રાજ્યના ૧પ થી ૩પ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતિઓ માટે અનેકવિધ યુવા અને સાહસિક કાર્યક્રમો યોજવામાં આવે છે. આ ઉપરાંત ખુલ્લા વિભાગમાં રાજ્યનું યુવાધન સામાજીક સેવા તેમજ યુવકોને માર્ગદર્શનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરે છે. આ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ પણ રાજ્યના યુવાનો માટે અનેકવિધ કાર્યક્રમો હાથ ધરે છે. આવા યુવાનો અને સંસ્થાઓને સરકારશ્રી તરફથી યથેચ્છ સન્માન કરવાના ઉમદા હેતુથી રાજ્ય યુવક પારિતોષિક (સ્ટેટ યુથ એવોર્ડ)થી સન્માન્તિ કરવામાં આવે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020