ગુજરાત સરકાર તરફથી આશરે ૩ એકર જમીન અંબાજી ખાતે કેમ્પ સાઇટ ડેવલપમેન્ટ માટે ફાળવવામાં આવેલ છે. અંબાજી ડુંગરાળ વિસ્તારમાં આવેલ ધાર્મિક સ્થળ છે. જયાં પ્રતિવર્ષ ૮ થી ૧૦ લાખ યાત્રાળુઓ પગપાળા પ્રવાસ કરે છે. આ યાત્રાળુઓમાં સાહસિક પ્રવૃત્તિને ઉત્તેજન મળે અને સાથોસાથ શહેર સગવડો વગર કુદરતના સાનિધ્યમાં જીવન જીવવાની શૈલી અપનાવી શકે તે હેતુને ધ્યાનમાં લઇ કેમ્પ સાઇટનો વિકાસ કરવા માટે આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/24/2019