વિકેન્દ્રિકરણમાં આયોજન માટેની જવાબદારીઓ, વ્યવસ્થાપન, સંસાધનોની ફાળવણી અને સત્તા, કેન્દ્ર સરકાર અને તેની સંસ્થાઓ પાસેથી લઈને તેની સોંપણી નીચે મુજબનાં એકમો કે વિભાગોને કરવામાં આવે છે.
કેન્દ્ર સરકારનાં મંત્રાલયોનાં ક્ષેત્ર એકમો, ગૌણ એકમો અથવા સરકારનાં સ્તરો, આંશિક-સ્વાયત્ત જાહેરસત્તા-તંત્રો અથવા કૉર્પોરેશનો, પ્રાદેશિક અથવા કાર્યકારી સત્તાઓ અથવા બિન-સરકારી કે ખાનગી સંગઠનો.
વિવિધ સ્તરે મંજૂરીઓ લેવામાં ઘણો વિલંબ થવાના કારણે લક્ષિત વસતિ સુધી વિકાસ માટેના કાર્યક્રમો પહોંચતા નહોતા. વળી, આ કાર્યક્રમોમાં પ્રાદેશિક જરૂરિયાતોને ધ્યાનમાં લેવાતી નહોતી. આ હકીકત ધ્યાન પર આવતા ઘણા વિકાસશીલ દેશોએ 70ના દાયકાના અંત ભાગમાં અને 80ના દાયકાના પ્રારંભમાં વિકેન્દ્રિકરણની શરૂઆત કરી હતી. કયાં પગલાંઓ ભરવાથી કાર્યક્રમ સફળ રહેશે તે અંગે કેન્દ્રીય વહીવટી તંત્રમાં નજીવી જાણકારી પ્રવર્તતી હતી.
કેન્દ્રિકરણની વિભાવના ચોકસાઈપૂર્વક સ્પષ્ટ કરવામાં આવી છે અને તેને સત્તા, સંસાધન અને ઑથોરિટીના કેન્દ્રિકરણ તરીકે સમજવામાં આવે છે. વિકેન્દ્રિકરણ એટલે શું, તેની પાછળનાં કારણો કયાં છે અથવા તો તેના પર શું અસરો પડી શકે છે તે અંગે સામાન્ય સમજનો અભાવ પ્રવર્તે છે. સામાન્યપણે તેને એવી બાબત ગણવામાં આવે છે, જે કેન્દ્રિય તેમ જ સ્થાનિક એમ બંને વહીવટોને લોકશાહીકરણ તરફ, ઉચ્ચ કાર્યક્ષમતા તરફ અને જાહેર સંસાધનોના વપરાશ અને સેવા પૂરી પાડવામાં સમાનતા તરફ પ્રેરે છે.
સ્ત્રોત: વિચાર, ઉન્નતી અમદાવાદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020