આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ,‘બાળક’એટલે 18 વર્ષની ઉંમર નીચેનો દરેક માનવી.આ સાર્વત્રિકપણે સ્વીકારેલી બાળકની વ્યાખ્યા છે અને બાળ અધિકારો પરના યુનાઈટેડ નેશન્સ કરાર પરથી આવી છે (UNCRC), મોટાભાગના દેશો દ્વારા પ્રમાણિત અને સ્વીકૃત એક આંતરરાષ્ટ્રીય કાયદાકીય દસ્તાવેજ.
ભારતે હંમેશા 18 વર્ષની ઉંમર નીચેના વ્યક્તિઓના વર્ગને વિશિષ્ટ કાયદેસર અસ્તિત્વ તરીકે માન્ય કર્યા છે. આ ચોક્કસપણે છે જે લોકો વોટ કરી શકે કે ડ્રાયવીંગ લાયસન્સ મેળવી શકે અથવા કાયદાકીય કરારોમાં દાખલ થઈ શકે તે માત્ર ત્યારે જ જ્યારે તેઓ 18 વર્ષની ઉંમર પૂર્ણ કરે.18 વર્ષની ઉંમરની નીચેની છોકરીના લગ્ન અને 21 વર્ષની ઉંમર નીચેના છોકરાના લગ્નને બાળ લગ્ન અટકાયત કાયદો 1929 હેઠળ અટકાવવામાં આવે છે. તદુપરાંત,1992માં UNCRCને માન્ય કર્યા પછી, ભારતે બાળ ન્યાય પરના તેના કાયદાઓને બદલી નાખ્યા તે ખાતરી કરવા કે 18 વર્ષની નીચેની ઉંમરનો દરેક વ્યક્તિ,જેને સંભાળ અને રક્ષણની જરૂર છે, તે રાજ્ય પાસેથી તે મેળવવાનો હકદાર છે.
જો કે,બીજા કાયદાઓ છે જે બાળકને ભિન્ન રીતે વ્યાખ્યાયિત કરે છે અને UNCRC સાથે હજી તેઓને અનુકરણમાં લાવવાના બાકી છે. પણ,આગળ જણાવ્યા મુજબ,પરિપક્વતાની ઉંમરની કાયદાકીય કબૂલાત છોકરીઓ માટેની 18 વર્ષની અને છોકરાઓની માટેની 21 વર્ષની છે.
આનો મતલબ તમારા ગામ/નગર/શહેરના 18 વર્ષની ઉંમર નીચેના દરેક વ્યક્તિઓને બાળકની જેમ વર્તવા જોઈએ અને તેને તમારી સહાય અને ટેકાની જરૂર છે.
વ્યક્તિને ‘બાળક’ વ્યક્તિની ‘ઉંમર’ બનાવે છે.જો 18 વર્ષની અંદરનો વ્યક્તિ લગ્ન કરે અને જો તેના/તેણીના પોતાના બાળકો હોય તો પણ,તે/તેણીને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ બાળક માનવામાં આવશે.
મહત્વના મુદ્દાઓ
બહાલી આપ્યા પછી આપણે માન્ય કરેલા આંતરરાષ્ટ્રીય કાયદાકીય દસ્તાવેજો અને આપણા દેશને સંચાલિત કરતા કાયદાઓ દ્વારા પ્રત્યાભૂત ધોરણો અને હકોને 18 વર્ષની ઉંમર નીચેના તમામ વ્યક્તિઓ હકદાર છે.
ભારતીય બંધારણ
ભારતીય બંધારણ તમામ બાળકો માટે નિશ્ચિત અધિકારો માન્ય કરે છે,જે ખાસ કરીને તેમના માટે સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.તેમાં સમાવેશ થાય છે:
આ સિવાય બીજો કોઈપણ પુખ્ત સ્ત્રી કે પુરૂષની જેમ જ,તેમને ભારતના સમાન નાગરિકો તરીકેના અધિકારો છે:
બંધારણ સિવાય,બાળકો માટે ખાસ કરીને બનાવેલા કેટલાયે કાયદાઓ છે. જવાબદાર શિક્ષકો અને નાગરિકો તરીકે,તમે તેઓથી અને તેમના મહત્વથી માહિતગાર થાઓ તે યથાર્થ છે.આ પુસ્તિકાના વિવિધ વિભાગોમાં સંબંધિત મુદ્દાઓની સાથે તેમનું વર્ણન કરવામાં આવ્યુ છે.
બાળકોના અધિકારો પરનો યુનાઈટેડ નેશન્સ કરાર બાળકો માટેના તમામ આંતરરાષ્ટ્રીય કાયદાઓમાં સૌથી મહત્વપૂર્ણ છે બાળકોના અધિકારો પરનો યુનાઈટેડ નેશન્સ કરાર,પ્રચલિત રીતે તેને CRC કહેવાય છે. આ આપણા ભારતીય બંધારણ અને કાયદાઓ સાથે મળીને બાળકોને કયા અધિકારો હોવા જ જોઈએ તે નિર્ધારિત કરે છે.
બાળકોના અધિકારો પરનો UN કરાર શું છે?
કોઈપણ ઉંમરને બેફિકર,માનવીય અધિકારો બાળકો સમાવિષ્ટ તમામ વ્યક્તિઓ માટે છે.જોકે,તેમના વિશિષ્ટ દરજ્જાને કારણે-જેનાથી બાળકોને પુખ્તોથી વધારાની સુરક્ષા અને માર્ગદર્શનની જરૂર પડે છે-બાળકોના પોતાના પણ ખાસ અધિકારો છે.તેઓને બાળકોના અધિકારો કહેવાય છે અને તેઓને બાળ અધિકારો પરના યુનાઈટેડ નેશન્સ કરાર(CRC)માં સ્થાપિત કરવામાં આવ્યા છે.
બાળ અધિકારો પરના યુનાઈટેડ નેશન્સ કરાર(CRC) મહત્વપૂર્ણ લક્ષણો
બાળકોને સમાજમાં નિષ્પક્ષ અને ન્યાયસંગત વ્યવહાર મળે તે માટેની ખાતરી આપવા અને તેમને સન્માન આપવાની રાજ્યને ફરજ પાડે છે.
જીવનના અધિકારોમાં સમાવેશ થાય છે
સંરક્ષણના અધિકારમાં નિમ્નલિખિત તમામથી મળેલી સ્વતંત્રતાનો સમાવેશ થાય છે
વિશિષ્ટ પરિસ્થિતીઓમાં જેવી કે અપંગતા ઈત્યાદિ.માં આપાતકાલીન અને સશસ્ત્ર યુદ્ધોની પરિસ્થિતીઓમાં વિશેષ સંરક્ષણ
સહભાગિતાના અધિકારોમાં સમાવેશ થાય છે
તમામ અધિકારો એકબીજાને આધારિત છે અને અવિભાજીત છે.જોકે,તેમની પ્રકૃતિના કારણે તમામ અધિકારોને વિભાજીત કરવામાં આવે છે:
મોટાભાગના સંરક્ષણ અધિકારો તત્કાલીન અધિકારોના પ્રકારોમાં આવે છે અને તેથી તત્કાળ કાળજી અને હસ્તક્ષેપની માંગણી કરે છે.
તેઓને CRCમાં લેખ 4 હેઠળ માન્ય કરવામાં આવે છે, જે વર્ણવે છે:
“આર્થિક,સામાજીક અને સાંસ્કૃતિક કાર્યક્રમો વિશે,રાજ્ય પક્ષોએ ઉપલબ્ધ સ્ત્રોતોની અધિકત્તમ મર્યાદા સુધી અને,જ્યારે પણ જરૂર હોય ત્યારે આંતરરાષ્ટ્રીય સહાય રૂપરેખની અંદર આવા પગલા ઉપાડવા જોઈએ.”
પુસ્તિકામાં અમે વિશિષ્ટપણે બાળકોના સંરક્ષણનો અધિકાર અને તેમની સુનિશ્ચિતતા માટે શિક્ષકો અને શાળાઓ ભજવી શકાતી ભૂમિકાને પ્રસ્તુત કરશું
9 નોંધ: બાળકો જેમ-જેમ મોટા થતા જાય તેમ તેઓ ભિન્ન-ભિન્ન કાર્યક્ષમતા અને પરિપક્વતાની માત્રાઓ પ્રાપ્ત કરે છે.આનો મતલબ એ નથી કે જો તેઓ 15 કે 18 વર્ષના હોય તો તેઓને સંરક્ષણની આવશ્યકતા નથી. ઉદાહરણ તરીકે,આપણા દેશમાં 18 વર્ષની અંદરની ઉંમરના બાળકોના લગ્ન અને તેઓ પાસે કામ કરાવવામાં આવે છે. પણ સમાજ તેઓ પરિપક્વ થઈ ગયા છે તેવું અનુભવતો હોવાના કારણે તેઓને ઓછું સંરક્ષણ ન મળવુ જોઈએ.તેઓને પણ શ્રેષ્ઠ સંરક્ષણ,તકો અને પુખ્તતા સુધીના તેમના પ્રવાસ પર જીવનમાં તેમને શ્રેષ્ઠ શરૂઆતની ખાતરી માટેની મદદ મળવી જોઈએ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/4/2020