માનવીના શારિરીક,માનસિક અને આધ્યાત્મિક વિકાસમાં યોગનું આદિકાળથી વિશિષ્ટ પ્રદાન છે.યોગાશનથી વ્યક્તિઓનો સર્વાંગી વિકાસ થાય,તેમનામાં રોગ પ્રતિકારક શક્તિઓનો ઉદ્દભવ થાય,તેઓ નિરોગી જીવન જીવી શકે વળી,શિબિરમાં જુદા-જુદા વિસ્તારના યુવાનો એક થવાથી તેમનામાં માતૃભાવના, રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થાય, આવા ઉમદા હેતુથી પ્રતિવર્ષે રાજ્યના 33 જિલ્લા એકમોમાં ૭ દિવસ માટેની આવી શિબિરો 1990-91ના વર્ષથી યોજવામાં આવે છે.પ્રત્યેક શિબિરમાં રપ યુવકોને યોગ નિષ્ણાંત યોગાચાર્ય ધ્વારા તાલીમ આપવામાં આવે છે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે. નાણાકીય વર્ષ-ર૦૧ર-૧૩માં રૂા.૧૦.૫૬ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૮૨૫ લાભાર્થીઓ લાભ લેશે.
સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020