દરિયામાં જુદી જુદી ઘણા પ્રકારની શેવાળ(લીલ) જોવા મળે છે. વિવિધ જાતોમાં અનેક પ્રકારનાં પોષક તત્વો રહેલાં છે.આ પોષક તત્વો ખેતીપાકો ઉપર છંટકાવ કરવાથી પાકમાં સારો વધારો જોવા મળે છે. સામાન્ય રીતે શેવાળનું ખાતર દરેક પાકો માટે ઉપયોગી છે.પરંતુ શાકભાજીના પાકો,બાગાયતી પાકો તથા તેલીબિયાના પાકો ઉપર સારી અસર કરે છે.
શેવાળનું ખાતર બનાવવા માટે શેવાળને દળવા , થંટુડો ,મોટી સાઈઝનાં તપેલાં તથા શેવાળના ટુકડા કરવા કોયતાની જરૂર પડે છે.આ ઉપરાંત માદરપાટનું કાપડ , કોપર સલ્ફેટ તથા ફીમોલ્ડીહાઈની પણ જરૂર પડે છે.
સામાન્ય રીતે શેવાળ એકત્રિત કરવા માતાએ સેપ્ટેમ્બેરથી ફેબ્રુઆરી મહિના વધુ અનુકુળ આવે છે.
શેવાળમાંથી ખાતર બનાવવા અંગેની તાલીમ સંશોધન અધિકારીની કચેરી, ફિશરીઝ સંશોધન કેન્દ્ર , જુનાગઢ કૃષિ યુનિવર્સીટી ,ઓખા , ટેલીફોન નં ૦૨૮૯૨-૨૬૨૦૫૬ ખાતેથી મળી શકે.
બજારમાં વિવિધ પ્રકારનાં ઘણા બાયોફર્ટીલાઈઝર મળે છે જેની બનાવટ અલગ અલગ હોય છે તથા તેમાં રસાયણો પણ મિશ્રણ કરેલાં હોય છે માટે તે ખાતરો સંપૂર્ણ રીતે ફર્ટીલાઈઝર હોતાં નથી. માટે જો શેવાળનું ખાતર જ બાયોફર્ટીલાઈઝર તરીકે વાપરવું હોય ટો જુનાગઢ કૃષિ યુનીવર્સીટીના ઓખા ખાતેના ફિશરીઝ સંશોધન કેન્દ્ર પરથી રૂ . ૮૦ પ્રતિ ત્રણ લીટરના દરે મેળવી શકાય છે. શેવાળનું ખાતર સામાન્ય રીતે વહેલી પરોઢે અથવા ઢળતી સાંજે છાંટવું હિતાવહ છે જેથી તેમાં રહેલા અંત: સ્ત્રાવોનું દિવસની ગરમીમાં બાષ્પીભવન થાય નહી.સામાન્ય રીતે કોઈપણ પાકમાં ફુલ બેસવાની શરૂઆત થાય તે પહેલાના સાત દિવસથી શરુ કરી દર પંદર દિવસના અંતરે આ શેવાળનું ખાતર ૩૦૫ થી ૪.૦ ટકાના પ્રમાણમાં છાંટી શકાય.
સ્ત્રોત: I-ખેડૂત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024