શિક્ષકો હોવાના કારણે તમારે તે ખાતરી કરવી જરૂરી છે કે આપણા સમુદાયના તમામ બાળકો શોષણના તમામ સ્વરૂપોથી સંરક્ષિત છે.
તેમના સામાજીક,આર્થિક અથવા ભૌગોલિક સ્થાનને કારણે તમામ બાળકોને તે સમયે સુરક્ષાની આવશ્યકતા રહે છે,અમુક બાળકો બીજાઓ કરતા વધારે સંવેદનશીલ હોય છે અને તેઓને વિશિષ્ટ કાળજીની જરૂર પડે છે.આ પ્રકારના બાળકોમાં સમાવેશ થાય છે:
તમામ વિભાગોની બાળાઓ અતિ સંવેદનશીલ હોય છે.
બાળકોના દુરૂપયોગ અને શોષણથી સંબંધિત ખોટી માન્યતાઓમાંની અમુક નિમ્નલિખિત માન્યતાઓ:
માન્યતા: બાળકોનો ક્યારેય પણ દુરૂપયોગ કે શોષણ થતું નથી.સમાજ તેના બાળકોને પ્રેમ કરે છે.
વાસ્તવિકતા: હા આ સાચુ છે કે આપણે આપણા બાળકોને પ્રેમ કરીએ છીએ,પણ સ્પષ્ટપણે કંઈક ખૂટે છે.ભારતમાં વિશ્વમાંના સૌથી વધારે બાળ મજૂરો છે,સૌથી વધારે જાતીય રીતે દુરૂપયોગ થતો હોય તેવા બાળકો અને 0-6ની ઉંમરના વર્ગમાં, સૌથી ઓછો પુરૂષ કરતાં સ્ત્રી બાળનો ગુણોત્તર છે,જે બતાવે છે કે સ્ત્રી બાળકની ઉત્તરજીવિતા હોડ પર છે.નાના શિશુઓને પણ બચાવવામાં આવતા નથી જ્યારે તેઓને દત્તક લેવામાં આવે છે અથવા મારી નાખવામાં આવે છે.
બાળકો વિરુદ્ધ નોંધાયેલા ગુનાખોરીના કિસ્સાઓ અધમ કૃત્યો રજૂ કરે છે! સરકારની પોતાની નોંધ જોઈએ તો,2002 અને 2003માં બાળકો વિરુદ્ધના ગુનાઓમાં 11.1 ટકાનો વધારો જોવા મળ્યો છો.બીજા ઘણા કિસ્સાઓ છે જેનો અહેવાલ આપવામાં આવતો નથી.
માન્યતા: ઘર એ સૌથી સુરક્ષિત સ્વર્ગ છે.
વાસ્તવિકતા: બાળકોને તેમના ઘરોમાં સામનો કરવા પડતાં દુર્વ્યવહારો સ્પષ્ટપણે આ વાતને ખોટી સાબિત કરે છે.મોટાભાગના બાળકો તેમના વડીલોની વ્યક્તિગત સંપત્તિ તરીકે દેખાઈ રહ્યા છે જેઓ તેમનો ઉપયોગ(અથવા દુરૂપયોગ)કોઈપણ રીતે કરી શકે છે.
આપણે સાક્ષી પૂરી છે એવા પ્રસંગોની જેમાં પિતાઓ તેમની દિકરીઓને મિત્રો કે અપરિચિતોને દર બીજા દિવસે પૈસા માટે વેચે છે.જાતીય દુર્વ્યવહાર પરના અભ્યાસનું તારણ બતાવે છે કે અગમ્યાગમન એ દુરૂપયોગનું સૌથી સામાન્ય સ્વરૂપ છે.ઘણા એવા કિસ્સાઓ છે જેમાં પિતાઓ પોતાની દિકરીઓ પર બળાત્કાર કરતા હોય છે જે મિડીયામાં આવે છે અને કોર્ટમાં સાબિત થયું છે.સ્ત્રી ભૃણ હત્યા એટલે કે કન્યાની ગર્ભમાંજ હત્યા,બાળ આત્મહત્યાનું પરિણામ અંધશ્રદ્ધા,રિવાજ અને પરંપરાને નામે જેવી રીતે કે ‘જોગણી’કે ’દેવદાસી’રૂપે ભારતના અમુક ભાગોમાં દેવ કે દેવીને દિકરીની બલિએ ઘર-આધારિત અપરાધોના અમુક સ્વરૂપો છે. નાના બાળકોને પરણાવવા એ બાળકો માટેનો પ્રેમ નથી પણ સંભાળ અને પાલનપોષણની જવાબદારીમાંથી પાછું હઠવુ છે,ભલેને તેના પરિણામે તેમના પોતાના બાળકને બિમાર સ્વાસ્થય અને માનસિક આઘાત લાગે.
આ અમુક આત્યંતિક કિસ્સાઓ હતા,દેશના લગભગ દરેક ઘરોમાં બાળકોને નિર્દયતાપૂર્વક મારવા એ સામાન્ય આચરણ છે. ગરીબ અને ધનિક બન્ને પરિવારોમાં ઉપેક્ષા પણ સામાન્ય વ્યવહાર છે,જે વ્યવહારવાદી સમસ્યાઓના વિવિધ સ્વરૂપો તરફ દોરે છે,ખાસ કરીને બાળકોમાં ઉદાસીનતા.
માન્યતા: પુરૂષ બાળની ચિંતા કરવાની કોઈ જરૂર નથી.પુરૂષ બાળકને કોઈ સંરક્ષણની આવશ્યકતા નથી.
વાસ્તવિકતા: સ્ત્રી બાળકની જેમ જ પુરૂષ બાળક પણ દુરૂપયોગથી પીડિત છે - શારિરીક અને ભાવનાત્મક,પણ સંપૂર્ણપણે સ્ત્રી બાળક સમાજમાં તેના નીચલા દરજ્જાને કારણે અતિસંવેદનશીલ રહે છે. છોકરાઓ શાળાઓ અને ઘરોમાં શારિરીક દંડના પણ પીડિતો છે; મજૂરી માટે ઘણાને મોકલવામાં આવે છે અને ઘણીવાર વેચી દેવામાં પણ આવે છે,જ્યારે ઘણા જાતીય દુર્વ્યવહારના શિકાર બને છે.
માન્યતા: આ આપણી શાળા/ગામમાં બનતું નથી!
વાસ્તવિકતા: આપણામાંના દરેક જણ એવુ માને છે કે બાળક સાથે દુર્વ્યવહાર બીજે થતો હોય છે-આપણા ઘરોમાં,આપણી શાળાઓમાં,આપણા ગામ કે આપણા સમાજમાં થતો નથી.આ બીજા બાળકોને પ્રભાવિત કરે છે આપણા નહી.આ માત્ર ગરીબ,કામ કરતા વર્ગોમાં, બેકાર અને અશિક્ષિત પરિવારોમાં થતુ હોય છે.આ મધ્યમ વર્ગીય ઘટના નથી.આ શહેરો અને નગરોમાં થાય છે અને ગ્રામીણ વિસ્તારોમાં થતુ નથી.વાસ્તવિકતા આ બધાથી જુદી જ છે કારણકે દુર્વ્યવહાર થયેલુ બાળક તમામ સ્થાનો પર હોય છે અને તેને આપણી સહાય અને મદદની જરૂર છે.
માન્યતા: દુર્વ્યવહાર કરવાવાળાઓ અસ્થિર મગજવાળા કે માનસિક રીતે બીમાર વ્યક્તિઓ હોય છે.
વાસ્તવિકતા: પ્રચલિત માન્યતાઓના વિરોધમાં, દુર્વ્યવહાર કરવાવાળાઓ માનસિક રીતે બીમાર હોતા નથી. દુર્વ્યવહાર કરવાવાળાઓનું તેમની સામાન્યતા અને વિભિન્નતાના આધારે ચિત્રણ કરવામાં આવે છે.ઉદાહરણ રૂપે,બાળકનો જાતીય દુર્વ્યવહાર કરવાવાળાઓ તેમના કાર્યોને ભિન્ન-ભિન્ન રીતે પુરવાર કરવાનો પ્રયાસ કરે છે અને આ તે કાર્યોમાંનું એક છે.બાળકનો ગેરકાયદેસર વ્યાપાર કરવાવાળાઓમાં મોટાભાગના પરિવારની નજીકના કે પરિવારની જાણના હોય છે અને પરિવારે તેમના પર સ્થાપિત કરેલા વિશ્વાસનો હથિયાર તરીકે દુરૂપયોગ કરે છે તેમના બાળકને લઈ જવા માટે.
સામાજીક-આર્થિક,ધાર્મિક,સાંસ્કૃતિક,જાતીય અને માનવવંશીય સમૂહોમાં બાળક સાથે દુર્વ્યવહાર થાય છે.
ભૂતકાળમાં સરકાર અને નાગરિક સમાજ સમૂહો દ્વારા થતા સંશોધન,દસ્તાવેજીકરણ અને હસ્તક્ષેપોએ સ્પષ્ટપણે નિમ્નલિખિત બાળ સંરક્ષણ મુદ્દાઓ અને બાળકોના વર્ગો જેઓને વિશિષ્ટ સંરક્ષણ ઘટે છે તેઓને આગળ લાવી મૂક્યા છે.
માન્યતાઓ, માન્યતાઓ અને વધારે ખોટી માન્યતાઓ - જો તમે વાસ્તવિકતાઓ જાણતા હશો તો તમે તફાવત કેળવી શકો છો.
માન્યતા: બેટા તો ચાહિયે હી, હમ ઉસકે લિયે ચાર-પાંચ બેટીયોં કો ક્યુઁ પેદા કરે? (અમને દિકરો જોઈએ છે,ભલે ક્યાંયથી પણ આવે,તો પછી શા માટે તેના માટે 4-5 દિકરીઓનું જોખમ લેવુ?)
સ્ત્રી બાળક લાવવું એ જેવી રીતે કે પડોશીના બગીચાને પાણી આપવા જેવું છે.તમે તેઓનો વિકાસ કરો છો,તમામથી તેનું રક્ષણ કરો છો અને છેવટે તેઓ જાય નહી ત્યાં સુધી તેમના લગ્ન અને દહેજની યોજના પણ બનાવો છો.દિકરાઓ કઇ નહી તો પરિવારનો વારસો તો આગળ લઇ જાય છે, તેમના વડીલોની ઘડપણમાં સંભાળ રાખે છે અને અંતિમ રિવાજોને બજાવે છે.
દિકરીઓને ભણાવવામાં,તેમને જે મન હોય તે કરવા દેવાની સ્વતંત્રતા આપવામાં અને લગ્ન કરવા જેટલી તેઓ મોટી ન થાય ત્યાં સુધી તેમની સાચવી રાખવામાં કોઈ હેતુ સિદ્ધ થતો નથી,આ બધુ માત્ર પરિવારના બોજામાં વધારો કરે છે.
વાસ્તવિકતા: આ આસ્થા છે કે જે સમાજના આદરણીય બંધારણનો હિસ્સો છો અને જેનો સામનો કરવો જરૂરી છે.લોકો જેટલો દિકરીના લગ્ન પાછળ સમય બગાડે છે એટલો જ દિકરાના લગ્ન પાછળ સમય બગાડે છે.આપણે બધા હોશિયાર બનીને, દિકરીના લગ્નમાં દહેજ આપીએ છીએ મૂળભૂત રીતે તેને જણાવવા માટે કે તેણીએ હવે વડીલોની સંપત્તિમાંના કોઈપણ અધિકારો માટે દાવો કરવો જોઈ નહી
હંમેશા યાદ રાખો કે દહેજ લેવુ કે દેવુ તે ગુનો છે,દિકરીને વડિલોની સંપત્તિમાંથી બાકાત રાખવી પણ ગેરકાયદેસર છે.
કોઈપણ રીતે,આપણે જીવનની વાસ્તવિકતાઓને સ્વીકારવાનું શીખવું જ જોઈએ. વૃદ્ધાશ્રમની એક મુલાકાત આપણને જણાવે છે કે આપણા દિકરાઓ તેમના ઘરડા વડિલોની કેટલી સંભાળ લે છે.વાસ્તવિકપણે તેવા ઢગલાબંધ કિસ્સાઓ છે જેમાં પરણેલી દિકરી વૃદ્ધાશ્રમમાં રહેલા તેના વડિલોની સહાય માટે આગળ આવે છે.
છોકરીઓને પણ છોકરાઓની જેમ ઉત્તરજીવિતા,વિકાસ,સંરક્ષણ અને સહભાગીતાનો અધિકાર છે.
છોકરીઓને આ કોઈપણ અધિકારોની ના પાડવી એટલે લિંગ ભેદભાવ અને ગરીબીના ચક્રને અવિરત કરવા જેવું છે.
સદીઓથી છોકરીઓ જે આ વિશ્વમાં આવી છે તેઓએ જીવનના દરેક ક્ષેત્રમાં લિંગ ભેદભાવનો સામનો કર્યો છે-શિક્ષણ તેમાંનુ એક ક્ષેત્ર છે.આપણે હંમેશા ભૂલી જઈએ છીએ કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ શું કીધુ હતું – “એક પુરૂષને શિક્ષણ આપવાથી,તમે એક વ્યક્તિને જ શિક્ષિત કરી શકો છો,પણ જો તમે એક સ્ત્રીને શિક્ષણ આપો તો તમે સંપૂર્ણ સમાજને શિક્ષિત કરી શકો છો”.
એકવાર જો આપણે આપણી દિકરીઓના વિકાસમાં મદદ કરીએ જેથી કરીને તેઓ સારુ અને ખોટુ શું છે તે સમજી શકે અને તેમના પોતાના તાર્કિક નિર્ણયો લઈ શકે,અતિશય સ્વતંત્રતાના આપણા ડરને સ્વયંચાલિત ઉકેલ મળી જશે. એકમાત્ર ખાતરી સાથે કે બીજા માનવીયોની જેમ જ સ્ત્રી બાળકને સમાન માનવીય હકો છે તો આ શક્ય બની શકે છે.જો દિકરીઓની સુરક્ષા અને રક્ષણ રાષ્ટ્રીય બાબત હોય તો,આ સમજવુ મહત્વનું છે કે જે દિકરીઓને અધિકારયુક્ત ઈચ્છાશક્તિ નથી તેઓ જ તેમની ભેદ્યતાની વૃદ્ધિ કરશે.
માનવીય વિકાસ અહેવાલ 2005 મુજબ, “દર વર્ષે, 12 મિલીયન છોકરીઓ જન્મે છે. તેમાંની ત્રણ મિલીયન છોકરીઓ તેમનો 15મો જન્મદિન જોવા માટે જીવતી નથી.આ મૃત્યુઓનો એક-તૃતીયાંશ તેમના જીવનના પ્રથમ વર્ષમાં થાય છે અને આ તારણ કાઢ્યુ છે કે દર છટ્ઠી મહિલાની મોત પ્રત્યક્ષપણે લિંગ ભેદભાવના કારણે છે”.
2001ની જનગણના બતાવે છે કે દર 1000 પુરૂષે માત્ર 933 સ્ત્રીઓ જ છે.આ બાળકોના કિસ્સાઓમાં તો હજી પણ ઓછી છે અને 1991ની જનગણનાથી ઘટતી રહી છે. 1991માં દર 1000 છોકરાઓએ માત્ર 945 છોકરીઓ જ છે.2001માં બાળકનો લિંગ-ગુણોત્તર ઘટીને 927 સુધી આવ્યો છે. પંજાબ(798),હરિયાણા(819),હિમાચલ પ્રદેશ(896)ના રાજ્યોમાં પરિસ્થિતિ ભયજનક છે.રાજધાનીનું શહેર દિલ્હીમાં પ્રતિ 1000 છોકરાઓ 900 છોકરીઓ કરતા પણ ઓછી છોકરીઓ છે.આ રાજ્યોના છોકરાઓ બીજા રાજ્યોમાંથી નવવધુ તરીકે છોકરીઓ લાવે છે.
માન્યતા: બાળ લગ્ન એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે.અવિવાહિત કન્યાઓ સાથે બળાત્કાર અને જાતીય દુર્વ્યવહાર અતિગ્રહણીય હોય છે,તેથી તેમના વહેલાસર લગ્ન કરવાજ ઉત્તમ છે.કન્યાની ઉંમર જેમ-જેમ વધતી જાય તેમ દહેજ અને વર શોધવાની સમસ્યા વધતી જાય છે.
વાસ્તવિકતા: કોઈપણ દુરાચારો કે નુકસાનકારક વ્યવહારો માટે સંસ્કૃતિ એ સબળ પ્રમાણ થઈ શકતુ નથી.જો બાળ લગ્ન એ આપણી સંસ્કૃતિ હોય તો,ગુલામી,જ્ઞાતિવાદ,દહેજ અને સતિ પણ આપણી સંસ્કૃતિઓ હતી.પણ હવે આપણી પાસે આ નુકસાનકારક વ્યવહારોને રોકવા માટેના કાયદાઓ છે.સમાજની અંદર જ્યારે તેઓની માંગણી કરવામાં આવી ત્યારે આ કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા છે.તો પછી,સ્પષ્ટપણે સંસ્કૃતિ સ્થિર નથી.
વધુમાં, ભિન્ન-ભિન્ન લોકો સમાન ભૌગોલિક ક્ષેત્રોમાં રહેતા હોવા છતાં પણ તેઓની ભિન્ન-ભિન્ન સંસ્કૃતિઓ હોય છે. ભારતમાં, વિવિધ સમુદાય, ભાષા અને ધર્મોના વર્ગો છે જેઓ પોતાની સ્વતંત્ર સંસ્કૃતિનું અનુસરણ કરે છે.તેથી કરીને ભારતની સંસ્કૃતિ આ બધાનું મિશ્રણ છે અને ઘણા વર્ષોથી બદલાતી રહે છે.
જો આપણે બધા આ વાતથી સહમત થશું કે બાળકને રક્ષણની આવશ્યકતા હોય છે,તો આપણી સંસ્કૃતિમાં પણ તેનું પ્રતિબિંબ જરૂર પડશે. હકીકતમાં, સાંસ્કૃતિક રીતે આપણે એક સભ્ય સમાજની જેમ ઓળખાવવું જોઈએ જે માત્ર તેના બાળકોને પ્રેમ જ નહી પણ હર સમયે તેમને રક્ષણની ખાતરી આપતુ હોય.
બાળ લગ્ન અધિકારોની હિંસાના લાંબા પ્રવાસની શરૂઆત કરે છે. છોકરાઓના વહેલા લગ્ન કરવા છોકરીઓની જેમ જ તેમના અધિકારોનો ભંગ છે.તે તેમના પસંદગીના અધિકારને દૂર કરે છે અને તેમની ઉંમર અને ક્ષમતાથી વધારે પારિવારીક જવાબદારીઓ તેમના પર લાદે છે.જો કે તેમાં કોઈ શંકા નથી કે છોકરીઓને કેટલા ખરાબ સંજોગોમાંથી પસાર થવુ પડે છે
બાળવધુઓ ઘણીવાર નાની ઉંમરમાં વિધવા બને છે અને તેમના પર સંખ્યાબંધ બાળકોની સંભાળની જવાબદારી આવે છે.
શું તમે જાણો છો?
માન્યતા: બાળ લગ્ન એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે.અવિવાહિત કન્યાઓ સાથે બળાત્કાર અને જાતીય દુર્વ્યવહાર અતિગ્રહણીય હોય છે,તેથી તેમના વહેલાસર લગ્ન કરવાજ ઉત્તમ છે.કન્યાની ઉંમર જેમ-જેમ વધતી જાય તેમ દહેજ અને વર શોધવાની સમસ્યા વધતી જાય છે.
વાસ્તવિકતા: કોઈપણ દુરાચારો કે નુકસાનકારક વ્યવહારો માટે સંસ્કૃતિ એ સબળ પ્રમાણ થઈ શકતુ નથી.જો બાળ લગ્ન એ આપણી સંસ્કૃતિ હોય તો,ગુલામી,જ્ઞાતિવાદ,દહેજ અને સતિ પણ આપણી સંસ્કૃતિઓ હતી.પણ હવે આપણી પાસે આ નુકસાનકારક વ્યવહારોને રોકવા માટેના કાયદાઓ છે.સમાજની અંદર જ્યારે તેઓની માંગણી કરવામાં આવી ત્યારે આ કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા છે.તો પછી,સ્પષ્ટપણે સંસ્કૃતિ સ્થિર નથી.
વધુમાં, ભિન્ન-ભિન્ન લોકો સમાન ભૌગોલિક ક્ષેત્રોમાં રહેતા હોવા છતાં પણ તેઓની ભિન્ન-ભિન્ન સંસ્કૃતિઓ હોય છે. ભારતમાં, વિવિધ સમુદાય, ભાષા અને ધર્મોના વર્ગો છે જેઓ પોતાની સ્વતંત્ર સંસ્કૃતિનું અનુસરણ કરે છે.તેથી કરીને ભારતની સંસ્કૃતિ આ બધાનું મિશ્રણ છે અને ઘણા વર્ષોથી બદલાતી રહે છે.
જો આપણે બધા આ વાતથી સહમત થશું કે બાળકને રક્ષણની આવશ્યકતા હોય છે,તો આપણી સંસ્કૃતિમાં પણ તેનું પ્રતિબિંબ જરૂર પડશે. હકીકતમાં, સાંસ્કૃતિક રીતે આપણે એક સભ્ય સમાજની જેમ ઓળખાવવું જોઈએ જે માત્ર તેના બાળકોને પ્રેમ જ નહી પણ હર સમયે તેમને રક્ષણની ખાતરી આપતુ હોય.
બાળ લગ્ન અધિકારોની હિંસાના લાંબા પ્રવાસની શરૂઆત કરે છે. છોકરાઓના વહેલા લગ્ન કરવા છોકરીઓની જેમ જ તેમના અધિકારોનો ભંગ છે.તે તેમના પસંદગીના અધિકારને દૂર કરે છે અને તેમની ઉંમર અને ક્ષમતાથી વધારે પારિવારીક જવાબદારીઓ તેમના પર લાદે છે.જો કે તેમાં કોઈ શંકા નથી કે છોકરીઓને કેટલા ખરાબ સંજોગોમાંથી પસાર થવુ પડે છે
બાળવધુઓ ઘણીવાર નાની ઉંમરમાં વિધવા બને છે અને તેમના પર સંખ્યાબંધ બાળકોની સંભાળની જવાબદારી આવે છે.
શું તમે જાણો છો?
માન્યતા: બાળ મજૂરીની સમસ્યાનો કોઈ ઉકેલ નથી.ગરીબ માતા-પિતા તેમના બાળકોને શાળાએ મોકલવા ઈચ્છતા નથી. તેઓ તેમના બાળકોને કામ કરતા અને પરિવારની આવકમાં અમુક કમાણી રળવા ઈચ્છે છે.આ બાળકો પાસે કામ કર્યા સિવાય કોઈ પસંદગી રહેતી નથી,નહી તો તેઓ અને તેમનો પરિવાર ભૂખે મરશે.તેમજ,જો તેઓ કામ કરશે તો તેઓ ભવિષ્ય માટેની અમુક આવડતોથી સુસજ્જ થશે.
વાસ્તવિકતા: જ્યારે આપણે આવા પ્રકારની બાબતો વિશે સાંભળીએ છીએ ત્યારે આપણે આપણી જાતને જરૂરથી પૂછવુ જોઈએ કે તમામ પ્રકારની પ્રતિકૂળતાઓ હોવા છતાં પણ શા માટે ગરીબ લોકો તેમના બાળકોને શાળાએ મોકલે છે જ્યારે બીજા ગરીબ લોકો મોકલતા હોતા નથી. સત્ય એ છે કે ગરીબી એ માત્ર બહાનું છે તે લોકો દ્વારા જેઓને તેમના ફાયદા માટે બાળકોની વારંવાર પૂર્તિને નિશ્ચિત્ત કરવાની જરૂર પડે છે.સામાજીક ઘટકો બાળ મજૂરીની ઘટનાને યોગદાન આપે છે.સામાજીકરૂપે અધિકારહીન સમાજો સાધનોની અસમાન પહોંચ દ્વારા ચિત્રણ થયેલા સામાજિક વર્ગીકરણના શિકાર છે. આપણે સહુ જાણીએ છીએ કે પરિવારો અને તેમના બાળકો કામ કરે તો પણ ભૂખમરો ટકી રહે છે.કારણકે ભૂખમરો એ અનુચિત સામાજીક અને આર્થિક ઘટકોનું પરિણામ છે.
તમામ માતા-પિતા તેમના બાળકોને ભણાવવા માંગતા હોય છે,ઓછામાં ઓછું તેમને મૂળભૂત ગુણવત્તાવાળું શિક્ષણ આપવા ઈચ્છતા હોય છે.અશિક્ષિત વડીલોમાટે પ્રવેશ પ્રક્રિયા ખૂબ જ જટિલ હોય છે.બાળકોને શાળામાં દાખલ કરવામાં જન્મ તારીખ,જાતિ પ્રમાણપત્રના દસ્તાવેજીકરણ પુરાવા સૌથી મોટા અવરોધો હોય છે.બાળકો માટે,અભ્યાસક્રમને પહોંચી વળવુ અધરુ હોય છે.ખાસ કરીને જો તેઓ પ્રથમ પેઢીના વિદ્યાર્થીઓ હોય તો કારણકે તેમના વડીલોઘરે તેમને હોમવર્કમાં મદદ કરવા દ્વારા અધિકત્તમ સહાય પૂરી પાડી શકે તેટલા ભણેલા હોતા નથી. શારિરીક દંડ,જાતિ ભેદભાવ,મૂળભૂત સુવિધાઓનો અભાવ જેવી કે શૌચાલયો અને પીવાનું પાણી જેવા અમુક ઘટકો બાળકોને શાળાથી દૂર રાખે છે.છોકરીઓના કિસ્સાઓમાં,ઘણીવાર ભાઈ-બહેનની સારસંભાળને પ્રાધાન્યતા મળે છે કારણકે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બાળ-સંભાળ સુવિધાઓનો અભાવ હોય છે અને લોકોના માનસ પર જાતિ પક્ષપાતો ઊંડે સુધી ખોદાઈ ગયા છે.
જે બાળકો કામ કરે છે અને શાળાએ જતા નથી તેઓ તેમના બાકીના સંપૂર્ણ જીવન માટે નિરાક્ષર અને અકુશળ રહે છે.કારણકે આ બાળકો મોટેભાગે અકુશળ મજૂરીનો હિસ્સો રહે છે.તદુપરાંત,અમુક વ્યવસાયોમાં નુકસાનકારક કેમીકલો અને બીજા પદાર્થોનું અનાવરણ,કામ કરવાના દીર્ઘ કલાકો,કામ કરવાની મુદ્દાઓ જેવા ઘટકો બાળકના સ્વાસ્થયને હાનિ પહોંચાડે છે અને તેમના વિકાસને અવરોધે છે.
બાળ મજૂરીનું અસ્તિત્વ એ લેખ 21 A.મુજબના ભારતીય બંધારણ દ્વારા પ્રત્યાભૂત 6-14 વર્ષની ઉંમરના દરેક બાળકો માટેનું મફત અને ફરજીયાત પ્રારંભિક શિક્ષણના મૂળભૂત અધિકારનું પ્રત્યક્ષ ખંડન છે.
આ નોંધ લેવી જોઈએ કે,મજૂરીમાં દરેક બાળકની બાદબાકી મતલબ પુખ્તો માટેની ઉપલબ્ધ નોકરીઓમાં એકનો ઉમેરો.ભારતમાં બેકાર પુખ્તોની વિશાળ વસ્તી છે જેઓ બાળકોનું સ્થાન લઈ શકે છે,બાળકોને તેમના બાળપણના અધિકારોને માણવા માટે મુક્ત કરીને.
ભારત વિશ્વમાંની બાળ મજૂરીની મોટાભાગની સંખ્યા બતાવે છે.ભારતીય જનગણના 2001 મુજબ,5-14 વર્ષની ઉંમરના 1.25 કરોડ બાળકો વિવિધ વ્યવસાયોમાં રોકાયેલા છે.જોકે, NGOનું તારણ વધારેની સંખ્યા મૂકે છે,કારણકે ઘણા અસંગઠીત શાખાઓમાં અને નાના-પાયાના ઘરેલું એકમોમાં કામ કરતા હોય છે,જેઓને ક્યારેય બાળ મજૂરીમાં ગણવામાં આવતા નથી.
બાળકોને દરરોજ મજૂરી માટે ગેરકાયદેસર રીતે વેચવામાં આવે છે.દલાલો અને મધ્યસ્થ વ્યક્તિઓ ગામડાઓમાં આવે છે શુભચિંતક હોવાનો ડોળ કરે છે અને બાળકોને દેશના વિવિધ ભાગોમાં કામ કરવા માટે લઈને જાય છે. બિહાર અને બંગાળના બાળકોને કર્ણાટક,દિલ્હી અથવા મુંબઈમાં ભરતકામના એકમોમાં કામ કરવા લાવવામાં આવે છે; તામિલનાડુથી ઉત્તરપ્રદેશમાં મીઠાઈ બનાવતા કારખાનાઓમાં અને સુરતમાં રત્નો અને હીરાઓ પોલિશ કરવા ઈત્યાદિ પર કામ કરવા માટે લાવવામાં આવે છે.તેમાંના હજારો મધ્યમવર્ગીય ઘરોમાં ઘરગથ્થુ મજૂરી તરીકે નિયુક્ત હોય છે
માન્યતા: આપણા દેશમાં બાળકોનો જાતીય દુર્વ્યવહાર જૂજ જોવા મળે છે.આ તમામ મિડીયાનો પ્રચાર છે જે સારા કરતા નુકસાન વધારે કરે છે.બાળકો અથવા તરુણો કલ્પનાઓ ઊભી કરે છે,વાર્તાઓ બનાવે છે અને તેમનો જાતીય રીતે દુર્વ્યવહાર થયો છે તે વિષયમાં જુટ્ઠુ બોલે છે.આ બધુ સ્વચ્છંદ ચરિત્રવાળી ખરાબ છોકરીઓ સાથે થાય છે.
વાસ્તવિકતા: થોડા મહિનાઓના નાના બાળકો અથવા અમુક દિવસોના નાના બાળકો પણ,બાળ જાતીય દુર્વ્યવહારના શિકાર હોઈ શકે છે.પ્રચલિત માન્યતાના વિરોધમાં કે છોકરીઓ જ જાતીય રીતે દુર્વ્યવહાર થવા માટે અતિગ્રાહ્ય હોય છે,છોકરાઓ પણ શિકાર બને છે.
માનસિક અને શારિરીક અસમર્થતા સાથેના બાળકો તેમની આંતરિક નિર્બળતાના કારણે ખરેખરમાં તેમના પર દુર્વ્યવહાર થવાના જોખમ વધારે હોય છે.
બાળ જાતીય દુર્વ્યવહાર એ લિંગ,વર્ગ,જાતિ કે માનવવંશીયતા ઉપર છે અને શહેરી અને ગ્રામીણ બન્ને વિસ્તારોમાં થાય છે.
બાળકનો નિમ્નલિખિત પ્રકારે દુરૂપયોગ થઈ શકે છે:
કોઈમ્બતુર:શહેરની સીમા પરના મદુક્કરાઈ નજીકની પ્રાથમિક શાળાના મુખ્ય અધ્યાપકની વિદ્યાર્થીનીઓ સાથે જાતીય રીતે દુર્વ્યવહાર કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.
3જા ધોરણની આઠ વર્ષની વિદ્યાર્થીનીની ફરિયાદ પર,પોલીસે મુખ્ય પ્રાધ્યાપકની ધરપકડ કરી અને વિવિધ ધારાઓ હેઠળ ગુનો નોંધ્યો હતો,જેમાં જાતીય દુર્વ્યવહારના પ્રયાસનો પણ સમાવેશ થાય છે.અપરાધી સામે તત્કાળ કાર્યવાહીની માંગણી કરવા લગભગ 100 વડીલો મદુક્કાઈ પોલીસ સ્ટેશન ગયા હતા.મુખ્ય પ્રધ્યાપકે બાળકોને જો તેઓ તેની વિરુદ્ધ ફરિયાદ કરશે તો ભયાનક પરિણામનો સામનો કરવો પડશે તેવો ડર બતાવ્યો હતો.
સ્ત્રોત: PTI, 25 મી માર્ચ 2005
વાસ્તવિકતા કે અપરાધી બાળકોની સંભાળ લેવાવાળો,સભ્ય અને પ્રેમ કરવાવો દેખાય છે જે બાળકોના દુર્વ્યવહારનું ખૂબજ તકલીફદાયક પાસુ છે અને જે તેના/તેણીની પોતાની જાત પર અને બીજા પર સ્વ-દોષ, અપરાધભાવ અને અવિશ્વાસનો મજબૂત વારસો છોડે છે.
બાળકનો દુરૂપયોગ તે કે તેણી જાણતા હોય તેના દ્વારા કે અપરિચિત દ્વારા પણ થઈ શકે છે.
90% કિસ્સાઓમાં ગુનેગારો બાળકોને જાણીતા હોય છે અને તેમના વિશ્વાસમાંના હોય છે.દુર્વ્યવહાર કરવાવાળો મોટેભાગે વિશ્વાસના સંબંધનો ભંગ કરે છે અને તે/તેણીની સત્તા અને સ્થાનનો ફાયદો ઉઠાવે છે.સંખ્યાબંધ કિસ્સાઓમાં દુરૂપયોગ કરનાર બાળકની નજીકની કોઈ વ્યક્તિ જ હોય છે – પિતા,મોટો ભાઈ,પિત્રાઈ ભાઈ કે કાકા અથવા પડોશી.જ્યારે દુર્વ્યવહાર કરનારો પરિવારનો જ સભ્ય હોય તો તે વ્યાભિચાર છે.
સમાજમાં જાતીય દુર્વ્યવહાર જોવા મળે છે કારણકે એકાકી સમાજ અસ્તિત્વમાં આવ્યા છે.વેશ્યાવૃતિ માટે છોકરીઓનું વેચાણ કે ધાર્મિક અને સાંસ્કૃતિ રિવાજો જેવા કે ‘દેવદાસી’ પ્રથા કે ‘જોગણી’ ની પ્રથા આના ઉદાહરણો છે.જો કે,આટલા વર્ષોમાં મિડીયાના પ્રચારના બદલે લોકોના કારણે શારિરીક દુર્વ્યવહારની બાબતમાં વધારે જાગ્રતતા અને વિસ્તૃત અહેવાલ થયો છે.પુખ્ત મહિલાઓમાં અભ્યાસનું તારણ બતાવે છે કે તેમાંની 75ટકા સ્ત્રીઓએ તેમના બાળપણમાં દુર્વ્યવહારનો અનુભવ કર્યો છે.તેમાંની મોટાભાગનો અગમ્યાગમન દ્વારા કે જાણીતા વ્યક્તિઓ દ્વારા દુર્વ્યવહાર થયો છે.મિડીયાના પ્રચારની ખોટી માન્યતા માત્ર અપ્રિય સત્યને નકારે કરે છે.
પુરૂષો જે બાળકો સાથે દુર્વ્યવહાર કરે છે તે આ તેમની પત્ની/પુખ્ત ભાગીદાર સાથે શારીરિક સંબંધ બાંધ્યા ઉપરાંત આ કાર્ય કરે છે.પ્રચલિત માન્યતાઓના વિરુદ્ધમાં તેઓ માનસિક રીતે બિમાર વ્યક્તિઓ નથી. દુર્વ્યવહાર કરવાવાળાઓને તેમની સામાન્યતા અને વિભિન્નતા પર ચિત્રણ કરવામાં આવે છે.બાળકનો જાતીય દુર્વ્યવહાર કરવાવાળાઓ તેમના કાર્યોને વિવિધ પ્રકારે બચાવવાનો અને વાજબી પુરવાર કરવાનો પ્રયાસ કરતા હોય છે અને આ તેઓમાંનું એક છે.
અમુક માણસો જ્યારે એક બાળક સાથે દુર્વ્યવહાર કરે છે ત્યારે આજુબાજુ કોઈ સાક્ષી છે તેની બેકાળજીવાળા હોય છે.
કોઈને પણ જાતીય દુર્વ્યવહાર વિશે કે જાતીય કાર્ય જોવા માટેની બળજબરીની અસ્વસ્થતા વિશે કહેવા માટે બાળકો ખૂબજ ડરતા હોય છે. શિકાર કેટલા વર્ષનો છે તેની પરવાહ કર્યા વગર, દુર્વ્યવહાર કરવાવાળા હંમેશા શક્તિશાળી હોય છે. દુર્વ્યવહારીની ધુર્તતા માટે શિકારી બરોબરીયો હોતો નથી અને તે/તેણી પાસે દુર્વ્યવહાર થતો રોકવાના કે કોઈને તેના વિશે કહેવાના કોઈ ઈલાજ હોતા નથી,ખાસ કરીને જો દુર્વ્યવહારી પરિવારનો નજીકનો સભ્ય હોય.ઘણીવાર માતાઓ પણ,જે દુર્વ્યવહાર વિશે જાણતી હોય છે,તેમની વિવશતાના કારણે તેને રોકવાની હાલતમાં હોતી નથી.પરિવારના ટૂટવાનો ભય કે વાસ્તવિકતા કે તેઓ વિશ્વાસ કરશે નહી,તેમને ચૂપ રાખવા પર મજબૂર કરે છે.પરિવારના વડીલોઅને પુખ્તો,સમાજે પોતે પણ, તેમની અસ્વસ્થાને બાજુ પર મૂકવી જોઈએ અને બાળકો સાથેના જાતીય દુર્વ્યવહારની વાસ્તવિકતાનો અસ્વીકાર કરવો જોઈએ.
તેમના દ્વારા સામનો કરતા દુર્વ્યવહાર અને શોષણ વિશેના બાળકો દ્વારા કહેવામાં આવતી બાબતો સાચી સાબિત થઇ છે.અગમ્યગમન/બાળકનો જાતીય દુર્વ્યવહાર / બાળકનો ગેરકાયદેસર વ્યાપાર કે બાળક સાથેના દુર્વ્યવહારના બીજા કોઈપણ સ્વરૂપોનો સમાજનો અસ્વીકાર સાથે સંલગ્ન કલ્પનાનો સિદ્ધાંત આપણે જે સમસ્યાનો સામનો અનિર્મિમેષ નયને આજે કરી રહ્યા છે તેને સંબોધવાને બદલે દુર્વ્યવહાર માટે પીડિત પર દોષ ઠેલવે છે.
બાળકો નિર્દોષ અને સંવેદનશીલ હોય છે.તેઓને જાતીયતા અને પુખ્તોની વાસનાની બહુ ઓછી જાણકારી હોય છે અને પુખ્તોની પ્રતિક્રિયાઓ માટે કોઈપણ રીતે તેમને જવાબદારી માની શકાતા નથી.જાતીયતા વિશેની જાણકારી કે સમજણ કોઈપણ પ્રકારે નકારાત્મક ઉપનામને પુરવાર કરતી નથી અથવા બાળકનો દોષ સાબિત કરતી નથી. વેશ્યાનો પણ બળાત્કાર થઈ શકે છે કે તેની સતામણી કરવામાં આવી શકે છે અને કાયદો તેના પક્ષમાં આવશે. તેઓએ જે ભોગવ્યું છે તેના માટે બાળકોને દોષ આપવા દ્વારા આપણે માત્ર જવાબદારીને દુર્વ્યવહારીથી બાળકો પર સ્થળાંતરિત કરીએ છીએ.
બાળકના કિસ્સામાં કોઈ ‘અનુમોદન’ નથી. કાયદા પ્રમાણે,16 વર્ષથી નીચેની ઉંમરની છોકરી સાથેના જાતીય સંભોગને બળાત્કાર ગણવામાં આવે છે.
જ્યારે બાળક દુર્વ્યવહારને રજૂ કરતા નથી,ત્યારે તેમની વિશ્વસનીયતા પર પ્રશ્ન જાગે છે,અને તેમના વિશ્વાસ અને આત્મ-વિશ્વાસનો પણ દુરૂપયોગ થાય છે.બાળકનો અપરાધભાવ તેને કે તેણીને તે વિચારવા માટે તાવી કરે છે કે તેમનો દુરૂપયોગ થવામાં અમુક હદે દુર્વ્યવહારી સામેનું તેમનું વર્તન પણ કારણ હતું.
સ્ત્રોત: અભિધાશાસ્ત્ર કે પદાર્થો?બાળકોના લૈંગિક શોષણ સામેનો પેટા-સમૂહ ,જાન્યુઆરી 2005,બાળકોના અધિકારો માટેના કરાર માટેનું NGO સમૂહ
બાળક પર જાતીય દુર્વ્યવહારનો પ્રભાવ
દુર્વ્યવહારનો પ્રભાવ દીર્ઘ કાળ કે ટૂંકા ગાળા માટે હોઈ શકે છે:
A. શારીરિકક દંડ
માન્યતા: બાળકોને શિસ્તતા શીખડાવવા માટે અમુકવાર તેમને સજા કરવી જરૂરી છે.વડીલોઅને શિક્ષકોને તેમના બાળકોને શિસ્તબદ્ધ કરવાનો અધિકાર છે.
વાસ્તવિકતા: સોટી ફટકારો અને બાળકને સુધારો આવુ મોટાભાગના પુખ્તો માનતા હોય છે.
જે પુખ્તોને તેમના માતા-પિતા અને શિક્ષકો પાસેથી માર પડ્યો હોય છે તેઓ હંમેશા એવુ માને છે કે તેમને આ કરવાનો અધિકાર છે.તેઓ ઘણીવાર તે માનસિક આઘાતને ભૂલી જાય છે જે તેમને તેઓ જ્યારે નાના હતા ત્યારે ભોગવવો પડ્યો હતો અને શારિરીક અને અપમાનજનક સ્વરૂપના દંડને આધિન કરવામાં આવ્યા હતા.
શારિરીક દંડનો ઘણીવાર બાળકોને શિસ્ત શિખવાડવાના સાધન તરીકે ઉપયોગ થાય છે.બાળકો વડિલો,શિક્ષકો અને શિક્ષકો સિવાયના શાળાના સત્તાધિકારીઓ પાસેથી પ્રાપ્તિના છેડા પર હોય છે.લગભગ તમામ શાળાઓ વિવિધ કારણો માટે બાળકો પર શારિરીક દંડ ફટકારે છે અને મોટાભાગના વડીલોતેમના બાળકોને મારે છે.
શિસ્તના નામે,બાળકોને તેમના હાડકા અને દાંત તોડાવવા પડે છે,તેમના વાળ ખેંચવામાં આવે છે અને તેમને માનહાનિનો સામનો કરવો પડે છે.
શારીરિક દંડના પ્રકારો:
બાહ્ય દંડ:
1. ભીંતનો ટેકો લઈને બાળકોને ઊભા રાખવા.
2. શાળાનો થેલો તેમના માથા પર ઉપડાવવો.
3. તડકામાં પૂરા દિવસ માટે તેમને ઊભા રહેવાની ફરજ પાડવી.
4. બાળકોને ઘૂંટણિયે પાડવા અને કામ કરાવવું.
5. તેમને બેન્ચ પર ઊભા રાખવા
6. હાથ ઉપર રાખીને ઊભા રહેવાની ફરજ પાડવી.
7. પેન્સિલ તેમના મોઢામાં રાખવી અને ઊભા રાખવા.
8. પગની અંદર તેમના હાથ પસાર કરવા સાથે કાન પકડીને ઊભા રાખવા.
9. બાળકોના હાથ બાંધવા.
10. તેમને ટટ્ટાર ઊભા રાખવા.
11. શાળાથી બહાર નિકાળવા અને ચૂંટલો ભરવો.
12. કાન મરોડવા.
ભાવનાત્મક દંડ:
1 . વિરુદ્ધ લિંગવાળી વ્યક્તિ તરફથી લાફો મરાવવો.
2 . ઠપકો આપવો,અનુચિત વર્તન કરવું,અપમાનજનક બોલવું.
3 . તેના કે તેણીના ગેરવર્તન મુજબ લેબલ લગાવવું અને તેને કે તેણીને પૂરી શાળામાં ફેરવવા.
4. વર્ગની છેલ્લે તેમને ઊભા રહેવાની ફરજ પાડવી અને કામ પૂર્ણ કરવા કહેવુ.
5. બે દિવસ માટે તેમને શાળામાંથી સ્થગિત કરવા.
6. તેમની પીઠ પાછળ કાગળ ચીટકાડવું અને “હું મૂર્ખ છું”, “હું ગધેડો છું” ઈત્યાદિ લેબલ તેમના પર લગાડવા.
7. શિક્ષક બાળકને દરેક વર્ગમાં સાથે લઈ જાય છે અને બાળકનું અપમાન કરે છે.
8. છોકરાઓના શર્ટ નિકાળવા.
નકારાત્મક બળવત્તરતા:
1. વિરામ અને લંચ દરમિયાન અટકાયતમાં રાખવા.
2. અંધારી કોટડીઓમાં તેમને પૂરવા.
3. વડિલોને બોલાવવા કે બાળકોને વડીલોપાસેથી ખુલાસારૂપ પત્ર મેળવીને લાવવા કહેવું.
4. તેમને ઘરે મોકલી દેવા અથવા તેમને શાળાના ગેટની બહાર ઊભા રાખવા.
5. વર્ગમાં બાળકને જમીન પર બેસાડવા.
6. બાળક પાસે પરિસર સ્વચ્છ કરાવવું.
7. ઈમારતની આજુબાજુ કે મેદાનમાં બાળકને દોડવાની ફરજ પાડવી.
8. બાળકોને આચાર્ય પાસે મોકલવા.
9. તેમને વર્ગમાં ભણાવવા કહેવું.
10. શિક્ષક જ્યાં સુધી આવે નહી ત્યાં સુધી તેમને ઊભા રાખવા.
11. મૌખિક ચેતાવણીઓ અથા ડાયરી કે કેલેન્ડરોમાં પત્રો આપવા.
12. બાળક માટે TC આપવાની ધમકી આપવી.
13. રમતો કે બીજી પ્રવૃતિઓમાં નિષ્ફળ જવા માટે તેમને કહેવું.
14. માર્ક બાદ કરવા.
15. શાળામાં ત્રણ દિવસ મોડા આવવાને એક દિવસની ગેરહાજરી સમાન ગણવી.
16. અતિશય ભારણ આપવું.
17. બાળકોને દંડ ચૂકવવાની ફરજ પાડવી.
18. તેમને વર્ગમાં આવવા દેવા નહી.
19. એક દિવસ,અઠવાડિયું કે મહિના માટે તેમને જમીન પર બેસાડવા.
20. તેમની શિસ્તપ્રધાન સૂચિમાં કાળા નિશાન કરવા.
સ્ત્રોત: શાળામાં બાળકોના અધિકારોનું ઉલ્લંઘન શારિરીક દંડ - લેખક – પ્રોફ._ માદાભુષી શ્રીધર_- નલ્સર યુનીવર્સિટી ઓફ લો - Hyderabad.htm
નાના બાળકોના મન પર તેનો નકારાત્મક પ્રભાવ પડે છે કારણકે સામાન્યત: તે અવિકસિત મગજમાં તિરસ્કાર,આતંક અને ભયનું સ્વરૂપ લે છે..
આવા પ્રકારની સજાઓ ગુસ્સો,રોષ અને નિમ્ન આત્મસન્માનની રચના તરફ દોરે છે.અસહાય અને હીણપાદની ભાવનાઓનું કારણ બને છે,તે/તેણીના સ્વમૂલ્ય અને આત્મ-સન્માનને ઝૂંટવી લે છે,જે બાળકને એકલતામાં કે અકારણ આક્રમણ તરફ દોરે છે.
તે બાળકોને સમસ્યાઓના ઉકેલ તરીકે હિંસક બનવાનું અને બદલો લેવાનું શીખવે છે.
બાળકો કદાચ પુખ્તો જે કરે છે તેનું અનુકરણ કરી શકે છે.બાળકો એવું માનવાની શરૂઆત કરે છે કે બળજોરીનો પ્રયોગ કરવો યોગ્ય છે અને તેમાં કંઈ ખોટું નથી.બાળકો તેના પોતાના માતા-પિતા કે શિક્ષકો પર પણ પ્રતિશોધમાં હુમલો કરી શકે છે.બાળપણ દરમિયાન શારિરીક દંડના પીડિતો મોટેભાગે પુખ્તવયમાં તેમના બાળકો,પરમેતર કે મિત્રોને નિશાન બનાવી શકે છે.
શારિરીક દંડ એ શિસ્તબદ્ધતું સૌથી બિનઅસરકારક સ્વરૂપ છે કારણકે તે ભાગ્યે જ વ્યક્તિને પ્રેરિત કરે છે.તે બાળકને સારુ કરવાને બદલે વધારે નુકસાન કરે છે.
સજા અમુક હદે બાળકને અશિસ્તતાની ક્રિયાનું પુનરાવર્તન કરતા અટકાવે છે,પણ તે તે/તેણીની વિષય વિશેની સમજણને સુધારી શકતું નથી અથવા તે/તેણીને વધારે હોશિયાર બનાવી શકતું નથી.
હકીકતમાં તે બાળકો પર સંખ્યાબંધ નકારાત્મક પરિણામો પેદા કરે છે.
રસ્તા પરના અને કામ કરતા મોટાભાગના બાળકોએ શાળાથી અને તેમના પરિવારો અને ઘરોથી પણ ભાગી જવાના કારણોમાંથી એક કારણ તરીકે શાળા પરના શારીરિક દંડનો ઉલ્લેખ કર્યો છે.
બાળકોને શિસ્તબદ્ધ કરવાનો અધિકારને બાળકોના વિકાસ અને સહભાગીતાના અધિકારના મૂલ્યે કરી શકાતો નથી.વાસ્તવિકતામાં બાળકોનો સહભાગિતા થવાનો એકમાત્ર અધિકાર જ શિસ્તબદ્ધતાના સ્વરને સાધી શકે છે.
કોઈપણ ધર્મ કે કાયદો શારીરિક દંડને મંજૂરી આપતો નથી.કોઈપણ વ્યક્તિને બાળકોને શારીરિકપણે દંડ કરવાનો કોઈ કાયદાકીય કે નૈતિક અધિકાર નથી માત્ર એટલા માટે કે તેઓ બીજા કોઈપણ પ્રકારે પરિસ્થિતીને કાબૂમાં લાવી શકતા નથી.
માન્યતા: ભારતના શિક્ષણ તંત્રે વિશ્વને આપણે પેદા કરેલા ભેજાઓ માટે ઉત્સુક કર્યુ છે.તેના પરિણામે,ઘણા ભારતીય વિદ્વાનો,વૈજ્ઞાનિકો,ઈજનેરો અને બીજા ધંધાદારીઓ પશ્ચિમમાં સફળતાપૂર્વક ગોઠવાયા છે અને તેમાંના ઘણા તે દેશમાં પણ તેમના માટે શ્રેષ્ઠ કરી રહ્યા છે.સ્પર્ધાત્મક પરીક્ષા તંત્રની સાથેનું કડક શિસ્ત એ સફળતાનો માર્ગ છે.તમામ વડીલોતેમના બાળકોને એવી શાળાઓમાં મોકલવા માંગે છે જેનું પરિણામ સારુ આવતું હોય.
વાસ્તવિકતા: ભારત વિશ્વના શ્રેષ્ઠ ભેજાઓને પેદા કરે છે તેમાં કોઈ શંકા નથી.પણ ખરેખરમાં તેનો શ્રેય વર્તમાનની શાળા કે શિક્ષણ તંત્રને અથવા પરિવાર અને સામાજીક દબાણો હોવા છતાં પણ જીવનમાં શ્રેષ્ઠ કરવા માટેની વિશુદ્ધ સંકલ્પશક્તિને જાય છે? ગળાકાપ હરિફાઈનું દબાણ,આપણા બાળકો અને વિદ્યાર્થીઓ પાસેથી વધી જતી અપેક્ષાઓ, શાળા કે શિક્ષકોની આબરૂ માટેના મુખ્ય દાવાઓ રૂપેના સારા પરિણામો અને આ બધાને પહોંચી વળવા માટેની બાળકોની અસમર્થતા બાળકોમાં વધતી માનસિક ઉદાસીનતા તરફ દોરે છે અને જેના પરિણામે વધતી સંખ્યામાં બાળકોની આત્મહત્યા થાય છે. મગજોનું મોત થાય છે અને જો આપણે આ વાસ્તવિકતા તરફ આપણી આંખો ખોલશું નહી તો,આપણે કદાચ બહુ જલ્દી તેજસ્વી યુવા લોકોની સંપૂર્ણ પેઢીને ગુમાવી શકીએ છીએ.
અમુક વિદ્યાર્થીઓ માટે, CBSE પરીક્ષાઓ પછી કોઈ જીવન રહેતુ નથી.
CBSEના વર્ગ X અને XII પરિણામો ઘોષિત કરતા પાંચ દિવસની અંદર,રાજધાનીમાં અડધો ડઝન છોકરાઓએ આત્મહત્યા કરી હતી.અને જે સમયે તમે આ વાંચી રહ્યા છે,ત્યારે બીજા ઘણા પોતાના જીવનનો અંત લાવવાનું વિચારી રહ્યા છે કારણકે તેઓ પરીક્ષામાં પાસ થવામાં નિષ્ફળ ગયા છે.
બાળકોમાં આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓ એ ગાઢ બેચેનીનું પ્રદર્શન છે. “પૂર્વે,લોકો કિશોરાવસ્થા સાથે માનસિક ઉદાસીનતા જોડતા નહોતા.કિશોરો માનસિક ઉદાસીનતા અને બીજાઓથી અવિકસિત સમજણને સહન કરે છે”, જી.બી.પેન્ટ અને મૌલાના આઝાદ મેડીકલ કોલેજના મનોચિકિત્સક,પ્રોફેસર અને હેડ,ડૉ.આર.સી.જીલોહા ઉલ્લેખ કરે છે.સમસ્યા વધારે બગડી ગઈ છે કારણકે આ પરિપક્વ ઉંમરમાં તેઓ પાસે ના ડહાપણ હોય છે કે ના નિષ્ફળતાને અનુરૂપ થવનો અનુભવ હોય છે.
… ટેલી-કાઉન્સેલર,મિસ.શર્મા કહે છે, “વડીલોઅને શિક્ષકો માટે સલાહ આપવા માટેની આવશ્યકતાને ઓળખવી મહત્વની છે. … પરીક્ષાના પરીણામો એ વિશ્વનો અંત નથી; જો તમે ખરાબ પ્રદર્શન કર્યુ હોય તો પણ,પરીક્ષા પછી પણ જીવન હોય છે.આ જ વડીલોઅને શિક્ષકોએ સમજવાની જરૂર છે,” મિસ.શર્મા કહે છે.
માન્યતા: ગરીબ પરિવારોના બાળકો જ ભાગીને લાવારિસ બને છે.રસ્તા પર રહેતા બાળકો ખરાબ બાળકો હોય છે.
વાસ્તવિકતા: કોઈપણ બાળક ભાગી શકે છે જો તે/તેણીની યોગ્ય સંભાળ ન લેવામાં આવે તો.દરેક બાળકને ગૌરવ સાથે જીવવાનો અધિકાર છે અને કોઈપણ વડીલ/પરિવાર/શાળા/ગામ જે આ અધિકારનો ઈનકાર કરે છે તેઓ કદાચ તેમના બાળક(કો)ને ગુમાવી શકે છે.
લાવારિશ બાળકોનો મોટો વિભાગ ભાગેડુ બાળકોનો છે,જેઓ તેમનું ઘર બહેતર જીવન તકોની શોધમાં કે, મોહક શહેરોના આકર્ષણ માટે, કે આવી પડેલા દબાણોથી હારી જઈને,કે શિક્ષણના તંત્રની સખતાઈથી કંટાળીને જે તેમના વડીલો બળજબરીપૂર્વક તેમના પર લાદે છે અથવા કૌટુંબિક હિંસાથી બચવા ઘર છોડે છે અને શહેરોમાં પ્રવેશ કરે છે જ્યાં તેઓ વધારે કંગાળ પરિસ્થિતિઓમાં જીવે છે.
લાવારિશ બાળકો ક્યારેય ખરાબ હોતા નથી. તેઓ જે પરિસ્થિતિમાં જીવતા હોય છે તે ખરાબ હોય છે.
આ બાળકો ઘણીવાર તેમના પોતાના માટે દિવસનું બે વખતનું ભોજન પણ મેળવી શકતા નથી અને દુરૂપયોગ થવા માટે અતિગ્રાહ્ય હોય છે.રસ્તા પર તેઓ કોઈવાર તેઓ શોષણ અને સંબંધિત મુશ્કેલીઓના દુષ્ટ ચક્રોમાં સંડોવાય છે.મોટા બાળકોના સંપર્કમાં આવતાની સાથે નવા અને નાના બાળકો તરતજ પૈસા ઊઠાંતરી કે સરળતાથી ઉપલબ્ધ હોય તેવા કાર્યોના બીજા સ્વરૂપોમાં કે ગેરકાયદેસર પ્રવૃતિઓમાં જેવી કે ખીસાકાતરૂ, ભીખ માંગવી, કેફી પદાર્થોની ફેરવણીમાં જોડાય છે.
બાળકો તેમના ઘરોથી ઘણા કારણોસર ભાગી જાય છે
દિપ્તી પાગરે,જી.એસ.મીના,આર.સી જીલોહા અને એમ.એમ સિંધ,ભારતીય બાળરોગ,સામાજીક ઔષધ અને મનોચિકિત્સા વિભાગ,મૌલના દ્વારા અભ્યાસ, ‘લાવારિશ બાળકોના જાતીય દુર્વ્યવહારને અવલોકન ગૃહમાં લાવવામાં આવ્યો છે’
દિલ્હીના અવલોકન ગૃહમાં પુરૂષ સહવાસીઓમાં જાતીય દુર્વ્યવહારના પરિમાણ અને જાતની ચકાસણી કરવા માટે, 2003-2004માં સંચાલિત કરવામાં આવેલી આઝાદ કોલેજ,ખુલાસો કરે છે કે મોટાભાગના છોકરાઓ ભાગેડુ હોય છે અને 38.1 ટકા જાતીય દુર્વ્યવહારનો ભોગ બન્યા હોય છે.નૈદાનિક પરીક્ષણ પર,61.1ટકાએ જાતીય દુર્વ્યવહારના શારિરીક ચિહ્નો અને 40.2 ટકાએ વર્તણૂક ચિહ્નો બતાવ્યા હતા.44.4 ટકા પીડિતો દ્વારા બળજબરીપૂર્વકના મૈથુનનો અહેવાલ આપવામાં આવ્યો હતો અને 25 ટકાએ જાતીયપણે વાહક રોગોના ચિહ્નો બતાવ્યા હતા.અપરિચિતો એ જાતીય દુર્વ્યવહારના સૌથી સામાન્ય ગુનેગારો છે.
માન્યતા: HIV/AIDS એ પુખ્તોનો મુદ્દો છે.બાળકોને તેની સાથે કંઈ લેવા-દેવા નથી અને તેથી તેના વિશે જાણવાની જરૂર નથી.તેમને HIV/AIDS,પ્રજનન સ્વાસ્થ્ય, જાતીયતા અને બીજા તેવા મુદ્દાઓ અંગે જાણ કરવાથી તે બાળકોના મગજને ભ્રષ્ટ કરશે. HIV/AIDS ના અમુક પ્રકારના વૃતાંતવાળા પરિવારોમાંથી આવેલા બાળકોમાં થઈ શકે છે અને તેથી સાવચેત રહેવુ જોઈએ અને HIV/AIDSના ફેલાવાથી અટકાવવા માટે તેમને શક્ય બને તેટલા દૂર રાખવા જોઈએ.
વાસ્તવિકતા: ઉંમર,ત્વચા,રંગ,જાતિ,વર્ગ,ધર્મ,ભૌગોલિક સ્થાન,નૈતિક દુષ્ટતા,સારા કે ખરાબ કૃત્યોના આધાર પર HIV/AIDS નો તફાવત કેળવાતો નથી.તમામ માનવીઓ HIVથી ચેપગ્રસ્ત થઈ શકે છે.
HIV એટલે કે હ્યુમન ઈમ્યુનો ડેફીસીયેન્સી વાયરસ જે એઈડ્સ પેદા કરે છે તે HIV પોઝીટીવ વ્યક્તિના દૂષિત શરીર પ્રવાહીઓ સાથે સંપર્કમાં આવવાથી સંક્રમિત થાય છે,જેવા કે વીર્ય,પૂર્વ-સ્ખલન,યોનિ પ્રવાહી, લોહી,કે સ્તનનું દૂધ HIV-દૂષિત લોહી સાથેના સંપર્કમાં આવેલી સોયો સાથેના સંપર્કમાં આવવાથી પણ સંક્રમિત થઈ શકે છે,જેમાં દવાઓના પ્રક્ષેપણ, ટેટુ લગાડવા અને શરીર વીંધવા માટે વપરાતી સોયોનો સમાવેશ થાય છે.
આજે લાખો બાળકો HIV/AIDSથી ચેપગ્રસ્ત કે અસરગ્રસ્ત થાય છે. બાળકો તેમના વડીલોના અકાળ મૃત્યુઓને કારણે અનાથ બની રહ્યા છે અને વડિલોની સારસંભાળ અને સંરક્ષણથી વંચિત થઈ રહ્યા છે.
HIV/AIDSનું માતાથી-બાળકમાં સંક્રમણ એ બાળકોમાં થતા ચેપોનો સૌથી સામાન્ય પ્રકાર છે, બાળ જાતીય દુર્વ્યવહાર અને અગમ્યાગમનના વધતા જતા કિસ્સાઓને કારણે, બીજા ઘણા બાળકો આ રોગનો શિકાર બની રહ્યા છે.બાળકો અને યુવા લોકોમાં દવાઓનો દુરૂપયોગ પણ ભય ઊભો કરે છે. આવા સંજોગોમાં બાળકોથી HIV/AIDS સંબંધિત માહિતીને છુપાવવી અને પોતાની જાતને તેઓ કેવી રીતે બચાવી શકે તે જાણવાના અધિકારનો અસ્વીકાર કરવો યોગ્ય નથી.
એશિયામાં,ચીન પછી ભારતમાં સોથી વધારે HIV/AIDS ધરાવતા લોકોની સંખ્યા છે.UNAIDS પ્રમાણે, ભારતમાં 0-14 વર્ષ સુધીની ઉંમરના 0.16 લાખ બાળકો HIVથી ચેપગ્રસ્ત છે.
નવા અહેવાલો મુજબ, છ વર્ષની બબીતા રાજ,જેના પિતા AIDSના કારણે મૃત્યુ પામ્યા હતા.વડીલોઅને શિક્ષકોની બેઠક અને શાળાના સત્તાધિકારીઓના વિરોધ પછી તેને કેરળના પરપન્નગડીની સરકાર-અનુદાનિત પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહેવા માટે અવરોધિત કરવામાં આવી હતી,… ખબર અનુસાર સામાજીક કાર્યકરો અને સ્થાનિક સરકારી અધિકારીઓના હસ્તક્ષેપ પછી પણ,જેઓએ તેણી HIV નેગેટીવ છે તેવું સાબિત કરતું ઔષધકીય પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યુ હતું તે છતાં પણ તેનો પુનર્પ્રવેશ માટે સત્તાવારો દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો હતો. સ્થાનિક સરકારી શાળાઓએ પણ તેના પ્રવેશનો અસ્વીકાર કર્યો હતો.
સ્ત્રોત: ભવિષ્ય પૂર્ણતયા પરિત્યાગ,માનવીય અધિકારોની તપાસ,પાના નં. 73, 2004
આપણે આ જાણવાની જરૂર છે કે ચેપગ્રસ્ત બાળકનો સંપર્ક કરવાથી કે તે બાળકની બાજુમાં બેસવાથી કે ચેપગ્રસ્ત વ્યક્તિને આલિંગન દેવાથી અને ચુંબન કરવાથી કે તેની સાથે રમવાથી HIV સંક્રમિત થતું નથી.
આ સાચું છે કે માહિતી અને સહભાગિતાનો બાળકોનો અધિકાર ‘બાળક માટેના શ્રેષ્ઠ હિતો’પર આધારિત છે અને તેથી બાળકો સાથે જાતીયતા, પ્રજનન સ્વાસ્થ્ય સ્વાસ્થય કે HIV/AIDS વિશે ચર્ચા કરતી વખતે ઉંમર-વિશિષ્ટતાઓને ધ્યાનમાં લાવવી જરૂરી છે. વાસ્તવિકતા એ છે કે આપણે પોતાનું મગજ આપણા બાળકોના મનમાં આવતા પ્રશ્નોનો સામનો કરવા માટે તૈયાર નથી રાખ્યું અને તેથી કોઈપણ ચર્ચાને ટાળવા માટે બહાના ગોતીએ છીએ. જીવન-કૌશલ્યોના શિક્ષણના મહત્વની ઉપેક્ષા કરવા કરતા તેને સમજવા માટે તૈયાર થવુ મહત્વનું છે,જેમાં જાતીય શિક્ષણનો પણ સમાવેશ થાય છે.
લોકોને HIV/AIDS વિશે શિક્ષણ આપવાને બદલે, ભૂતકાળમાં ઘણી શાળાઓએ બાળકોને બહાર ફેંકી દીધા હતા માત્ર એટલા માટે કે તેઓ HIV/AIDS નો અમુક ઈતિહાસ ધરાવતા પરિવારોમાંથી આવ્યા હતા અથવા પરિવારનો કોઈ સભ્ય HIV પોઝીટીવ હોવાની અમુક આશંકા હતી. HIV/AIDSના આધાર પર તેમને મૂળભૂત સેવાઓ અને માનવીય હકોનો ઈનકાર કરવો,એ ભેદભાવ છે. ભારતીય સંવિધાને સમાનતાના અને અભેદભાવના અધિકારની સુરક્ષિતતા આપી છે અને જેઓ અસમાનતા કે ભેદભાવને પ્રોત્સાહન આપે છે તેઓને સજાને પાત્ર છે.
વ્યક્તિ HIV પોઝીટીવ છે તેની જાણકારીનો ઉપયોગ વહેલાસરની સારવાર મેળવવા માટે થવો જોઈએ જે વ્યક્તિને દીર્ઘકાળ સુધી સ્વસ્થ રહેવામાં અને તે/તેણીને બીજા કોઈને જીવાણુઓ પસાર ન થવા દેવામાં મદદ કરી શકે છે. જો સાચેમાં જોખમી દેખાતા બાળકોને,શાળામાંથી બહાર કાઢી દેવામાં આવતા હોય તો આમાં કોઈપણ રીતે તેમનું સ્વાસ્થય ચકાસવામાં અને તેમને સહાય પૂરી પાડવામાં આવતી નથી અને આ પ્રકારે તો બીજાઓ માટેનું જોખમ વધી શકે છે.ભેદભાવ એ વધતા જતા જોખમનો અંત લાવતો નથી.
માન્યતા: અસ્પૃશ્યતા અને જાતિ ભેદભાવ એ હવે એક ઈતિહાસ છે.દલિત કે અનુસૂચિત જાતિ/અનુસૂચિત પ્રજાતિના વિદ્યાર્થીઓ તેમનું જીવન સરળ બનાવતા આરક્ષણો સાથે કોઈપણ પ્રકારના જાતિ ભેદભાવનો સામનો ક્યારેય કરતા નથી.
વાસ્તવિકતા: આ સત્ય નથી.જાતિ ભેદભાવ સાથે વ્યક્તિનો ભેટો પૂર્વકાલીન ઉંમરમાં થાય છે.તે/તેણી શાળામાં,રમતગમતના મેદાનમાં,હોસ્પિટલમાં ભેદભાવનો સામનો કરે છે અને આ યાદીનો કોઈ અંત નથી થઈ શકતો. સમાજના નબળા અને વિશેષ અધિકારો ધરાવતા વિભાગો વિરુદ્ધ આપણે ભેદભાવના આચરણને સંબોધિત કરી શકીએ છીએ જેવા કે અનુસૂચિત જાતિ/પ્રજાતિ તેમના આર્થિક,સામાજીક અને સાંસ્કૃતિક અધિકારોની તેમને બાંયધરી આપવા દ્વારા,ખાસ કરીને શિક્ષણ,સ્વાસ્થય સંભાળ અને સુરક્ષા સેવાઓ; બાળ મજૂરો માટેના કાર્યક્રમો, અને હાથેથી કચરો લેવો જેવા અપમાનજનક આચરણોનો અંત કરવા.
માન્યતા: અપંગતા એ શ્રાપ છે.અપંગ બાળક પાસે કોઈ યોગ્યતા નથી.આવા બાળકો પરિવાર પર ભારરૂપ હોય છે,તેઓ આર્થિક રૂપે અનુત્પાદક હોય છે અને તેમના માટે શિક્ષણનો કોઈ ઉપયોગ રહેતો નથી.વાસ્તવમાં મોટાભાગની અપંગતાનો કોઈ ઈલાજ નથી.
વાસ્તવિકતા: અપંગતાને ભૂતકાળના કાર્યો સાથે કંઈ લેવાદેવા નથી.આ વિકૃતિ છે જે ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય સંભાળના અભાવને કારણે અથવા કોઈક વખત બાળકને જનન તત્વોથી વારસામાં મળી હોય છે. જરૂરિયાત હોય તે સમયે યોગ્ય ઔષધકીય સંભાળનો અભાવ,યોગ્ય પ્રતિરક્ષણનો અભાવ,અકસ્માત અથવા હાનિ જેવા બીજા કારણોને લીધે થઈ શકે છે જેનો અસ્વીકાર થઈ શકતો નથી.
માનસિક રીતે કે શારિરીક રીતે અપંગ વ્યક્તિ એ સામાન્યપણે દયાને પાત્ર છે.આપણે ભૂલી ગયા છીએ કે એક અપંગ વ્યક્તિને માણસ તરીકેના અધિકાર છે અને તે દયા કરતા પણ વધારે,તેને/તેણીને સહાનુભૂતિની જરૂર છે.
ઘણીવાર આપણે અપંગતાને કલંક સાથે જોડીએ છીએ.માનસિક રીતે બિમાર વ્યક્તિવાળા પરિવારનો સમાજ દ્વારા બહિષ્કાર કરવામાં આવે છે અને અવગણવામાં આવે છે.બાળકની અપંગતાને ધ્યાનમાં ન લેતા પ્રત્યેક બાળક માટે શિક્ષણ મહત્વનું છે કારણકે તે બાળકના એકંદર વિકાસમાં મદદ કરે છે.
અપંગ બાળકોને વિશિષ્ટ જરૂરિયાતો હોય છે અને આપણે તે જરૂરિયાતોને સંબોધવાની હોય છે.જો તેમને તક આપવામાં આવે તો તેએ પણ જીવન-સહાયક કૌશલ્યો શીખી શકે છે. અપંગતા ગંભીર સ્વરૂપ લે છે માત્ર ત્યારે જ જ્યારે આપણે વ્યક્તિને તેના જીવનને દોરવા જે વસ્તુઓની જરૂર હોય છે તે પ્રદાન કરવામાં આપણે નિષ્ફળ જઈએ.
યોગ્ય પ્રશિક્ષણ દ્વારા એક અપંગ બાળકને પણ અમુક કૌશલ્યો શીખવી શકાય છે જે તે/તેણીને સભ્ય જીવન મેળવવાની અમુક તકો પ્રદાન કરી શકે.
તદુપરાંત, જો અગાઉથી શોધી કાઢવામાં આવે અને તેનું નિદાન કરવામાં આવે તો,મોટાભાગની અપંગતાઓને અસાધ્ય બનાવતા પહેલા દૂર કરી શકાય છે અથવા રોકી શકાય છે.આમાં માનસિક વિકારોનો સમાવેશ થાય છે જેને સવેળાની દરમિયાનગીરી સાથે રોકી શકાય છે અને તેની સારવાર થઈ શકે છે.
સંઘર્ષ અને માનવ-નિર્મિત દુર્ઘટનાઓ
પ્રત્યેક શાળા અને પ્રત્યેક શિક્ષકે સંઘર્ષ,રાજકીય વિવાદો,યુદ્ધ કે કુદરતી દુર્ઘટનાઓની પરિસ્થિતિઓમાં વિશિષ્ટ સંભાળ લેવી જોઈએ.આવી પરિસ્થિતિઓમાં જીવતા બાળકોને વિશેષ સંભાળ અને રક્ષણની જરૂર પડે છે,તે ત્યારે જ શક્ય બને જ્યારે સમાજને તેની સમજણ પડે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020