હવાઈ સફર કરતા લોકોને ખબર હશે કે અમદાવાદ, દિલ્હી, મુંબઈ જેવા પ્રદુષિત શહેર પરથી પસાર થતાં એવું લાગે કે જાણે આખું શહેર કાળા ડિબાંગ ધુમાડાનાં વાદળો નીચે ગુંગળાઈ રહ્યું છે એમાં પણ ખાસ કરીને શિયાળાની ઠંડી ઋતુમાં પ્રદુષિત તત્વો વાતાવરણમાં ઉપર જવાને બદલે હવાના નીચેના થરમાં રહે છે.
આ હવાના પ્રદુષણની અસર વિશ્વવ્યાપી છે. તે ચીન, ઓસ્ટ્રેલિયા, મોંગોલિયા વગેરે દેશોને પણ પરેશાન કરે છે.
PM: PARTCULATE MATTER ના નામથી ઓળખાતા આ ૨.૫થી ૧૦ માઈક્રોમીટર્સ વાળા, આ નેનો પાર્ટીકલ્સ હવાને પ્રદુષિત કરનાર મુખ્ય તત્વ છે. આ સૂક્ષ્મ તત્વ ખૂબ સરળતાથી માનવ શરીરમાં પ્રવેશી શકે છે. શ્વાસ દ્વારા તે શરીરમાં શ્વસનતંત્ર અને હૃદયની કાર્યવાહીને ખોરવે છે. આ PM 2.5 કોઈપણ સાંકડી જગ્યાએ પહોંચી જાય છે અને એ જમા થવાથી ધમની ગંઠાય (Atheroscelrosis) છે, પરિણામે હૃદયરોગનો હુમલો આવી શકે છે.
Who અને IARC: (International agenay for research on cancer) નું સંયુક્ત નિવેદન છે કે PM 2.5 એટલી હદે ઘાતક છે કે તે હૃદયરોગ, અસ્થમા, દમ ઉપરાંત તમારા DNAને પણ બદલી શકે છે, જેને કારણે નવા પ્રકારની વિચિત્ર બિમારીઓ થઈ શકે છે. ફેફસાંના કેન્સરમાં 22%નો વધારો નોંધાયેલો છે.
DPM: ડીઝલ પર્ટિક્યુલેટ મેટર: ડીઝલના ઉપયોગથી પેદા થતું DPM તો ૧ મોઈક્રોમીટર (૧૦૦ નેનોમીટર) જેટલું સૂક્ષ્મ છે, જે કાર્સીનો જન્સનું પણ વહન કરે છે, પરિણામે કેન્સર રોગનું પ્રમાણ પણ વધ્યું છે.
આ હવાને પ્રદુષિત કરનાર પર્ટીક્યુલેટ મેટરનું એક ઉત્પત્તિ સ્થાન ફટાકડા પણ છે. વાહનોનો અતિ ઉપયોગ પણ જવાબદાર છે. કચરો બાળવાથી પણ આ દૂષિત તત્વો પેદા થાય છે.
સ્વસ્થ દીપાવલી ૨૦૧૭ માટે અને Save lungs અંગેના એક વિડીયોમાં દર્શાવાયું છે કે આપણા શરીરનાં ગુલાબી રંગનાં તંદુરસ્ત ફેફસાં પર આ ઘાતક PM 2.5 તત્વોનું કાળું લીપણ જોવા મળે છે, જેનાથી આપણાં ફેફસાં હાંફી જાય છે. પરિણામે શરદી, ઉધરસ, શ્વાસ જેવી તકલીફો લાંબો સમય અને અવારનવાર પરેશાન કરે છે. સામાન્ય ઔષધો અને તેની માત્રા કારગત નીવડતાં નથી.
પર્યાવરણ સંબંધિત કડક નિયમોનું પાલન એક પ્રજાજન તરીકે આપમે કેવી રીતે કરી શકીએ એ વિચાર અહીં પ્રસ્તુત છે.
દિવાળી પછી ડોક્ટરનાં દવાખાનાઓ ઉભરાવા માંડે છે, કારણ ફટાકડા ફોડવાને કારણે એમાંથી પેદા થતો ધુમાડો તરત જ તમારા નાક-મોં દ્વારા ફેફસાં અને પેટમાં જાય છે, જે તમારા સ્વાસ્થ્યને હણે છે, માટે ફટાકડા ન જ ફોડવા અથવા એમાં સંયમ રાખીને ઉત્સવ ઉજવવો.
પ્રદુષિત હવા થોડા સમયમાં સાફ થઈ શકે છે, સડક સાફ થઈ શકે છે પણ તમારાં ફેફસાંમાં ઘુસેલો આ પ્રદુષિત-ઘાતક PM 2.5 (માઈક્રોમીરર્સ) ક્ચારેય સાફ કરી શકાયા નથી, જે તમારા સ્વસ્થ આયુષ્યને ઘટાડે છે.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા email aarogyatirth@gmail.com
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020