ગેસ્ટ્રીક અલ્સરનાં લક્ષણો : તેની અસરને કારણે છાતીના વચ્ચેના ભાગમાં દુ:ખાવો થાય છે. આ દુ:ખાવો જમ્યા પછી તરત જ થાય છે. ઉપરાંત પેટના ઉપરના ભાગને દબાવવાથી પણ દુ:ખાવો થાય છે. ક્યારેક- ક્યારેક લોહીની ઉલટી થાય છે. દર્દીનું વજન ઘટવા લાગે છે.
ડ્યુડેનલ અલ્સરના લક્ષણો : ખાલી પેટમાં દુ:ખાવો થાય છે, જે ક્યારેક જમ્યા પછી બંધ થઈ જતો હોય છે. આ ઉપરાંત વારંવાર ભુખ લાગવી, વજન વધવું, સવાર-સવારમાં પેટના ભાગમાં દુ:ખાવો થવો, દૂધ પીવાથી દુખાવો ઓછો થવો વગેરે પણ તેનાં લક્ષણો છે.
પ્રાણાયામઃ નાડીશોધન, શીતલી અને શીતકારી, ઉજ્જૈય, ભ્રામરી
ષટિ્ક્રયા : કુજલ ક્રિયા બિલકુલ ન કરવી
ભોજન : જ્યારે તકલીફ વધારે હોય ત્યારે કેવળ ફળ અને દૂધ લેવા જોઈએ. થોડા દિવસો પછી બાફેલી શાકભાજી, ખીચડી, છાશ, વરીયાળીનું પાણી, ઠંડુ દૂધ લેવું જોઈએ.
મસાલેદાર ભોજન, શરાબ, સીગરેટ નહીં લેવા જોઈએ. સાત્વિક ભોજન અને યૌગિક જીવનશૈલીનું પાલન કરવું જોઈએ. સુપ્ત પવનમુક્તાસન : પીઠ પર સૂઈ જવું, બંને પગને સાથે રાખવા બંને હાથ કમરની બાજુમા, હથેળી જમીનની તરફ, લાંબો શ્વાસ લેવો, શ્વાસ છોડતા છોડતા, જમણા પગ ને સીધા ઉપર ઉઠાવવો, અને ઘૂંટણથી વાળવો. હાથની આંગળીને ફસાવી અને ઘૂંટણથી થોડી નીચે રાખવી, શ્વાસ ભરવો અને શ્વાસ રોકીને માથાને પીઠને ઉઠાવવી અને નાક ને જમણા પગના ઘૂંટણમા અડાડવાનો પ્રયાસ કરવો ૐ ની માનસિક ગણતરી સુધી રોકવું અને પછી શ્વાસ છોડતા છોડતા પાછા આવી જવું. આવી રીતે જમણી બાજુથી પાંચ ચક્ર પુરા કરવા અને આવી રીતે ડાબી બાજુથી પાંચ ચક્ર પૂરાં કરવાં.
સ્ત્રોત: યોગાચાર્ય ભાસ્કર હિન્દુસ્તાની , ગુજરાત સમય , યોગ ઉપયોગ - info@nirvikalpyogaacademy.com
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020