অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જીવલેણ કેન્સરને યોગવિદ્યા કરે છે કેન્સલ

કેન્સર આધુનિક જીવનની સૌથી મોટી અને જીવલેવા કે જીવલેણ બિમારી ગણાય છે. આ બિમારીથી સમાજના દરેક વર્ગ પછી તે અમીર હોય કે ગરીબ જીવ જતા હોય છે. દેશમાં હજારો લોકો આ બિમારીનો ભોગ બને છે.
કેન્સર અનિયમિત કોષિકાઓના વિભાજનની પ્રક્રિયા છે, જે ગાંઠ રૂપે વિસ્તાર પામે છે અને કેન્સરનું રૂપ ધારણ કરે છે.
તમાકુ, શરાબ, ચરબીયુક્ત ભોજન, ખાદ્ય રસાયણ, વધારે તાપ, પ્રદૂષણ, શારીરિક ઈજા, દવાનું વધારે પડતું સેવન, વિષાણુ કે જીવાણુની પ્રતિક્રિયા, તનાવ કે વારસાગત કારણોસર કેન્સર થાય છે.

યૌગિક ઉપચાર દ્વારા કેન્સરનો પણ ઈલાજ શક્ય છે.

આસન : સૂક્ષ્મ વ્યાયામ, તાડાસન, તિર્યક તાડાસન, કટિચક્રાસન, માર્જરી, સરલ ભુજંગાસન, ભુજંગાસન, સૂર્યનમસ્કાર

પ્રાણાયામ : નાડીશોધેધન, ઉજ્જયી પ્રાણાયામ (ખેચરી મુદ્રુદ્રા સાથે), ભ્રામરી, શીતલી, સીતકારી

ધ્યાન રાખવા જેવી બાબત

કેન્સરમાં ભસ્ત્રિકા અને કપાલભાતી કરવા જોઈએ નહીં. કેમોથેરાપી અને રેડિયોથેરાપી દરમિયાન આ બે પ્રાણાયામ બિલકુલ હિતાવહ નથી.

ષટકર્મ : ત્રાટક

જંધ : મૂલૂબંધ, ઉડ્ડયાન બંધ, જાલંધર બંધ, મહાબંધ

મુદ્રુદ્રા : શાંભવી મુદ્રા, નાસિકાગ્ર, મુદ્રુદ્રા, અશ્વિની મુદ્રા, મુદ્રુદ્રા, ખેચરી મુદ્રા, શ-મુખી મુદ્રા, પ્રાણ મુદ્રા, વજ્રોલેલી

 

મંત્ર : ૐ કાર ઉચ્ચારણ

પ્રત્યાહ : યોગનિંદ્રા

શિવામ્બુ/અમરોલીઃ સ્વમૂત્રનો પ્રયોગ પણ કેન્સર પિડિત માટે લાભકારક છે. અમરોલી ગ્રહણ કરવાની વિધિ અલગ-અલગ હોય છે. ક્યારેક ક્યારેક દિવસમાં ફક્ત સવારે જ સ્વમૂત્રનું સેવન કરવામાં આવે છે અને ક્યારેક બપોર સુધી. વધારે પડતા કેન્સર પિડિતોને આખો દિવસ થોડું થોડું સ્વમૂત્ર સેવન લાભદાયી નિવડે છે.

  • શિવામ્બુ ચિકિત્સા દરમિયાન સાત્વિક આહાર, બાફેલું શાક, ફળ લેવાં જોઈએ.
  • આનો ઉલ્લેખ બાઈબલમાં પણ કરેલો છે.
  • પોતાના કુંડનું પાણી પીવું
  • આ ચિકિત્સા જાણકારની સલાહ દ્વારા કરવી જોઈએ.

નોંધ : પવનમુક્તાસન - ૧(સૂક્ષ્મ ક્રિયા) અને ઉજ્જૈય પ્રાણાયમ કેન્સર જેવા રોગ માટે બહુ જ ઉપયોગી છે એને નિયમિત કરવા જોઈએ.

  • આસન
  • પ્રાણાયમ અને પ્રાણવિદ્યા
  • ષટકર્મ
  • બંધ અને મુદ્રા
  • યોગનિદ્રા
  • અર્તમૌન અને અજપાજપ
  • નાદયોગ
  • યૌગિક આહાર
  • પ્રણાલી
  • યૌગિક જીવનશૈલી
  • અમરોલી ક્રિયા વગેરેનું પાલન કરવાથી
  • કેન્સર જેવા રોગ મટાડવામાં લાભ થાય છે.

કેન્સર : શારીરિક સંતુલન અને મેટાબોલિક અસંતુલન ને કારણે કેન્સર રોગ થાય છે. અને આવી રીતે યોગીક દૃષ્ટિકોણથી કેન્સર પંચકોષથી પ્રભાવિત થાય છે. અન્નમયકોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ, વિજ્ઞાનમય કોષ, અને આનંદમય કોષ, અન્નમયકોષમાં બીડી, સીગરેટ, તમાકુ, અફીણ તેમજ ભોજન સંબંધિત અસંતુલનના કારણે કેન્સર થાય છે.

મનોમયકોષ ને નકારાત્મક વિચાર, સ્ટ્રેસ, એનજાઈટી શરીરમાં કેન્સરની ગાંઠ બને છે.

પ્રાણમયકોષને પ્રાણના અસંતુલિત બહાવ અને ચક્રોના અસંતુલનને કારણે પ્રાણમય કોષ પર કેન્સર થાય છે. વિજ્ઞાનમય અને આનંદમય કોષમા વિચાર, વ્યક્તિત્વ, ડર, બીક, ગભરામણ, માનસિક આઘાત, મનોવિજ્ઞાનિક અસંતુલનને કારણે કેન્સર થાય છે.

સ્ત્રોત: યોગાચાર્ય ભાસ્કર હિન્દુસ્તાની , ગુજરાત સમય , યોગ ઉપયોગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate