অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વિદેશ અભ્યાસ માટે લોન

અનુસુચિત જનજાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન

યોજનાનો ઉદ્દેશ:

અનુસૂચિત જનજાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો/તાલીમ માટે હળવા વ્યાજની લોન આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે.

પાત્રતાના ધોરણો

  • અરજદાર અનુસૂચિત જનજાતિનો હોવો જોઇએ.
  • અરજદારે મેટ્રીકયુલેશન અથવા હાયર સેકન્ડરો અથવા ઇન્ડિયમ સ્કુલ સર્ટીફીકેટ કે તેની સમકક્ષ પરીક્ષામાં વિશેષ યોગ્યતા  પ્રાપ્ત હોય તેવા વિદ્યાથીઓને/અરજદારોને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષા, પી.એચ.ડી. તેમજ ઉચ્ચ કક્ષાના સંશોધન કોમ્પ્યુટર ક્ષેત્રના અભ્યાસક્રમો માટે લોન આપવામાં આવશે.
  • અરજદાર જે વિદેશની યુનિ.માં માંગતો હોય તે યુનિ.માં મળેલ પ્રવેશ અંગેની વિગત આપવાની રહેશે તેમજ જે શરતો/નિયમો નક્કી કર્યા હશે તે રજુ કરવાનો રહેશે.
  • વિદેશમાં અભ્યાસ કરવા માટેના  સમયગાળા દરમ્યાન વીઝા તથા પાસપોર્ટ

મેળવી રજુ કરવાનો

  • આવી  યોજનાઓનો લાભ  કુટુંબમાંથી એક જ વ્યકતિને આપવામાં આવશે. આવક

મર્યાદા ધ્યાનમાં આવશે નહિ.

  • હેઠળ ગુજરાત રાજ્યમાં કે ભારતના જે અભ્યાસક્રમો કે પદવીઓ સવલત ઉપલબ્ધ ન હોય તેવા અભ્યાસક્રમો કે પદવીઓ માટે જ લોન આપવામાં આવશે.

યોજનાના ફાયદા/સહાયઃ

લોન મહતમ રૂ.૧૫.૦૦ લાખ (પંદર લાખ)

પ્રક્રિયા

  • અરજદાર અનુસૂચિત જનજાતિનો ઉમેદવાર હોવા અંગેનો સક્ષમ અધિકારીશ્રીએ આપેલા જાતિના પ્રમાણપત્રની સ્વયં પ્રમાણિત/ખરી નકલ.
  • અરજદારે પસાર કરેલી મેટ્રીક્યુલેશન અથવા હાયર સેકન્ડરી અથવા તો ઇન્ડીયન સ્કુલ સર્ટીફીકેટ પરીક્ષાની માર્કશીટ તેમજ પ્રમાણપત્રની સ્વયં પ્રમાણિત/ખરી o'i 8 GH
  • સ્કુલ લીવીંગ સર્ટીફીકેટની ઝેરોક્ષ નકલ
  • લાભાર્થીએ બે સધ્ધર જામીનો રજુ કરવાના રહેશે અને તેઓના રૂા.૨૦/-ના સ્ટેમ્પ પેપર ઉપર મામલતદારશ્રી/નોટરી રૂબરૂ સોગંદનામુ કરાવી મિલકતના પુરાવા સહિત રજુ કરવા
  • લાભાર્થીનું પોતાનુ રૂા.૨૦/-ના સ્ટેમ્પ પેપર સોગંદનામુ કરાવી રજુ કરવું. વિદેશ જતાં પહેલાં અરજદારે પાસપોર્ટ, સ્ટ્રડન્ટ વિઝા, વિદેશમાં યુનિ.માં પ્રવેશ મળ્યા અંગેનો પત્ર વગેરે આધાર રજુ કરવાના રહેશે
  • આ યોજના હેઠળ અભ્યાસક્રમ માટે થનાર ખર્ચ સંસ્થા પાસેથી મેળવીને રજુ કરવના રહેશે.
  • આ યોજના હેઠળ લોન મેળવનાર લાભ અભ્યાસક્રમ પૂર્ણ કર્યાબાદ ભારતમાં તેમની સેવાઓ ઓછામાં ઓછી/પાંચ વર્ષ માટે આપવાની બાંહેધરી રૂા.૨૦/- ના નોન જયુડશીયલ ર આપવાની રહેશે.
  • ઇચ્છતા ઉમેદવારના કોઈ સગા સંબંધી
  • આવા અભ્યાસક્રમોમાં દાખલ વિદેશમાં રહેતા હોય તો તાલીમાર્થીને તેઓ દ્વારા નાણાકીય જવાબદારી માટે પુરસ્કૃત કરેલા હોવા
  • લાભાર્થીએ અી યોજના હેઠળ લોનની રકમ રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નિયત નિયમના દરે ચુકવવામાં આવશે અને રીઝર્વ બેન્કની નિયમ અનુસારની મંજુરી લેવાની રહેશે.

અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા:

ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર

સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/14/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate