પાણી નિઃશંકપણે જીવનનું અમૃત છે. જેના વગર આપણા ગ્રહ પર જીવન શક્ય નથી. જ્યા વિપુલ પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોય તેવા સ્થેળની આસપાસ જ સંસ્કૃશતિ પાંગરેલી હોવાનું જણાય છે. સિંચાઈ, માનવ અને પ્રાણીઓ માટેનો વપરાશ, ઔદ્યોગિક વૃદ્ધિ, જળવિદ્યુત ઉત્પાદનની વધતી જતી માંગમાં ઉપલભ્ય જળ સ્ત્રો તોને વધુમાં વધુ નાથવાની સતત જરૂર પડે છે
આપણે (૧) પાણીનો કોઈ જ વિકલ્પ નથી, અને (૨) પાણી હવે આજની દુર્લભ ચીજ અને ભવિષ્યમાં તે હજુ વધુ દુર્લભ બનશે તે બે મૂળભુત હકીકતને યાદ રાખવાની છે.
અમૂલ્ય અને સીમિત જળસંપત્તિને મહત્તમ પ્રમાણમાં નાથવા માટે, વિશાળ, મધ્યમ અને નાના સંગ્રહો, ભૂગર્ભ જળનો સંયુક્ત વપરાશ, ભૂતળ સંગ્રઓનુ જતન અને ફેર વપરાશ, ક્ષારવૃદ્ધિ નિવારણ, પાણીના વધારાના જથ્થાનું માર્ગાંન્તર વિગેરેનો આંતરિક અને સંકલિત પદ્ધતિનો સમાંતરપણે આશ્રય લેવાનો હોય છે. આ તમામ બાબતોનો ક્યાસ કરવા માટે ગુજરાત સરકારનો નર્મદા, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ રાજ્યના નાગરિકોના લાભ માટે જળસંપત્તિને મહત્તમ પ્રમાણમાં નાથવાના સ્પષ્ટ ધ્યેયથી કામ કરી રહ્યો છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/30/2018