অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાલિકા શિક્ષણ

બાલિકા શિક્ષણ

ભારતીય સરકારે તમામ લોકો માટેના શિક્ષણ તરફ મજબૂત વચનબદ્ધતા અભિવ્યક્ત કરી છે; જોકે,ભારત એશિયામાંના સૌથી નિમ્ન સ્ત્રી સાક્ષરતા દરો ધરાવનારાઓમાંનું એક છે.1991માં,સાત વર્ષ અને તેનાથી વધારેની 330 મિલીયન સ્ત્રીઓમાંથી 40 ટકાથી પણ ઓછી સાક્ષર હતી,જેનો મતલબ આજે 200 મિલીયનથી પણ વધારે સ્ત્રીઓ ભારતમાં નિરક્ષર છે.

આ સાક્ષરતાના નિમ્ન સ્તરનો માત્ર સ્ત્રીના જીવન પર જ નકારાત્મક પ્રભાવ નથી પડતો પરંતુ તેમના દેશના આર્થિક વિકાસ પર પણ નકારાત્મક પ્રભાવ પડે છે.સંખ્યાબંધ અભ્યાસો બતાવે છે કે નિરક્ષર સ્ત્રીઓ મોટેભાગે માતૃ મૃત્યુદરના ઉચ્ચ સ્તરો,ખરાબ પોષણ દરજ્જો,નિમ્ન આવક સંભાવ્યતા અને પરિવારની અંદર અલ્પ સ્વાયત્તતા ધરાવે છે.શિક્ષણનો અભાવ દર્શાવતી સ્ત્રીનો તેના સ્વાસ્થય પર અને તેણીના બાળકોના કલ્યાણ પર પણ નકારાત્મક પ્રભાવ હોય છે.દાખલા તરીકે,ભારતમાંના તાજેતરના સર્વેક્ષણમાં જોવા મળ્યું કે બાળ મૃત્યુદર વિપરીતપણે માતાના શૈક્ષણિક સ્તર સાથે સંબંધિત હતું.તદુપરાંત,શિક્ષિત વસ્તીનો અભાવ દેશના આર્થિક વિકાસ માટે અંતરાયરૂપ બની શકે છે.

સામાન્યમાં કન્યાઓ અને સ્ત્રીઓના શિક્ષણને ભારત સરકાર સાથે ઉચ્ચ અગ્રતા હોય છે.નવી શતાબ્દિમાં,ભારતે તમામ બાળકો,ખાસ કરીને કન્યાઓ માટે પ્રારંભિક શિક્ષણ મેળવવા માટે વધતા સ્ત્રોતો અને મજબૂત નીતિ વચનબદ્ધતાઓ સાથે તેના આગળના શૈક્ષણિક સુધારાઓને એકત્રિત કર્યા છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/11/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate