অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળ સંરક્ષણ અને કાયદો

બાળ સંરક્ષણ અને કાયદો

  1. ખોટી માન્યતાઓ અને વાસ્તવિકતાઓ – બાળ સંરક્ષણ
  2. બાળ સંરક્ષણ મુદ્દાઓ અને તમામ શિક્ષકોને શું જાણવાની આવશ્યકતા છે
  3. ખોટી માન્યતાઓ અને વાસ્તવિકતાઓ – લિંગ ભેદભાવ
  4. ખોટી માન્યતાઓ અને વાસ્તવિકતાઓ – બાળ લગ્ન
  5. બાળલગ્ન અને તેમનો ગેરકાયદેસર વ્યાપાર
  6. ખોટી માન્યતાઓ અને વાસ્તવિકતાઓ –બાળ મજૂરી
  7. બાળકનો જાતીય દુર્વ્યવહાર
  8. શિક્ષણ તંત્રની અંદરના ઉલ્લંઘનો
  9. શારીરિક દંડ એટલે બાળકને પીડા થાય તે ઉદ્દેશ સાથેના કે હાનિ પડોંચાડવાના હેતુથી પણ સુધારવા માટે શારીરિક બળનો પ્રયોગ કરવો.
  10. શારીરિક દંડ બાળકનું કઈ રીતે નુકસાન કરે છે?
  11. પરીક્ષાનું દબાણ અને વિદ્યાર્થીઓની આત્મહત્યા
  12. ખોટી માન્યતાઓ અને વાસ્તવિકતાઓ – રસ્તા પરના અને ભાગેડુ બાળકો
  13. ખોટી માન્યતાઓ અને વાસ્તવિકતાઓ - HIV/AIDS
  14. ખોટી માન્યતાઓ અને વાસ્તવિકતાઓ – જાતિ ભેદભાવ
  15. ખોટી માન્યતાઓ અને વાસ્તવિકતાઓ - અપંગતા
બાળકની સુરક્ષા નીચેની બાબતોથી

શિક્ષક હોવાના કારણે તમારે તે ખાતરી કરવી જરૂરી છે કે, આપણા સમુદાયના તમામ બાળકો શોષણના તમામ સ્વરૂપોથી સંરક્ષિત છે.

  • દુર્વ્યવહાર
  • અમાનવીય અને અપમાનજનક વ્યવહાર
  • ઉપેક્ષા
  • નિરાશ્રિત બાળક (રસ્તા પર વસતા બાળકો, નિર્વાસિત/કાઢી મૂકાયેલા, શરણાગતો ઈત્યાદિ.)
  • પ્રવાસી બાળકો
  • રસ્તા પરના અને ભાગેડુ બાળકો
  • અનાથ અને વંઠેલ બાળકો
  • કામ કરતા બાળકો
  • બાળ ભિખારીઓ
  • વેશ્યાના બાળકો
  • બાળ વેશ્યાઓ
  • ગેરકાનૂની વ્યવસાયમાં સંડોવાયેલા બાળકો
  • જેલ/કેદમાં રહેલા બાળકો
  • કેદીઓના બાળકો
  • યુદ્ધોમાં અસરગ્રસ્ત થયેલા બાળકો
  • કુદરતી આફતોથી અસરગ્રસ્ત થયેલા બાળકો
  • HIV/AIDS દ્વારા અસરગ્રસ્ત થયેલા બાળકો
  • જીવલેણ રોગો સહન કરતા બાળકો
  • અપંગ બાળકો

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત પ્રજાતિના બાળકો

ખોટી માન્યતાઓ અને વાસ્તવિકતાઓ – બાળ સંરક્ષણ

તમામ વિભાગોની બાળાઓ અતિ સંવેદનશીલ હોય છે.બાળકોના દુરૂપયોગ અને શોષણ સંબંધિત ખોટી માન્યતાઓમાંની અમુક નિમ્નલિખિત માન્યતાઓ.

  1. માન્યતા: બાળકોનો ક્યારેય પણ દુરૂપયોગ કે શોષણ થતું નથી. સમાજ તેના બાળકોને પ્રેમ કરે છે.
  2. વાસ્તવિકતા: હા, આ સાચુ છે કે આપણે આપણા બાળકોને પ્રેમ કરીએ છીએ, પણ સ્પષ્ટપણે કંઈક ખૂટે છે. ભારતમાં વિશ્વમાંના સૌથી વધારે બાળમજૂરો છે, સૌથી વધારે જાતીય રીતે દુરૂપયોગ થતો હોય તેવા બાળકો અને 0-6ની ઉંમરના વર્ગમાં સૌથી ઓછો પુરૂષ કરતાં સ્ત્રી બાળનો ગુણોત્તર છે, જે બતાવે છે કે સ્ત્રી બાળકની ઉત્તરજીવિતા હોડ પર છે. નાના શિશુઓને પણ બચાવવામાં આવતા નથી જ્યારે તેઓને દત્તક લેવામાં આવે છે અથવા મારી નાખવામાં આવે છે.

    બાળકો વિરુદ્ધ નોંધાયેલા ગુનાખોરીના કિસ્સાઓ અધમ કૃત્યો રજૂ કરે છે! સરકારની પોતાની નોંધ જોઈએ તો, 2002 અને 2003માં બાળકો વિરુદ્ધના ગુનાઓમાં 11.1 ટકાનો વધારો જોવા મળ્યો છો. બીજા ઘણા કિસ્સાઓ છે જેનો અહેવાલ આપવામાં આવતો નથી.

  3. માન્યતા: ઘર એ સૌથી સુરક્ષિત સ્વર્ગ છે.
  4. વાસ્તવિકતા: બાળકોને તેમના ઘરોમાં સામનો કરવા પડતાં દુર્વ્યવહારો, સ્પષ્ટપણે આ વાતને ખોટી સાબિત કરે છે. મોટાભાગના બાળકો તેમના વડીલોની વ્યક્તિગત સંપત્તિ તરીકે દેખાઈ રહ્યા છે જેઓ તેમનો ઉપયોગ(અથવા દુરૂપયોગ) કોઈપણ રીતે કરી શકે છે.

    આપણે સાક્ષી પૂરી છે એવા પ્રસંગો જેમાં પિતાઓ તેમની દિકરીઓને મિત્રો કે અપરિચિતોને દર બીજા દિવસે પૈસા માટે વેચે છે. જાતીય દુર્વ્યવહાર પરના અભ્યાસનું તારણ બતાવે છે કે અગમ્યાગમન એ દુરૂપયોગનું સૌથી સામાન્ય સ્વરૂપ છે. ઘણા એવા કિસ્સાઓ છે જેમાં પિતા પોતાની દિકરીઓ પર બળાત્કાર કરતા હોય છે. જે મીડિયામાં આવે છે અને કોર્ટમાં સાબિત થયું છે. સ્ત્રી ભૃણ હત્યા એટલે કે, કન્યાની ગર્ભમાં જ હત્યા, બાળ આત્મહત્યાનું પરિણામ, અંધશ્રદ્ધા, રિવાજ અને પરંપરાને નામે જેવી રીતે કે ‘જોગણી’ કે ’દેવદાસી’રૂપે ભારતના અમુક ભાગોમાં દેવ કે દેવીને દિકરીની બલિ એ ઘરમાં થતા અપરાધોના અમુક સ્વરૂપો છે. નાના બાળકોને પરણાવવા એ બાળકો માટેનો પ્રેમ નથી પણ સંભાળ અને પાલનપોષણની જવાબદારીમાંથી પાછું હટવુ છે, ભલેને તેના પરિણામે તેમના પોતાના બાળકને બીમાર સ્વાસ્થ્ય અને માનસિક આઘાત લાગે.

    આ અમુક આત્યંતિક કિસ્સાઓ હતા. દેશના લગભગ દરેક ઘરોમાં બાળકોને નિર્દયતાપૂર્વક મારવા એ સામાન્ય આચરણ છે. ગરીબ અને ધનિક બન્ને પરિવારોમાં ઉપેક્ષા પણ સામાન્ય વ્યવહાર છે, જે વ્યવહારવાદી સમસ્યાઓના વિવિધ સ્વરૂપો તરફ દોરે છે ખાસ કરીને બાળકોમાં ઉદાસીનતા.

  5. માન્યતા: પુરૂષ બાળની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પુરૂષ બાળકને કોઈ સંરક્ષણની આવશ્યકતા નથી.
  6. વાસ્તવિકતા: સ્ત્રી બાળકની જેમ જ પુરૂષ બાળક પણ શારિરીક અને ભાવનાત્મક દુરૂપયોગથી પીડિત છે - પણ સંપૂર્ણપણે સ્ત્રી બાળક સમાજમાં તેના નીચલા દરજ્જાને કારણે અતિસંવેદનશીલ રહે છે. છોકરાઓ શાળાઓ અને ઘરોમાં શારીરિક દંડના પણ પીડિતો છે; ઘણાને મજૂરી માટે મોકલવામાં આવે છે અને ઘણીવાર વેચી દેવામાં પણ આવે છે, જ્યારે ઘણા જાતીય દુર્વ્યવહારના શિકાર બને છે.

  7. માન્યતા: આ આપણી શાળા/ગામમાં બનતું નથી!
  8. વાસ્તવિકતા: આપણામાંના દરેક એવુ માને છે કે બાળક સાથે દુર્વ્યવહાર બીજે થતો હોય છે- આપણા ઘરોમાં, આપણી શાળાઓમાં, આપણા ગામ કે આપણા સમાજમાં થતો નથી. આ બીજા બાળકોને પ્રભાવિત કરે છે આપણાને નહી. આ માત્ર ગરીબ, કામ કરતા વર્ગોમાં, બેકાર અને અશિક્ષિત પરિવારોમાં થતુ હોય છે. આ મધ્યમ વર્ગીય ઘટના નથી. આ શહેરો અને નગરોમાં થાય છે અને ગ્રામીણ વિસ્તારોમાં થતું નથી. વાસ્તવિકતા આ બધાથી જુદી જ છે કારણ કે, દુર્વ્યવહાર થયેલુ બાળક તમામ સ્થાનો પર હોય છે અને તેને આપણી સહાય અને મદદની જરૂર છે.

  9. માન્યતા: દુર્વ્યવહાર કરવાવાળાઓ અસ્થિર મગજવાળા કે માનસિક રીતે બીમાર વ્યક્તિઓ હોય છે.
  10. વાસ્તવિકતા: પ્રચલિત માન્યતાઓના વિરોધમાં, દુર્વ્યવહાર કરવાવાળાઓ માનસિક રીતે બીમાર હોતા નથી. દુર્વ્યવહાર કરવાવાળાઓનું તેમની સામાન્યતા અને વિભિન્નતાના આધારે ચિત્રણ કરવામાં આવે છે. ઉદાહરણ રૂપે, બાળકનો જાતીય દુર્વ્યવહાર કરવાવાળાઓ તેમના કાર્યોને ભિન્ન-ભિન્ન રીતે પુરવાર કરવાનો પ્રયાસ કરે છે અને આ તે કાર્યોમાંનું એક છે .બાળકનો ગેરકાયદેસર વ્યાપાર કરવાવાળાઓમાં મોટાભાગના પરિવારની નજીકના કે પરિવારની જાણના હોય છે અને પરિવારે તેમના પર સ્થાપિત કરેલા વિશ્વાસનો હથિયાર તરીકે દુરૂપયોગ કરે છે અને તેમના બાળકને લઈ જવા માટે.

બાળ સંરક્ષણ મુદ્દાઓ અને તમામ શિક્ષકોને શું જાણવાની આવશ્યકતા છે

સામાજીક-આર્થિક,ધાર્મિક,સાંસ્કૃતિક,જાતીય અને માનવવંશીય સમૂહોમાં બાળક સાથે દુર્વ્યવહાર થાય છે..

ભૂતકાળમાં સરકાર અને નાગરિક સમાજ સમૂહો દ્વારા થતા સંશોધન,દસ્તાવેજીકરણ અને હસ્તક્ષેપોએ સ્પષ્ટપણે નિમ્નલિખિત બાળ સંરક્ષણ મુદ્દાઓ અને બાળકોના વર્ગો જેઓને વિશિષ્ટ સંરક્ષણ ઘટે છે તેઓને આગળ લાવી મૂક્યા છે.

  • લિંગ ભેદભાવ.
  • જાતિ ભેદભાવ
  • અસમર્થતા
  • સ્ત્રી ભૃણ હત્યા
  • શિશુ હત્યા
  • કૌટુંબિક હિંસા
  • બાળ જાતીય દુર્વ્યવહાર
  • બાળ લગ્ન
  • બાળ મજૂરી
  • બાળ વેશ્યાવૃતિ
  • બાળકનો ગેરકાયદેસર વ્યાપાર
  • બાળકની બલિ
  • શાળાઓમાં શારીરિક દંડ
  • પરીક્ષાનુ દબાણ અને વિદ્યાર્થીઓની આત્મહત્યા
  • કુદરતી આફતો
  • યુદ્ધ અને ઝઘડાઓ
  • HIV/AIDS

ખોટી માન્યતાઓ અને વાસ્તવિકતાઓ – લિંગ ભેદભાવ

માન્યતાઓ અને વધારે ખોટી માન્યતાઓ - જો તમે વાસ્તવિકતાઓ જાણતા હશો તો તમે તફાવત કેળવી શકો છો.

માન્યતા: બેટા તો ચાહિયે હી, ફિર કહી સે ભી આયે, તો ફિર કયું ઉસકે લિયે ચાર-પાંચ બેટીયો કા જોખમ ઉઠાયે? (અમને દિકરો જોઈએ છે, ભલે ક્યાંયથી પણ આવે, તો પછી શા માટે તેના માટે 4-5 દિકરીઓનું જોખમ લેવુ?)

સ્ત્રી બાળક લાવવું એ જેવી રીતે કે પડોશીના બગીચાને પાણી આપવા જેવું છે. તમે તેઓનો વિકાસ કરો છો, તમામથી તેનું રક્ષણ કરો છો અને છેવટે તેઓ જાય નહી ત્યાં સુધી તેમના લગ્ન અને દહેજની યોજના પણ બનાવો છો. દીકરાઓ કઈ નહી તો પરિવારનો વારસો તો આગળ લઈ જાય છે, તેમના વડીલોની ઘડપણમાં સંભાળ રાખે છે અને અંતિમ રિવાજો પૂરાં કરે છે.

દીકરીઓને ભણાવવામાં, તેમને જે મન હોય તે કરવા દેવાની સ્વતંત્રતા આપવામાં અને લગ્ન કરવા જેટલી તેઓ મોટી ન થાય ત્યાં સુધી તેમને સાચવી રાખવામાં કોઈ હેતુ સિદ્ધ થતો નથી, આ બધુ માત્ર પરિવારના બોજામાં વધારો કરે છે.

વાસ્તવિકતા: આ આસ્થા છે કે તમે જે સમાજના આદરણીય બંધારણનો હિસ્સો છો અને જેનો સામનો કરવો જરૂરી છે. લોકો જેટલો દીકરીના લગ્ન પાછળ સમય બગાડે છે એટલો જ દીકરાના લગ્ન પાછળ સમય બગાડે છે. આપણે બધા હોશિયાર બનીને, દીકરીના લગ્નમાં દહેજ આપીએ છીએ મૂળભૂત રીતે તેને જણાવવા માટે કે તેણીએ હવે વડીલોની સંપત્તિમાંના કોઈપણ અધિકારો માટે દાવો કરવો જોઈએ નહી

હંમેશા યાદ રાખો કે દહેજ લેવુ કે દેવુ તે ગુનો છે, દીકરીને વડિલોની સંપત્તિમાંથી બાકાત રાખવી પણ ગેરકાયદેસર છે.

કોઈપણ રીતે આપણે જીવનની વાસ્તવિકતાઓને સ્વીકારવાનું શીખવું જ જોઈએ. વૃદ્ધાશ્રમની એક મુલાકાત આપણને જણાવે છે કે આપણા દીકરાઓ તેમના ઘરડા વડિલોની કેટલી સંભાળ લે છે. વાસ્તવિકપણે તેવા ઢગલાબંધ કિસ્સાઓ છે જેમાં પરણેલી દીકરી વૃદ્ધાશ્રમમાં રહેલા તેના વડિલોની સહાય માટે આગળ આવે છે.

છોકરીઓને પણ છોકરાઓની જેમ ઉત્તરજીવિતા, વિકાસ, સંરક્ષણ અને સહભાગીતાનો અધિકાર છે.

છોકરીઓને આ કોઈપણ અધિકારોની ના પાડવી એટલે લિંગ ભેદભાવ અને ગરીબીના ચક્રને અવિરત કરવા જેવું છે.

સદીઓથી છોકરીઓ જે આ વિશ્વમાં આવી છે તેઓએ જીવનના દરેક ક્ષેત્રમાં લિંગ ભેદભાવનો સામનો કર્યો છે-શિક્ષણ તેમાંનુ એક ક્ષેત્ર છે. આપણે હંમેશા ભૂલી જઈએ છીએ કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ શું કીધુ હતું – “એક પુરૂષને શિક્ષણ આપવાથી તમે એક વ્યક્તિને જ શિક્ષિત કરી શકો છો પણ જો તમે એક સ્ત્રીને શિક્ષણ આપો તો તમે સંપૂર્ણ સમાજને શિક્ષિત કરી શકો છો”.

આપણે આપણી દીકરીઓના વિકાસમાં મદદ કરીએ જેથી કરીને તેઓ સારુ અને ખોટુ શું છે તે સમજી શકે અને તેમના પોતાના તાર્કિક નિર્ણયો લઈ શકે. અતિશય સ્વતંત્રતાના આપણા ડરને સ્વયંચાલિત ઉકેલ મળી જશે. એકમાત્ર ખાતરી સાથે કે બીજા માનવીઓની જેમ જ સ્ત્રી બાળકને સમાન માનવીય હકો છે તો આ શક્ય બની શકે છે. જો દીકરીઓની સુરક્ષા અને રક્ષણ રાષ્ટ્રીય બાબત હોય તો, આ સમજવુ મહત્વનું છે કે જે દીકરીઓને અધિકારયુક્ત ઈચ્છાશક્તિ નથી તેઓ જ તેમની ભેદ્યતાની વૃદ્ધિ કરશે.

માનવીય વિકાસ અહેવાલ 2005 મુજબ, “દર વર્ષે, 12 મિલીયન છોકરીઓ જન્મે છે. તેમાંની ત્રણ મિલીયન છોકરીઓ તેમનો 15મો જન્મદિન જોવા માટે જીવતી નથી. આ મૃત્યુઓનો એક-તૃતીયાંશ તેમના જીવનના પ્રથમ વર્ષમાં થાય છે અને આ તારણ કાઢ્યું છે કે દર છટ્ઠી મહિલાનું મોત પ્રત્યક્ષપણે લિંગ ભેદભાવના કારણે થાય છે”.

2001ની જનગણના બતાવે છે કે દર 1000 પુરૂષે માત્ર 933 સ્ત્રીઓ જ છે. બાળકોના કિસ્સાઓમાં તો આ હજી પણ ઓછી છે અને 1991ની જનગણનાથી ઘટતી રહી છે. 1991માં દર 1000 છોકરાઓએ માત્ર 945 છોકરીઓ જ છે. 2001માં બાળકનો લિંગ-ગુણોત્તર ઘટીને 927 સુધી આવ્યો છે. પંજાબ(798), હરિયાણા(819), હિમાચલ પ્રદેશ(896)ના રાજ્યોમાં પરિસ્થિતિ ભયજનક છે. રાજધાની દિલ્હીમાં પ્રતિ 1000 છોકરાઓએ 900 છોકરીઓ કરતા પણ ઓછી છોકરીઓ છે. આ રાજ્યોના છોકરાઓ બીજા રાજ્યોમાંથી નવવધૂ તરીકે છોકરીઓ લાવે છે.

ખોટી માન્યતાઓ અને વાસ્તવિકતાઓ – બાળ લગ્ન

માન્યતા: બાળ લગ્ન એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. અવિવાહિત કન્યાઓ સાથે બળાત્કાર અને જાતીય દુર્વ્યવહાર અતિગ્રહણીય હોય છે, તેથી તેમના વહેલાસર લગ્ન કરવા જ ઉત્તમ છે. કન્યાની ઉંમર જેમ-જેમ વધતી જાય તેમ દહેજ અને વર શોધવાની સમસ્યા વધતી જાય છે..

વાસ્તવિકતા: કોઈપણ દુરાચારો કે નુકસાનકારક વ્યવહારો માટે સંસ્કૃતિ એ સબળ પ્રમાણ થઈ શકતુ નથી. જો બાળ લગ્ન એ આપણી સંસ્કૃતિ હોય તો ગુલામી, જ્ઞાતિવાદ, દહેજ અને સતિ પણ આપણી સંસ્કૃતિઓ હતી. પણ હવે આપણી પાસે આ નુકસાનકારક વ્યવહારોને રોકવા માટેના કાયદાઓ છે. સમાજની અંદર જ્યારે તેઓની માંગણી કરવામાં આવી ત્યારે આ કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા છે. તો પછી સ્પષ્ટપણે સંસ્કૃતિ સ્થિર નથી.

વધુમાં, ભિન્ન-ભિન્ન લોકો સમાન ભૌગોલિક ક્ષેત્રોમાં રહેતા હોવા છતાં પણ તેઓની ભિન્ન-ભિન્ન સંસ્કૃતિઓ હોય છે. ભારતમાં વિવિધ સમુદાય, ભાષા અને ધર્મોના વર્ગો છે જેઓ પોતાની સ્વતંત્ર સંસ્કૃતિનું અનુસરણ કરે છે. તેથી કરીને ભારતની સંસ્કૃતિ આ બધાનું મિશ્રણ છે અને ઘણા વર્ષોથી બદલાતી રહે છે. .

જો આપણે બધા આ વાતથી સહમત થશું કે બાળકને રક્ષણની આવશ્યકતા હોય છે, તો આપણી સંસ્કૃતિમાં પણ તેનું પ્રતિબિંબ જરૂર પડશે. હકીકતમાં, સાંસ્કૃતિક રીતે આપણે એક સભ્ય સમાજની જેમ ઓળખાવવું જોઈએ જે માત્ર તેના બાળકોને પ્રેમ જ નહી પણ હર સમયે તેમને રક્ષણની ખાતરી આપતુ હોય.

બાળ લગ્ન અધિકારોની હિંસાના લાંબા પ્રવાસની શરૂઆત કરે છે. છોકરાઓના વહેલા લગ્ન કરવા છોકરીઓની જેમ જ તેમના અધિકારોનો ભંગ છે. તે તેમના પસંદગીના અધિકારને દૂર કરે છે અને તેમની ઉંમર અને ક્ષમતાથી વધારે પારિવારિક જવાબદારીઓ તેમના પર લાદે છે. જો કે તેમાં કોઈ શંકા નથી કે છોકરીઓને કેટલા ખરાબ સંજોગોમાંથી પસાર થવુ પડે છે

બાળવધૂઓ ઘણીવાર નાની ઉંમરમાં વિધવા બને છે અને તેમના પર સંખ્યાબંધ બાળકોની સંભાળની જવાબદારી આવે છે.

શું તમે જાણો છો?

  • જનગણના અહેવાલ 2001 મુજબ અંદાજે 3 લાખ છોકરીઓએ 15 વર્ષની નીચેની ઉંમરમાં ઓછામાં ઓછા એક બાળકને જન્મ આપ્યો છે.
  • 10 થી 14 વર્ષની છોકરીઓ 20 થી 24 વર્ષની ઉંમર વચ્ચેની મહિલાઓ કરતા મોટાભાગે પાંચ ગણી વધારે સુવાવડ કે બાળકના જન્મ વખતે મૃત્યુ પામે છે.
  • વહેલી સુવાવડો પણ ભૃણહત્યાના ઉચ્ચત્તમ દરો સાથે સંલગ્ન છે.
  • કિશોર માતાને જન્મેલા શિશુઓની ઓછા વજન સાથે જન્મવાની શક્યતા વધારે હોય છે.
  • તરુણ માતાઓને જન્મેલા શિશુઓ મોટેભાગે તેમના જીવનના પ્રથમ વર્ષમાં જ મૃત્યુ પામે છે.

બાળલગ્ન અને તેમનો ગેરકાયદેસર વ્યાપાર

  • વૃદ્ધ પુરૂષ સાથેના લગ્નના કાયદાકીય આવરણ હેઠળ દેશની અંદર અને મધ્યમ પૂર્વમાં પણ તરુણ કન્યાઓને વેશ્યાવૃતિ સમાવિષ્ટ શોષણાત્મક પરિસ્થિતીઓમાં ધકેલવામા આવે છે.
  • લગ્ન એ તરુણ કન્યાઓને મજૂરી અને વેશ્યાવૃતિના વ્યાપારમાં લેવડ-દેવડ કરવાના માધ્યમ તરીકે અસ્તિત્વમાં આવ્યા છે.

વહેલા લગ્ન એ દુર્વ્યવહારથી સુરક્ષા અને રક્ષણ છે તો તે કહેવુ ખોટુ છે. હકીકતમાં તે પરિવારની અંદરના લોકો દ્વારા છોકરી પર લાદવામાં આવતા તમામ પ્રકારની બળજબરીને સૂચવે છે, જે લોકો દ્વારા તેણીને અવિરતપણે વિશ્વાસ અને પાલન કરવાનું કહેવામાં આવે છે. બાળ લગ્ન બાળકનો બળાત્કાર સૂચવે છે કારણકે બાળકને તેની ઉંમર પરની ક્રિયા અને નિષ્ક્રિયતા માટે ક્યારેય પણ પરિપક્વતાની ઉંમર પર આવી પહોંચેલ છે તેમ કહી શકાતું નથી.

કોઈપણ સ્ત્રી માટે બહારના લોકોથી સુરક્ષાની ક્યારેય પણ ખાતરી રહેતી નથી, તે પરણેલી હોય કે ન હોય. તમામ સ્ત્રીઓ બળાત્કાર અને જાતીય દુર્વ્યવહારનું લક્ષ્ય બની શકે છે, તે પરણેલી હોય કે એકલી હોય, જુવાન કે વૃદ્ધ હોય, ઘૂંઘટમાં હોય કે ઘૂંઘટ વગર હોય. સ્ત્રીઓ વિરુદ્ધના ગુનાઓના વધતા જતા કિસ્સાઓ આ સિદ્ધ કરે છે.

અમારા ગામોમાં જ્યારે ઘૂંઘટ ઢાંકેલી અને અશિક્ષિત પરણેલી સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવે છે તેના કારણે નહી કે તેઓ અશિક્ષિત છે, પણ તે કારણે કે તેઓ અમુક જાતિની હોય છે અથવા અમુક સામૂહિક ઝઘડાઓનું લક્ષ્ય હોય છે.

આખરે, આ વિચારવુ કે વહેલા લગ્ન દહેજની સમસ્યાને હલ કરી શકે છે તો તે ખોટુ છે. અમારા જેવા અમુક સભ્ય સમાજોમાં વરનો પરિવાર હંમેશા છોકરીના પરિવાર પર લાગેલા રહે છે અને એવી આશા રાખે છે કે છોકરીનો પરિવાર જ્યારે પણ તેમને કંઈ જરૂર પડશે ત્યારે તેમના પર અનુગ્રહ કરશે. જે વખતે લગ્નના સમયે દહેજ લેવામાં આવતું નથી, તે સમયે દરેક માંગણીઓ લગ્ન પછી છોકરીઓ પર લાદવામાં આવે છે.

ખોટી માન્યતાઓ અને વાસ્તવિકતાઓ –બાળ મજૂરી

માન્યતા: બાળ મજૂરીની સમસ્યાનો કોઈ ઉકેલ નથી.ગરીબ માતા-પિતા તેમના બાળકોને શાળાએ મોકલવા ઈચ્છતા નથી. તેઓ તેમના બાળકોને કામ કરતા અને પરિવારની આવકમાં અમુક કમાણી રળવા ઈચ્છે છે.આ બાળકો પાસે કામ કર્યા સિવાય કોઈ પસંદગી રહેતી નથી,નહી તો તેઓ અને તેમનો પરિવાર ભૂખે મરશે.તેમજ,જો તેઓ કામ કરશે તો તેઓ ભવિષ્ય માટેની અમુક આવડતોથી સુસજ્જ થશે.

વાસ્તવિકતા: જ્યારે આપણે આવા પ્રકારની બાબતો વિશે સાંભળીએ છીએ ત્યારે આપણે આપણી જાતને જરૂરથી પૂછવુ જોઈએ કે તમામ પ્રકારની પ્રતિકૂળતાઓ હોવા છતાં પણ શા માટે ગરીબ લોકો તેમના બાળકોને શાળાએ મોકલે છે જ્યારે બીજા ગરીબ લોકો મોકલતા હોતા નથી. સત્ય એ છે કે ગરીબી એ માત્ર બહાનું છે તે લોકો દ્વારા જેઓને તેમના ફાયદા માટે બાળકોની વારંવાર પૂર્તિને નિશ્ચિત્ત કરવાની જરૂર પડે છે.સામાજીક ઘટકો બાળ મજૂરીની ઘટનાને યોગદાન આપે છે.સામાજીકરૂપે અધિકારહીન સમાજો સાધનોની અસમાન પહોંચ દ્વારા ચિત્રણ થયેલા સામાજિક વર્ગીકરણના શિકાર છે. આપણે સહુ જાણીએ છીએ કે પરિવારો અને તેમના બાળકો કામ કરે તો પણ ભૂખમરો ટકી રહે છે.કારણકે ભૂખમરો એ અનુચિત સામાજીક અને આર્થિક ઘટકોનું પરિણામ છે.

તમામ માતા-પિતા તેમના બાળકોને ભણાવવા માંગતા હોય છે,ઓછામાં ઓછું તેમને મૂળભૂત ગુણવત્તાવાળું શિક્ષણ આપવા ઈચ્છતા હોય છે.અશિક્ષિત વડીલોમાટે પ્રવેશ પ્રક્રિયા ખૂબ જ જટિલ હોય છે.બાળકોને શાળામાં દાખલ કરવામાં જન્મ તારીખ,જાતિ પ્રમાણપત્રના દસ્તાવેજીકરણ પુરાવા સૌથી મોટા અવરોધો હોય છે.બાળકો માટે,અભ્યાસક્રમને પહોંચી વળવુ અધરુ હોય છે.ખાસ કરીને જો તેઓ પ્રથમ પેઢીના વિદ્યાર્થીઓ હોય તો કારણકે તેમના વડીલોઘરે તેમને હોમવર્કમાં મદદ કરવા દ્વારા અધિકત્તમ સહાય પૂરી પાડી શકે તેટલા ભણેલા હોતા નથી. શારિરીક દંડ,જાતિ ભેદભાવ,મૂળભૂત સુવિધાઓનો અભાવ જેવી કે શૌચાલયો અને પીવાનું પાણી જેવા અમુક ઘટકો બાળકોને શાળાથી દૂર રાખે છે.છોકરીઓના કિસ્સાઓમાં,ઘણીવાર ભાઈ-બહેનની સારસંભાળને પ્રાધાન્યતા મળે છે કારણકે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બાળ-સંભાળ સુવિધાઓનો અભાવ હોય છે અને લોકોના માનસ પર જાતિ પક્ષપાતો ઊંડે સુધી ખોદાઈ ગયા છે.

જે બાળકો કામ કરે છે અને શાળાએ જતા નથી તેઓ તેમના બાકીના સંપૂર્ણ જીવન માટે નિરાક્ષર અને અકુશળ રહે છે.કારણકે આ બાળકો મોટેભાગે અકુશળ મજૂરીનો હિસ્સો રહે છે.તદુપરાંત,અમુક વ્યવસાયોમાં નુકસાનકારક કેમીકલો અને બીજા પદાર્થોનું અનાવરણ,કામ કરવાના દીર્ઘ કલાકો,કામ કરવાની મુદ્દાઓ જેવા ઘટકો બાળકના સ્વાસ્થયને હાનિ પહોંચાડે છે અને તેમના વિકાસને અવરોધે છે.

બાળ મજૂરીનું અસ્તિત્વ એ લેખ 21 A.મુજબના ભારતીય બંધારણ દ્વારા પ્રત્યાભૂત 6-14 વર્ષની ઉંમરના દરેક બાળકો માટેનું મફત અને ફરજીયાત પ્રારંભિક શિક્ષણના મૂળભૂત અધિકારનું પ્રત્યક્ષ ખંડન છે.

આ નોંધ લેવી જોઈએ કે,મજૂરીમાં દરેક બાળકની બાદબાકી મતલબ પુખ્તો માટેની ઉપલબ્ધ નોકરીઓમાં એકનો ઉમેરો.ભારતમાં બેકાર પુખ્તોની વિશાળ વસ્તી છે જેઓ બાળકોનું સ્થાન લઈ શકે છે,બાળકોને તેમના બાળપણના અધિકારોને માણવા માટે મુક્ત કરીને.

ભારત વિશ્વમાંની બાળ મજૂરીની મોટાભાગની સંખ્યા બતાવે છે.ભારતીય જનગણના 2001 મુજબ,5-14 વર્ષની ઉંમરના 1.25 કરોડ બાળકો વિવિધ વ્યવસાયોમાં રોકાયેલા છે.જોકે, NGOનું તારણ વધારેની સંખ્યા મૂકે છે,કારણકે ઘણા અસંગઠીત શાખાઓમાં અને નાના-પાયાના ઘરેલું એકમોમાં કામ કરતા હોય છે,જેઓને ક્યારેય બાળ મજૂરીમાં ગણવામાં આવતા નથી.

બાળકોને દરરોજ મજૂરી માટે ગેરકાયદેસર રીતે વેચવામાં આવે છે.દલાલો અને મધ્યસ્થ વ્યક્તિઓ ગામડાઓમાં આવે છે શુભચિંતક હોવાનો ડોળ કરે છે અને બાળકોને દેશના વિવિધ ભાગોમાં કામ કરવા માટે લઈને જાય છે. બિહાર અને બંગાળના બાળકોને કર્ણાટક,દિલ્હી અથવા મુંબઈમાં ભરતકામના એકમોમાં કામ કરવા લાવવામાં આવે છે; તામિલનાડુથી ઉત્તરપ્રદેશમાં મીઠાઈ બનાવતા કારખાનાઓમાં અને સુરતમાં રત્નો અને હીરાઓ પોલિશ કરવા ઈત્યાદિ પર કામ કરવા માટે લાવવામાં આવે છે.તેમાંના હજારો મધ્યમવર્ગીય ઘરોમાં ઘરગથ્થુ મજૂરી તરીકે નિયુક્ત હોય છે.

બાળકનો જાતીય દુર્વ્યવહાર

માન્યતા: આપણા દેશમાં બાળકોનો જાતીય દુર્વ્યવહાર જૂજ જોવા મળે છે. આ તમામ મીડિયાનો પ્રચાર છે જે સારા કરતા નુકસાન વધારે કરે છે. બાળકો અથવા તરુણો કલ્પનાઓ ઊભી કરે છે, વાર્તાઓ બનાવે છે અને તેમનો જાતીય રીતે દુર્વ્યવહાર થયો છે તે વિષયમાં જુટ્ઠુ બોલે છે. આ બધુ સ્વચ્છંદ ચરિત્રવાળી ખરાબ છોકરીઓ સાથે થાય છે.

વાસ્તવિકતા: થોડા મહિનાઓના નાના બાળકો અથવા અમુક દિવસોના નાના બાળકો પણ બાળ જાતીય દુર્વ્યવહારના શિકાર હોઈ શકે છે.પ્રચલિત માન્યતાના વિરોધમાં કે છોકરીઓ જ જાતીય રીતે દુર્વ્યવહાર થવા માટે અતિગ્રાહ્ય હોય છે, છોકરાઓ પણ શિકાર બને છે.

માનસિક અને શારીરિક અસમર્થતા સાથેના બાળકો પર તેમની આંતરિક નિર્બળતાના કારણે ખરેખરમાં તેમના પર દુર્વ્યવહાર થવાના જોખમ વધારે હોય છે.

બાળ જાતીય દુર્વ્યવહાર એ લિંગ, વર્ગ, જાતિ કે માનવવંશીયતાથી ઉપર છે અને શહેરી અને ગ્રામીણ બન્ને વિસ્તારોમાં થાય છે.

બાળકનો નિમ્નલિખિત પ્રકારે દુરૂપયોગ થઈ શકે છે:

  • જનનાંગ પ્રવેશ દ્વારા જાતીય સંભોગ એટલે કે બળાત્કાર અથવા પદાર્થો કે શરીરના બીજા ભાગોનો ઉપયોગ.
  • બાળકોને અશ્લીલ સાહિત્યોમાં દેખાડવા અને અશ્લીલ સાહિત્યવાળા સામાનો ઉત્પન્ન કરવા તેમનો ઉપયોગ કરવો.
  • જાતીય આનંદ માટે પ્રત્યક્ષ કે પરોક્ષપણે બાળકના શરીરના કોઈપણ ભાગને પદાર્થ કે શરીરના ભાગથી સ્પર્શવો.
  • જાતીય ઉદ્દેશ સાથે જનનેન્દ્રિયો કે શરીરના બીજા ભાગોને દેખાડવા કે પ્રકાશિત કરવા.
  • જાતીય પ્રવૃતિ દેખાડવા દ્વારા અથવા બે કે તેનાથી વધારે બાળકોને એકબીજા સાથે સંભોગ કરતા જોઈને જાતીય તૃપ્તિ મેળવવી.
  • બીભત્સ અને અશ્લીલ ભાષા કે કાર્યોનો પ્રયોગ કરીને કે જાતીય રંગીન ટીકાઓ કરવા દ્વારા બાળક સાથે શાબ્દિક રીતે દુર્વ્યવહાર કરવો

કોઈમ્બતુર શહેરની સીમા પરના મદુક્કરાઈ નજીકની પ્રાથમિક શાળાના મુખ્ય અધ્યાપકની વિદ્યાર્થીનીઓ સાથે જાતીય રીતે દુર્વ્યવહાર કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.

3જા ધોરણની આઠ વર્ષની વિદ્યાર્થીનીની ફરિયાદ પર પોલીસે મુખ્ય પ્રાધ્યાપકની ધરપકડ કરી અને વિવિધ ધારાઓ હેઠળ ગુનો નોંધ્યો હતો, જેમાં જાતીય દુર્વ્યવહારના પ્રયાસનો પણ સમાવેશ થાય છે. અપરાધી સામે તત્કાળ કાર્યવાહીની માંગણી કરવા લગભગ 100 વડીલો મદુક્કાઈ પોલીસ સ્ટેશન ગયા હતા. મુખ્ય પ્રાધ્યાપકે બાળકોને જો તેઓ તેની વિરુદ્ધ ફરિયાદ કરશે તો ભયાનક પરિણામનો સામનો કરવો પડશે તેવો ડર બતાવ્યો હતો.

સ્ત્રોત: PTI, 25 મી માર્ચ 2005

વાસ્તવિકતા: અપરાધી બાળકોની સંભાળ લેવાવાળો સભ્ય અને પ્રેમ કરવાવાળો દેખાય છે જે બાળકોના દુર્વ્યવહારનું ખૂબજ તકલીફદાયક પાસુ છે અને જે તેના/તેણીની પોતાની જાત પર અને બીજા પર સ્વ-દોષ, અપરાધભાવ અને અવિશ્વાસનો મજબૂત વારસો છોડે છે.

બાળકનો દુરૂપયોગ તે કે તેણી જાણતા હોય તેના દ્વારા કે અપરિચિત દ્વારા પણ થઈ શકે છે.

90% કિસ્સાઓમાં ગુનેગારો બાળકોને જાણીતા હોય છે અને તેમના વિશ્વાસમાંના હોય છે. દુર્વ્યવહાર કરવાવાળો મોટેભાગે વિશ્વાસના સંબંધનો ભંગ કરે છે અને તે/તેણીની સત્તા અને સ્થાનનો ફાયદો ઉઠાવે છે. સંખ્યાબંધ કિસ્સાઓમાં દૂરૂપયોગ કરનાર બાળકની નજીકની કોઈ વ્યક્તિ જ હોય છે – પિતા, મોટો ભાઈ, પિત્રાઈ ભાઈ કે કાકા અથવા પડોશી. જ્યારે દુર્વ્યવહાર કરનારો પરિવારનો જ સભ્ય હોય તો તે વ્યભિચાર છે.

સમાજમાં જાતીય દુર્વ્યવહાર જોવા મળે છે કારણ કે એકાકી સમાજ અસ્તિત્વમાં આવ્યા છે. વેશ્યાવૃત્તિ માટે છોકરીઓનું વેચાણ કે ધાર્મિક અને સાંસ્કૃતિક રિવાજો જેવા કે ‘દેવદાસી’ પ્રથા કે ‘જોગણી’ ની પ્રથા આના ઉદાહરણો છે. જો કે, આટલા વર્ષોમાં મીડિયાના પ્રચારના બદલે લોકોના કારણે શારીરિક દુર્વ્યવહારની બાબતમાં વધારે જાગ્રતતા અને વિસ્તૃત અહેવાલ થયો છે. પુખ્ત મહિલાઓમાં અભ્યાસનું તારણ બતાવે છે કે તેમાંની 75 ટકા સ્ત્રીઓએ તેમના બાળપણમાં દુર્વ્યવહારનો અનુભવ કર્યો છે. તેમાંનાં મોટાભાગનો અગમ્યાગમન દ્વારા કે જાણીતા વ્યક્તિઓ દ્વારા દુર્વ્યવહાર થયો છે. મીડિયા ૭૮૭ઓના પ્રચારની ખોટી માન્યતા માત્ર અપ્રિય સત્યને નકારે કરે છે.

પુરૂષો જે બાળકો સાથે દુર્વ્યવહાર કરે છે તે આ તેમની પત્ની/પુખ્ત ભાગીદાર સાથે શારીરિક સંબંધ બાંધ્યા ઉપરાંત આ કાર્ય કરે છે. પ્રચલિત માન્યતાઓના વિરુદ્ધમાં તેઓ માનસિક રીતે બિમાર વ્યક્તિઓ નથી. દુર્વ્યવહાર કરવાવાળાઓને તેમની સામાન્યતા અને વિભિન્નતા પર ચિત્રણ કરવામાં આવે છે. બાળકનો જાતીય દુર્વ્યવહાર કરવાવાળાઓ તેમના કાર્યોને વિવિધ પ્રકારે બચાવવાનો અને વાજબી પુરવાર કરવાનો પ્રયાસ કરતા હોય છે અને આ તેઓમાંનું એક છે.

અમુક માણસો જ્યારે એક બાળક સાથે દુર્વ્યવહાર કરે છે ત્યારે આજુબાજુ કોઈ સાક્ષી છે તેની બેકાળજીવાળા હોય છે.કોઈને પણ જાતીય દુર્વ્યવહાર વિશે કે જાતીય કાર્ય જોવા માટેની બળજબરીની અસ્વસ્થતા વિશે કહેવા માટે બાળકો ખૂબજ ડરતા હોય છે. શિકાર કેટલા વર્ષનો છે તેની પરવાહ કર્યા વગર દુર્વ્યવહાર કરવાવાળા હંમેશા શક્તિશાળી હોય છે. દુર્વ્યવહારીની ધુર્તતા માટે શિકારી બરોબરીયો હોતો નથી અને તે/તેણી પાસે દુર્વ્યવહાર થતો રોકવાના કે કોઈને તેના વિશે કહેવાના કોઈ ઈલાજ હોતા નથી. ખાસ કરીને જો દુર્વ્યવહારી પરિવારનો નજીકનો સભ્ય હોય. ઘણીવાર માતાઓ પણ, જે દુર્વ્યવહાર વિશે જાણતી હોય છે, તેમની વિવશતાના કારણે તેને રોકવાની હાલતમાં હોતી નથી. પરિવારના તુટવાનો ભય કે વાસ્તવિકતા કે તેઓ વિશ્વાસ કરશે નહી, તેમને ચૂપ રાખવા પર મજબૂર કરે છે. પરિવારના વડીલો અને પુખ્તો, સમાજે પોતે પણ તેમની અસ્વસ્થાને બાજુ પર મૂકવી જોઈએ અને બાળકો સાથેના જાતીય દુર્વ્યવહારની વાસ્તવિકતાનો અસ્વીકાર કરવો જોઈએ.

તેમના દ્વારા સામનો કરતા દુર્વ્યવહાર અને શોષણ વિશેના બાળકો દ્વારા કહેવામાં આવતી બાબતો સાચી સાબિત થઇ છે. અગમ્યગમન/બાળકનો જાતીય દુર્વ્યવહાર / બાળકનો ગેરકાયદેસર વ્યાપાર કે બાળક સાથેના દુર્વ્યવહારના બીજા કોઈપણ સ્વરૂપોનો સમાજનો અસ્વીકાર સાથે સંલગ્ન કલ્પનાનો સિદ્ધાંત આપણે જે સમસ્યાનો સામનો અનિર્મિમેષ નયને આજે કરી રહ્યા છે તેને સંબોધવાને બદલે દુર્વ્યવહાર માટે પીડિત પર દોષ ઠાલવે છે.

બાળકો નિર્દોષ અને સંવેદનશીલ હોય છે. તેઓને જાતીયતા અને પુખ્તોની વાસનાની બહુ ઓછી જાણકારી હોય છે અને પુખ્તોની પ્રતિક્રિયાઓ માટે કોઈપણ રીતે તેમને જવાબદારી માની શકાતા નથી. જાતીયતા વિશેની જાણકારી કે સમજણ કોઈપણ પ્રકારે નકારાત્મક ઉપનામને પુરવાર કરતી નથી અથવા બાળકનો દોષ સાબિત કરતી નથી. વેશ્યાનો પણ બળાત્કાર થઈ શકે છે કે તેની સતામણી કરવામાં આવી શકે છે અને કાયદો તેના પક્ષમાં આવશે. તેઓએ જે ભોગવ્યું છે તેના માટે બાળકોને દોષ આપવા દ્વારા આપણે માત્ર જવાબદારીને દુર્વ્યવહારીથી બાળકો પર સ્થળાંતરિત કરીએ છીએ.

બાળકના કિસ્સામાં કોઈ ‘અનુમોદન’ નથી. કાયદા પ્રમાણે, 16 વર્ષથી નીચેની ઉંમરની છોકરી સાથેના જાતીય સંભોગને બળાત્કાર ગણવામાં આવે છે.જ્યારે બાળક દુર્વ્યવહારને રજૂ કરતા નથી, ત્યારે તેમની વિશ્વસનીયતા પર પ્રશ્ન જાગે છે અને તેમના વિશ્વાસ અને આત્મ-વિશ્વાસનો પણ દુરૂપયોગ થાય છે. બાળકનો અપરાધભાવ તેને કે તેણીને તે વિચારવા માટે તાવી કરે છે કે તેમનો દુરૂપયોગ થવામાં અમુક હદે દુર્વ્યવહારી સામેનું તેમનું વર્તન પણ કારણ હતું.

સ્ત્રોત: અભિધાશાસ્ત્ર કે પદાર્થો? બાળકોના લૈંગિક શોષણ સામેનો પેટા-સમૂહ, જાન્યુઆરી 2005, બાળકોના અધિકારો માટેના કરાર માટેનું NGO સમૂહ

બાળક પર જાતીય દુર્વ્યવહારનો પ્રભાવ

દુર્વ્યવહારનો પ્રભાવ દીર્ઘ કાળ કે ટૂંકા ગાળા માટે હોઈ શકે છે:

  • ઉઝરડા, કરડવાના ઘા, જખમો ઈત્યાદિના રૂપે શારીરિક ઈજા, જનનાંગોમાં રક્તપાત કે બીજા કોઈપણ સ્વરૂપે થયેલી શારીરિક ઈજા.
  • ઘણીવાર બાળકો ભય, અપરાધભાવ, માનસિક ઉદાસીનતા, ગુસ્સો અને અપક્રિયાથી પીડાય છે અને પરિવારથી ક્મશ: જુદા પડતા જાય છે.
  • ઘણા પીડિતોને પુખ્તો સાથેના સંબંધોમાં પર્યાપ્ત જાતીય સંબંધ વિકસિત કરવામાં સમસ્યા થાય છે.
  • બાળકને અનુભવવા પડતા જાતીય દુર્વ્યવહાર ઉપરાંત બાળકના વિશ્વાસનો પણ દુર્વ્યવહાર થાય છે જે તેમને દીર્ઘકાળ માટે વ્યાકુળ કરે છે. અમુકવાર તો બાકીના સંપૂર્ણ જીવન માટે અને દીર્ઘકાળ માટે તેમના સંબંધો પર પણ અસર કરે છે, અન્યથા જો તેમનું મનોવૈજ્ઞાનિકપણે નિદાન કરવામાં આવે.

શિક્ષણ તંત્રની અંદરના ઉલ્લંઘનો

શારીરિક દંડ

માન્યતા: માન્યતા: બાળકોને શિસ્તતા શીખડાવવા માટે અમુકવાર તેમને સજા કરવી જરૂરી છે.વડીલોઅને શિક્ષકોને તેમના બાળકોને શિસ્તબદ્ધ કરવાનો અધિકાર છે.

વાસ્તવિકતા: સોટી ફટકારો અને બાળકને સુધારો આવુ મોટાભાગના પુખ્તો માનતા હોય છે.

જે પુખ્તોને તેમના માતા-પિતા અને શિક્ષકો પાસેથી માર પડ્યો હોય છે તેઓ હંમેશા એવુ માને છે કે તેમને આ કરવાનો અધિકાર છે.તેઓ ઘણીવાર તે માનસિક આઘાતને ભૂલી જાય છે જે તેમને તેઓ જ્યારે નાના હતા ત્યારે ભોગવવો પડ્યો હતો અને શારિરીક અને અપમાનજનક સ્વરૂપના દંડને આધિન કરવામાં આવ્યા હતા.

શારિરીક દંડનો ઘણીવાર બાળકોને શિસ્ત શિખવાડવાના સાધન તરીકે ઉપયોગ થાય છે.બાળકો વડિલો,શિક્ષકો અને શિક્ષકો સિવાયના શાળાના સત્તાધિકારીઓ પાસેથી પ્રાપ્તિના છેડા પર હોય છે.લગભગ તમામ શાળાઓ વિવિધ કારણો માટે બાળકો પર શારિરીક દંડ ફટકારે છે અને મોટાભાગના વડીલો તેમના બાળકોને મારે છે.

શિસ્તના નામે,બાળકોને તેમના હાડકા અને દાંત તોડાવવા પડે છે,તેમના વાળ ખેંચવામાં આવે છે અને તેમને માનહાનિનો સામનો કરવો પડે છે.

શારીરિક દંડ એટલે બાળકને પીડા થાય તે ઉદ્દેશ સાથેના કે હાનિ પડોંચાડવાના હેતુથી પણ સુધારવા માટે શારીરિક બળનો પ્રયોગ કરવો.

શારીરિક દંડ

બાહ્ય દંડ:
  1. ભીંતનો ટેકો લઈને બાળકોને ઊભા રાખવા.
  2. શાળાનો થેલો તેમના માથા પર ઉપડાવવો.
  3. તડકામાં પૂરા દિવસ માટે તેમને ઊભા રહેવાની ફરજ પાડવી.
  4. બાળકોને ઘૂંટણિયે પાડવા અને કામ કરાવવું.
  5. તેમને બેન્ચ પર ઊભા રાખવા
  6. હાથ ઉપર રાખીને ઊભા રહેવાની ફરજ પાડવી.
  7. પેન્સિલ તેમના મોઢામાં રાખવી અને ઊભા રાખવા.
  8. પગની અંદર તેમના હાથ પસાર કરવા સાથે કાન પકડીને ઊભા રાખવા.
  9. બાળકોના હાથ બાંધવા.
  10. તેમને ટટ્ટાર ઊભા રાખવા.
  11. . શાળાથી બહાર નિકાળવા અને ચૂંટલો ભરવો.
  12. કાન મરોડવા.
ભાવનાત્મક દંડ:
  1. વિરુદ્ધ લિંગવાળી વ્યક્તિ તરફથી લાફો મરાવવો.
  2. ઠપકો આપવો, અનુચિત વર્તન કરવું, અપમાનજનક બોલવું.
  3. તેના કે તેણીના ગેરવર્તન મુજબ લેબલ લગાવવું અને તેને કે તેણીને પૂરી શાળામાં ફેરવવા.
  4. વર્ગની છેલ્લે તેમને ઊભા રહેવાની ફરજ પાડવી અને કામ પૂર્ણ કરવા કહેવુ.
  5. બે દિવસ માટે તેમને શાળામાંથી સ્થગિત કરવા.
  6. તેમની પીઠ પાછળ કાગળ ચીટકાડવું અને “હું મૂર્ખ છું”, “હું ગધેડો છું” ઈત્યાદિ લેબલ તેમના પર લગાડવા.
  7. શિક્ષક બાળકને દરેક વર્ગમાં સાથે લઈ જાય છે અને બાળકનું અપમાન કરે છે.
  8. છોકરાઓના શર્ટ નિકાળવા.
નકારાત્મક બળવત્તરતા:
  1. વિરામ અને લંચ દરમિયાન અટકાયતમાં રાખવા.
  2. અંધારી કોટડીઓમાં તેમને પૂરવા.
  3. વડિલોને બોલાવવા કે બાળકોને વડીલો પાસેથી ખુલાસારૂપ પત્ર મેળવીને લાવવા કહેવું.
  4. તેમને ઘરે મોકલી દેવા અથવા તેમને શાળાના ગેટની બહાર ઊભા રાખવા.
  5. વર્ગમાં બાળકને જમીન પર બેસાડવા.
  6. બાળક પાસે પરિસર સ્વચ્છ કરાવવું.
  7. ઈમારતની આજુબાજુ કે મેદાનમાં બાળકને દોડવાની ફરજ પાડવી.
  8. બાળકોને આચાર્ય પાસે મોકલવા.
  9. તેમને વર્ગમાં ભણાવવા કહેવું.
  10. શિક્ષક જ્યાં સુધી આવે નહી ત્યાં સુધી તેમને ઊભા રાખવા.
  11. મૌખિક ચેતવણીઓ અથવા ડાયરી કે કેલેન્ડરોમાં પત્રો આપવા.
  12. બાળક માટે TC આપવાની ધમકી આપવી.
  13. રમતો કે બીજી પ્રવૃત્તિઓમાં નિષ્ફળ જવા માટે તેમને કહેવું.
  14. માર્ક બાદ કરવા.
  15. શાળામાં ત્રણ દિવસ મોડા આવવાને એક દિવસની ગેરહાજરી સમાન ગણવી.
  16. અતિશય ભારણ આપવું.
  17. બાળકોને દંડ ચૂકવવાની ફરજ પાડવી.
  18. તેમને વર્ગમાં આવવા દેવા નહી.
  19. એક દિવસ, અઠવાડિયું કે મહિના માટે તેમને જમીન પર બેસાડવા.
  20. તેમની શિસ્તપ્રધાન સૂચિમાં કાળા નિશાન કરવા.
સ્ત્રોત: શાળામાં બાળકોના અધિકારોનું ઉલ્લંઘન શારીરિક દંડ - લેખક – પ્રોફ._ માદાભુષી શ્રીધર_- નલ્સર યુનિવર્સિટી ઓફ લો

શારીરિક દંડ બાળકનું કઈ રીતે નુકસાન કરે છે?

નાના બાળકોના મન પર તેનો નકારાત્મક પ્રભાવ પડે છે કારણ કે સામાન્યત: તે અવિકસિત મગજમાં તિરસ્કાર, આતંક અને ભયનું સ્વરૂપ લે છે.આવા પ્રકારની સજાઓ ગુસ્સો, રોષ અને નિમ્ન આત્મસન્માનની રચના તરફ દોરે છે. અસહાય અને હીણપદની ભાવનાઓનું કારણ બને છે. તે/તેણીના સ્વમૂલ્ય અને આત્મ-સન્માનને ઝૂંટવી લે છે, જે બાળકને એકલતામાં કે અકારણ આક્રમકતા તરફ દોરે છે.

તે બાળકોને સમસ્યાઓના ઉકેલ તરીકે હિંસક બનવાનું અને બદલો લેવાનું શીખવે છે. બાળકો કદાચ પુખ્તો જે કરે છે તેનું અનુકરણ કરી શકે છે. બાળકો એવું માનવાની શરૂઆત કરે છે કે બળજોરીનો પ્રયોગ કરવો યોગ્ય છે અને તેમાં કંઈ ખોટું નથી. બાળકો તેના પોતાના માતા-પિતા કે શિક્ષકો પર પણ પ્રતિશોધમાં હુમલો કરી શકે છે. બાળપણ દરમિયાન શારીરિક દંડના પીડિતો મોટેભાગે પુખ્તવયમાં તેમના બાળકો, પરણેતર કે મિત્રોને નિશાન બનાવી શકે છે.

શારીરિક દંડ એ શિસ્તબદ્ધતાનું સૌથી બિનઅસરકારક સ્વરૂપ છે. કારણ કે, તે ભાગ્યે જ વ્યક્તિને પ્રેરિત કરે છે. તે બાળકને સારુ કરવાને બદલે વધારે નુકસાન કરે છે. સજા અમુક હદે બાળકને અશિસ્તતાની ક્રિયાનું પુનરાવર્તન કરતા અટકાવે છે, પણ તે તે/તેણીની વિષય વિશેની સમજણને સુધારી શકતું નથી અથવા તે/તેણીને વધારે હોશિયાર બનાવી શકતું નથી.

હકીકતમાં તે બાળકો પર સંખ્યાબંધ નકારાત્મક પરિણામો પેદા કરે છે. રસ્તા પરના અને કામ કરતા મોટાભાગના બાળકોએ શાળાથી અને તેમના પરિવારો અને ઘરોથી પણ ભાગી જવાના કારણોમાંથી એક કારણ તરીકે શાળામાં થતા શારીરિક દંડનો ઉલ્લેખ કર્યો છે.

બાળકોને શિસ્તબદ્ધ કરવાનો અધિકાર બાળકોના વિકાસ અને સહભાગીતાના અધિકારના મૂલ્યે કરી શકાતો નથી. વાસ્તવિકતામાં બાળકોનો સહભાગિતા થવાનો એકમાત્ર અધિકાર જ શિસ્તબદ્ધતાના સ્વરને સાધી શકે છે.

કોઈપણ ધર્મ કે કાયદો શારીરિક દંડને મંજૂરી આપતો નથી. કોઈપણ વ્યક્તિને બાળકોને શારીરિકપણે દંડ કરવાનો કોઈ કાયદાકીય કે નૈતિક અધિકાર નથી માત્ર એટલા માટે કે તેઓ બીજા કોઈપણ પ્રકારે પરિસ્થિતીને કાબૂમાં લાવી શકતા નથી

  1. શિસ્તને ક્યારેય શીખવવામાં આવતું નથી, તે જાતે શીખાય છે.
  2. શિસ્ત એ વલણ, ચરિત્ર, જવાબદારી કે પ્રતિબદ્ધતા છે.
  3. મૂળભૂત રીતે શિસ્ત એ આંતરિક પ્રક્રિયા છે, જ્યારે તેને લાદવાનો પ્રયાસ એ બાહ્ય પ્રક્રિયા છે

પરીક્ષાનું દબાણ અને વિદ્યાર્થીઓની આત્મહત્યા

માન્યતા: ભારતના શિક્ષણ તંત્રે વિશ્વને આપણે પેદા કરેલા ભેજાઓ માટે ઉત્સુક કર્યુ છે. તેના પરિણામે ઘણાં ભારતીય વિદ્વાનો, વૈજ્ઞાનિકો, ઈજનેરો અને બીજા ધંધાદારીઓ પશ્ચિમમાં સફળતાપૂર્વક ગોઠવાયા છે અને તેમાંના ઘણાં તે દેશમાં પણ તેમના માટે શ્રેષ્ઠ કરી રહ્યા છે.સ્પર્ધાત્મક પરીક્ષા તંત્રની સાથેનું કડક શિસ્ત એ સફળતાનો માર્ગ છે. તમામ વડીલો તેમના બાળકોને એવી શાળાઓમાં મોકલવા માંગે છે જેનું પરિણામ સારુ આવતું હોય

વાસ્તવિકતા: ભારત વિશ્વના શ્રેષ્ઠ ભેજાઓને પેદા કરે છે તેમાં કોઈ શંકા નથી. પણ ખરેખર તેનો શ્રેય વર્તમાનની શાળા કે શિક્ષણતંત્રને અથવા પરિવાર અને સામાજિક દબાણો હોવા છતાં પણ જીવનમાં શ્રેષ્ઠ કરવા માટેની વિશુદ્ધ સંકલ્પશક્તિને જાય છે? ગળાકાપ હરિફાઈનું દબાણ, આપણા બાળકો અને વિદ્યાર્થીઓ પાસેથી વધતી જતી અપેક્ષાઓ, શાળા કે શિક્ષકોની આબરૂ માટેના મુખ્ય દાવાઓ રૂપેના સારા પરિણામો અને આ બધાને પહોંચી વળવા માટેની બાળકોની અસમર્થતા બાળકોમાં વધતી માનસિક ઉદાસીનતા તરફ દોરે છે અને જેના પરિણામે વધતી સંખ્યામાં બાળકોની આત્મહત્યા થાય છે. મગજોનું મોત થાય છે અને જો આપણે આ વાસ્તવિકતા તરફ આપણી આંખો ખોલશું નહી તો, આપણે કદાચ બહુ ઝડપી તેજસ્વી યુવા લોકોની સંપૂર્ણ પેઢીને ગુમાવી શકીએ છીએ.

અમુક વિદ્યાર્થીઓ માટે, CBSE પરીક્ષાઓ પછી કોઈ જીવન રહેતુ નથી.CBSEના વર્ગ X અને XII પરિણામો ઘોષિત કરતા પાંચ દિવસની અંદર,રાજધાનીમાં અડધો ડઝન છોકરાઓએ આત્મહત્યા કરી હતી અને જે સમયે તમે આ વાંચી રહ્યા છો, ત્યારે બીજા ઘણા પોતાના જીવનનો અંત લાવવાનું વિચારી રહ્યા છે કારણ કે તેઓ પરીક્ષામાં પાસ થવામાં નિષ્ફળ ગયા છે.

બાળકોમાં આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓ એ અત્યંત બેચેનીનું પ્રદર્શન છે. “પૂર્વે,લોકો કિશોરાવસ્થા સાથે માનસિક ઉદાસીનતા જોડતા નહોતા. કિશોરો માનસિક ઉદાસીનતા અને બીજાઓથી અવિકસિત સમજણને સહન કરે છે”, જી.બી.પેન્ટ અને મૌલાના આઝાદ મેડીકલ કોલેજના મનોચિકિત્સક, પ્રોફેસર અને હેડ,ડૉ.આર.સી.જીલોહા ઉલ્લેખ કરે છે. સમસ્યા વધારે બગડી ગઈ છે કારણ કે આ પરિપક્વ ઉંમરમાં તેઓ પાસે ના ડહાપણ હોય છે કે ના નિષ્ફળતાને અનુરૂપ થવાનો અનુભવ હોય છે.

ટેલી-કાઉન્સેલર,મિસ.શર્મા કહે છે, “વડીલો અને શિક્ષકો માટે સલાહ આપવા માટેની આવશ્યકતાને ઓળખવી મહત્વની છે. … પરીક્ષાના પરીણામો એ વિશ્વનો અંત નથી; જો તમે ખરાબ પ્રદર્શન કર્યુ હોય તો પણ,પરીક્ષા પછી પણ જીવન હોય છે. આ જ વડીલો અને શિક્ષકોએ સમજવાની જરૂર છે,”

સ્ત્રોત: સ્મૃતિ કાક, મંચ, ચંદીગઢ, ભારત, શુક્રવાર, 31મી મે, 2002, www.tribuneindia.com

વડીલો પોતાના બાળકોને સારા પરિણામો લાવતી શાળાઓમાં મોકલવા ઈચ્છે છે તેમાં કોઈ સંદેહ નથી.પણ કોઈએ તેમને પૂછ્યું છે કે જો આ બાળકના અસ્તિત્વ કે કલ્યાણની કિંમતે હોય તો? કોઈપણ વડીલ તેના કે તેણીના બાળકને ગુમાવવા ઈચ્છશે નહી. હકીકતમાં આ કેવળ બતાવે છે કે વડીલોને પણ સહાયની જરૂર છે. પણ જો શાળાઓમાંથી દબાણ ચાલુ રહશે, જો તમામ PTA તે વિશે હશે કે બાળક તેના/તેણીના વર્ગમાં કેટલું સારૂ કે ખરાબ પ્રદર્શન કરી રહ્યા છે અને જો શિક્ષકો એક બાળકની બીજા સાથે તુલના કરવાની ચાલુ રાખશે અને તેમના વિદ્યાર્થીઓની ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક આવશ્યકતાઓની ઉપેક્ષા કરશે, તો ક્યારેય પણ આ પરિસ્થિતિઓમાં બદલાવ કરવામાં મદદ કરી શકાશે નહી. શાળાએ પ્રથમ પગલું લેવાનું રહેશે અને બની શકે તો બાળકો સાથે વડીલોને પણ સલાહ આપવાની શરૂઆત કરવી પડશે.

ખોટી માન્યતાઓ અને વાસ્તવિકતાઓ – રસ્તા પરના અને ભાગેડુ બાળકો

માન્યતા: ગરીબ પરિવારોના બાળકો જ ભાગીને લાવારિસ બને છે.રસ્તા પર રહેતા બાળકો ખરાબ બાળકો હોય છે.

વાસ્તવિકતા: કોઈપણ બાળક ભાગી શકે છે જો તે/તેણીની યોગ્ય સંભાળ ન લેવામાં આવે તો.દરેક બાળકને ગૌરવ સાથે જીવવાનો અધિકાર છે અને કોઈપણ વડીલ/પરિવાર/શાળા/ગામ જે આ અધિકારનો ઈનકાર કરે છે તેઓ કદાચ તેમના બાળક(કો)ને ગુમાવી શકે છે.

લાવારિશ બાળકોનો મોટો વિભાગ ભાગેડુ બાળકોનો છે,જેઓ તેમનું ઘર બહેતર જીવન તકોની શોધમાં કે, મોહક શહેરોના આકર્ષણ માટે, કે આવી પડેલા દબાણોથી હારી જઈને,કે શિક્ષણના તંત્રની સખતાઈથી કંટાળીને જે તેમના વડીલો બળજબરીપૂર્વક તેમના પર લાદે છે અથવા કૌટુંબિક હિંસાથી બચવા ઘર છોડે છે અને શહેરોમાં પ્રવેશ કરે છે જ્યાં તેઓ વધારે કંગાળ પરિસ્થિતિઓમાં જીવે છે.

લાવારિશ બાળકો ક્યારેય ખરાબ હોતા નથી. તેઓ જે પરિસ્થિતિમાં જીવતા હોય છે તે ખરાબ હોય છે.

આ બાળકો ઘણીવાર તેમના પોતાના માટે દિવસનું બે વખતનું ભોજન પણ મેળવી શકતા નથી અને દુરૂપયોગ થવા માટે અતિગ્રાહ્ય હોય છે.રસ્તા પર તેઓ કોઈવાર તેઓ શોષણ અને સંબંધિત મુશ્કેલીઓના દુષ્ટ ચક્રોમાં સંડોવાય છે.મોટા બાળકોના સંપર્કમાં આવતાની સાથે નવા અને નાના બાળકો તરતજ પૈસા ઊઠાંતરી કે સરળતાથી ઉપલબ્ધ હોય તેવા કાર્યોના બીજા સ્વરૂપોમાં કે ગેરકાયદેસર પ્રવૃતિઓમાં જેવી કે ખીસાકાતરૂ, ભીખ માંગવી, કેફી પદાર્થોની ફેરવણીમાં જોડાય છે.

બાળકો તેમના ઘરોથી ઘણા કારણોસર ભાગી જાય છે

  • બહેતર જીવન તકો
  • મેટ્રો શહેરોનું આકર્ષણ
  • વધતું દબાણ
  • અસ્વસ્થ પારિવારીક સંબંધો
  • તેમના વડીલો દ્વારા તજાયેલા
  • વડીલો કે શિક્ષકો દ્વારા માર ખાવાનો ભય
  • જાતીય દુર્વ્યવહાર
  • જાતિ ભેદભાવ
  • લિંગ ભેદભાવ
  • અસમર્થતા.
  • HIV/AIDSના કારણે ભેદભાવ

દિપ્તી પાગરે,જી.એસ.મીના,આર.સી જીલોહા અને એમ.એમ સિંધ,ભારતીય બાળરોગ,સામાજીક ઔષધ અને મનોચિકિત્સા વિભાગ,મૌલના દ્વારા અભ્યાસ, ‘લાવારિશ બાળકોના જાતીય દુર્વ્યવહારને અવલોકન ગૃહમાં લાવવામાં આવ્યો છે’

દિલ્હીના અવલોકન ગૃહમાં પુરૂષ સહવાસીઓમાં જાતીય દુર્વ્યવહારના પરિમાણ અને જાતની ચકાસણી કરવા માટે, 2003-2004માં સંચાલિત કરવામાં આવેલી આઝાદ કોલેજ,ખુલાસો કરે છે કે મોટાભાગના છોકરાઓ ભાગેડુ હોય છે અને 38.1 ટકા જાતીય દુર્વ્યવહારનો ભોગ બન્યા હોય છે.નૈદાનિક પરીક્ષણ પર,61.1ટકાએ જાતીય દુર્વ્યવહારના શારિરીક ચિહ્નો અને 40.2 ટકાએ વર્તણૂક ચિહ્નો બતાવ્યા હતા.44.4 ટકા પીડિતો દ્વારા બળજબરીપૂર્વકના મૈથુનનો અહેવાલ આપવામાં આવ્યો હતો અને 25 ટકાએ જાતીયપણે વાહક રોગોના ચિહ્નો બતાવ્યા હતા.અપરિચિતો એ જાતીય દુર્વ્યવહારના સૌથી સામાન્ય ગુનેગારો છે

ખોટી માન્યતાઓ અને વાસ્તવિકતાઓ - HIV/AIDS

માન્યતા: HIV/AIDS એ પુખ્તોનો મુદ્દો છે બાળકોને તેની સાથે કંઈ લેવા-દેવા નથી અને તેથી તેના વિશે જાણવાની જરૂર નથી. તેમને HIV/AIDS, પ્રજનન સ્વાસ્થ્ય, જાતીયતા અને બીજા તેવા મુદ્દાઓ અંગે જાણ કરવાથી તે બાળકોના મગજને ભ્રષ્ટ કરશે. HIV/AIDS ના અમુક પ્રકારના વૃતાંતવાળા પરિવારોમાંથી આવેલા બાળકોમાં થઈ શકે છે અને તેથી સાવચેત રહેવુ જોઈએ અને HIV/AIDSના ફેલાવાને અટકાવવા માટે તેમને શક્ય બને તેટલા દૂર રાખવા જોઈએ.

વાસ્તવિકતા: ઉંમર, ત્વચા, રંગ, જાતિ, વર્ગ, ધર્મ, ભૌગોલિક સ્થાન, નૈતિક દુષ્ટતા, સારા કે ખરાબ કૃત્યોના આધાર પર HIV/AIDS નો તફાવત કેળવાતો નથી. દરેક માણસ HIVથી ચેપગ્રસ્ત થઈ શકે છે.

HIV એટલે કે હ્યુમન ઈમ્યુનો ડેફીસીયેન્સી વાયરસ જે એઈડ્સ પેદા કરે છે. તે HIV પોઝીટીવ વ્યક્તિના દૂષિત શરીર પ્રવાહીઓ સાથે સંપર્કમાં આવવાથી સંક્રમિત થાય છે. જેવા કે, વીર્ય, પૂર્વ-સ્ખલન, યોનિ પ્રવાહી, લોહી કે સ્તનનું દૂધ, HIV-દૂષિત લોહી સાથેના સંપર્કમાં આવેલી સોય સાથેના સંપર્કમાં આવવાથી પણ સંક્રમિત થઈ શકે છે, જેમાં દવાઓના પ્રક્ષેપણ, ટેટુ લગાડવા અને શરીર વીંધવા માટે વપરાતી સોયોનો સમાવેશ થાય છે.

આજે લાખો બાળકો HIV/AIDSથી ચેપગ્રસ્ત કે અસરગ્રસ્ત થાય છે. બાળકો તેમના વડીલોના અકાળ મૃત્યુઓને કારણે અનાથ બની રહ્યા છે અને વડીલોની સારસંભાળ અને સંરક્ષણથી વંચિત થઈ રહ્યા છે.

HIV/AIDSનું માતાથી-બાળકમાં સંક્રમણ એ બાળકોમાં થતા ચેપોનો સૌથી સામાન્ય પ્રકાર છે, બાળ જાતીય દુર્વ્યવહાર અને અગમ્યાગમનના વધતા જતા કિસ્સાઓને કારણે, બીજા ઘણા બાળકો આ રોગનો શિકાર બની રહ્યા છે. બાળકો અને યુવા લોકોમાં દવાઓનો દુરૂપયોગ પણ ભય ઊભો કરે છે. આવા સંજોગોમાં બાળકોથી HIV/AIDS સંબંધિત માહિતીને છુપાવવી અને પોતાની જાતને તેઓ કેવી રીતે બચાવી શકે તે જાણવાના અધિકારનો અસ્વીકાર કરવો યોગ્ય નથી.

એશિયામાં, ચીન પછી ભારતમાં સોથી વધારે HIV/AIDS ધરાવતા લોકોની સંખ્યા છે. UNAIDS પ્રમાણે, ભારતમાં 0-14 વર્ષ સુધીની ઉંમરના 0.16 લાખ બાળકો HIVથી ચેપગ્રસ્ત છે.

નવા અહેવાલો મુજબ, છ વર્ષની બબીતા રાજ, જેના પિતા AIDSના કારણે મૃત્યુ પામ્યા હતા. વડીલો અને શિક્ષકોની બેઠક અને શાળાના સત્તાધિકારીઓના વિરોધ પછી તેને કેરળના પરપન્નગડીની સરકાર-અનુદાનિત પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહેવા માટે અવરોધિત કરવામાં આવી હતી… ખબર અનુસાર સામાજિક કાર્યકરો અને સ્થાનિક સરકારી અધિકારીઓના હસ્તક્ષેપ પછી પણ જેઓએ તેણી HIV નેગેટીવ છે તેવું સાબિત કરતું ઔષધકીય પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યુ હતું. તે છતાં પણ તેનો પુન:પ્રવેશ માટે સત્તાવાળા દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો હતો. સ્થાનિક સરકારી શાળાઓએ પણ તેના પ્રવેશનો અસ્વીકાર કર્યો હતો.

સ્ત્રોત: ભવિષ્ય પૂર્ણ તથા પરિત્યાગ, માનવીય અધિકારોની તપાસ, પાના નં. 73, 2004

આપણે આ જાણવાની જરૂર છે કે ચેપગ્રસ્ત બાળકનો સંપર્ક કરવાથી કે તે બાળકની બાજુમાં બેસવાથી કે ચેપગ્રસ્ત વ્યક્તિને આલિંગન દેવાથી અને ચુંબન કરવાથી કે તેની સાથે રમવાથી HIV સંક્રમિત થતું નથી.

આ સાચું છે કે માહિતી અને સહભાગિતાનો બાળકોનો અધિકાર ‘બાળક માટેના શ્રેષ્ઠ હિતો’ પર આધારિત છે અને તેથી બાળકો સાથે જાતીયતા, પ્રજનન સ્વાસ્થ્ય કે HIV/AIDS વિશે ચર્ચા કરતી વખતે ઉંમર-વિશિષ્ટતાઓને ધ્યાનમાં લાવવી જરૂરી છે. વાસ્તવિકતા એ છે કે આપણે પોતાનું મગજ આપણા બાળકોના મનમાં આવતા પ્રશ્નોનો સામનો કરવા માટે તૈયાર નથી રાખ્યું અને તેથી કોઈપણ ચર્ચાને ટાળવા માટે બહાના શોધીએ છીએ. જીવન-કૌશલ્યોના શિક્ષણના મહત્વની ઉપેક્ષા કરવા કરતા તેને સમજવા માટે તૈયાર થવુ મહત્વનું છે, જેમાં જાતીય શિક્ષણનો પણ સમાવેશ થાય છે.

લોકોને HIV/AIDS વિશે શિક્ષણ આપવાને બદલે, ભૂતકાળમાં ઘણી શાળાઓએ બાળકોને બહાર ફેંકી દીધા હતા માત્ર એટલા માટે કે તેઓ HIV/AIDS નો અમુક ઈતિહાસ ધરાવતા પરિવારોમાંથી આવ્યા હતા અથવા પરિવારનો કોઈ સભ્ય HIV પોઝીટીવ હોવાની અમુક આશંકા હતી. HIV/AIDSના આધાર પર તેમને મૂળભૂત સેવાઓ અને માનવીય હકોનો ઈનકાર કરવો, એ ભેદભાવ છે. ભારતીય સંવિધાને સમાનતાના અને અભેદભાવના અધિકારની સુરક્ષા આપી છે અને જેઓ અસમાનતા કે ભેદભાવને પ્રોત્સાહન આપે છે તેઓ સજાને પાત્ર છે.

વ્યક્તિ HIV પોઝીટીવ છે તેની જાણકારીનો ઉપયોગ વહેલાસરની સારવાર મેળવવા માટે થવો જોઈએ. જે વ્યક્તિને દીર્ઘકાળ સુધી સ્વસ્થ રહેવામાં અને તે/તેણીને બીજા કોઈને જીવાણુઓ પસાર ન થવા દેવામાં મદદ કરી શકે છે. જો સાચેમાં જોખમી દેખાતા બાળકોને શાળામાંથી બહાર કાઢી દેવામાં આવતા હોય તો આમાં કોઈપણ રીતે તેમનું સ્વાસ્થ્ય ચકાસવામાં અને તેમને સહાય પૂરી પાડવામાં આવતી નથી અને આ પ્રકારે તો બીજાઓ માટેનું જોખમ વધી શકે છે. ભેદભાવ એ વધતા જતા જોખમનો અંત લાવતો નથી.

ખોટી માન્યતાઓ અને વાસ્તવિકતાઓ – જાતિ ભેદભાવ

માન્યતા: અસ્પૃશ્યતા અને જાતિ ભેદભાવ એ હવે એક ઈતિહાસ છે. દલિત કે અનુસૂચિત જાતિ/અનુસૂચિત પ્રજાતિના વિદ્યાર્થીઓ તેમનું જીવન સરળ બનાવતા આરક્ષણો સાથે કોઈપણ પ્રકારના જાતિ ભેદભાવનો સામનો ક્યારેય કરતા નથી.

વાસ્તવિકતા: આ સત્ય નથી. જાતિ ભેદભાવ સાથે વ્યક્તિનો ભેટો પૂર્વકાલીન ઉંમરમાં થાય છે. તે/તેણી શાળામાં, રમતગમતના મેદાનમાં, હોસ્પિટલમાં ભેદભાવનો સામનો કરે છે અને આ યાદીનો કોઈ અંત નથી થઈ શકતો. સમાજના નબળા અને વિશેષ અધિકારો ધરાવતા વિભાગો વિરુદ્ધ આપણે ભેદભાવના આચરણને સંબોધિત કરી શકીએ છીએ. જેવા કે અનુસૂચિત જાતિ/પ્રજાતિ તેમના આર્થિક, સામાજીક અને સાંસ્કૃતિક અધિકારોની તેમને બાંયધરી આપવા ખાસ કરીને શિક્ષણ, સ્વાસ્થ્ય સંભાળ અને સુરક્ષા સેવાઓ, બાળમજૂરો માટેના કાર્યક્રમો અને હાથેથી કચરો લેવો જેવા અપમાનજનક આચરણોનો અંત કરવા.

ખોટી માન્યતાઓ અને વાસ્તવિકતાઓ - અપંગતા

માન્યતા: અપંગતા એ શ્રાપ છે, અપંગ બાળક પાસે કોઈ યોગ્યતા નથી, આવા બાળકો પરિવાર પર ભારરૂપ હોય છે, તેઓ આર્થિક રૂપે અનુત્પાદક હોય છે અને તેમના માટે શિક્ષણનો કોઈ ઉપયોગ રહેતો નથી, વાસ્તવમાં મોટાભાગની અપંગતાનો કોઈ ઈલાજ નથી.

વાસ્તવિકતા: અપંગતાને ભૂતકાળના કાર્યો સાથે કંઈ લેવાદેવા નથી. આ વિકૃતિ છે જે ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય સંભાળના અભાવને કારણે અથવા કોઈક વખત બાળકને જનીન તત્વોથી વારસામાં મળી હોય છે. જરૂરિયાત હોય તે સમયે યોગ્ય ઔષધકીય સંભાળનો અભાવ, યોગ્ય પ્રતિરક્ષણનો અભાવ, અકસ્માત અથવા હાનિ જેવા બીજા કારણોને લીધે થઈ શકે છે જેનો અસ્વીકાર થઈ શકતો નથી.

માનસિક રીતે કે શારીરિક રીતે અપંગ વ્યક્તિ એ સામાન્યપણે દયાને પાત્ર છે. આપણે ભૂલી ગયા છીએ કે એક અપંગ વ્યક્તિને માણસ તરીકેના અધિકાર છે અને તે દયા કરતા પણ વધારે તેને/તેણીને સહાનુભૂતિની જરૂર છે.

ઘણીવાર આપણે અપંગતાને કલંક સાથે જોડીએ છીએ. માનસિક રીતે બીમાર વ્યક્તિવાળા પરિવારનો સમાજ દ્વારા બહિષ્કાર કરવામાં આવે છે અને અવગણવામાં આવે છે. બાળકની અપંગતાને ધ્યાનમાં ન લેતા પ્રત્યેક બાળક માટે શિક્ષણ મહત્વનું છે કારણ કે તે બાળકના એકંદર વિકાસમાં મદદ કરે છે.

અપંગ બાળકોને વિશિષ્ટ જરૂરિયાતો હોય છે અને આપણે તે જરૂરિયાતોને સંતોષવાની હોય છે. જો તેમને તક આપવામાં આવે તો તેઓ પણ જીવન-સહાયક કૌશલ્યો શીખી શકે છે. અપંગતા ત્યારે જ ગંભીર સ્વરૂપ લે છે જ્યારે આપણે વ્યક્તિને તેના જીવનને દોરવા જે વસ્તુઓની જરૂર હોય છે તે આપવામાં આપણે નિષ્ફળ જઈએ.

  • 2001ની જનગણના અનુસાર, 0-19 વર્ષની ઉંમરની કુલ વસ્તીમાં 1.67 ટકા અપંગ છે.
  • આયોજન મંડળનો દસમી પાંચ-વર્ષીય યોજનાનો દસ્તાવેજ દર્શાવે છે કે તમામ બાળકોના 0.5 થી 1.0 ટકામાં માનસિક મંદતા છે.

શિક્ષણ તંત્રમાં અપંગ બાળક દ્વારા સામનો કરાતા અવરોધો

  • શારીરિક રીતે અને માનસિક રીતે પડકારજન્ય બાળકો માટે વિશિષ્ટ શાળાઓનો અભાવ.
  • અપંગ બાળકો ધીમી ગતિએ ભણનાર હોય છે. શાળાઓ પાસે વિશિષ્ટ શિક્ષકો હોતા નથી જેઓ આવા પ્રકારના બાળકોની સંભાળ લઈ શકે.
  • જોડિયા વર્ગનું સંવેદનારહિત વલણ. સામાન્ય રીતે માનસિક રીતે અને શારીરિક રીતે પડકારજન્ય બાળકો મશ્કરીને પાત્ર છે કારણ કે તેઓ ધીમી રીતે ભણનાર અથવા તેમનામાં શારીરિક ખોડ હોય છે.
  • અપંગત-મિત્રવત માળખાનો અભાવ, જેમાં ચઢવાનો દાદરો, વિશિષ્ટ ખુરશીઓ અને શૌચાલય સુવિધાઓનો સમાવેશ થાય છે.

યોગ્ય પ્રશિક્ષણ દ્વારા એક અપંગ બાળકને પણ અમુક કૌશલ્યો શીખવી શકાય છે જે તે/તેણીને સભ્ય જીવન મેળવવાની અમુક તકો પ્રદાન કરી શકે. તદુપરાંત, જો અગાઉથી શોધી કાઢવામાં આવે અને તેનું નિદાન કરવામાં આવે તો, મોટાભાગની અપંગતાઓને અસાધ્ય બનાવતા પહેલા દૂર કરી શકાય છે અથવા રોકી શકાય છે. આમાં માનસિક વિકારોનો સમાવેશ થાય છે જેને સવેળાની દરમિયાનગીરી સાથે રોકી શકાય છે અને તેની સારવાર થઈ શકે છે.

સંઘર્ષ અને માનવ-નિર્મિત દુર્ઘટનાઓ

પ્રત્યેક શાળા અને પ્રત્યેક શિક્ષકે સંઘર્ષ, રાજકીય વિવાદો, યુદ્ધ કે કુદરતી દુર્ઘટનાઓની પરિસ્થિતિઓમાં વિશિષ્ટ સંભાળ લેવી જોઈએ. આવી પરિસ્થિતિઓમાં જીવતા બાળકોને વિશેષ સંભાળ અને રક્ષણની જરૂર પડે છે, તે ત્યારે જ શક્ય બને જ્યારે સમાજને તેની સમજણ પડે.

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate