ભારતમાં ઉપયોગી જળસ્રોતોની સપાટીનો અંદાજ ૬૯૦ બિલિયન કયુબિક મીટર છે જેમાં વાર્ષિક દર વર્ષે ૪૩૨ કયુબિક મીટર ભૂગર્ભજળનો પુન: ઉમેરો થાય છે. આમ, દેશમાં કુલ વપરાશ અંદાજે ૧૧૨૨ બિલિયન કયુબિક મીટર થાય છે.(ભારત સરકાર વર્ષ-૨૦૦૧). વર્ષ ૧૯૯૦માં દેશમાં કુલ વપરાશ ૫૫૨ બિલિયન કયુબિક મીટર હતો, જેમાંથી ૪૬૦ બિલિયન કયુબિક મીટર એટલે કે, ૮૩.૫% કૃષિક્ષેત્રે વપરાયો હતો. ૨૫ બિીલયન કયુબિક મીટર(૪.૫%) ઘરવપરાશ, ૬૭ બિલિયન કયુબિક મીટર(૧૨%) ઉદ્યોગ અને થર્મલ પાવર ક્ષેત્રે વપરાયો હતો. વર્ષ ૨૦૦૦માં જળ વપરાશ ૬૩૦ બિલિયન કયુબિક મીટર થયો હતો. વસતિવધારો અને શહેરીકરણને કારણે આ વધારો થવા પામ્યો હતો.
જળ સંસાધન ક્ષેત્રે જાહેર તેમજ પૂરક રીતે ખાનગી ક્ષેત્ર પણ કૂવા, ટયુબવેલ જેવા સાધનો ઉપર ખર્ચ કરે છે. ભારતમાં વિવિધ પંચવર્ષિય યોજનામાં સિંચાઇ ક્ષેત્રે થયેલા ખર્ચની વિગતો જોઇએ તો, સરકારના ખર્ચમાં અર્થપૂર્ણ રીતે વર્ષ ૧૯૭૦ પછી ઘટાડો આવ્યો છે. આ ઘટાડો થવા છતાં સમગ્ર એશિયાના દેશોમાં ભારત કૃષિક્ષેત્રે સિંચાઇના ક્ષેત્રે સૌથી વધારે ખર્ચ કરનાર દેશ છે. દશમી પંચવર્ષિય યોજનામાં(વર્ષ ૨૦૦૧-૦૨ ની કિંમતે) કુલ ખર્ચ રૂપિયા ૧૬૧૮૪૬૦/- કરોડ હતો. આમાંથી સિંચાઇ અને પૂર નિયંત્રણ માટે રૂપિયા ૧૧૨૪૧૫/- કરોડ ખર્ચ હતો જે કુલ ખર્ચના ૬.૯% જેટલો થાય છે. અગિયારમી પંચવર્ષિય યોજનામાં કુલ ખર્ચ રૂપિયા ૩૬૪૪૭૧૦/- કરોડ અંદાજવામાં આવેલું હતું. આમાં સિંચાઇ અને પૂર નિયંત્રણ માટે રૂપિયા ૨૧૦૩૨૬/- કરોડ ફાળવવામાં આવ્યા હતા.(૫.૮%). આ રીતે કેન્દ્ર સરકાર સિંચાઇ જેવી બાબતોના ખર્ચમાં ઘટાડો કરી રહી છે જે ઇચ્છનિય નથી.
ભારતમાં કૃષિક્ષેત્રે સૌથી વધારે જળ સંસાધનો વાપરવામાં આવે છે. કૃષિક્ષેત્રનો કાચી ગૃહ પેદાશોમાં ૧૩.૯% જેટલો ભાગ છે અને તે દેશના ૫૨% લોકોને રોજગારી પૂરી પાડે છે. સિંચાઇને કારણે દેશમાં હરિયાળી ક્રાંતિ થઇ છે. સિંચાઇને કારણે દેશના કૃષિ ઉત્પાદનોમાં ૫૫% જેટલી વૃદ્ઘિ થઇ છે. આમ થવાથી રોજગારી સર્જન, અનાજની સલામતિ અને ગરીબીમાં ઘટાડો થયો છે. સિંચાઇની સવલતોમાં વૃદ્ઘિ થવાથી ગરીબી અને નિર્બળતા ઘટશે. સિંચાઇમા ંવૃદ્ઘિ થવાથી અર્થતંત્રમાં ઉદભવતી ચાવીરુપ અસરો આ પ્રમાણે છે :
પાકના ઉત્પાદનમાં, પાક હેઠળના વિસ્તારોમાં, પાકની ઘનિષ્ટતામાં તેમજ પાક વૈવિધ્યમાં વધારો થાય છે. ૨. આવક અને વપરાશ: પાક ઉત્પાદનમાં વૃદ્ઘિ થવાથી ખેડૂતોની આવકમાં વધારો થાય છે. કુટુંબની અનામત વપરાશમાં વધારો તેમજ કૃષિ પેદાશોની આવકમાં સ્થિરતા અને ખાદ્ય પેદાશોના ભાવમાં ઘટાડો થાય છે. ૩. રોજગારી: કૃષિ ક્ષેત્રે રોજગારીની તકો તેમજ આનુષાંગિક ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં વધારો થાય છે. રોજગારીમાં સ્થિરતા આવે છે. પરિણામે, ગ્રામિણ ક્ષેત્રે વેતન દરોમાં વધારો જોવા મળે છે. ૪. અન્ન સલામતિ: યોગ્ય સિંચાઇની સવલતોને કારણે પાકની નિષ્ફળતાનું પ્રમાણ ઘટે છે. ઉત્પાદન વધે છે. ઉત્પાદનમાં વધારો થવાથી વપરાશમાં સ્થિરતા આવે છે. ૫. અન્ય અસરો: ઉત્પાદન વધવાથી ખેડૂતોના દેવાનું પ્રમાણ ઘટે છે. સિંચાઇની સગવડો વધવાથી ગ્રામિણ ક્ષેત્રે સ્વાસ્થ્ય અને શિક્ષણ માટેના સાધનોની ફાળવણીનું પ્રમાણ વધે છે. પાયાની સુવિધાઓમાં વધારો થાય છે.
જો પાણી પૂરવઠા વિતરણ બાબતે મીટરો લગાવવામાં આવેલા ન હોય અને વપરાશકર્તાએ નક્કી કરેલી કિંમત ચૂકવવાની હોય તો પાણીનો બગાડ વધશે. આથી મીટર પદ્ઘતિ અપનાવેલી હોય તો પાણીનો સાવચેતીપર્વિક ઉપયોગ થશે અને બગાડ અટકશે. ૨. પાણીનું રિચાર્જ કરવું: પાણીનો સંગ્રહ કરી શકાય તેવા તળાવો અને નાના-મોટા બંધો બાંધવા જોઇએ. વનીકરણ કરવું જેથી વધુ વરસાદ મળી શકે.
લેખક: ભીમસિંહ હડિયોલ (લેખક બોટાદકર, આર્ટસ/કોમર્સ કોલેજ, બોટાદમાં આસિ. પ્રોફેસર છે.)
સંકલન: કંચન કુંભારાણા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020