પ્રતિવર્ષે યોજાતા રાજ્ય યુવા ઉત્સવ સ્પર્ધામાં હળવું કંઠ્ય સંગીત,સમૂહગીત,લોકગીત,ભજન, શાસ્ત્રીય કંઠય સંગીત સ્પર્ધાના વિજેતાઓ માટે દિવસ માટેની સંગીત શિબિરનું આયોજન કરવામાં આવે છે.આ શિબિરમાં સંગીત ક્ષેત્રના તજજ્ઞ અને જાણીતા કલાકારોના માર્ગદર્શન હેઠળ નવોદિત કલાકારોને સંગીતનું સધન પ્રશિક્ષણ તેમજ સંગીતના તાલ,લય,સુર ઇત્યાદીથી વાકેફ કરવામાં આવે છે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે. નાણાકીય વર્ષ-ર૦૧ર-૧૩માં રૂા.૧.૫૦ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૨૫ લાભાર્થીઓ લાભ લેશે.
સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020