অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મધ્ય ગુજરાત

મધ્ય ગુજરાત

મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ અને મહીસાગર જીલ્લાનો સમાવેશ થાય છે. આ વિસ્તારની જમીન ની ઉંડાઇ છીછરા થી વધુ ઉંડાઇ સુઘી વિસ્તરેલી છે. છીછરા પ્રકારની જમીન પૂર્વ વિસ્તારમાં જોવા મળે છે. જમીનની પોત ભારે થી હલકાં પ્રકારની છે. જમીન ની નિતારશકિત મધ્યમ થી સારી તેમજ અમુક વિસ્તારમાં કાંઇક અંશે વધુ પડતી સારી જોવા મળે છે. જમીન ની ખારાશ સાઘારણ થી મધ્યમ છે. સમુદ્ર તરફ નાં વિસ્તારની જમીનમાં તિવ્રખારાશ જોવા મળે છે. જીલ્લાવાર જમીનની વિવિધ લાક્ષણિકતાઓ જેવી કે ઉંડાઇ, પોત , નિતારશક્તિ, ખારાશ વિગેરે આ મુજબ છે.

આણંદ અને ખેડા જીલ્લામાં પશ્ચિમ  તરફ ની જમીન ઉંડા પ્રકારની છે. જ્યારે વડોદરા અને પંચમહાલ જીલ્લા ની હદ ને સ્પર્શતા વિસ્તારમાં તે વધારે ઉંડાઇ ધરાવે છે. વડોદરા જીલ્લાની જમીન પૂર્વ વિસ્તારમાં છીછરા થી મધ્યમ ઉંડાઇ ધરાવે છે તે સિવાય નાં વિસ્તારમાં વધારે ઉંડાઇ ધરાવે છે. નર્મદા જીલ્લાની હદ તરફનાં વિસ્તારમાં મધ્યમ છીંછરી થી મધ્યમ ઉંડાઇ વાળી જમીન છે. દાહોદ જીલ્લામાં છીછરા થી મધ્યમ ઉડાઇ ધરાવતી જમીન છે.

આણંદ, ખેડા જીલ્લામાં જમીન ગોરાળુ પ્રકારની મધ્યમ  પોત ધરાવે છે. પંચમહાલ વડોદરા જીલ્લાની હદ ને જોડતાં વિસ્તારમાં તે હલકી પોત એટલે કે (રેતાળ) પ્રકારની છે. પંચમહાલ જીલ્લામાં ભારે થી મધ્યમ પોતવાળી જમીનની સાથે હલકા પોત ધરાવતી જમીન પણ છે. વડોદરા, દાહોદ જીલ્લામાં મહંદઅંશે ભારેથી મધ્યમ પોત ધરાવતી જમીન છે અને નર્મદા, પંચમહાલ જીલ્લાની હદને જોડતાં વિસ્તારમાં હલકા પોત ની (રેતાળ) જમીન છે.

આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ જીલ્લાની જમીન સારી નિતારશક્તિ ધરાવે છે. તે વડોદરા જીલ્લામાં મધ્ય ની તેમજ ભરુચ જીલ્લાની હદ ને સ્પર્શતા વિસ્તારની જમીન મધ્યમ સારા પ્રકારની નિતારશક્તિ વાળી છે. જ્યારે બાકીનાં વિસ્તારમાં જમીનની નિતારશક્તિ સારી છે.

આણંદ, જીલ્લાનાં પશ્ચિમ વિસ્તારની જમીન મધ્યમ ખારાંશ ધરાવે છે. જ્યારે ઉત્તરીય વિસ્તારની જમીન  સાઘારણ ખારાશ વાળી છે. ખંભાતની ખાડી તરફનાં વિસ્તારમાં મધ્યમ તિવ્ર ખારાશ વાળી જમીન છે. બાકીના વિસ્તારમાં જમીનમાં ખારાશ જોવા મળતી નથી. ખેડા જીલ્લામાં પશ્ચિમ ભાગની જમીન સામાન્ય થી મધ્યમ ખારાશ વાળી છે. વડોદરા જીલ્લામાં ભરૂચ જીલ્લાની હદને સ્પર્શતા વિસ્તાર તરફ જમીન સામાન્ય થી મધ્યમ ખારાશ ધરાવે છે. સામાન્ય રીતે જોતાં વડોદરા, આણંદ ખેડા, પંચમહાલ અને દાહોદ જીલ્લાઓની જમીનમાં મોટા ભાગે ખારાશ જોવા મળતી નથી

સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate