অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હરસ માટે ઘરેલું આયુર્વેદિક ઉપચાર

હરસ માટે ઘરેલું આયુર્વેદિક ઉપચાર

હરસની એક બે કે ત્રણ નહિ પુરા ૫૬ ઘરેલું આયુર્વેદિક ઉપચાર ક્લિક કરી જાણો ઔષધ
  1. મળમાર્ગ-ગુદામાં ચીરા પડયા હોય અને હરસ થયા હોય તેમણે થોડા દિવસ રાત્રે એક ચમચો દિવેલ દૂધમાં પીવું.
  2. સવારે પાકા કોઠા ના ગર્ભ સાથે ગોળ તથા પાણી મેળવી શરબત બનાવી 15 દિવસ સુધી પીવાથી હરસ નાબૂદ થાય છે.
  3. હરસ થયા હોય તો બને તેટલું (રોગના પ્રમાણ મુજબ) લીંબુ અથવા સૂકું કોપરું ખાવું અને તાજા નારિયેરનું પાણી (મળી શકે તો) દરરોજ 1-1 ગ્લાસ દિવસમાં બે ત્રણ વાર પીવું. આથી વગર દવાએ હરસ મટી જાય છે.
  4. લીમડાના કુમળાં પાનના રસનું પાંચ દિવસ સેવન સર્વથી કષ્ટદાયક મસાની પીડામાંથી મુક્ત થવાય છે.
  5. દોઢ-બે લીંબુનો રસ એનિમાના સાધનથી ગુદામાં લેવો. દસ પંદર સંકોચન કરી થોડી વારના પ્રયોગથી જ હરસ- મસામાં લાભ થાય છે. સાથે હરડેના ચુરનું નિત્ય સેવન કરવું. તથા મસા પર દિવેલ લગાવવું.
  6. મસા પર લીમડાનું તેલ લગાડવાથી અને ચાર પાંચ ટીપાં દરરોજ. પીવાથી લાભ થાય છે.
  7. લોહીવાળા મસા પર જીરુંનો લેપ કરવાથી અને રોજ ઘી, સાકર તથા જીરું ખાવાથી અને ગરમ આહાર બંધ કરી દેવાથી લાભ થાય છે.
  8. હરસમાં લોહી પડતું હોય તો દાડમની છાલનું છાસ સાથે સેવન કરવું.
  9. વાયુની ઉત્પન્ન થયેલા હરસમાં માખણ સાથેનો મઠો અને કફથી ઉત્પન્ન થયેલા હરસમાંમાખણ કાઢેલો મઠો આપવો. મઠાના સેવનથી હરસનો નાશ થાય છે.

10. નાની એલચી હરસ અને મૂત્રકૃચ્છ મટાડે છે.

11. હરસમાં લોહી પડતું હોય તો ઘી અને તલ સરખે હિસ્સે લઇ થોડી સાકર મેળવી ખાવું. દિવસમાં ચારેક વખત આ પ્રયોગ નિયમિત કરવાથી હરસમાં પડતું લોહી તરત જ બંધ થાય છે. થોડા દિવસ પ્રયોગ નિયમિત કરવાથી હરસમાં તકલીફમાંથી મુક્ત થવાય છે.

12. હરસ-મસામાં સવાર-સાંજ માખણ સાથે રસોત લેવાથી અવશ્ય લાભ થાય છે. રસોત કરતા માખણ દસ ગણું લેવું।

13. દરરોજ બે- ત્રણ કલાકે એક મોટો ચમચો કાચી વરિયાળી ખુબ ચાવીને ખાવાથી હરસની તકલીફ જડમૂળથી જતી રહે છે.

14. 1તોલો કાળા તલનો કલ્ક કરી, 10-15 તોલા બકરીના દૂધમાં મેળવી 1/2 તોલો સાકર નાખી સવારમાં પીવાથી હરસમાં પડતું લોહી તરત જ બંધ થાય છે.

15. કાળા તલ ખાઈ પાણી પીવાથી દુઝતા હરસ નાશ પામે છે, દાંત મજબૂત થાય છે અને શરીર પુષ્ટ થાય છે.

16. દહીંના ધોળવામાં હિંગ, જીરું તથા સિંધવ નાખી પીવાથી હરસ, અતિસાર અને પેઢાનું શૂળ મટે છે।.

17. ગાયનું માખણ અને તલ ખાવાથી હરસ મટે છે.

18. રાત્રે ધાણા પાણીમાં પલાળી રાખી સવારે ગાળી તે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી દુઝતા હરસમાં ઝાડામાં પડતું લોહી બંધ થાય છે.

19. ધાણા અને સાકરનો ઉકાળો કરી પીવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે.

20. શેકેલું જીરું, મરી અને સિંધવનું ચૂર્ણ મઠા કે છાસમાં લેવાથી હરસ, અતિસાર અને ગ્રહણી માં ફાયદો થઈ છે.

21. વડની છાલ, કૂણાં પણ કે કૂણી કુંપળોનો ઉકાળો પીવાથી. દુઝતા હરસમાં ફાયદો થાય છે.

22. ગોટલીનું ચૂર્ણ મધ સાથે આપવાથી દુઝતા અર્શ અને સાહેદ પ્રદર મટે છે.

23. સુરણના ટુકડા ઘીમાં તળી ખાવાથી હરણ મટે છે.

24. સૂરણનો કંદ સુકવી બનાવેલું ચૂર્ણ 320 ગ્રામ, ચિત્રક 60 ગ્રામ અને મરી 20 ગ્રામ એ સર્વનું ચૂર્ણ કરી તેનાથી બમણો ગોળ નાખી મોટા બોર જેવડી ગોળીઓ બનાવી ખાવાથી સર્વ પ્રકારના હરસ માટે છે.

25. સૂંઠનું ચૂર્ણ છાસમાં પીવાથી હરસમાં ફાયદો થાય છે.

26. હળદરનો ગાંઠિયો શેકી, તેનું ચૂર્ણ કરી, કુંવારના ગર્ભમાં મેળવીને સાત દિવસ સુધી ખાવાથી હરસમાં ફાયદો થાય છે.

27. આમલીના ઝાડની છાલનું વાસ્તગાળ ચૂર્ણ ગાયના અધમળ્યા દહીં સાથે સવાર-સાંજ ખાવાથી દુઝતા હરસ મરે છે.

28. આંબાની ગોટલીનું ચૂર્ણ મધમાં અથવા સાદા હુંફાળા પાણી કે મોળી છાસમાં લેવાથી દુઝતા હરસ મટે છે.

29. કારેલાંનો કે કરેલીના પાનનો એક નાની ચમચી જેટલો રસ સાકર મેળવી પીવાથી રક્તાર્શમાં ફાયદો થાય છે.

30. કોકમનું ચૂર્ણ કે ચટણી દહીંની ઉપરની તર (મલાઈ)માં મેળવી ખાવાથી દુઝતા હરસ મટે છે.

31. ગરમાગરમ શેકેલા ચણા ખાવાથી દુઝતા હરસનો રક્તસ્ત્રાત બંધ થાય છે.

32. છાસમાં ઇંદ્રજવનું ચૂર્ણ મેળવી પીવાથી દુઝતા હરસ મટે છે.

33. માખણ, નાગકેસર અને ખડી સાકર ખાવાથી દુઝતા હરસનો રક્તસ્ત્રાવ બંધ થાય છે.

34. મીઠા લીમડાનાં પાનને પાણી સાથે પીસી, ગાળીને પીવાથી દુઝતા હરસ મટે છે.

35. હરસમાં લોહી પડતું હોય તો વડના સૂકાં પાનની રાખ માખણમાં કાલવી મળમાર્ગમાં લેપ કરવો.

36. 60 ગ્રામ અજમો 60 ગ્રામ જુના ગોળમાં મેળવી, પીસી, તેમાંથી 5-5 ગ્રામ જેટલો સવાર-સાંજ લેવાથી વાયુના હરસ મટે છે.

37. આમલીના ફૂલોનો રસ લેવાથી હરસ મરે છે.

38. એક ચમચો કાળા તલ પાણીમાં પલાળી વાટી માખણ કે દહીંમાં મેળવી રોજ સવારે ખાવાથી હરસ મટે છે.

39. જીરું વાટી લુગદી કરી બાંધવાથી દુઝતા હરસમાં પડતું લોહી બંધ થાય છે, બળતરા મટે છે અને બહાર નીકળેલા મસા અંદર જતા રહે છે.

40. ડુંગરીનો રસ 10 ગ્રામ, સાકર 5 ગ્રામ અને ઘી 3 ગ્રામ મેળવીને પીવાથી અને રોજ પેટ સાફ કરવા રાત્રે ઇસપગુલ સત્ત્વ લેવાથી હરસની બીમારી શાંત થાય છે.

41. ડુંગળીના નાના નાના ટુકડા કરી, તડકામાં સુકવી, 10 ગ્રામ જેટલા ધીમાં તળી, 1 ગ્રામ કાળા તલ અને 20 ગ્રામ સાકરનું ચૂર્ણ મેળવી રોજ સવારે ખાવાથી હરસ મટે છે.

42. ડુંગળીની બારીક કાતરી કરી,દહીંમાં મેળવી, તેમાં જરૂર પ્રમાણે મીઠું મેળવી રોજ સવારે ખાવાથી દુઝતા મસાનો રક્તસ્ત્રાવ બંધ થાય છે, શોચશુદ્ધિ થાય છે અને રક્તાર્શ મટે છે.

43. દાડમની છાલનું ચૂર્ણ નાગકેસર સાથે મેળવી લેવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે.

44. દાડમનો રસ પીવાથી હરસમાં ફાયદો થાય છે.

45. દૂધીના પાનનો રસ કાઢી હરસ પર ચોપડવાથી લાભ થાય છે.

46. ગાજરનું શાક ઘી કે તેલમાં ચડવી દાડમનો રસ અને દહીં મેળવી રોજ સવારે પીવાથી રક્તાર્શમાં ફાયદો થાય છે.

47. મૂળાના પણ અને સફેદ કાંદો કાઢી નાખી, પાનની નીચેનો લીલો ભાગ લઇ, તેનો રસ કાઢી, તેમાં 6 ગ્રામ ઘી મેળવી રોજ સવારે પીવાથી રક્તાર્શ મટે છે.

48. એક મોટા લીંબુના બે ટુકડા કરી બંને પર કાથો ભભરાવો. પછી બંને ટુકડા એકબીજા સાથે દબાવીને આખી રાત મૂકી રાખવા. સવારે એ ટુકડા આખો દિવસ ચુકતા રહેવું. થોડા દિવસ નિયમિન પ્રયોગ કરવાથી લોહી પડતા હરસ મટે છે.

49. દરરોજ જમ્યા પછી 1-1 ચમચો લવણભાસ્કર ચૂર્ણ લેવાથી હરસ મટે છે. જેટલી વાર જમો તેટલી વાત લેવું.

50. સોપારી જેટલા ગોળ સાથે અડધી ચમચી હરડેનું ચૂર્ણ લેવાથી હરસ મટે છે.

51. અખરોટના તેલમાં કાપડનો ટુકડો બોલી સવાર-સાંજ હરસ મટે છે.

52. દાડમનાં સૂકાં છોડનો 1-1 ચમચી પાઉડર દરરોજ પાણી સાથે લેવાથી હરસ માટે છે.

53. અડધી ચમચી નાગકેસર, એક ચમચી ખડી સાકરનો પાઉડર, એક ચમચી માખણ અને એક ચમચી કાળા તલનું મિશ્રણ કરી રોજ રાતે જમ્યા પછી લેવાથી દુઝતા હરસ મટે છે.

54. કાળા તલનું પ્રચુર માત્રામાં સેવન કરવાથી હરસ માટે છે.

55. હરસમાં લોહી પડતું હોય તો અંધેડાંના બીને છાસમાં વાટી સેવન કરવાથ લોહી પડતું અટકે છે.

56. સુંઠ,મરી,પીપર, કઠ, સિંધવ, જીરું, વજ, હિંગ, વાવડીંગ, હરડે, ચિત્રકે અને અજમોદ દરેક સરખા વજને લઈ બારીક ચૂર્ણ બનાવી એનાથી બમણા ગોળમાં મેળવી ચણાના દાણા જેવડી ગોળી બનાવવી. એને દુર્નામકુઠારવતી કહે છે. ( દુર્નામ એટલે હરસ અને કુઠાર એટલે કુહારી- હરસ પર કુહારી જેવી ઘાતક વટી.) આ વટીમાં જઠરાગ્નિ પ્રદીપ્ત કરી આહારનું પાચન કરવાનો તથા કબજિયાત મટાડવાનો ઉત્તમ ગુણ રહેલો છે.

સ્ત્રોત: ફોરમસ્તી.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/12/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate