অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વાર્ષિક અહેવાલ

વાર્ષિક અહેવાલ

બાળ અધિકાર શું છે ?

  • જીવન જીવવાનો અધિકાર
  • વિકાસ નો અધિકાર
  • રક્ષણનો અધિકાર
  • સહભાગિતાનો અધિકાર

આયોગની ભૂમિકા

  • જાહેર જાગૃતિ
  • સંશોધન
  • સતત ધ્યાન રાખવું
  • ફરિયાદોનું નિવારણ
  • ભલામણો

પ્રસ્તાવના

બાળકએ સમાજનું એક પાયાનું અભિન્ન અંગ છે, તથા તે સમાજનો મહત્વનો હિસ્સો છે. એક સુરક્ષિત, તંદુરસ્ત અને શિક્ષિત બાળક ભવિષ્યમાં સુદ્રઢ સમાજનું નિમણિ કરે છે. તે ધ્યાને લઈ બાળકોને વિવિધ અધિકારો આપવામાં આવેલ છે. પરંતુ, બાળકો આ અધિકારો મુક્ત રીતે ભોગવી શકે તે માટે અનેક અડચણો પણ ઊભી થતી હોઈ છે. આ સંદર્ભમાં બાળકના સર્વાગી વિકાસ માટે બાળ અધિકારના સંરક્ષણની જોગવાઈ કરવી પણ એટલી જ અગત્યની છે.

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના

ભારત સરકાર દ્વારા વર્ષ ૧૯૯૨માં યુનાઈટેડ નેશન્સનાં બાળ અધિકારો બાબતના સમજૂતી કરાર સ્વીકારેલ છે જેના સંદર્ભે બાળ અધિકારોના રક્ષણ અર્થે ધી કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ એકટ-૨૦૦૫ સંસદે પસાર કરેલ છે અને મહામહિમ રાષ્ટ્રપતિશ્રી દ્વારા તા. ૨૦-૦૬-૨૦૦૬ના રોજ આ કાયદાને અનુમતિ આપવામાં આવેલ છે. આ કાયદાની કલમ ૧૭ મુજબ તા. ૨૮-૦૯-૨૦૧૨ના જાહેરનામાથી ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન અને સભ્યો આયોગના અધ્યક્ષશ્રીની તારીખ ૨૮-૦૯-૨૦૧૨ના જાહેરનામાથી અને તા. ૨૧-૦૨૨૦૧૩ના જાહેરનામાથી ૬ સભ્યોની નિમણુંક કરવામાં આવેલ છે. વર્ષ ર૦૧૩-૧૪ દરમિયાન આયોગના ચેરપર્સન અને સભ્યો નીચે મુજબ હતા.

  • પ્રો. રામેશ્વરી એમ.પંડ્યા (ચેરપર્સન)
  • ડૉ. નયનાબેન જે. રામાણી (સભ્ય)
  • સુ.શ્રી રસીલાબેન સોજીત્રા (સભ્ય)
  • સુ.શ્રી મધુબેન વિષ્ણુભાઈ સેનમા (સભ્ય)
  • સુ.શ્રી જીજ્ઞાબેન સંજયકુમાર પંડ્યા (સભ્ય)
  • સુ.શ્રી ભારતીબેન વીરસંગભાઈ તડવી (સભ્ય)
  • સુ.શ્રી હેમાક્ષીબેન મનોજભાઈ ચૌહાણ (સભ્ય)

બાળ અધિકારો

ધી કમિશન્સ ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ એક્ટ-ર૦૦૫ની કલમ ર (બી) મુજબ બાળ અધિકારોમાં તારીખ ૨૦-૧૧-૧૯૮૯ના રોજ યુનાઈટેડ નેશન્સ કન્વેન્સન ઓફ ચાઈલ્ડ રાઈટ્સમાં સ્વીકારવામાં આવેલા અને ભારત સરકાર દ્વારા તારીખ ૧૧-૧૨-૧૯૯૨ના રોજ અનુમોદિત થયેલ બાળ અધિકારોનો સમાવેશ થાય છે.

પ્રવર્તમાન બાળ અધિકાર કાયદાઓ

  • બાળ અધિકાર સંરક્ષણ આયોગો અધિનિયમ-૨૦૦૫
  • બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ-૨૦૦૯
  • બાળકોના જાતીય સતામણીના સંરક્ષણ અધિનિયમ-૨૦૧૨
  • વેઠપ્રથા (નાબુદી) અધિનિયમ-૧૯૭૬
  • બાળ કામદાર (નાબુદી અને નિયમન) અધિનિયમ-૧૯૮૬
  • કારખાના અધિનિયમ-૧૯૪૮
  • હિંદુ માઈનોરોટી એન્ડ ગાડીયન એકટ-૧૯પ૬
  • ગાડીયન એન્ડ વોર્ડસ એક્ટ-૧૮૯૦
  • અનૈતિક વ્યાપાર (દમન) અધિનિયમ-૧૯૫૬
  • શિશુના દૂધ અવેજી, દૂધની બોટલ અને બાળ ખોરાક (ઉત્પાદન, પુરવઠા અને વિતરણ નિયમન) અધિનિયમ-૧૯૯૨
  • કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને રક્ષણ) અધિનિયમ-૨૦૦૦
  • ગભવિસ્થાની તબીબી સમાપ્તિ અધિનિયમ-૧૯૭૧
  • ખાણ અધિનિયમ-૧૯૫૨
  • રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ-૨૦૧૩
  • બાળ લગન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬
  • ગર્ભધારણ પછી અને જન્મ પહેલા પરીક્ષણ ટેકનીકો (જાતિ પસંદગી ઉપર પ્રતિબંધ) અધિનિયમ-૧૯૯૪
  • યંગ પર્સન (હામફુલ પબ્લિકેશન) એક્ટ-૧૯૫૬

આયોગના કાર્યો

  • બાળ અધિકારનો ભંગ કે અતિક્રમણના કિસ્સાઓમાં તપાસ કરવી અને સંબંધિત સત્તાવાળાને કામગીરી કરવા ભલામણ કરવી.
  • કોઈપણ કાયદા દ્વારા અથવા તેની હેઠળ બાળકોને સુરક્ષાના અધિકારોના સંરક્ષણ અંગેની તમામ બાબતોની તપાસ અને સમીક્ષા કરવી અને તેના અસરકારક અમલીકરણ માટે પગલાં લેવા.
  • બાળકોના અધિકારો ભોગવવામાં બાધારૂપ હોય તેવા પરિબળો જેમ કે આતંકવાદ, કોમી, હિંસા, કુદરતી આપત્તિ, ઘરેલું હિંસા, એચ.આઈ.વી./એઈડસ, લોહીનો વેપાર, દુવ્યવહાર, ત્રાસ અને શોષણ, અશ્લીલતા, વેશ્યાગીરીમાં ધકેલવું વગેરે બાબતોમાં તપાસ કરવી અને યોગ્ય ઉપાયાત્મક, પગલાં લેવાની ભલામણ કરવી.
  • જ્યાં બાળ ગુન્હેગારોને સારવાર માટે, સુધારણા માટે કે રક્ષણ માટે રાખવામાં આવ્યા હોય તે બાળરક્ષણ ગૃહનું ઈન્સપેકશન કરવું અને ઉપાયાત્મક પગલાં માટેની બાબત સબંધિત સાથે હાથ ધરવી.
  • બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ-૨૦૦૯ તથા બાળકોના જાતીય સતામણીના સંરક્ષણ અધિનિયમ-૨૦૧૨ હેઠળ મોનીટરીંગ અને તપાસની કામગીરી.
  • બાળ અધિકારોના ભંગની ફરીયાદો મળતા તપાસ કરવી અને પોતાનીએ મેળે નોંધ લઈ (Suo Motto) નીચેની બાબતો હાથ પર લેવી.
  1. બાળકોને અધિકારથી વંચિત રાખવા સબંધિત બાબતો.
  2. બાળ વિકાસ અને સુરક્ષાના કાયદાના બિન અમલીકરણને લગતી બાબતો.
  3. બાળકોની મુશ્કેલીઓ ઘટાડવી અને તેમના કલ્યાણને સુનિશ્ચિત કરવાના અને રાહત પૂરી પાડવા માટે ધારેલ નીતિ વિષયક નિર્ણયો, માગદર્શિકાઓ અથવા સૂચનાઓના પાલન ન થવા સબંધિત બાબતો.
  • બાળ હક્કો અંગેની હાલની નીતિઓ, કાર્યક્રમો અને બીજી પ્રવૃત્તિઓ તપાસી બાળકોના હિતમાં તેનું અસરકારક અમલીકરણ કરવા ભલામણ કરવી.
  • સમાજના જુદા જુદા વગોંમાં બાળ અધિકાર અંગેની સમજ કેળવાય અને જાણકારી વધે તે માટે પ્રકાશન પ્રચાર-પ્રસાર માધ્યમો, સેમિનાર તેમજ અન્ય ઉપલબ્ધ સવલતો મારફતે પ્રયત્નો કરવા.
  • સમયાંતરે રાજ્ય સરકારને બાળ અધિકાર સંરક્ષણ સંબધિતના કામકાજની અસરકારકતા અંગે અહેવાલ આપવો.
  • બાળ અધિકાર ક્ષેત્રે ખાસ અભ્યાસ કરવા અને કરાવવા.

આયોગની સત્તાઓ

  • આયોગને કેટલીક બાબતોમાં તપાસ કરતી વખતે દીવાની કાર્ય રીતિ કાયદો ૧૯૦૮ હેઠળ દાવાની કાર્યવાહી કરતી દીવાની અદાલતની તપાસ સત્તાઓ રહેશે અને ખાસ કરીને નીચેની બાબતોમાં એટલે કે :
  1. કોઈપણ વ્યક્તિ બોલાવવાની અને હાજર કરાવવી અને સોગંદ પર એને તપાસવી.
  2. કોઈ દસ્તાવેજોની શોધ અને તે રજૂ કરવા.
  3. કોઈ અદાલત કે કચેરીમાંથી જાહેર રેકર્ડ કે એની નકલ માંગવી.
  4. સોગંદનામા પર પુરાવા મેળવવા.
  5. સાક્ષીઓ કે દસ્તાવેજોની તપાસ માટે કાર્યાધિકાર બહાર પાડવા.
  6. કેસની અદાલતી કાર્યવાહીની હકૂમત ધરાવતા મેજિસ્ટ્રેટને કોઈકેસ મોકલવા આયોગને સત્તા રહેશે.

તપાસ બાદની કાર્યવાહી

આ અધિનિયમ હેઠળ કરવામાં આવેલી તપાસ પૂરી થયેથી આયોગ નીચેનામાંથી કોઈપણ પગલું લેશે, એટલે કે :

જયાં તપાસ, બાળ અધિકારનો ગંભીર પ્રકારનો ભંગ થયાનું અથવા તત્કાલીન અમલમાં હોય એવા કોઈ કાયદાની જોગવાઈઓનું ઉલ્લધન પ્રકટ કરે ત્યાં સંબંધિત વ્યક્તિ કે વ્યક્તિઓ સામે ફરીયાદ માંડવા અથવા આયોગને યોગ્ય લાગે એવી કાર્યવાહી કરવા તે સંબંધિત સરકાર અથવા સત્તાધિકારીને ભલામણ કરી શકે. ન્યાયાલયને જરૂરી લાગે એવી સૂચનાઓ હુકમો અથવા રીટ માટે સર્વોચ્ચ ન્યાયાલય કે ઉચ્ચ ન્યાયાલયનો સંપર્ક કરે. આયોગ આવશ્યક ગણે તે પ્રમાણે, ભોગ બનેલાને અથવા એના કુટુંબના સભ્યને આવી વચગાળાની રાહત આપવા માટે સંબંધિત સરકાર કે સત્તાધિકારીને ભલામણ કરે.

આયોગને ફાળવવામાં અનુદાન

ગુજરાત સરકાર :ગુજરાત સરકાર દ્વારા આયોગને પગાર/ભથ્થા, પ્રવાસ તેમજ કચેરી ખર્ચ માટે વર્ષ ૨૦૧૩-૧૪ માટે રૂ. ૬૧.૦૦ લાખ ફાળવેલ હતાં. જે પૈકી રૂા. ૬૧.૦૦ લાખનો ખર્ચ થયેલ છે. સર્વ શિક્ષા અભિયાન: બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ-૨૦૦૯ હેઠળ મોનીટરીંગના હેતુ માટે સવશિક્ષા અભિયાન દ્વારા રૂા. ૨૯.૨૭ લાખ અનુદાન ફાળવવામાં આવેલ હતું. આ ફંડ તા. ૦૩-૦૨-૨૦૧૪ના રોજ ફાળવવામાં આવેલ હતું. જે હેઠળનો ખર્ચ હવે પછીના વર્ષમાં કરવામાં આવશે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ : ૨૬ / ૨૭ .૦૩ ૨૦૧૪ National Seminaron "Children in Media: Issues & Perspectives” ના આયોજન માટે રૂ. ૩.૧૬ લાખ અનુદાન ફાળવવામાં આવેલ હતું. આ કાર્યક્રમના આયોજન માટે આ રકમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના હવાલે મુકવામાં આવી હતી.

આયોગની બેઠકો

  • દ્વિતીય બેઠક :  ૨૬.૦૬.૨૦૦૯
  • ત્રીજી બેઠક :  ૦૨.૦૯.૨૦૧૩
  • ચોથી બેઠક :  ૩૦.૧૧.૨૦૧૩
  • પાંચમી બેઠક :  ૦૨.૦૨.૨૦૧૪
  • છઠ્ઠી બેઠક :  ૦૭.૦૨.૨૦૧૪

ચેરપર્સન અને સભ્યો વચ્ચે જિલ્લા વહેચણી

ચેરપર્સન દ્વારા સમગ્ર રાજય માટે આયોગની તમામ બાબતો માટે મોનીટરીંગ કરવામાં આવે છે. પરંતુ કામગીરીની સુગમતા ચેરપર્સન અને સભ્યો વચ્ચે નીચે મુજબની રાજ્યના જિલ્લાઓની વહેચણી કરવામાં આવેલ હતી. જેની વિગતો પત્રક-૧માં સામેલ છે.

આયોગ દ્વારા જિલ્લા મુલાકાત

વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન આયોગ દ્વારા ડાંગ જિલ્લાની મુલાકાત લેવામાં આવેલ હતી. ચેરપર્સનશ્રીના અધ્યક્ષ સ્થાને આયોગ દ્વારા રાજ્ય ડાંગ જિલ્લાની અને સંસ્થાઓની મુલાકાતો દરમિયાન જિલ્લા અધિકારીઓ સાથે બાળ અધિકાર સંરક્ષણની પરિસ્થિતિ સંદર્ભે ચર્ચાવિચારણા કરી સૂચનો કરેલ હતા. સંસ્થાઓની મુલાકાત લઈ તેની પ્રવૃત્તિઓની માહિતી મેળવી બાળકોની પરિસ્થિતિની જાણકારી મેળવી બાળકોના પ્રતિભાવો મેળવેલ હતાં. આયોગ દ્વારા લેવાયેલ જિલ્લા તથા સંસ્થાઓની મુલાકાતોની વિગતો પત્રક-રમાં દર્શાવેલ છે. આયોગના સભ્યો દ્વારા જિલ્લાઓ અને સંસ્થાઓની મુલાકાતો અહેવાલના સમયગાળા દરમિયાન આયોગના સભ્યશ્રીઓ દ્વારા રાજ્યની વિવિધ જિલ્લાઓ અને સંસ્થાઓની મુલાકાતો લેવામાં આવેલ હતી. જે દરમિયાન જિલ્લા અધિકારીઓ સાથે બાળ અધિકાર સંરક્ષણની પરિસ્થિતિ સંદર્ભે ચર્ચા વિચારણા કરી સૂચનો કરેલ હતા.  સંસ્થાઓની મુલાકાત લઈ તેની પ્રવૃત્તિઓની માહિતી મેળવેલ હતી. બાળકોની પરિસ્થિતિની જાણકારી મેળવી બાળકોના પ્રતિભાવો મેળવેલ હતાં. સભ્યશ્રીઓ દ્વારા લેવાયેલ જિલ્લા તથા સંસ્થાઓની મુલાકાતોની વિગતો પત્રક-૩માં દર્શાવેલ છે.

આયોગનું મહેકમ

  • તારીખ ૩૧-૦૩-૨૦૧૪ના રોજ આયોગની મંજૂર થયેલ અને ભરાયેલ જગ્યાઓની વિગત દર્શાવતું પત્રક-૪માં રાખેલ છે.

આયોગને મળેલ ફરિયાદો/અરજીઓ

૨૦૧૩-૧૪ના અહેવાલના સમયગાળા દરમિયાન આયોગને ૩૭ ફરિયાદો મળેલ હતી. જે પૈકીની ૧૪ ફરિયાદોનો નિકાલ થયેલ હતો.

આયોગ દ્વારા કરવામાં આવેલ સેમીનાર/કોન્ફરન્સ/વર્કશોપ

તા. ૦૯/૧૦-૦૪-૨૦૧૩ના રોજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, શિક્ષણ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગુજરાત રાજય બાળ સંરક્ષણ સોસાયટી, આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાન અને યુનિસેફ ગુજરાત ના સંયુક્ત ઉપક્રમે  "Making Child Rights a Reality for Every Child in India” અંગે રાષ્ટ્રીય સેમિનાર અમદાવાદ ખાતે યોજવામાં આવેલ હતો. આ સેમિનાર માટે ૨૯૧ વ્યક્તિઓ નોંધાયેલ હતી. જેમાં મહાનુભાવો, ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત જિલ્લા બાળ સુરક્ષા એકમોના પ્રતિનિધીઓ, બાળ સંભાળ સંસ્થાઓના પ્રતિનિધિઓ, બાળ અધિકાર ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓના પ્રતિનિધિઓ, રીસર્સ સ્કોલર્સ, વિદ્યાર્થીઓ અને વિવિધ યુનિવર્સિટીઓના ફેકલ્ટી મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા. સેમીનારમાં બાળકોને અપાયેલ અધિકારો અને તેના સંરક્ષણની જરૂરીયાત અને તે માટે જોગવાઈઓની વિશદ ચર્ચા વિચારણા થયેલ હતી.

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગુજરાત મહિલા આયોગ અને મહારાજા સયાજીરાવયુનિવર્સિટી, વડોદરાના ૨૬/૨૭. ૦૩/૨૦૧૪ ના રોજ  National Seminar on “Childern and Women in Media : Issues & Perspectives” યોજવામાં આવેલ હતો. જેમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સનશ્રી, જાણીતા પત્રકારો, ચાર યુનિવર્સિટીના વાઈસ ચાન્સલરો તથા અન્ય વિષય નિષ્ણાતોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરૂં પાડેલ હતું. આ સેમિનારમાં બાળકો અને મહિલાઓને સંબંધિત મીડીયાની બાબતો અંગે વિશદ ચર્ચાવિચારણા થયેલ હતી. આ ઉપરાંત આ સેમિનાર દરમિયાન ૮૫ પેપર્સ રજૂ થયેલ હતા.

સકસેસ સ્ટોરી

  • પોરબંદર - લોહાણા બાલાશ્રમ સંસ્થામાં બાળકો ઉપર જાતિય દુષ્કત્વ થતાં હોવાની ફરિયાદ બાબતે આયોગના સભ્ય દ્વારા ડીસેમ્બર-૨૦૧૩ના માસમાં સ્થાનિક મુલાકાતો અને તંત્ર સાથેના ઘનિષ્ઠ પરામર્શ બાદ આ કેસમાં પોસ્કો એકટ લગાવવામાં આવેલ હતો અને બાળકોની ખાસ તબીબી તપાસ હાથ ધરાયેલ જેમાં ત્રણ બાળકોને એચ.આઈ.વી. પોઝીટીવ માલુમ પડેલ હતો.
  • આર.જે.એસ. હાઈસ્કુલ, ઢસા તા. ગઢડા જિ. ભાવનગરમાં બાળકોના હિતનું હનન થતું હોઈ અને તેઓની સલામતી જોખમાતી હોવાની ફરિયાદ બાબતે આયોગના સભ્ય દ્વારા ઓગષ્ટ-૨૦૧૩ના માસમાં શાળાની મુલાકાત લઈ તપાસ કરેલ હતી અને રૂબરૂ તપાસમાં આ ફરિયાદ ખોટી માલુમ પડેલ હતી અને આ શાળામાં મેનેજમેન્ટ અને આચાર્ય શિક્ષકો ગજગ્રાહ ચાલતો હોવાનું જણાયેલ હતું. તપાસ બાદ બાળકો તનાવમુક્ત થયેલ હતા.
  • ઓમપ્રકાશ વાલ્મીકિએ એમની ક્લાસિક આત્મકથાત્મક નવલકથા ‘જૂઠન’માં એમના શાળા જીવનના અનુભવની હ્રદયવિદારક વાત કરી હતી. નાનકડા ઓમપ્રકાશને પહેલા દિવસે જ સ્કુલમાં એવો અનુભવ થયો કે એની છાતીમાં જડાઈ ગયો. માસ્ટરે એને સ્કુલના કમ્પાઉન્ડના વૃક્ષની ડાળખીઓ તોડીને ઝાડુ બનાવવાનું કહ્યું. “अबे ओये चूहरे, उस पेड की टहनियां तोडकर झाडु बणा ले और पूरा मैदान साफ कर दे” એ વખતે તો ઓમપ્રકાશના બાપાએ સ્કુલમાં જઇને માસ્ટરને ખખડાવ્યો હતો અને એને કહેલું કે सिर्फ ये नहीं और भी चूहरे इस स्कुल में आएंगे और पढेंगे. तुम देखते रहेना. આજે સિત્તેર વર્ષ પછી પરિસ્થિતિ બદલાઈ નથી. ઉલ્ટાની અસમાનતા વધી છે. હવે ઝાડુ મારનાર કોઈ સ્કુલમાં જઇને એના સંચાલકને ખખડાવી શકે તેવી સ્થિતિમાં છે ખરો?
  • દલિત હક્ક રક્ષક મંચે ગુજરાત હાઇકોર્ટમાં આરટીઈ એક્ટના 25 ટકા ક્વોટાના અમલ માટે જાહેર હિતની અરજી કરી છે. માત્ર અમદાવાદ શહેરમાં 842 શાળાઓ ખાનગી છે. સરકારે એમાંથી માત્ર 382 શાળાઓને ક્વોટાના અમલ માટે અલગ તારવી છે. જે રીતે પોલિસ સ્ટેશનમાં માર નહીં ખાવાના આરોપીઓ પોલિસને પૈસા આપે છે એમ અહીં ક્વોટાની યાદીમાં દાખલ નહીં થવા માટે ખાનગી શાળાઓ સરકારને પૈસા ખવડાવે છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સીબીએસઈ અભ્યાસક્રમની અંગ્રેજી માધ્યમની રચના સ્કુલ છે. જિલ્લા શિક્ષણાધિકારીએ આ સ્કુલમાં આરટીઈ એક્ટ અંતર્ગત 25 ટકા ક્વોટા હેઠળ વંચિત વર્ગોના એકવીસ વિદ્યાર્થીઓને પ્રવેશ માટેનો લેખિત આદેશ આપ્યો છે. છેક એપ્રિલમાં આ શાળાનું સત્ર શરૂ થઈ ગયું છે અને હાલ તો વેકેશન છે. ગરીબ વિદ્યાર્થીઓને તત્કાલિક પ્રવેશ આપવાના બદલે શાળાના ટ્રસ્ટીઓ વાલીઓના ઘરે જઈને મકાનોના ફોટા પાડી રહ્યાં છે, એવું પૂરવાર કરવા કે તેઓ બીપીએલ કેટેગરીમાં આવતા નથી. ચમનપુરામાં એક વાલીના ઘરે ગયા ફોટા પાડવા તો ટ્રસ્ટીઓ હેબતાઈ જ ગયા, કહે છે, ”અરે, આ તો મચ્છી કાપે છે. છી! છી! છી!”

દલિત હક્ક રક્ષક મંચે આરટીઈ એક્ટ-2009ના રીટ્રોસ્પેક્ટિવ અમલ માટે પીઆઈએલ કરી છે. મુદ્દો એવો છે કે કેન્દ્ર સરકારે 2009માં કાયદો ઘડ્યો, ગુજરાત સરકારે નિરાંતે ત્રણ વર્ષ પછી છેક 2012માં નિયમો ઘડ્યા અને હજુ એનો અમલ કરતા ચૂંક આવે છે એટલે કહે છે કે આ અમારો પાયલોટ પ્રોજેક્ટ છે. અમે કહીએ છીએ, 2009 પછી 2010માં જે બાળકોએ પહેલા ધોરણ પ્રવેશ લીધો હતો એ બધા અત્યારે ચોથા-પાંચમા ધોરણમાં છે. એમાં જે કોઈ બાળકો ગરીબ હોય તેમના આધાર-પુરાવા મેળવીને ફી માફીનો લાભ આપો. રૂ. 100 કરોડ જેવી મામુલી રકમ જોઇશે. ગુજરાતના ગરીબ બાળકોના શિક્ષણ માટે એ કંઈ ઝાઝી રકમ નહીં હોય.

ખરેખર તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નિશાળો એરકન્ડિશન્ડ અને અંગ્રેજી માધ્યમની હોવી જોઇએ. બાળકને ઘરે જવાનું મન જ ના થાય. એને સરસ ક્વોલિટી એજ્યુકેશન મળે. દલિત હક્ક રક્ષક મંચે અમદાવાદ કોર્પોરેશનની સ્કુલોમાં અંગ્રેજી માધ્યમ શરૂ કરવા ગયા વર્ષે મેયર અને શાસનાધિકારીને આવેદનપત્રો આપ્યા હતા.

ગઈ સાલ ગુજરતમાં આરટીઈ એક્ટ હેઠળ 25 ટકા ક્વોટાના અમલ માટે ગુજરાત સરકારે માત્ર રૂ. 11 કરોડ ફાળવ્યા હતા. ગુજરાતમાં 2 લાખ બાળકોને આરટીઈ હેઠળ ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ આપવા માટે માત્ર રૂ. 200 કરોડ જોઇએ. સર્વ શિક્ષા અભિયાન જેવી તદ્દન ફાલતુ યોજના પાછળ ગયા વર્ષે રૂ. 1300 કરોડ ગુજરાત સરકારે વેડફ્યા હતા, સર્વ શિક્ષા અભિયાન એટલે ભૂતિયા બાળકો, એકથી વધુ કેન્દ્રો સંભાળતા બાળમિત્રો. ભાજપના કાર્યકરોને પોષવા માટે સર્વ શિક્ષા અભિયાન ચાલે છે. એનાથી ગરીબ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળતુ નથી.

મને કોકે પૂછ્યું કે 25 ટકા ક્વોટામાં પ્રવેશ માટે એસસી/એસટી માટે રૂ. બે લાખની અને ઓબીસી માટે રૂ. લાખની મર્યાદા કેમ? મેં કહ્યું લાખ રૂપિયા કમાવવામાં જેટલી મજુરી ઓબીસીને કરવી પડે એટલા જ રૂપિયા કમાવા માટે એસસી/એસટીને ડબલ મજૂરી કરવી પડે એવી ગણતરી સરકારે કરી હશે!

હું દલિતોના ગેઝેટેડ અધિકારીઓની સંસ્થા ”લક્ષ”માં ગયો. એમને કહ્યું, તમે બધા ચાલીઓમાંથી જ આવો છો. હવે તમારી પાસે ઇકોનોમિક પાવર છે, પરંતુ તમે માત્ર સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં જ રસ લો છો. દલિત યુવાનોને મામલતદાર, અધિકારી બનાવવા માંગો છો. આ બાબત ખોટી નથી, પરંતુ, આ તો દૂધ ઉકાળીને મલાઈ તારવવાની વાત છે. હું ગુણવત્તાયુક્ત દૂધ માટે એટલે કે, પહેલા ધોરણથી આરટીઈ માટે લડું છું.  તમારૂ લક્ષ દલિત સમાજના ગરીબો માટે હોવું જોઇએ.

2001ના સેન્શન પ્રમાણે ગુજરાતમાં અનુસુચિત જાતિઓની વસ્તી 40 લાખ હતી. એટલે કે, 8 લાખ પરિવાર. તેમાં 12 હજાર પરિવારો પાસે મોટર કાર હતી, સવા લાખ પરિવારો પાસે દ્વિચક્રી વાહનો હતા, બાકીના અંદાજે સાડા છ લાખ પરિવારો પાસે સાઈકલ હતી. દસ વર્ષમાં ગુજરાત બહુ જ વાઈબ્રન્ટ બન્યું. બહુ જ વાઇબ્રન્ટ બન્યું. ગુજરાત ભારતનું કેલિફોર્નિયા બની ગયું. હવે 2011માં વીસ હજાર પરિવારો પાસે મોટરકાર, 2 લાખ પરિવારો પાસે સ્કૂટર, બાઈક હશે. વસ્તી પણ વધીને પીસ્તાલીસ લાખ થઈ. નવ લાખ  પરિવારો થયા. હજુ સાડા છ લાખ પરિવારો પાસે સાઈકલ છે. આ પરિવારોને જરૂર છે આરટીઈ એક્ટની. પરંતુ, અફસોસ. દલિત સમાજના સાધન સપંન્ન લોકો, જેઓ પોતાના બાળકોને ઉંચી ફી ભરીને હાઈ ફાઈ શાળાઓમાં ભણાવી શકે છે તેમને ગરીબ બાળકો માટે આરટીઈનો અમલ કરાવવામાં લગીરે રસ નથી.

ગુજરાત સરકાર આરટીઈ એક્ટ હેઠળ ગરીબ બાળકો માટેના 25 ટકા ક્વોટા પાછળ નાણા ફાલવવા માંગતી નથી ગરીબોના બાળકોના શિક્ષણ પાછળ પૈસા વપરાશે, તો રીવરફ્રન્ટ પર ગરબા ગાવાના, પતંગ ઉડાવવાના, રણોત્સવ યોજવાના પૈસા ક્યાંથી લાવીશું?

ગુજરાતના ગરીબ બાળકોના પ્રાથિમિક શિક્ષણ માટે પાછલા દસ વર્ષમાં કશું જ થયુ નથી. અને હવે દેશમાં પણ કશું થવાનું નથી. દેશના વડાપ્રધાન દુનિયાના દેશોમા જઇને તંબૂરો વગાડતા રહેશે.

દેશમાં નિરક્ષરતાનું આભ ફાટ્યું છે, આરટીઈ એક્ટ તો માત્ર થીંગડું છે.

વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો” એવી કહેવત હતી. હવે એવું કહેવાની જરૂર છે કે, “કોંગ્રેસ, મરો, ભાજપ મરો, પણ અમારા બાળકના શિક્ષણનું કાંક કરો.”

ભ્રષ્ટાચાર કરતા પણ વધારે મહત્વનો મુદ્દો શિક્ષણનો છે, અદાણી, અંબાણી, ટાટા, બિરલાને કહીએ, તમારે જેટલો ભ્રષ્ટાચાર કરવો હોય તેટલો કરો, પણ અમારા બાળકોના શિક્ષણનું કાંક કરો.

જયપ્રકાશ નારાયણના એજન્ડામાં પણ શિક્ષણનો મુદ્દો નહોતો. આજે કોઈ રાજકીય પક્ષના એજન્ડામાં શિક્ષણનો મુદ્દો અગ્રસ્થાને નથી. પરંતુ આપણે કે. જી.થી પી. જી. સુધી મફત શિક્ષણ માટે શેરીઓમાં યુદ્ધ કરવું પડશે. ત્રિશુલ-દિક્ષાની નહી, કલમ-દિક્ષાની જરૂર છે.

  • સર્વ શિક્ષા અભિયાન (એસએસએ) ગુજરાતનું વર્ષ 2012-13નું બજેટ રૂ. 39 અબજ (રીપીટ 39 અબજ) છે. તેમાં કેન્દ્રનો ફાળો 65 ટકા છે અને દર વર્ષે અબજો રૂપિયાનો વધારો થતો જાય છે. દલિત-આદિવાસી-વંચિત સમુદાયોના ડ્રોપ આઉટ બાળકોને ફરી શાળાના શિક્ષણમાં જોતરવાની આ એક અત્યંત ઉમદા યોજના છે. કોઈ બાળક આઠ વર્ષની ઉંમરે ત્રીજા ધોરણમાંથી ડ્રોપ આઉટ થયું હોય અને બે વર્ષ શાળાની બહાર રહ્યું હોય તો દસ વર્ષે તેને સીધું પાંચમા ધોરણમાં દાખલ કરી શકાય અને તે માટે તેને એસએસએ હેઠળ ખાસ તાલીમ આપવામાં આવે છે. બાલમિત્ર ડ્રોપ આઉટ બાળકોને એકઠા કરીને ત્રણ મહિનાના કે એક વર્ષના ખાસ તાલીમ કેન્દ્રમાં ભણાવે છે અને પછી તેમને તેમની ઉંમર અને આવડત પ્રમાણે જે તે વર્ગમાં દાખલ કરવામાં આવે છે.

આવી યોજના ગુજરાતમાં સરસ રીતે ચાલે તો ભગવા ભુવાઓનો ધરમ લાજે. એસએસએની જ વેબસાઇટ પર આપેલ સત્તાવાર આંકડાઓનો અભ્યાસ કરતા જાણવા મકેન્દ્રો ળ્યું કે અમદાવાદના ચાલીસ વોર્ડોમાં ચાલતા 547 ખાસ તાલીમ કેન્દ્રો પૈકીના 206 કેન્દ્રો કાગળ પર જ ચાલે છે. આમાંના એકપણ કેન્દ્રમાં કોઈ વિદ્યાર્થી જ નથી. અમદાવાદમાં બાલમિત્રોની ફોજમાં મોટાભાગની બહેનો ભારતીય જનતા પક્ષની ઓશીંગણ છે. કેટલીક બહેનો સાથે વાત કરી. "બહેન તમારા કેન્દ્રમાં કેટલા બાળકો છે?" જવાબ મળ્યો, "વીસ-પચીસ હોય." "હોય નહીં, બહેન કેટલા છે તે કહો." શાકભાજીની લારીવાળો એના ટોપલામાં કેટલા રીંગણા હશે એના વિષે કોન્ફિડન્સથી બોલે છે. આ બહેનોને એમના પોતાના કેન્દ્રમાં કેટલા બાળકો છે તેની ખબર હોતી નથી. ક્યાંક દેરાણી કેન્દ્ર ચલાવે છે, પરંતુ તેનો મોબાઇલ તેની જેઠાણી પાસે છે. અને દેરાણી ક્યાં છે એના વિષે પૂછ્યું તો કહે છે, મીટિંગમાં છે.

બાલમિત્રની નિમણૂંક માટે કોઈ નિશ્ચિત, ગુણવત્તા આધારિત પ્રક્રિયા નથી. નકરી લાગવગથી, ઓળખાણથી એડહોક ધોરણે બાલમિત્રની નિમણૂંક થાય છે. વાડજની શાળા નંબર-3,4માં અમે ગયા. ક્લસ્ટર રીસોર્સ સેન્ટરમાં બેઠેલી કીર્તિ બહેનના તેવર જોવા જેવા હતા. તે કહેતી હતી, "જલ્દી બોલો, મારી પાસે ટાઇમ નથી. આવા સંસ્થાવાળા તો કેટલાય આવે." ફલાણી બાલમિત્ર એકથી વધારે કેન્દ્રો કેમ ચલાવે છે, એવું પૂછતા તેણે નાક ચડાવીને કહ્યું, તમારે જાણીને શું કામ છે. અમે તમને આવી રીતે માહિતી ના આપીએ. સરકારનો પરિપત્ર લઇને આવો. કેવા વાહિયાત માણસો આ રાજ્યમાં દલિતો-આદિવાસીઓના રહેનુમા બનીને બેઠા છે. દલિતો-આદિવાસીઓના બહેરા-બોબડા રાજકીય પ્રતિનિધિઓને ખરેખર હવે વીજળીના કરંટ આપવાની જરૂર છે.

દલિત હક રક્ષક મંચે પહેલી મે, 2013એ ગાંધીનગરની સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરીને પત્ર પાઠવ્યો અને ઉપરોક્ત આંકડાઓ-તથ્યોથી વાકેફ કર્યા. અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન જગદીશ ભાવસારે "અમદાવાદી સરકારી શાળાઓમાં 27,000 ભૂતિયા વિદ્યાર્થીઓ છે," એવું નિવેદન કરેલું એનો રીપોર્ટ પણ જાહેર કરવા મંચે માગણી કરી. પરિણામે, દસમી મેએ કચેરીએ અમદાવાદની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીને પત્ર પાઠવીને સાત દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરી. (જુઓ ઇન્ડીયન એક્સપ્રેસમાં છપાયેલો રીપોર્ટ). આજે મંચે આરટીઆઈ કરીને ગાંધીનગરની કચેરી પાસે શાસનાધિકારીનો અહેવાલ આપવા માગણી કરી છે.

આવી અબજો રૂપિયાની યોજનાના નાણા યોગ્ય રીતે વપરાય છે કે નહીં તે કોણ જોશે? કહેવાતા મનુવાદીઓને ગાળો બોલીને બેસી જઇશું? આપણા હાથમાં સત્તા નહીં આવે ત્યાં સુધી કશું થઈ શકે તેમ નથી, એવું કહીને આપણી નિષ્ક્રિયતાને શબ્દોના વાઘા પહેરાવતા રહીશું?

પત્રક ૧

ચેરપર્સન અને સભ્યો વચ્ચે કામગીરીની સુગમતા માટે નીચે મુજબની રાજ્યના જિલ્લાઓની વહેંચણી કરવામાં આવેલ તેની વિગત દર્શાવતું પત્રક :

નામ

તા. ર૬-૦૬-૨૦૧૩ થી ૨૯ – ૧૧- ૨૦૧૩ દરમિયાન

૩૦-૧૧-૨૦૦૩ થી ૩૧-૦૩-૨૦૧૪ સુધી

પ્રો. રામેશ્વરી એમ. પંડ્યા (ચેરપર્સન)

વલસાડ ,   ડાંગ

વલસાડ,  ડાંગ, વડોદરા

શ્રીમતિ મધુબેન સેનમા (સભ્ય)

મહેસાણા, સાબરકાંઠા   ગાંધીનગર ,  પંચમહાલ

મહેસાણા  સાબરકાંઠા   પંચમહાલ, અરવલ્લી

શ્રીમતિ રસીલાબેન સોજીત્રા  (સભ્ય)

રાજકોટ   જામનગર અમદાવાદ   નવસારી

રાજકોટ, જામનગર મોરબી, દેવભુમિ દ્વારકા,   અમદાવાદ

શ્રીમતિ જીજ્ઞાબેન પંડ્યા(સભ્ય)

સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ  બનાસકાંઠા

સુરેન્દ્રનગર કચ્છ બનાસકાંઠાબોટાદ ગાંધીનગર

શ્રીમતિ હેમાક્ષીબેન ચૌહાણ (સભ્ય)

ખેડા, દાહોદ, આણંદ, વડોદરા

ખેડા,  દાહોદ, આણંદ  છોટા ઉદેપુર, મહીસાગર

ડૉ. નયનાબેન રામાણી (સભ્ય)

પોરબંદર  જૂનાગઢ  અમરેલી. ભાવનગર

પોરબંદર  જૂનાગઢ  ગીર સોમનાથ  અમરેલી

શ્રીમતિ ભારતીબેન તડવી

નર્મદા  ભરૂચ  સુરત તાપી

નર્મદા ભરૂચ  સુરત  તાપી નવસારી

પત્રક ૨

આયોગ દ્વારા વર્ષ ૨૦૧૩-૧૪ના સમયગાળા દરમિયાન રાજ્યના જિલ્લાઓ અને સંસ્થાઓની લીધેલ મુલાકાતોની વિગત દશાવતું પત્રક :

ડાંગ જીલ્લાની માહિતી

ચિલ્ડન હોમ આહવા

એકલવ્ય ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કુલ,

પ્રાથમિક ગુજરાતી શાળા, બોરખલ

આંગણવાડી કેન્દ્ર, ગલકુંડ

અંધજન મંડળ, શિવરીમાળ

આશ્રમ શાળા, શિવરીમાળ

એકલવ્ય ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કુલ, સાપુતારા

પત્રક ૩

આયોગના સભ્યશ્રીઓ દ્વારા વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન લેવામાં આવેલ રાજ્યની વિવિધ  સંસ્થાઓની મુલાકાતોની વિગત દર્શાવતું પત્રક :

ક્રમ

જુનાગઢ  જીલ્લાની માહિતી

ચિલ્ડન હોમ જુનાગઢ

સરકારી બહેરા મૂંગાની શાળા

શિશુ મંગલ સંસ્થા જુનાગઢ

અંધજન મંડળ જુનાગઢ

ક્રમ

રાજકોટ   જીલ્લાની માહિતી

આંગણવાડીઓ

બાળ સંરક્ષણ ગૃહ, રાજકોટ

કાઠીયાવાડ બાલાશ્રમ સંસ્થા, રાજકોટ

સિવિલ હોસ્પિટલ, રાજકોટ

રાજકોટ મધ્યસ્થ જેલ, રાજકોટ

ક્રમ

અમદાવાદ  જીલ્લાની માહિતી

પાલડી નારી વિકાસ ગૃહ, પાલડી,

મહિપતરામ રૂપરામ આશ્રમ, અમદાવાદ

શિશુગ્રહ વાડજ, અમદાવાદ

સોલા સરકારી હોસ્પિટલ, અમદાવાદ

ક્રમ

નવસારી   જીલ્લાની માહિતી

બાળ સરક્ષણ ગૃહ

ચિલ્ડન હોમ ફોર બોયઝ

મમતા મંદિર,

ગાંધી ઘર, કછોલી

બહેરા મુંગા બાળકોની શાળા

સબ જેલ, નવસારી

નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધ ચીખલી

ક્રમ

દાહોદ   જીલ્લાની માહિતી

ઓબઝર્વેશન હોમ, દાહોદ

બહુ વિકલાંગ બાળકોની સંસ્થા, દાહોદ

અંધ બાળકોની શાળા, દાહોદ

ક્રમ

જામનગર જીલ્લાની માહિતી

બાળ સંરક્ષણ ગૃહ, જામનગર

કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ, જામનગર

બહેરા મુંગા બાળકોની સંસ્થા, જામનગર

ક્રમ

ખેડા જીલ્લાની માહિતી

મધરોલ પ્રાથમિક શાળા, મધરોલ

મધરોલ આંગણવાડી વાડી કેન્દ્ર, મધરોલ

મધરોલ આંગણવાડી વાડી કેન્દ્ર, મધરોલ

ચિલ્ડન હોમ, નડિયાદ

ક્રમ

સુરેન્દ્રનગર જીલ્લાની માહિતી

બાળ સંરક્ષણ ગૃહ, સુરેન્દ્રનગર

વિકાસ વિદ્યાલય, વઢવાણ

એમ.ડી. દોશી અંધજન શાળા, સુરેન્દ્રનગર

પ્રજ્ઞા ચક્ષુ મહિલા સેવા કુંજ, રાજકોટ રોડ, સુરેન્દ્રનગર

શિશુ ગૃહ, સુરેન્દ્રનગર

ધ્રુવ બાલાઆશ્રમ, સુરેન્દ્રનગર

રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન, હળવદ

બાળ સંજીવની કેન્દ્ર, સુરેન્દ્રનગર

ક્રમ

બનાસકાંઠા જીલ્લાની માહિતી

ચિલ્ડન હોમ પાલનપુર

નારી સંરક્ષણ કેન્દ્ર, પાલનપુર

મમતા મંદિર અંધશાળા, પાલનપુર

ક્રમ

આણંદ જીલ્લાની માહિતી

ચિલ્ડન હોમ, આણંદ

પી.સી. ભટ્ટ મુકબધિર વિદ્યાલય, તા. સોજીત્રા, જી. આણંદ

જીવન આનંદ સંસ્થા, આણંદ

મુસ્લિમ વિદ્યાર્થી પ્રગતિ મંડળ, તા. બોરસદ, જી. આણંદ

યુ.વી. મુકબધીર સેન્ટર, ખંભાત, જી. આણંદ

જિત્રા વિદ્યાદર્શન સેન્ટર, આગોરી, જી. આણંદ

અંધ અપંગજન વિકાસ મંડળ, મોગલી, આણંદ

ક્રમ

પોરબંદર જીલ્લાની માહિતી

લોહાણા બાલાશ્રમ, પોરબંદર

ક્રમ

ભરૂચ જીલ્લાની માહિતી

જુવેનાઈલ હોમ ફોર બોયઝ, કુકરવાડા, જી. ભરૂચ

ચિલ્ડન હોમ, (ઓબર્જવેશન હોમ) કાળી તલવાડી, ભરૂચ

સબ જેલ, ભરૂચ

ક્રમ

તાપી જીલ્લાની માહિતી

ચિલ્ડન હોમ, તળકુવા, જી. તાપી


ક્રમ

પાટણ જીલ્લાની માહિતી

હાંસાપુર આાંગણવાડી, તા. પાટણ

હાંસાપુર  પ્રાથમિક શાળા

પ્રાથમિક શાળા સમોડા

પ્રાથમિક શાળા બગવાડા

ચિલ્ડ્રન હોમ

લીટલ ફ્લાવર સ્કુલ

નાણાવટી સ્કુલ

શ્રી મધુસુદન વ્યાસ પ્રાથમિક શાળા

ક્રમ

સાબરકાંઠા જીલ્લાની માહિતી

સબ જેલ, હિંમતનગર

ઓબઝર્વેશન હોમ, હિંમતનગર

નારી કેન્દ્ર, હિંમતનગર


ક્રમ

મહેસાણા જીલ્લાની માહિતી

કેસરબેન લીલાચંદ બહેરામુંગા શાળા, મહેસાણા

દબોદરા પ્રાથમિક શાળા, મહેસાણા

સબજેલ, મહેસાણા

ઓબઝર્વેશન હોમ, મહેસાણા

પત્રક ૪

આયોગની મંજૂર થયેલ અને ભરાયેલ જગ્યાઓની વિગત દર્શાવતું પત્રક :

જગ્યાનું નામ

જગ્યાની સંખ્યા

ભરાયેલ જગ્યા

ખાલી જગ્યા

સચિવ

-

અધિક સચિવ

સેક્શન અધિકારી

-

નાયબ સેક્શન અધિકારી

-

અંગ્રેજી /ગુજરાતી સ્ટેનોગ્રાફર કક્ષા ૧

-

નાયબ હિસાબનીશ

ક્લાર્ક

-

  • આયોગના મુળ મહેકમમાં નાયબ સચિવની જગ્યા મંજૂર કરવામાં આવેલ છે જે સંયુક્ત સચિવ તરીકે અને ત્યારબાદ અધિક સચિવ તરીકે અપગ્રેડ થયેલ છે.
  • આયોગમાં સ્ટેનોગ્રાફર, કલાર્ક, ડ્રાઈવર તથા પટાવાળાની જગ્યા આઉટસોર્સથી ભરવાની મંજૂરી મળેલ છે.

સ્ત્રોત: ગુજરાત સરકાર ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/23/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate