એનસીપીસીઆરએ સલાહ આપી કે રાષ્ટ્રીય નીતી જેમાં પુનઃવસવાટ અને તેમની રિસેટલમેન્ટ નીતી 2003 અને રાષ્ટ્રીય પુનઃવસવાટ નીતી 2006માં બાળકોની જરૂરીયાત અને હક બન્ને પુરા થાય તેની ખાતરી કરવામાં આવી.
શાંતાસિન્હાએ એનસીપીસીઆરના ચેરપર્સનને પત્રમાં કહ્યુ કે ગ્રામ્ય વિસ્તારના વિકાસ બાબતમાં દર્શાવ્યુ કે બાળકોની સ્થિતિ તપાસવી કે જોવી જેવી કે વિકાસની કામગીરીમાં ગેરવર્તુણક તેમજ મતભેદ અને અણબનાવ એ દર્શાવે છે કે બધા પુનઃવસવાટ કાર્યક્રમ મોટાભાગના બાળકોને અસરકરતા હોતા નથી. મહદઅંશે બાળકો ભુખ્યા, ભુખમરા અને સારા ખોરાક તેમજ આરોગ્યની સગવડતાથી વંચિત રહે છે. બાળકોને બીજી કે નવી શાળામાં પ્રવેશ અપાવ્યા વગર તેમને શાળાકીય પધ્ધતિમાંથી બહાર મોકલી દેવામાં આવે છે. ત્યારે સમશ્યા ઉદ્દભવે છે જેમાં ઓળખપત્ર, નોંધણીની પ્રક્રિયા અને ફેરબદલી વગર સ્વીકારણી તેમાં પણ ખાસ જો પરિવાર બાજુના રાજયમાં સ્થાયી થયા હોય ઘણા બાળકો કાળજી અને રક્ષણ વગરના રહેતા હોય છે અને તેમણે તેના સગા પણ ગુમાવી દીધા હોય છે. મંડળ એમ પણ ઇચ્છે છે કે સંસદસભામાં પુનઃવસવાટને લગતી તેમજ બાળકોના હકને વધુ મહત્વ આપવામાં આવે. આપણુ બંધારણ પુનઃવસવાટ રાષ્ટ્રીય નીતિ એવુ કહે છે કે ‘બાળકોના હકની સંલગ્ન બાબતોમાં આરોગ્ય, શિક્ષણ, પોષણ અને બીજી સગવડતાનુ જો પાલન ન થાય કે ધ્યાન ન રખાઇ તો તેમને પણ કાયદાકીય નીતિનો ભંગ ગણાય છે. તે એમ પણ કહે છે કે બાળકોને અસર કરતી દરેક જરૂરીયાતોમાં મદદ કરવામાં આવે અને જાતી, ઉંમર હમેંશા ધ્યાનમાં લેવાય.’
પોલીસીમાં એમ પણ ઉમેરાયુ છે કે જે બાળકો એસસી/એસટી જાતીના હોય તેમને ખાસ કાળજી અને ખાતરી કરવી જોઇએ તેઓ શાળાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા છે. આશ્રમ શાળા, હોસ્ટેલ, આઇસીડીસીની સ્કોલર શીપ અને બીજુ બધુ બાળકોના હક છે અને આ બાબતોને ફરજીયાત બનાવવી જોઇએ. મંડળે કહ્યુ કે બધી બાબતોમાં છોકરીને છોકરા જેટલી જ હકો મળવા જોઇએ. અને પુરતા પ્રમાણમાં શાળાના આંગણ માટે જમીન ફાળવવી અને જયાં જરૂર હોય ત્યાં હોસ્ટેલની સુવિધા મળવી જોઇએ. મંડળે કહ્યુ કે તેમના કામ કરતા માણસો મેળવવા માટે પણ એક યાદી તૈયાર કરવી જોઇએ.
કમિશને સ્પષ્ટ કર્યુ કે બધા જ ખાતામાં સ્ત્રીઓ અને બાળકોને સામાજીક ન્યાય, મજુર અને માનવ સ્ત્રોતમાં વિકાસ જેમાં દેશબહારના લોકોનો પણ એનઆરપીમાં સમાવેશ થાય છે. મંડળે એક નવી જોગવાઇ કે જે કદાચ એનઆરપીમાં સમાવેશ થઇ શકે છે તેમાં કહ્યુ કે યાદીમાં ફરજીયાત પણે બાળકો ( ઉંમર અને લિંગ ), અસર કરતા પરિવારની વિગતો અને તેમની આરોગ્ય, પોષણ અને શિક્ષણની સ્થિતિ વિશેની માહિતીનો સમાવેશ થાય છે. આ સર્વેમાં શાળાકીય શિક્ષણ અને તે કયા વર્ગમાં અભ્યાસ કરે છે તેમજ તેમના ભણવાના વર્ષોમાં કોઇ રૂકાવટ ન આવે તેનો પણ સમાવેશ કરવો જોઇએ.
વ્યવસ્થાપકની જવાબદારી છે કે તે યોજનામાં જોગવાઇની ખાતરી કરે જેમાં શાળાને ઉભી કરવી, હોસ્ટેલ, આઇસીડીસી કેન્દ્ર, તમામમાં શાળાને માધ્યમ બનાવવી તેમજ બીજી સગવડો અને જરૂરીયાતો પણ પુરૂ પાડવી. મંડળે કહ્યુ જયારે બાળક તેમના આરોગ્ય, પોષણ અને શિક્ષણ ગુમાવી દે તેવો ખતરો હોય ત્યારે એ સમય દરમ્યાન તેમને સ્થળાંતરની સગવડતા તેમજ તેમને યોગ્ય શાળા મળે તે માટે પ્રયત્નો અને આઇસીડીસી સેન્ટર પણ બનાવવુ. એનસીપીસીઆરને દરેક બાળકના હકના નિયમ ભંગ અને આ બાબતને લેખિતમાં દર્શાવવી તેના પર કાર્યવાહી કરવી જોઇએ. કે જેથી સમય પ્રમાણે તેમને ધ્યાનમાં લેવાય.
સ્ત્રોત: પોર્ટલ કન્ટેન્ટ ટીમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/19/2019