજ સાફ રહે છે. તમારી અંતકરણને એ ઉંચી પાયરીએ પહુંચાડે છે. કોઇક લોકો છાછરું રીતે શ્વાસ લ્યે છે. ખરાબ રીતે શ્વાસ લેવાની ટેવ સ્વાસ્થયને બગાડે છે. તમારા શરીરને ઑકસીજનનો પુરવઠો ઓછો પાડે છે, અને તેને લીધે તમારૂ શરીર બરોબર કામ નથી કરી શકતું. તમે જો બરોબર શ્વાસ લેવાનું શિકશો તો તમારી એ શારિરીક તાકત વધારશે. 
તમે શ્વાસોશ્વાસ બરોવર કેવી રીતે લેશો?
તમે તમારા બંને પગ અને હાથ બાજુ ઉપર બરોબર રાખીને ઉભા રહો.

આંખો બંધ રાખો

નાકથી ઉંડા શ્વાસ લ્યો. તમે પોતાને બરોબર શ્વાસ લઈને સંભાળો. તમે એ નજર રાખો કે જ્યારે તમે તમારી છાતી ફુગાવો છો કે પછી પેટ ફુગાવો છો જયારે તમે અંદર શ્વાસ લ્યો છે. પછી તમે શ્વાસને બહાર કાઢો. પેટે શ્વાસ લેવો. પેટેથી શ્વાસ લેવાથી તમે જયારે તાણમાં હોય ત્યારે આરામ મળે છે. તમને જો કોઇ પણ બાબતની ચિંતા થતી હોય તો તમારે આંખો બંધ કરીને ૫ થી ૧૦ વાર ઉંડા શ્વાસ લેવા, એ કરવાથી તમને તાકત મળશે. જયારે તમે એકદમ થાકી ગયા હોય અથવા એકદમ નીતરી ગયા હોય, થોડીવાર પેટથી શ્વાસ લેવો. તમે છાતીમાં શ્વાસ ન લ્યો, પણ બરોબર રીતે શ્વાસ લ્યો. તમે સીધા ચતેપાઠ જમીન ઉપર પડી રહો. થોડા ઉંડા શ્વાસોશ્વાસ લ્યો અને આરામ કરો. એક હાથ તમારા પેટ રાખો. નાકથી ઉંડો શ્વાસ લ્યો. તમે જયારે શ્વાસ અંદર લ્યો ત્યારે તમારા હાથને પેટ ઉપરથી હટાવી દયો. તમે જયારે શ્વાસ બાહર કાઢશો ત્યારે તમારા હાથ નીચે પડશે. આ વાત તમે ૩ થી ૧૦ વાર કરો. શ્વાસ લેતી વખતે તમે તમારા સમય પ્રમાણે લ્યો. આવી રીતે શ્વાસ લેવાથી તમને થોડુ અજાણયુ લાગશે પણ થોડીવાર આ વ્યવહાર કર્યા પછી આદત પડી જશે. પેટેથી શ્વાસ લેવાનું રોજ નિયમિત રાખો. આ તમારે તમને અનુકૂળ લાગે તે પ્રમાણે કરવું હોય તો રાત્રે તમે સુવા જાઓ ત્યારે કરવું અથવા સવારમાં જયારે તમારે આરામથી ઉઠવું હોય ત્યારે.

ધ્યાન માટે પ્રતિરોધ

શરૂઆતમાં તમને આ નવી કાર્યશક્તિ અઘરી લાગશે પણ ચિંતા ન કરો. તમને તમારી નવી આદતને લાયક બનાવવા ઓછામાં ઓછા ૩૦ દિવસ લાગશે. તમને કદાચ આ નવી આદત શરૂઆતમાં ન ફાવે તો તમે એને લીધે પોતાને અપરાધી નહી સમજતા. એ વાત તમારા માટે ખરેખર બરોબર છે. તમે અઠવાડિયાના એક દિવસ પણ ધ્યાન કરશો તો એમ જાણવું કે તમે આગેકુચ કરી છે. તમને શરૂઆતમાં એમ પણ લાગશે કે તમને ધ્યાનમાં બેસવા માટે તમારી પાસે સમય નથી. એવું હોય તો તમે તમારો સમય બરોબર વાપરતા નથી.
મુખ્ય ઇરાદો એ છે કે તમને તમારૂ જીવન સારી રીતે પસાર થાય અને જો તમારે ખરેખર આ વાતને સાચી કરવી હોય તો તમે ધ્યાનમાં રહેવા માટે ગમેતેમ કરીને સમય કાઢશો.

ધ્યાનને મદદ કરતી કડીઓ

www.tm.org
વર્ણન: અસરકારક વિધ્યાકળા ઉંડા વિસામા લેવા માટે અને થાકને દુર કરવા માટે. 
પ્રશ્નોના સંશોધન અને અભ્યાસ અને તેના ફાયદાઓ, ઉત્પન્ન કરવાની શક્તિ વાળો માર્ગ બતાઓ અને ચતુરાઇથી કરેલ ઉપજ, ઉન્નતીવાળુ જ્ઞાન, લોહીનો દબાવ ઉપર કાબુ, ઓછા થતા તણાવ: ઉમર ઉપર ફેરફાર કરવો અને ઘણી બધી વસ્તુઓ ધ્યાન કરવાને લીધે થાય છે. 

www.meditationcenter.com
વર્ણન: ધ્યાનની વ્યાખ્યા અને એનો વપરાશ: ધ્યાનથી થતો આરામ અને ઓછો થતો તણાવ. જુદીજુદી જાતના આકાર પ્રશ્નો ને સંબંધિત. ધ્યાનમાં વપરાતા રંગ, આરોહણ માટે તૈયાર થવું અને ધ્યાનને સંબંધિત વાતો. 

www.learningmeditation.com
વર્ણન : તમારા ધ્યાન રાખવાને લગતા જવાબો. ધ્યાન રાખવાથી થતો આરામ, અને તેના તરફરથી શું આશા રાખવી, જુદીજુદી જાતના ધ્યાન રાખવાના કમરાઓ, સુચવિત વાચન. ધ્યાનને વાપરીને પોતાના જીવનમાં સામે આવતા પ્રશ્નોનો જવાબ. 

http:/www.sanskritmantra.com/what.htm
વર્ણન: વારંવાર પુછાતા પ્રશ્નો, લેખ લેખાણ, પ્રાચિન કાળનો શક્તિશાળી સંસ્કૃત મંત્ર મોટા પુસ્તક્માંથી પસંદ કરેલા મંત્રો (કેસેટ) બ્ર્હમા અને મોક્ષ.

સ્ત્રોત: આરોગ્ય.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/24/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate