સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના અંતર્ગત સહભાગી ધોરણે સમગ્ર રાજયમાં ચેકડેમ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ યોજનાનો ચોથો તબકકો વિભાગના તા. ૧-૪-૦૫ના ઠરાવથી અમલમાં આવેલ છે, જે અન્વયે સમગ્ર રાજયમાં ચેકડેમોની કામગીરી માટે સરકારી ફાળા અને લોકફાળાનું ધોરણ ૮૦ ૨૦ નિયત કરાયેલ છે. વધુમાં ચોથા તબકકામાં માત્ર સીમેન્ટ કોંક્રીટના ચેકડેમ બાંધવાનો નિર્ણય લેવાયેલ છે.
ચોથા તબકકા અંતર્ગત ચેકડેમોને તેની અંદાજીત કિંમત તથા ચેકડેમના સ્થળને આધારે ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવેલ છે.
આવા ચેકડેમો માત્ર ખેડૂત લોકજૂથો સ્થાનિક વોંકળા ઉપર બાંધી શકે છે. તે માટે ખેડૂત લોકજૂથોએ નિયત નમૂનામાં વિભાગ હેઠળની સબ ડીવીઝન કચેરીઓ ખાતે અરજી કરવાની રહે છે. આવી દરખાસ્તોને જરૂરી મંજુરીની પ્રક્રિયા વિભાગ હેઠળની વર્તુળ કચેરીઓના અધિક્ષક ઇજનેરશ્રીઓએ દ્વારા આપવાની રહે છે. મંજૂરી મળ્યા બાદ ખેડૂત લોકજૂથો ચેકડેમની કામગીરી કરી શકે છે.
આવા ચેકડેમો ખેડૂત લોકજૂથો, ઔઘોગિક ગૃહો, બિનસરકારી સ્વૈચ્છિક સંસ્થાનો, નગર પાલીકા, મહાનગર પાલીકા માર્કેટીંગ યાર્ડ, એપીએમસી કરી શકે છે. આવા ચેકડેમો સ્થાનિક વોંકળા ઉપર બાંધી શકાય છે.
સંસ્થાનોએ પ્રથમ નિયત ધારા અનુસાર સબડીવીઝન કચેરી ખાતે સંસ્થાની નોંધણી સારૂ અરજી કરવાની રહે છે. આવી અરજીઓની ચકાસણી નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી/કાર્યપાલક ઇજનેરશ્રી/અધિક્ષક ઇજનેરશ્રી દ્વારા થયા બાદ ભલામણ સહ દરખાસ્ત મંજુરી અર્થે સરકારશ્રીમાં કરવામાં આવે છે.
ઉપર મુજબની નોંધણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અથવા ખેડૂત લોકજૂથોએ નિયત નમુનામાં અરજી કર્યા બાદ જે તે સ્થળ ઉપર ચેકડેમ બાંધવાની સૈધ્ધાંતિક મંજુરી અને તાંત્રિક મંજુરી મેળવવાની રહે છે. આવી મંજુરી મેળવ્યા બાદ ચેકડેમની કામગીરી હાથ ધરી શકાય છે.
આવા ચેકડેમો ઔઘોગિક ગૃહો, સ્વૈચ્છિક સંસ્થાનો, બિનસરકારી સંસ્થાનો, નગર પાલીકા, મહાનગર પાલીકા, માર્કેટીંગ યાર્ડ, એપીએમસી કરી શકે છે. આવા ચેકડેમો માત્ર મોટી નદીઓ અથવા જળસંપત્તિ વિભાગ દ્વારા આઇડેન્ટી ફાઇડ ગણાતી નદીઓ પર બાંધી શકાય છે.
ઉપર જણાવેલ સંસ્થાનોએ મુદ્દા ક્રમાંક-૨માં જણાવ્યા અનુસારની સંસ્થાની નોંધણીની પ્રક્રિયા, ચેકડમની સૈધ્ધાંતિક મંજુરીની પ્રક્રિયા અને તાંત્રિક મંજુરીની પ્રક્રિયાઓ પુર્ણ થયા બાદ ચેકડેમની કામગીરી હાથ ધરી શકે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/1/2019