অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નાગરિક અધિકાર પત્ર

અમારી પરિકલ્પના:

અમારી પરિકલ્પના:

અમે કેન્દ્ર સરકારની નીતિઓ અને કાર્યક્રમો અંગે લોકોના જાગૃતિ વધારીને તેમને માહિતગાર અને સશક્ત બનાવવા ઈચ્છીએ છીએ.

  • લોકોને સાતત્યપૂર્ણ પારસ્પરિક જાહેરાતની ઝુંબેશ દ્વારા માહિતગાર કરવા
  • જાહેરાતના કાર્યક્રમો દ્વારા લોકોના મત પર વૃત્તજનક (વર્તણૂક સંબંધી ) પરિવર્તન લાવવા.
  • કલ્યાણકારી અને વિકાસલક્ષી કાર્યક્રમોના સાનુકૂળ અમલ માટે લોકમત ઉભો કરવો.

અમારુ લક્ષ્યાંક:

અમે રાજ્ય કે કેન્દ્ર સરકારના વિભાગો કે સંસ્થાઓ સાથે સંકલન સાધીને સરકારની યોજનાઓ, કાર્યક્રમો અને સિદ્ધિઓ વિશે જાગૃતિ કેળવવા સહાયક તરીકે કામ કરવાનું લક્ષ ધરાવીએ છીએ. અમારું ધ્યેય સમાજના નબળા વર્ગો, ખાસ કરીને નીચેલા તળિયાના સામાન્ય લોકોને તેમની સુખાકારી માટે ઘડાયેલી યોજનાઓ વિશે માહિતગાર કરીને એ યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરી તેમને સશક્ત બનાવવાનું છે. જેમાં આ કાર્યો સમાલે છે.

  • માપી શકાય, વિશ્લેષણ કરી શકાય અને પગલાં લઈ શકાય તે રીતે પ્રતિક્રિયાઓ મેળવવી અને વિકાસ સંસ્થાને અહેવાલ મોકલવો.
  • સામાન્ય માણસને સૌથી વધુ હિતકારી હોય તે રીતના આયોજનો કરવાં અને નીતિઓ ઘડવામાં ગ્રાહક (સેવા લઈ રહેલા) મંત્રાલયને મદદગાર બનવું
  • કલ્યાણકારી અને વિકાસલક્ષી કાર્યક્રમોના સાનુકૂળ અમલ માટે લોકમત ઉભો કરવો.

ધ્યેય અને ઉદ્દેશ:

ક્ષેત્રીય પ્રચાર નિદેશાલય, ક્ષેત્ર – આધારિત સંસ્થા તરીકે, સરકાર દ્વારા સામાન્ય લોકો માટે ઘડાયેલી વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અને કાર્યક્રમોમાં લોકોના લાભ માટે લોકભાગીદારી મેળવવામાં ભૂમિકા ભજવી રહી છે. ક્ષેત્રીય પ્રચાર નિદેશાલય દ્વારા સરકારની યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરીને વર્તણૂક પરિવર્તન પ્રત્યાયન દ્વારા લોકોના દૃષ્ટિકોણના પરિવર્તન લાવવાના પ્રયાસો કરાયા છે. ક્ષેત્રીય પ્રચાર નિદેશાલય સમાજના વિવિધ વર્ગના લોકો પર ખાસ કરીને દેશના ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા અને નબળા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. લોકોના ઘેર – ઘેર પ્રત્યક્ષ પહોંચીને સંદેશ પહોંચાડી શકે તેવા લોકો અને સાધનોથી સજ્જ ક્ષેત્રિય જાહેરાત નિયામકના ક્ષેત્રિક એકમો દેશના આર્થિક – સમાજિક અને સાંસ્કૃતિક ભિન્નતા ધરાવતા લોકો સુધી પહોંચીને તેમને વિશ્વની સૌથી મોટા લોકતંત્રના નાગરિકો તરીકે સાથે મળીને વિકાસ સાધવા પ્રોત્સાહિત કરે છે. વિસ્તૃત રીતે, નિયામકના ધ્યેય અને ઉદ્દેશ આ મુજબ છે.

  1. સરકારની નીતિઓ અને કાર્યક્રમો લોકો સમક્ષ રજૂ કરવા ઉપરાંત લોકોના લાભ માટે સરકારે કરેલા વિવિધ આયોજનો અને યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરવા.
  2. લોકશાહી , સમાજવાદ અને બિનસાપ્રદાયિકતા જેવા પાયાંનાં રાષ્ટ્રીય મૂલ્યો વિશે લોકોને વાકેફ કરીને સતત વ્યક્તિગત સંપર્ક દ્વારા આ મૂલ્યો અંગે તેમનામાં શ્રદ્ધા જગાવવી.
  3. વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય લોકભાગીદારી મેળવવા સામાન્ય લોકો સાથે પરસ્પર સંબંધ સ્થાપિત કરવો અને કલ્યાણકારી અને વિકાસલક્ષી કાર્યક્મોના અમલ માટે સાનુકૂળ લોકમત ઉભો કરવો.
  4. સરકારી યોજનાઓ અને તેના અમલ અંગે લોકોની પ્રતિક્રિયાઓ મેળવવી અને તેને સંબંધિત મંત્રાલય કે વિભાગ સુધી પહોંચાડવી તેમજ તેમના દ્વારા સુધારા માટે પગલાં લેવાય તે જોવું. આ રીતે, નિયામક , સરકાર અને લોકો વચ્ચે દ્વિપક્ષીય પ્રત્યાયનની સાંકળ તરીકે કામ કરે છે.

સેવાના ધોરણો:

સેવાના ધોરણો

અનુક્રમ

મુખ્ય સેવા

ધોરણો

1.

પ્રચાર સાહિત્ય અને વિવિધ પ્રકારના દૃશ્ય શ્રાવ્ય સાધનોની મદદથી ક્ષેત્રિય જાહેરાત ઝુંબેશ

નિર્ધારીત કાર્યક્રમ મુજબ

2.

 

કચેરીના પ્રાંગણોમાં પ્રચાર સામગ્રીનું વિતરણ

કાર્યક્રમોદરમિયાનતાત્કાલિકધોરણે

3.

પ્રચાર સાહિત્ય અને વિવિધ પ્રકારના દૃશ્ય – શ્રાવ્ય સાધનોની મદદથી ક્ષેત્રિય જાહેરાત ઝુંબેશ – માંગ મુજબ

60 દિવસો

4

માહિતી અને પ્રસારણ મંત્રાલય સિવાયના ગ્રાહકોને પ્રતિક્રિયા

60 દિવસો

  • જાહેર ફરિયાદ (નિવારણ )અધિકારીનું નામ અને સંપર્ક – શ્રી સુરેન્દ્ર કુમાર, નિદેશક, ડીએફપી, ઈસ્ટ બ્લોક– 4, લેવલ– 3, આર.કે.પુરમ, નવી દિલ્હી, 110066 ફોન નં. 26104321 (ઓ)
  • હેલ્પલાઈન નંબર – 011 – 26175896 ઈ મેલ એડ્રેસ dir.dfp@ nic.in
  • ફરિયાદ નોંધવનાર વ્યક્તિ તરફથી પ્રતિક્રિયાની અપેક્ષા – ફરિયાદ મળ્યાની પહોંચી બાદ સમયસર ફરિયાદ નિવારણ
  • ફરિયાદ નિવારણની સમયસીમા – ફરિયાદ મળ્યાની પહોંચ ફરિયાદ મળ્યાના પંદર દિવસમાં આપવી – ફરિયાદનું 60 દિવસમાં નિવારણ કરવું.
  • કોઈપણ ફરિયાદ સૌ પહેલા સંબંધિત ક્ષેત્રિય અધિકારી પાસે નોંધાવવી
  • જો યોગ્ય સમયમાં તેનું નિવારણ ન થાય તો જાહેર ફરિયાદ (નિવારણ ) અધિકાર પાસે લઈ જવી.
  • જો ત્યાં પણ ફરિયાદનું નિવારણ ન થાય તો તે ફરિયાદને સંયુક્ત સચિવ (પી.એન્ડ.એ), માહિતી અને પ્રસારણ મંત્રાલય , છઠ્ઠો માળ, શાસ્ત્રી ભવન , નવી દિલ્હી – 110001 પાસે લઈ જવી.

ભાગીદારો – ગ્રાહકો:

  • કેન્દ્ર સરકારના મંત્રાલય – વિભાગો
  • રાજ્ય સરકારો – કેન્દ્ર શાસિત પ્રદેશો
  • સ્વાયત્ત એકમો , સ્વૈચ્છિક સંસ્થાઓ અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ.

જવાબદેહી કેન્દ્ર અને આનુષંગિક સંસ્થાઓ :

નિયામક 22 પ્રાદેશિક કચેરીઓ(નીચે મુજબ ) ધરાવે છે, જે પ્રત્યેકમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ – ડાયરેક્ટર સ્તરના અધિકારી તેમના અધિકારક્ષેત્ર હેઠળ જાહેરાત (પ્રચાર) પ્રવૃત્તિઓના એકમો ઉપર દેખરેખ રાખે છે. હાલમાં ક્ષેત્રિય પ્રચાર અધિકારીના વડપણ હેઠળ 207 જેટલાં ક્ષેત્રિય જાહેરાત (પ્રચાર) એકમો છે અને આ એકમો સરકારની નીતિઓ અને કાર્યક્રમોની પ્રચાર પ્રવૃત્તિ હાથ ધરવા માટે દૃશ્ય – શ્રાવ્ય સાધનો, પ્રચાર સાહિત્ય , પ્રદર્શન કીટ્સ અને વાહન સુસજ્જ છે.

જાહેરાત (પ્રચાર)પ્રવૃત્તિઓના ભાગરુપે અમારા ક્ષેત્રિય એકમો દ્વારા ફિલ્મ શો, ગીત અને નાટકનાં કાર્યક્રમો, રમત ગમતના મેળાવડા, ચર્ચાઓ, સ્પર્ધાઓ, ક્વિઝ, સેમિનાર, વાર્તાલાપ, જૂથ ચર્ચા, સ્વસ્થ બાળક માટેના શો, રેલી વગેરે યોજાય છે.

ક્ષેત્રિય પ્રચાર એકમોની કચેરીઓના સરનામાં તેમજ ટેલિફોન – ફેક્સ નંબરો સહિતની યાદી. :

પ્રાદેશિક કચેરીઓનાસરનામા

ફોન.

39/3, બીમાનગર સોસાયટી, સેટેલાઇટ રોડ, આંબાવાડી, અમદાવાદ – 380 015

સંયુક્તનિદેશક:શ્રીસંતોષકુમાર

079/26751339

 

એકમ

સરનામુ

એસ.ટી.ડી.

ફોન

ભુજ

એ/1, સંસ્કારનગર, મંગલમ સર્કલ, ભુજ (કચ્છ)

02832

221203

ભાવનગર

પ્લોટ નં-2, રમાનિવાસ, જવાહર કોલોની, બોરડી ગેટ, ભાવનગર-364001

0278

2205237

ગોધરા

13 જ્યોતિ સોસા. કોલેજ રોડ, ગોધરા -389002

02672

241858

પાલનપુર

ઘરનં. 12/460-463, મહાલક્ષ્મી સોસા., જુની રોજગાર ઓફિસ બીલ્ડીંગની સામે, બેચરપુરા, પાલનપુર-385001

02742

247298

જુનાગઢ

104,બંસી પેલેસ એપાર્ટમેન્ટ, અશોકનગર સોસાયટી, નવા બસ સ્ટેન્ડ પાસે, જુનાગઢ-360001

 

0285

2631385

સુરત

માતૃછાયા, રૂમનં. 2/1501, પહેલો માળ, પોપટ શેરી, સગરામપુરા, સુરત- 395002

0261

2332709

સેવા મેળવનાર તરફથી નિર્દેશાત્મક અપેક્ષાઓ:

નાગરિકોને અમારી સેવા તદ્દન નિઃ શુલ્ક (વિના મૂલ્યે )ઉપલબ્ધ છે. પ્રવર્તમાન વિવિધ રાષ્ટ્રીય મુદ્દાઓના પ્રચાર માટે મદદ પૂરી પાડવા માટે અમે અમારા ગ્રાહકો પાસેથી કોઈ રકમ વસૂલ કરતા નથી. જો કે, ગ્રાહક મંત્રાલય કે સંસ્થાની વિનંતીને પગલે ચોક્કસ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરીને અમે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ અને આ કાર્યક્રમ સંબંધિત મંત્રાલય કે સંસ્થા દ્વારા ડીએફપી (ક્ષેત્રિય પ્રચાર નિદેશાલય)ને ઉપલબ્ધ કરવામાં આવતા ભંડોળની મદદથી યોજાય છે.

સૂચનો:

તમે આ સરનામે લખી અથવા સંપર્ક કરી શકો છો અમે અમારા કાર્યક્રમોની ગુણવત્તા વધારવા તેમજ અમારા કાર્યક્રમો દ્વારા દેશના નાગરિકોની સેવાને લગતાં સૂચનો આવકારીએ છીએ.

મહા નિદેશક, ડીએફપી, માહિતીઅનેપ્રસારણમંત્રાલય,ઈસ્ટબ્લોક - 4, લેવલ– 3, આર.કે. પુરમ,  નવીદિલ્હી– 110066, ટેલિફોનનંબર– 26106316 (ટેલિફેક્સ )  અને ઈ–મેઈલdir.dfp@ nic.in .

અધિકાર પત્રની આગામી સમીક્ષા ડિસેમ્બર , 2012

પ્રચાર પ્રસારના વિષયો

રચાર એકમો દ્વારા યોજાતા કાર્યક્રમ મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, ગ્રામિણ રોજગાર (MNREGA) ગ્રામવિકાસ યોજનાઓ, જળ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ, બાળ વિકાસ, લઘુમતિઓ સહિતના નબળા વર્ગોના કલ્યાણ વગેરે વિષયો પર આધારિત હોય છે. ગામડાઓમાં યોજાતા કાર્યક્રમોમાં ભારત નિર્માણ કાર્યક્રમ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. પ્રચાર એકમો દ્વારા ગ્રાહક મંત્રાલયો માટે વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. પ્રચાર કામગીરીના વિષયોની યાદી આ પ્રમાણે છે.

ક્રમાંક

વિષયો

1

એઇડ્સ જાગૃતતા

2

ગ્રાહક જાગૃતતા

3

પીવાનુ પાણી તથા ગટર વ્યવસ્થાપન

4

ઇન્દિરા આવાસ યોજના

5

મધ્યાહન ભોજન યોજના

6

રાષ્ટ્રીય આયોડીન ઉણપ નિયંત્રણ કાર્યક્રમ (NIDDCP)

7

રાષ્ટ્રીય ગ્રામિણ સ્વાસ્થ્ય મિશન (NRHM)

8

લઘુમતી કલ્યાણ માટે પ્રધાનમંત્રીની નવો 15 મુદ્દાનો કાર્યક્રમ

9

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના

10

પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન

11

વરસાદી પાણી સંરક્ષણ

12

માહિતી અધિકાર અધિનિયમ(RTI)

13

ગ્રામિણ વિદ્યુતિકરણ

14

ગ્રામિણ સ્વચ્છતા અને ગટર વ્યવસ્થાપન

15

ગ્રામિણ સંદેશાવ્યવહાર

16

સર્વ શિક્ષા અભિયાન

17

શાળા સ્વચ્છતા અને ગટર વ્યવસ્થાપન

18

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર બાંહેધરી અધિનિયમ (MNREGA)

19

અન્ય (રાષ્ટ્રીય એકતા)

સ્ત્રોત:નાગરિક અધિકાર પત્ર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/5/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate