રાજ્યના યુવક-યુવતિઓને પ્રાકૃતિક પ્રેમ ,નૈસર્ગિક દર્શન,વન્ય પશુ-પક્ષીઓ ,વૃક્ષો,પહાડો, ,ઝરણા,કોતરો વગેરેનો પ્રત્યક્ષ પરીચય મળી રહે તે માટે તથા વન્ય વિસ્તારના હસ્તઉદ્યોગો ,કલા અને સંસ્કૃતિની વગેરેની જાણકારી મળી રહે તે હેતુથી વર્ષ-૧૯૯૦-૯૧થી ૧૦ દિવસ માટે પ્સંદગી પામેલ ૧૦૦ યુવક-યુવતીઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં વર્ષ-ર૦૧૦-ર૦૧૧ થી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના અલગ-અલગ કાર્યક્રમ મળી ત્રણ કાર્યક્રમ થાય છે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે. નાણાકીય વર્ષ-ર૦૧૨-૧૩ રૂા.૩.૦૦ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૧૦૦ લાભાર્થીઓ લાભ લેશે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020