অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આંખ છે તો અજવાળું છે

કોમ્પ્યુટરના વધતા વપરાશ સામે દૃષ્ટિને જાળવો આજકાલ દરેક વસ્તુ જોવાની લોકોની નજર જે રીતે બદલાઇ ગઇ છે, એ રીતે અનેક લોકોની આંખો પણ નબળી થતી જઇ રહી છે. આજકાલ નેત્રરોગો વધ્યા છે અને ચશ્માં પહેરનારા પણ વધ્યા છે. આંખોની સારસંભાળ અનિવાર્ય છે. નેત્રજ્યોતિ ન રહેતાં જિંદગીમાં અંધારું છવાઇ જાય છે. જોજનો દૂર રહેલા ગ્રહો-નક્ષત્રો અને સિતારાઓને જોઇ શકતી આંખને નબળી બનતી અટકાવવાની જરૂર છે. આંખો નબળી પડવાનું મુખ્ય કારણ લાઇફસ્ટાઇલ છે. ખાન-પાનની ખોટી ટેવો છે.
Junk: Junk નો અર્થ થાય છે Waste material કચરો, ભંગાર, નકામો સર સમાન. જેની પોષ્ટિકતા લગભગ શૂન્ય હોય તેવા ખોરાક, પોપકોર્ન, વેફર્સ, નૂડલ્સ-મેગી, ફેંચફાયઝને જંકફૂડ કહે છે

દૃષ્ટિ નબળી પાડતાં કારણો

ફાસ્ટ ફૂડ: જલદી, ફટાફટ બને તેવા ખોરાકને Fast- Food કહે છે. ચટપટા સ્વાદવાળા, મોંમાં પાણી લાવે તેવા ખોરાક જેમ કે ભાજીપાંઉ, ભેળ, પાણીપુરી, પિત્ઝા, સેન્ડવીચ વગેરે.

વિદાહી : ખારા, ખાટા, તીખા ,ચટપટા-ગરમ ખોરાકને આયુર્વેંદ વિદાહી ખોરાક કહે છે.

ઇલેકટ્રોનિકસ મિડિયાના જમાનામાં લોભામણી-લલચામણી જાહેરાતોનો કારણે પરંપરાગત ખોરાક દાળ, ભાત, શાક, રોટલીનું નામ પડતાં આજકાલ તો ઘણાં બાળકો નાકનું ટીચકું ચડાવે છે. નવી પેઢી આવા જંક ફૂડ-ફાસ્ટફુડ-વિદાહી ખોરાક પ્રત્યે વધારે રુચિ ધરાવે છે.

આલોચકપિત્ત : આવા વિદાહી અન્નપાનની અસર શરીરના બીજા અવયવો પર પડે જ છે, પરંતુ આંખની દૃષ્ટિ પર તેની ખૂબ ખરાબ અસર પડે છે. આવા ક્ષુલ્લક લાગતા, છતાં મહત્વના કારણથી ચક્ષુમાં રહેલા આલોચક પિત્તની ગુણવત્તા બગડે છે. પરિણામે દૃષ્ટિ-માંદ્યની સમસ્યા ઊભી થાય છે. જેને કારણે પાંચ વર્ષ જેટલી નાની ઉંમરનાં બાળકોને પણ ચશ્માં પહેરવાં પડે છે.

ઉપાયો :

ટેલિવિઝન, હોમથિયેટર, કોમ્પ્યુટર, ફિલ્મના ઝગમગાટવાળા પડદાને વધારે સમય સુધી જોયા કરવાથી દૃષ્ટિ નબળી પડે છે. તેમાં પણ કોમ્પયુટરના સ્કીન સામે કલાકો સુધી બેસી રહેવાથી આંખો ઝડપથી નબળી પડે છે. આથી બે કલાકના અંતરે આંખો બંધ કરી પાંચ-દસ મિનિટ આંખને આરામ આપવો જોઇએ.

 

PALMING : થાકેલી આંખો ઉપર તમારી હથેળી મૂકીને 1 to 100 ગણવા. પછી હથેળી ખસેડીને બંધ આંખે ફરીથી 1 to 100 ગણવા. પછી ધીમેથી આંખ ખોલવી. આમ કરવાથી આંખોને આરામ મળે છે. ઉપરાંત પ્રકાશથી આંખને આરામ મળે છે, જે આંખોને થાકી જતી બચાવે છે.

  • જે બાળકો અને મોટી વ્યક્તિઓ ચીડિયા હોય છે કે છે કે વારંવાર ગુસ્સે થાય છે, તેમનું આંખોનું તેજ ક્રમશ: ઘટતું જાય છે
  • સ્વજન કે અતિપ્રિત ચીજના ગુમાવવાથી કે દૂર થવાથી અતિશોકમાં અને હતાશામાં ગર્ક થઇ જાય છે તેમની દષ્ટિ પણ નબળી પડે છે.
  • આંખો સારી રાખવા ક્રોધ, શોક, હતાશામાંથી બહાર નીકળવાના અને મન આનંદમાં રહે તેવા પ્રયત્નો કરવા.
  • ઝાડા-પેશાબના આવેગને રોકવા નહીં. પેટ સાફ ન રહેતું હોય તો તત્કાળ ઉપાય કરવા.
  • ત્રિફલા : રોજ રાત્રે સૂતી વખતે એક ચમચી ત્રિફલા ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી આંખોનું ઉગ્ર બનેલું આલોચક પિત્ત શાંત રહે છે.
  • દિવસે આકરા તડકામાં ફરવાનું બને તો ટાળવું.
  • ગોગલ્સ : ભારત જેવા ગરમ આબોહવાવાળા પ્રદેશમાં ગોગલ્સ પહેરવાથી આંખને સીધા તડકા, પ્રકાશ અને હવાથી બચાવી શકાય છે

બાળકોને ચોકલેટ, ચ્યુઇંગ ગમ, પીપરમીન્ટ, આઇસ્ક્રીમ, ઠંડાપીણાં વગેરે ખાદ્યચીજોથી ભૂખ ઓછી થઇ જાય છે અને રુટિન ખોરાક પરથી રુચિ ઘટી જાય છે. તેઓ બરાબર જમતાં નથી. પરિણામો અમુક પ્રકારનાં પોષક તત્વોના અભાવે તેમની દૃષ્ટિ નબળી પડે છે.ઉપર્યુકત ખોરાકથી પેટામાં કરમિયા વધે છે. જે રક્તના પુરવઠા પર અસર કરે છે અને બાળકો ફીકાં પડે છે. જેની અસર આંખ પર પડે છે.

સપ્તામૃત લોહ : હરડે, બહેડાં, આમળાં, લોહભસ્મ, જેઠીમધ, તજ અને ઇલાયચી- આ સાત ઔષધિઓના સમન્વયને રસોધ્ધાર તંત્રના રચયિતા સપ્તામૃત લોહ કહે છે. સવારે નરણાકોઠે ૧ ગ્રામ સપ્તામૃત લોહમાં પોણી ચમચી ગાયનું ઘી અને અડધી ચમચી મધ મિક્સ કરીને લેવાથી આંખોની ખંજવાળ, બળતરા, દુ:ખાવો, ઝાંખપને દૂર કરે છે.

નેત્રપોષણિકા નાડીઓના સૂત્રો-મૂળ પગમાં વિશેષ પ્રમાણમાં રહેલાં છે. એટલે જેમને આંખો સારી રાખવી હોય તેમણે વારંવાર પગ ધોવા.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate