માર્ચ 2011માં થયેલા ફુકુશિમાં ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ અકસ્માત બાદ જાપાને સોલર ઊર્જામાં પોતાની ક્ષમતા બમણી વધારી છે. હાલ જાપાન 86 અબજ કિલોવોટ વીજળી સોલર ઊર્જાથી બનાવે છે. 48 પરમાણુ પાવર પ્લાન્ટને બંધ કરી દેવાયા છે. તે પહેલા 30 ટકા વીજળી ન્યૂક્લિયર પાવર પ્લાન્ટથી બનતી હતી. જ્યારે ચીન અને અમેરિકા સમુદ્રમાં ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ બનાવાની દિશામાં કામ કરી રહ્યા છે.
પાણીની કૂલિંગ ઇફેક્ટના કારણે ફ્લોટિંગ સોલર પ્લાન્ટમાં જમીન અને પહાડો પર લાગેલા પ્લાન્ટ કરતા 11 ટકા વધારે વીજળી પેદા થાય છે. સોલર પાવર પેનલ પણ વધારે ચાલે છે. તે 100 ટકા રિસાઇકેબલ છે. એટલે કે ગ્રીન અને ક્લીન એનર્જી.
પાણીમાં સ્થાપિત પ્લાન્ટને કારણે ઉત્પાદિત વીજળી 100 ટકા ઇકોફ્રેન્ડલી હોય છે. તે ઉપરાંત એક મોટું કારણ આ છે કે જાપાનમાં ખુલ્લી જમીન બચી નથી, જ્યાં સોલર પ્લાન્ટ લાગવી શકાય. તેથી દેશભરમાં આ પ્રકારના ફ્લોટિંગ પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યા છે.
સ્ત્રોત: ભાસ્કર સમાચાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020