જનપદોધ્વંસ : જનપદ એટલે સમૂહ આખા સમૂહને અસર કરતી કે સામૂહિક વિનાશ કરતી બિમારીઓને આયુર્વેદ જનપદોધ્વંસ કહે છે. આયુર્વેદના ઋષિમુનિઓએ આવી બિમારીઓ ફેલાય એ વખતે શું શું ઉપાય કરી શકાય એ માટેનું વિસ્તૃત માર્ગદર્શન આપેલું છે.
દિવ્યધૂપ : ભૂતપ્રેત પિશાચ યજ્ઞ રાક્ષસ યજ્ઞ રાક્ષસ - આ બધાને આયુર્વેદ એક પ્રકારના વિષાણુઓ - જીવાણુઓ કહે છે. જે આખાને આખા સમૂહને સમાજને રોગગ્રસ્ત કરે છે અથવા તો તેનો વિધ્વંસ કરે છે. ધૂપ ઉપચારથી વિષાણુઓ - જીવાણુઓ તો નાશ પામે છે. તેના દ્વારા ફેલાયેલા શ્વાસ, ખાંસી, હેડકી, હૃદયરોગ જેવાં દર્દો મટે છે. ઉપરાંત શરદી-તાવ પણ મળે છે.
ધૂપનમ ઔષધિઓ : જવ, તલ, એલચી, તજ, જયમાંસી, તગર, સુગંધીવાળો, ચંદન, ગુગળ, રાળ, કપૂર, રોષાઘાસ ઉપલેટ, લાલચંદન, તેજપત્ર, અગર, સાકર, જેઠીમધ, નાગકેસર, નાગરમોથ, કપૂરકાચલી, હીરાબોળ, હળદર, તમાલપત્ર.
ઉપયોગ : ઉપર્યુક્ત ઔષધિઓના સંમિશ્રણને સળગતાં છાણાં કે કોલસા પર ધૂપનું મિશ્રણ નાખી થોડું ગાયનું ઘી નાખવું. તેનાથી ધૂમાડો થાય છે.
સૂક્ષ્મજીવાણુઓ અને વિષાણુઓ શરીરમાં દાખલ થઈને શ્વસનમાર્ગેથી સ્વાઈનફ્લુ જેવાં દર્દ પેદા કરે છે. તેવી રીતે શ્વસન માર્ગેથી પ્રવેશેલો ઔષધિય ધૂમાડો જીવાણુઓનો ઝડપથી પ્રતિકાર કરે છે. આયુર્વેદની આ સૂસ્નાતિસૂક્ષ્મ ચિકિત્સાપદ્ધતિ છે. શરીરના રોગગ્રસ્તકોષ સુધી ઔષધીયગુણને ઝડપથી પહોંચાડતી આ પદ્ધતિને આયુર્વેદના ઋષિમુનિઓએ વિકસિત કરેલી છે અને આયુર્વેદ પરંપરા જાળવનાર વૈદ્યોએ એને પ્રચલિત કરવાનો ભેખ લીધો છે.
આપણી ભારતીય પરંપરામાં થતાં હોમ-હવન, યજ્ઞ ધૂપ-દીપનો હેતુ માત્ર ધાર્મિક નહોતો, પરંતુ તેના દ્વારા પેદા થયેલો ધૂપ-ધૂમાડાથી શરીર અને મનના સ્વાસ્થ્યને વધારવાનો પણ હેતુ હતો. રાક્ષસ, ભૂત, પિશાચને દૂર કરવા માટે યજ્ઞ કરાતા હોવાની વાતો યુગોથી પ્રચલિત છે. આ ભૂતપિશાચ બીજા કોઈ નહીં પણ સૂક્ષ્મજીવાણુઓ અને વિષાણુઓ જ છે, એવા આયુર્વેદના વિદ્વાનોનો મત છે.
જટામાંસી : ચરકસંહિતામાં જણાવ્યા પ્રમાણે દિવ્યધૂપમાં વપરાતી એક ઔષધિ જટામાંસીનો પર્યાપ ભૂતદિન છે. ભૂત એટલે સૂક્ષ્મજીવાણું કે વાયરસ.
ગાયનું ઘી : એવી જ રીતે ગાયના ઘીનો એક ગુણ રક્ષોધી છે. રસ એટલે કે રાક્ષસને-જીવાણુ-વિષાણુને હરનાર માટે ગાયના ઘીનો ધૂપ માટે ઉપયોગ કરવાનું કહ્યું છે.વાતાવરણને જીવાણુઓ અને વિષાણુઓ રહિત કરવાની ક્ષમતા દિવ્યધૂપમાં રહેલી છે. આવા ધૂપ ઠેર-ઠેર કરવાથી સંક્રમક દર્દોને ઝડપથી નિયંત્રિત કરી શકાય છે.
ધૂપ ક્યાં ક્યાં કરી શકાય ?
શાળા, કોલેજો, છાત્રાલયો, બેન્ક, ઘર ઓફિસ, આરોગ્ય કેન્દ્રો, મંદિરો, દેવાલય, આંગણવાડીઓ....
જ્યાં જ્યાં વધારે લોકો ભેગા થતા હોય ત્યાં આવા ધૂપ થવા જોઈએ.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020