સારસ્વતારીષ્ટ આ દ્રવ ઔષધ બજારમાં તૈયાર મળે છે. એના સેવનથી આયુષ્ય, સ્મૃતી, વીર્ય, બળ, મેધા અને કાંતી વધે છે. એ હૃદયને હીતકારી, જઠરાગ્નીવર્ધક, રસાયન અને બાળકો તથા વૃદ્ધોને ખુબ જ હીતકારી છે. ઉન્માદ, અપસ્માર, અવસાદ-થાક, મનોરોગ, ડીપ્રેશનમાં લાભકારી છે. સારસ્વતારીષ્ટ મુત્ર અને શુક્રનું વહન કરતા માર્ગોના રોગોમાં પણ એટલું જ લાભપ્રદ ઔષધ છે. સવાર-સાંજ ત્રણથી ચાર ચમચી જમ્યા પહેલાં પીવાથી ઉપરોક્ત રોગો મટે છે. રોગ પ્રમાણેની પરહેજી પણ રાખવી.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/27/2020