অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આસન: હેતુ અને લાભ

આસનઃ

કોઈ પણ એવી મુદ્રા જેમાં તમે આરામથી બેસી શકો, તે આસન કહેવાય.

આસનમાં બે એટિટ્યૂડ હોય છેઃ

  1. ફિઝિકલ-શારીરિક-એટિટ્યૂડ
  2. મેન્ટલ-માનસિક –એટિટ્યૂડ

ફિઝિકલ એટિટ્યૂડઃ વિવિધ સ્પેસીઝ જેમ કે પ્રાણીઓ, વૃક્ષો, પક્ષીઓના અંશ-સબસ્ટ્રેટ ધરાવતા આસનોને ફિઝિકલ એટિટ્યૂડ કહે છે જેમ કે પદ્માસન-લોટસ પોશ્ચર.

મેન્ટલ એટિટ્યૂડઃ એ માનસિક સ્થિતિને  અનુલક્ષીને છે. જેમ કે જો તમે પદ્માસન કરો છો તો એ આપણને જગતમાં કમળની માફક જીવવાનું જણાવે છે.

આસન અંગે પતંજલિના સિદ્ધાંતોઃ

સ્થિરમ્, સુખમ્ આસનમ્

આસન એ મનની એવી સ્થિતિ છે જેમાં સતત સુખ(આરામ)નો પ્રવાહ સતત જળવાય છે. આસને એ એવી મુદ્રા છે જે સ્થિર, આરામદાયક અને સુખકર હોવી જોઈએ.

દરેકે દરેક આસનમાં એક સંદેશ છુપાયેલો છે. જ્યારે તમે આસનની  પ્રેક્ટિસ કરો છો ત્યારે એક ક્ષણ માટે આંખો બંધો કરીને એ છુપા સંદેશ સાથે કનેક્ટ કરોઃ ‘સ્થિરમ્, સુખમ્, આસનમ્’ નો અર્થ થાય છે  કે જ્યારે તમે આસન ધારણ કરો છો ત્યારે શરીર અને મનની સ્થિતિ આનંદ-હેપીનેસની હોવી જોઈએ. ટેન્શન અને સ્ટ્રેસ સાથે ધારણ ન કરવું

સામાન્ય રીતે આસનનું રિપિટેશન હિતાવહ નથી. કેમ કે જ્યારે તમે આસન ફરીથી એટલે કે રિપિટ કરો છો તો તમારું માઇંડ પણ એને રિપિટ કરે છે અને એથી શાંતિ અને સ્થિરતા આવે નહીં.

પ્રયત્ન શૈથિલ્યમ્ અનંતસમા પાતિભ્યામઃ

જે પણ આસન તમે પ્રેક્ટિસ કરતા હોવ એમાં ઓછામાં ઓછો પ્રયાસ કરવો પડે, ફોર્સફુલી ન થાય તે જુઓ. જો આસન સરળતાથી થાય, શ્વસન સાથે તો એ બહુ જ અસરકારક રહે છે. અને જ્યારે આ રીતે આસનની પ્રેક્ટિસ થાયતો એ આપણને અનંત(દિવ્યતા) સાથે કનેક્ટ કરે છે.

આસનનો હેતુ અને અસરોઃ

  • આસન સ્ટેડિનેસ, હેલ્થ અને શરીરનાં અંગોની લાઇટનેસ લાવે છે.
  • તમામ પ્રકારના રોગ મટે  છે.
  • આસન સ્ટ્રેન્ગ્થ આપે છે.
  • આસન આપણને અનકન્ટેમ્પ્લેટડ ડિવાઇન બ્રહ્મને આપણામાં ફીલ કરાવે છે.
  • હઠયોગમાં 84 લાખ આસનોનો ઉલ્લેખ કર્યો છે.

શી સાવચેતી રાખવાનીઃ

  • જ્યારે તમે કોઈ આસનની પ્રેક્ટિસ કરો ત્યારે એને સ્થિર અને કમ્ફર્ટેબલ રીતે કરો. ફરીથી ન કરશો.
  • દરેક આસનમાં એક મેસેજ હોય છે. એટલે આસનને એક્સરસાઇઝ તરીકે પ્રેક્ટિસ ન કરવી.
  • આસનો હંમેશા શ્વસન અને જાગૃતિ સાથે કરવાના હોય છે. એ રિપિટ નહીં કરવા, નહીંતર શ્વાસ ભરાઇ જાય.

ટિચર્સ ટિપ્સઃ

છેલ્લા 14 વર્ષથી યોગશિક્ષક તરીકે મેં જોયું છે અને અનુભવ્યું છે કે કેટલાય લોકો યોગને કસરત તરીકે કરે છે. યોગ એ તમને તમારા આત્મા, અંતઃકરણ સાથે જોડતું વાહન છે.એ કંઈ સૂર્યનમસ્કાર નથી.

ખરેખર તો કોઈ યોગિક શાસ્ત્રમાં સૂર્યનમસ્કાર વિશે લખાયું જ નથી. એ માણસે બનાવેલ આસન છે. માત્ર સૂર્યનમસ્કાર કરવાથી તમે યોગ નથી કરતા. યોગ એ વિજ્ઞાન અને કળા છે જે તમને સેલ્ફરિઅલાઇઝેશન અને સેલ્ફ પ્યુરિફિકેશનની નજીક લઈ જાય છે.

જ્યારે તમે યોગની પ્રેક્ટિસ શિસ્ત અને યોગ્ય રીતે કરો છો ત્યારે જિંદગીમાં ચમત્કાર થશે. મેં એનો અનુભવ કર્યો છે અને દરેક શ્વાસ તમને એ દિવ્યતા તરફ લઈ જાય છે.

સ્ત્રોત: પૂર્વી શાહ, ફેમિના,

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate